કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

પરણિત મહિલાઓ પોતાના પતિની લાંબી આયુ માટે કરવા ચોથનું વ્રત કરે છે. આ વર્ષે કરવા ચોથ 17 ઓક્ટોમ્બર ગુરુવારે છે. કરવા ચોથનું વ્રત ફક્ત સુહાગણ મહિલાઓ જ નહીં પરંતુ કુવારી યુવતિઓ પણ રાખે છે. પરંતુ શું લગ્ન પહેલા કરવા ચોથનું વ્રત રાખવું યોગ્ય છે? જ્યોતિષો અનુસાર કુંવારી યુવતીઓ પણ કરવા ચોથનું વ્રત રાખી શકે છે. તેનાથી કરવા માતાનો આશીર્વાદ મળે છે. કોઈ નુકશાન નથી થતું. મોટાભાગે કુંવારી યુવતીઓ પોતાના પ્રેમી અને વાગદત્તા માટે વ્રત કરે છે. પરંતુ જો તમારો હાલ કોઈ સાથે સંબંધ નથી તો તમે પોતાના ભાવી પતિ માટે પણ વ્રત કરી શકો છો. અપરણિત યુવતીઓને પણ કરવા ચોથનાં…

Read More

દશેરાથી લઈને શરદ પૂનમ સુધી ચંદ્રની ચાંદનીના વિશેષ હિતકારી કિરણો હોય છે. જેમાં વિશેષ રસ હોય છે. આ દિવસોમાં ચંદ્રની ચાંદનીનો લાભ લેવાથી આખું વર્ષ માનસિક અને શારીરિક રીતે સ્વાસ્થ્ય સારું રહે છે. પ્રસન્નતા અને હકારાત્મકતા પણ ટકી રહે છે. આ વર્ષે શરદ પૂર્ણિમા 13 ઓક્ટોબર, રવિવારે ઉજવવામાં આવશે. આ રાત્રે કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જેનાથી ખીરને દિવ્ય ઔષધિ બનાવી શકાય અને આ ખીર વિશેષ પ્રકારે ખાવાથી તેનો ફાયદો પણ મળી શકે. શરદ પૂનમે અશ્વિની કુમારોની સાથે અર્થાત્ અશ્વિની નક્ષત્રમાં ચંદ્ર પૂર્ણ 16 કલાઓથી યુક્ત હોય છે. ચંદ્રની આવી સ્થિતિ વર્ષમાં એક વાર જ બનતી હોય છે. ગ્રંથોમાં…

Read More

ફિલ્મ ‘મોતીચૂર ચકનાચૂર’નું ટ્રેલર 11 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં લીડ રોલમાં અથિયા શેટ્ટી તથા નવાઝુદ્દીન સિદ્દીકી છે. તેમનું ફર્સ્ટ પોસ્ટર પણ આજે એટલે કે 12 ઓક્ટોબરે રિલીઝ થયું છે. આ પોસ્ટરમાં બંનેએ લગ્નના કપડાં પહેર્યા છે, જેમાં અથિયા પ્લેનની સીટમાં જ્યારે નવાઝુદ્દીન વરરાજાની ખુરશીમાં બેઠો છે. આ ફિલ્મ 15 નવેમ્બરે રિલીઝ થશે. તરણ આદર્શે ફિલ્મનું પોસ્ટર ટ્વીટ કર્યું છે. ‘મોતીચૂર ચકનાચૂર’ ફિલ્મના ડિરેક્ટર દેબમિત્રા બિશ્વાલ તથા પ્રોડ્યૂસર કિરણ ભાટિયા-રાજેશ ભાટિયા છે. ફિલ્મના ટ્રેલરમાં બતાવ્યું છે કે, અથિયાને કોઈ એનઆરઆઈ છોકરા સાથે લગ્ન કરીને વિદેશ જવું હોય છે, તો બીજી તરફ નવાઝુદ્દીન 36ની ઉંમર વટાવી હોવા છતાં લગ્ન…

