વિશ્વભરમાં ઝડપથી વધતા વાયુ પ્રદૂષણના કારણે માત્ર લોકોને જ નહીં પરંતુ ગર્ભને પણ નુકસાન થઈ રહ્યું છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે હવાનું પ્રદૂષણ સગર્ભા સ્ત્રીના ગર્ભાશયમાં પ્લેસેન્ટા દિવાલમાં પ્રવેશ કરે છે અને ગર્ભાશયમાં ગર્ભ સુધી પહોંચે છે. જે બાળકના સ્વાસ્થ્યને અસર કરે છે અને તેના પર કેટલાક રોગ થવાનું જોખમ ઊભું થાય છે. વૈજ્ઞનિકોએ જાણ્યું છે કે જ્યારે સગર્ભા સ્ત્રી ડીઝલ કારમાંથી નીકળેલા કે કોલસાના ધૂમાળાથી નીકળતા કાર્બન પ્રદૂષકોને શ્વાસમાં લે છે ત્યારે આ પ્રદૂષણમાં રહેલા હાનિકારક તત્વો સ્ત્રીના ફેફસાંમાંથી ગર્ભનાળને વીંધી સીધા ગર્ભ સુધી પહોંચે છે. સંશોધનમાં બહાર આવ્યું છે કે પ્રદૂષિત વિસ્તારોમાં રહેતી 28 સગર્ભા સ્ત્રીઓની…
કવિ: Satya Day News
વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે નં-48 પર રસ્તા પર ઉભેલી ટ્રક સાથે એક્ટિવા અથડાતા 19 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું છે. જ્યારે એક્ટિવા પાછળ બેઠેલી યુવતીની માતાને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. કેન્દ્ર સરકારે સુધારેલા મોટર વ્હીકલ એક્ટના કડક નિયમો છતાં મોતને ભેટેલી યુવતીએ હેલ્મેટ પહેર્યું નહોતું. યુવતીએ જો હેલ્મેટ પહેર્યું હોત તો કદાચ તેનો જીવ બચી શક્યો હોત. સ્ટેઇરિંગ પરનો કાબૂ ગુમાવતા એક્ટિવા ટ્રક સાથે અથડાઇ વડોદરા પાસે નેશનલ હાઇવે નં-48 ઉપર આવેલા પોર ગામમાં રહેતી ઉન્નતિ ઉપાધ્યાય(19) ગુરૂવારે રાત્રે તેની માતાને એક્ટિવા પર લઇને તરસાલી સ્થિત હોસ્પિટલમાં ગઇ હતી. જ્યાં હોસ્પિટલમાંથી કામ પતાવ્યા પછી ઉન્નતિ…
રેલવે કોર્ટે 22 વર્ષ જૂના ચેન પુલિંગના કેસમાં કરિશ્મા કપૂર અને સની દેઓલ વિરુદ્ધ આરોપ લગાવ્યો છે. કરિશ્મા અને સની દેઓલે 1997માં અજમેરના નરેના રેલવે સ્ટેશન પર ‘બજરંગ’ ફિલ્મનાં શૂટિંગ દરમ્યાન 2413-એ અપલિંક એક્સપ્રેસની ઇમરજન્સી બ્રેક લગાવી હતી. જેને કારણે ટ્રેન 25 મિનિટ લેટ પડી હતી. રેલવે કોર્ટની આગળની સુનવણી માટે સની 19 સપ્ટેમ્બરના જયપુર પહોંચ્યો હતો. કરિશ્મા અને સની દેઓલના વકીલ એકે જૈનએ કહ્યું, અગાઉ 2009માં કોર્ટે બંને વિરુદ્ધ ચાર્જ લગાવ્યો હતો જેને કરિશ્મા અને સનીએ 2010માં સેશન કોર્ટમાં પડકાર્યો હતો. ત્યારે કોર્ટે બંનેને ફ્રી કરી દીધા હતા. પરંતુ 17 સપ્ટેમ્બરના રોજ રેલવે કોર્ટે બંનેને આરોપી ગણાવ્યા છે. કરિશ્મા…
કોલકાતાના જાદવપુર યૂનિવર્સિટીમાં કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો સાથે ગેરવર્તન થયાની એક તસવીર સામે આવી છે. આ તસવીરમાં એક વિદ્યાર્થી બાબુલ સુપ્રિયોની સાથે ગેરવર્તણૂંક કરતો જોવા મળી રહ્યો છે. બાબુલ સુપ્રિયો ગુરુવારે રાત્રે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યક્રમમાં ભાગ લેવા ગયા હતા. તસવીરમાં સાંસદ બાબુલ સુપ્રિયોના વાળ પકડતો જોવા મળી રહેલ વિદ્યાર્થી યૂનિયન સ્ટૂડન્ટ્સ ડ્રેમોક્રેટિક ફ્રન્ટનો સભ્યો છે. આ સંગઠન લેફ્ટ સમર્થિત એક વિદ્યાર્થી સંગઠન છે. બાબુલ સુપ્રીયોએ કહ્યું છે કે મને લાતો મરાઈ છે અને મારા વાળ ખેંચી કઢાયા છે. આ ઘટના સમયે વીસી અને ગવર્નર પણ દોડીને આવ્યા હતા. જેઓએ બાબુલ સુપ્રીયોને બચાવ્યા હતા.આ ઘટના બાદ ભાજપમાં પણ રોષનો…
