શહેરમાં ખાણીપીણીની વસ્તુઓમાં જીવાત, મકોડા, વંદા નીકળવાનો સિલસિલો હજી યથાવત રહ્યો છે. રાજ્યમાં આટલી ઘટનાઓ બન્યા પછી પણ કોઇ સુધારવાનું નામ લઇ રહ્યું નથી. આરોગ્ય વિભાગને પણ જાણે શહેરીજનોની કંઇ પડી નથી, તેવું લાગી રહ્યું છે. ત્યારે અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ એક ડોમિનોઝ પિત્ઝામાંથી મકોડો નીકળવાની ધટના સામે આવી છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, શહેરના ઘાટલોડિયા વિસ્તારના કલાસાગર મોલના ડોમિનોઝ પિત્ઝા આઉટલેટ ઉપરથી યુવાનોએ શુક્રવારે પિત્ઝા ઓર્ડર કર્યો હતો, પણ પિત્ઝાનું બોક્સ ખોલીને જોયું તો પિત્ઝામાં મકોડો હતો. જેથી વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. પછી આ વીડિયો વાઇરલ થઇ જતા મ્યુનિ.એ ડોમિનોઝ પિત્ઝાના આઉટલેટને…
કવિ: Satya Day News
અમદાવાદની વૃષ્ટિ કોઠારી કેસમાં અભિનેત્રી સોહાઅલી ખાને ટ્વીટ કરીને પોલીસ મદદ માંગતા મામલો ગરમાયો હતો. વૃષ્ટી અને શિવમ કુલ્લુના કસોલ પાસેથી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મળી આવ્યા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તેમને કસોલથી સીધા અમદાવાદ એરપોર્ટ પર લઇને આવી હતી. આજે વૃષ્ટી અને શિવમને લઈ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ ઍરપૉર્ટ પર પહોંચી ત્યારે શિવમના માતાપિતાએ તેમને બૂકે આપી સ્વાગત કર્યુ હતું. ઍરપૉર્ટ ખાતે મીડિયા સાથે વાત કરતા શિવમ પટેલે કહ્યું હતું કે અમે શાંતિની શોધમાં ગયા હતા. જોકે, બન્ને જણા હાલ સીધા ક્રાઇમ બ્રાન્ચ જવા માટે જ રવાના થયા છે. જો કે, વૃષ્ટિને લેવા માટે તેના માતાપિતા અમદાવાદ એરપોર્ટ પર આવ્યા…
રાજ્ય સરકારના વર્ગ-4 ના કર્મચારીઓને દિવાળીની ભેટ મળી છે. નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્યાને લઇને વર્ગ-4 ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને બોનસ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેર કર્યું છે કે, આ વખતે દિવાળી પર્વ વર્તમાન ઓક્ટોબર મહિનામાં આવતું હોઇ રાજ્ય સરકારે તેના અધિકારીઓ- કર્મચારીઓ- પેન્શનરોને પગાર-પેન્શન દિવાળી પહેલાં ચૂકવવાનો નિર્ણય કર્યો છે, એટલે ઓક્ટોબર મહિનામો પગાર તથા પેન્શન તા. 21-22-23 ઓક્ટોબર દરમિયાન જ ચૂકવાઇ જશે. રાજ્ય સરકારના અધિકારીઓ- કર્મચારીઓની સંખ્યા 5.11 જેટલી તથા પેન્શનરનોની સંખ્યા 4.54 લાખ જેટલી છે,…