Read More

સુરતના લિંબાયત ગોડાદરા ખાતે રહેતા શેરદલાલના પત્ની ગત સાંજે ઘરે એકલા હતા ત્યારે ડોરબેલ વાગતા તેમણે દરવાજો ખોલ્યો તે સાથે જ બે અજાણ્યા તેમના મોઢા ઉપર સ્પ્રે છાંટી ઘરમાં ઘુસી ગયા હતા અને રસોડામાં રાખેલા બોક્સમાંથી રૂ.40,000 ના રૂ.20 અને રૂ.10 ની નવી નોટના 30 બંડલ લઈ ફરાર થઈ ગયા હતા. તેઓ નીકળતા હતા તે સમયે શેરદલાલના પત્ની ભાનમાં આવતા ફરી તેમણે સ્પ્રે છાંટ્યું હતું. આ બનાવ પાછળ મહિલાએ વતન બિહારમાં દહેજનો કેસ કરનાર પુત્રવધૂના પરિજનોની સંડોવણીની આશંકા વ્યક્ત કરી છે. પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બિહારના વતની અને છેલ્લા ૨૫ વર્ષથી સુરતમાં લિંબાયત ગોડાદરા ક્રિષ્નાનગર 2…

Read More

વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરાંમાં મોડી રાત્રે લાગેલી આગના કારણે સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. કલાદર્શન ચાર રસ્તાથી ડી માર્ટ જવાના માર્ગે આવેલી માય રેસીપી નામની રેસ્ટોરાંમા ગઈ રાતે પોણા બાર વાગ્યાના અરસામાં કિચનની ચીમનીમાં ઓવર હીટિંગના કારણે લાગેલી આગના કારણે ધુમાડાના ગોટેગોટા ચાર માળ સુધી ફેલાતા ઉપર રહેતા પરિવારજનો ગભરાઈને નીચે ઉતરી આવ્યા હતા. રેસ્ટોરાંના કિચનમાં પાંચ ગેસ સિલિન્ડર હોવાના કારણે કર્મચારીઓ તેમજ આસપાસના રહીશોના જીવ ઉંચા થઈ ગયા હતા. કેટલાક યુવકોએ હિંમતભેર ચાર સિલિન્ડર બહાર કાઢી લીધા હતા જ્યારે, ફાયર બ્રિગેડ આવી જતા પાંચમો સિલિન્ડર પણ બહાર કાઢી આગ કાબૂમાં લીધી હતી.

Read More

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાની મુસ્લિમ મહિલાઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું એક મંદિર બનાવી રહી હોવાની જાણકારી મળી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તીન તલાક જેવી ઘૃણાસ્પદ પરંપરા રદ કરાવી તેથી આ મુસ્લિમ મહિલાઓ રાહત અનુભવી રહી છે અને તાજેતરની લોકસભાની ચૂંટણીમાં પણ અસંખ્ય મુસ્લિમ મહિલાઓએ ભાજપને મતો આપ્યા હતા. આ મુસ્લિમ મહિલાઓનું નેતૃત્વ કરી રહેલી મહિલા રુબી ગઝનીએ મિડિયાને કહ્યું કે તીન તલાક જેવી અમને સતત અન્યાય કરતી પરંપરા રદ કરીને નરેન્દ્ર મોદીએ અમારા જીવનને નવી દિશા આપી છે. આખી દુનિયામાં નરેન્દ્ર મોદીનું સન્માન થઇ રહ્યું છે ત્યારે ઘરઆંગણે તેમનું સન્માન કરવાની ભાવનાથી અમે મોદી મંદિર બનાવી રહ્યા છીએ. આ…

Read More

નવી મુંબઈના ૫૦મા સેક્ટરથી સીવૂડ્ઝ સ્ટેશને જવા માટેના રોડ પરના વૃક્ષો પરથી ગઈ કાલે સવારના સમયે રીતસરનો વરસાદ પડયો હોય તેમ વાહનો અને રીહદારીઓ પર સેંકડોની સંખ્યામાં મેન્ગ્રોવ મોથ કેટરપીલર્સ (સુંદરી વૃક્ષોના પાન પર ઇંડાં મૂકતાં પતગિંયાં જેવા પાંખોવાળા જીવડાંની ઇયળ) પડવા સાથે ટ્રાફિક જામ થયો હતો. તદુપરાંત લોકોમાં ભય ફેલાયો હતો. મેન્ગ્રોવ મોથની ઇયળો સામાન્ય રીતે ઓક્ટોબરમાં જોવા મળતી નથી, પરંતુ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ક્લાયમેટચેન્જને કારણે કાદચ આટલી મોટી સંખ્યામાં ઇટળો એકત્રીત થઈ હોય. ઇયળોના ‘વરસાદે’ સીવૂડ્ઝમાં ભય ફેલાયો હતો અને અનેક લોકોએ ત્વાચામાં બળતરા થતી હોવાની ફરિયાદ કરી હતી. નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓએ જણાવ્યું હતું કે…

Read More

નાનપુરા દયાળજી બાગ નજીક અને ઉમરા ગામ દમણ ફળિયાની પાછળ તાપી નદીના પટમાંથી હત્યા કરી ફેંકી દેવાયેલી બે લાશ મળવાની ઘટનામાં પોલીસે બંન્ને મૃતકોની ઓળખ માટે સુરત શહેર-જિલ્લામાંથી ગુમ થનારની માહિતી મેળવવાની તજવીજ હાથ ધરી છે. ઉપરાંત હત્યાનો ભોગ બનનાર બંન્ને મૃતકો એક જ પરિવારના હોવાની આશંકા સાથે ડીએનએ પરીક્ષણની પણ તજવીજ હાથ ધરી છે. ગત રોજ નાનપુરા દયાળજી બાગ અને નાવડી ઓવારાની વચ્ચે તાપી નદીના પટમાંથી અજાણ્યા યુવાનની લાશ રાંદેર પોલીસને મળી આવી હતી. આ લાશ મળ્યાના ગણતરીના ત્રણથી ચાર કલાકમાં જ વધુ એક લાશ ઉમરાગામ દમણ ફળિયાની પાછળ તાપી નદીના પટમાંથી ઉમરા પોલીસને મળી આવી હતી. રાંદેર અને…

Read More

દેશમાં વસતિવધારાના વિસ્ફોટને રોકવા ચીન જેવો વસતિનિયંત્રણનો કડક કાયદો અમલમાં મૂકવો જોઇએ એવી હાકલ વિવાદાસ્પદ વિધાનો કરવા માટે પંકાયેલા ભાજપના નેતા ગિરિરાજ સિંઘે કરી હતી. વસતિ વધારાનાં 21 માઠાં પરિણા્મો સૂચવતા 21 રથોની સાથે ભાજપી નેતાઓએ શુક્રવારે મેરઠથી દિલ્હીની પદયાત્રા શરૂ કરી હતી. સતત ઘટી રહેલું ભૂગર્ભ જળ, ઘટી રહેલી ખેતી, ગંભીર પ્રદૂષણ સહિત 21 સમસ્યાઓને ચિત્રરૂપે દર્શાવતાં આ રથો સાથે હજારો લોકો પદયાત્રામાં જોડાયા હતા આ પદયાત્રા આવતી કાલે રવિવારે દિલ્હી પહોંચશે અને જંતર મંતર પર કાયદા ખાતાના પ્રધાન રવિ શંકર પ્રસાદને એક નિવેદન સોંપશે. ત્યાં પદયાત્રાનું સમાપન થશે. પદયાત્રાના આરંભે ભાજપા નેતા ગિરિરાજ સિંઘે કહ્યું કે બેફામ વધી…

Read More

ગૂગલે (Google)આજનું ડૂડલ (Doodle)કામિની રાયની 155મી જયંતી પર બનાવ્યું છે. કામિની રાય ભારતના ઇતિહાસમાં ગ્રેજ્યુએટ થનારી પહેલી મહિલા હતી. જે દરેક મહિલાના અધિકારો માટે આગળ વધી. તે એક બંગાળી કવિ, શિક્ષાવિદ અને સામજિક કાર્યકર્તા (Social Worker) હતી. તેનો જન્મ 12 ઓક્ટોબર 1864એ બંગાળના બસંદા ગામમાં થયો હતો. જે હવે બાંગ્લાદેશના બારીસાલ જિલ્લામાં આવે છે. કામિની બ્રિટિશ શાસનકાળ દરમિયાન 186માં ઓનર્સની ડિગ્રી હાંસલ કરી. એટલે આઝાદીથી પણ પહેલા ગ્રેજ્યુએટ થાનારા કામીની રોય પહેલા મહિલા First Graduate Lady of India) હતા. કામિનીએ બેથુન કોલેજ (Bethune College) કોલેજમાંથી સંસ્કૃતમાં બીએ ઓનર્સ કર્યું અને તે કોલેજમાં શિક્ષિકા તરીકે કાર્ય કર્યું, ભારતમાં જે સમયે આઝાદી…

Read More