લેકાવાડા સ્થિત સીઆરપીએફ કેમ્પમાં આસિ.કમાન્ડન્ટ તરીકે ફરજ બજાવતા જવાને ચંપલ ખોવાઈ જતાં પત્નીને લાફા મારી, ગળું દબાવ્યું હતું. આ અંગે પરિણીતીએ પતિ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ ગુજારતો હોવાની ફરિયાદ કરી છે. તું મારી બાયડી છે તારે જ બધુ કરવાનું ચિલોડા પોલીસમાં શીતલબેન રાણા (ઉં.વ.40)ની ફરિયાદ મુજબ, સવારે 9.30 વાગ્યે પતિ ભરત રાણા મેદાનથી ઘરે આવ્યા બાદ ચંપલ માગતા હતા. પત્નીએ ખબર નથી સેવાદાર શોધી આપશે તેવો જવાબ આપતા રોષે ભરાયેલા પતિએ ‘તું મારી બાયડી છે તારે જ બધુ કરવાનું’ કહીંને ત્રણ લાફા માર્યા હતા અને ગળું દબાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત પતિ ‘પિયરમાંથી દહેજ પેટે 50…
ભરૂચ જિલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના પત્ની વંદનાબા ચુડાસમાએ શૂટિંગ ક્ષેત્રે હાથ અજમાવી વિવિધ સ્પર્ધાઓમાં માત્ર 2 વર્ષમાં જ 24 જેટલાં મેડલ પ્રાપ્ત કર્યા છે. તેમણે એરપિસ્ટલ તથા સ્પોર્ટસ પિસ્ટલ શુટિંગની વિવિધ ઈવેન્ટસમાં ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ અને નેશનલ કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. વંદનાબા ચુડાસમાએ છેલ્લા 2 વર્ષથી શૂટિંગ ક્ષેત્રે શરૂઆત કરી હતી. કોઈ કોચની તાલિમ લીધા વિના સ્વબળે ચાલુ વર્ષે ગુજરાત રાજ્યની સ્ટેટ લેવલની શૂટિંગ સ્પર્ધામાં એરપિસ્ટલ, સ્પોર્ટસ પિસ્ટલ તથા સિંગલ ટ્રેપ શુટીંગની ત્રણેય સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. સપ્ટેમ્બર મહિનામાં જયપુર ખાતે યોજાયેલી 29 મી ઓલ ઈન્ડિયા જી.વી માવલંકર શુટીંગ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ તથા અન્ય સ્પર્ધાઓમાં…
અજય દેવગને 90ના દાયકા,આ ‘ફૂલ ઔર કાંટે’ હિન્દી ફિલ્મથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શ્રીગણેશ કર્યા હતા. 28 વર્ષ કરિયરમાં અજયે ઘણી ઉતાર-ચઢાવ જોયા છે. એક સફળ એક્ટરની સાથે તે ફિલ્મ મેકર, ડિરેક્ટર અને પતિ-પિતા પણ છે. સાંભળવામાં આવ્યું છે કે, ટૂંક સમયમાં તેની બાયોગ્રાફી લખી શકાય છે. સૂત્રો પ્રમાણે, અજયની લાઈફ સ્ટોરી ઘણી પ્રેરણાદાયક છે, કારણ કે ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલા હોવા છતાં તેણે ઘણો સંઘર્ષ કરીને સફળતા હાંસલ કરી છે. તે એક્શન ડિરેક્ટર વીરુ દેવગનનો દીકરો છે. પોતાની પ્રથમ ફિલ્મ હિટ થઇ હોવા છતાં કરિયરમાં ઘણી વાર નિષ્ફ્ળતા પણ જોઈ છે. તેના અને કાજોલની લવ સ્ટોરી, ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથેના સંબંધ આ દરેક સબ્જેક્ટ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુના મહાબલીપુરમમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત માટે પહોંચ્યા છે. શનિવારે સવારે મહાબલીપુરમના દરિયાઈ કિનારે તેમણે 30 મિનિટનું જોગિંગ કર્યું હતું. આ દરમિયાન તેમણે દરિયા કિનારાની સફાઈ માટે કચરો પણ ઉપાડ્યો હતો. વડાપ્રધાને લોકોને જાહેર જગ્યાઓને સાફ રાખવાની અપીલ કરી હતી. જોગિંગ કરતાં કરતાં કચરો ઉપાડવાને પ્લોગિંગ કહેવામાં આવે છે. મોદીએ આ અભિયાનનો ઉલ્લેખ 29 સપ્ટેમ્બરે મન કી બાતના કાર્યક્રમમાં પણ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં જણાવ્યું હતું કે, દેશમાં એક નવયુવક રિપુદમન બેલ્વી એક અનોખો પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ પ્લોગિંગ (જોગિંગ કરતાં કચરો ઉપાડવો) કરે છે. પહેલીવાર જ્યારે તેમણે પ્લોગિંગ શબ્દ સાંભળ્યો…
પંજાબમાં આતંકી હુમલાના ઈનપુટ પછી પઠાણકોટ અને ગુરદાસપુરમાં હાઈએલર્ટ જાહેર કરીને કોમ્બિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અમૃતસરને પણ હાઈએલર્ટ પર રાખવામાં આવ્યું છે. પઠાણકોટના કલેક્ટર રામબીરે જણાવ્યું કે, આ ઓપરેશન માટે જલંધર અને ફિલ્લૌરથી 3 હજાર જવાન બોલાવવામાં આવ્યા છે. તેમને પઠાણકોટ અને ગુરદાસપુર જિલ્લામાં પણ મોકલવામાં આવ્યા છે. શુક્રવારે સાંજે પઠાણકોટના સ્ટેડિયમમાં ઈમરજન્સી મીટિંગ કરવામાં આવી હતી. તેમાં 113 ડીએસપીની નજર હેઠળ ટીમ બનાવીને કોમ્બિંગ ઓપરેશન માટે મોકલવામાં આવી છે. ઓપરેશન 3 દિવસ ચાલશે. તેના અંતર્ગત શહેરથી લઈને બોર્ડર સુધીના દરેક ઘર અને જંગલની તપાસ કરવામાં આવશે. સરકારી હોસ્પિટલોમાં ઈમરજન્સી અંતર્ગત બેડ રિઝર્વ કરાવી દેવામાં આવ્યા છે. પંજાબ…
જિલ્લાના અંતરીયાળ વિસ્તારના એક આદિવાસી મૂર્તિકારની કળા ઇંગ્લેન્ડના મ્યુઝિયમમાં ભારત દેશની શાન બની છે. જે છોટાઉદેપુર સહિત સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે. છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ખાતે આવેલા ભાષા કેન્દ્રએ આદિવાસીઓમાં છૂપાયેલી કળા પ્રતિભાને ઉજાગર કરવા પ્લેટફોર્મ પુરૂં પાડવાનું કામ કર્યું છે. અંતરીયાળ ગામડાઓમાં રહેલા ક્લાકારોની કલાને બહાર લાવવાનું કામ આ સંસ્થાએ કરી છે. અવારનવાર સેમિનાર અને એક્ઝિબિશન યોજીને બહારથી લોકોને બોલાવવામાં આવે છે. ઇંગ્લેન્ડના માર્ક ઇલીયટે ઘેરૈયાની મૂર્તિ બનાવવાની માંગ કરી હતી અહીંના આદિવાસીઓની કલાકૃતિઓને આ પ્રદર્શનમાં રાખવામાં આવે છે. 2012માં ઇંગ્લેન્ડના વતની અને કલાના કદરદાન માર્ક ઇલીયટ ભારત આવ્યા હતા અને તેજગઢ ભાષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમની…
પારડી પોલીસ મથકે ફરજ બજાવતા સેકેન્ડ પી એસ આઈ જી.આઈ. રાઠોડ, હેડ કોન્સટેબલ નરસિંહ રાજપૂત, પોલીસ કોન્સટેબલ અમિત પટેલ ચોરીના ગુન્હામાં સંડોવાયેલા આરોપીના લોકેશન ટ્રેસ કરી તેને પકડવા પ્રાઈવેટ કારમાં રાજસ્થાનના કુશલ ગઢ બરસી ગામે પહોંચ્યા હતા. ત્યારે એક બાઇક ચાલકે પોલીસની કારને ઓવરટેક કરી કારને અટકાવી હતી અને તમે કોણ છો નું પૂછ્યું હતું. પોલીસે તેમનું આઈ કાર્ડ બતાવી પોલીસની ઓળખ આપી હતી.આ વાતચીત દરમિયાન હાથમાં લાકડા અને પથ્થર લઈ કેટલાક લોકો દોડી આવ્યા હતા અને પોલીસ કશું સમજે તે પહેલા 100થી વધુ લોકોના ટોળાંએ કારમાંથી પીએસઆઇ અને સ્ટાફના માણસોને ખેંચી કાઢી માર માર્યો હતો. લોકોએ પથ્થરમારો પણ કર્યો…