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને અમેરિકા જતા પહેલા સાઉદી અરબના મક્કા પહોંચ્યા છે. તેઓ પોતાની પત્ની બુશરા બેગમ સાથે મક્કામાં ઉમરા માટે પહોંચ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરોમાં જોઈ શકાય છે કે ઈમરાન ખાન સફેદ વસ્ત્રોમાં જ્યારે તેમની પત્ની કાળા કલરના બુરખામાં જોવા મળ્યા. આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં ઈમરાન ખાન અને તેમની પત્ની જથ્થાબંધ કમાંડોઝથી ઘેરાઈને મક્કા પહોંચ્યા હતા. ઈમરાન ખાન માટે પવિત્ર કાબાના દરવાજા પણ ખોલવામાં આવ્યા હતા કે ત્યાં જઈને તેમણે જિયારત કરી. સમગ્ર પાકિસ્તાનમાં ચર્ચા થઈ રહી છે કે ઈમરાન ખાન ફક્ત બે જ વ્યક્તિઓની વાત સાંભળે…
બલૂચ નેતા અને માનવાધિકાર કાર્યકર્તા અશરફ બલોચે (Ashraf Baloch) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Narendra modi) તેમના જન્મદિવસે આગ્રહ કર્યો છે કે તેઓ તમામ આંતરરાષ્ટ્રીય મંચો પર બલૂચિસ્તાનમાં (Balochistan) થઇ રહેલા અત્યાચારોનો મુદ્દો ઉઠાવે. અશરફ બલૂચે (Ashraf Baloch) ટ્વીટર પર મોદીને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. તેણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra modi) જીને જન્મદિવસની શુભકામનાઓ. કૃપા કરીને બલુચિસ્તાનના (Balochistan) શોષિત લોકોને ન ભુલો. મુક લોકોનો અવાજ બનો. સંયુક્ત રાષ્ટ્ર સહિત સમગ્ર વિશ્વના તમામ મંચો પર બલૂચિસ્તાનનો (Balochistan) મુદ્દો ઉઠાવો. બલૂચો પણ માણસ છે અને તેમને પણ પોતાની જમીન પર આઝાદ રહેવાનો અધિકાર છે. ટ્વીટમાં તેણે એક નાનકડો વીડિયો પણ પોસ્ટ કર્યો…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમેરિકાના હ્યૂસ્ટનની મુલાકાતે જવા રવાના થશે. પીએમ મોદી હ્યૂસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં હાજરી આપવાના છે. આ કાર્યક્રમમાં ૫૦ હજારથી વધારે લોકો હાજરી આપવાના છે. જેમા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અમેરિકાના ૬૦ જેટલા સાંસદ પણ હાજરી આપવાના છે. અમેરિકાના ૩૩ રાજ્યના ૬૦૦થી વધારે ભારતીય સમુદાય દ્વારા હાઉડી મોદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. પીએમ મોદી અમેરિકાની મુલાકાત દરમ્યાન યુએનના ૭૪માં સત્રને પણ સંબોધન કરશે. આ ઉપરાંત અમેરિકા સાથે વેપાર અને વાણીજ્ય અંગે પણ મહત્વની બેઠક મળવાની છે. મહત્વપૂર્ણ છે કે, પીએમ મોદીએ ૨૦૧૪માં ન્યૂયોર્કના મેડિસન સ્કવેર ગાર્ડન અને ૨૦૧૬માં સેન જોંસ સિલિકોન વેલીમાં ભારતીય સમુદાયને…
પાલિકાના વોચ એન્ડ વોર્ડ વિભાગમાં પ્રોબેશન પિરિયડમાં ફરજ બજાવતાં જય બારોટ અડાજણ વિસ્તારમાં બુલેટ પર વગર હેલ્મેટે ફોન પર વાત રકતાં જતાં હતા તે ફોટો અતુલ કુંડાણી નામના એક વ્યક્તિ સોશ્યલ મિડિયામાં વાઈરલ કરીને પોલીસ કાયદાનો ભંગ કરે તેની સામે કેમ પગલાં ભરાતા નથી તેવી પોસ્ટ વાઈરલ કરી હતી. ત્યાર બાદ જય બારોટે અતુલનો ફોન નંબર શોધીને ગાળા ગાળી કરીને ફોટો મુકવા બદલ જીવન હરામ કરી નાંખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત તું પાટીદાર છે અને દરબારના ખભા પર ચઢી જાય છે. તેવું કહીને વર્ગ વિગ્રહ થાય તેવી વાત કરી હતી આટલું જ નહીં પરંતુ તારા ઘરમાં ઘુસીને તારૂ જીવન…
એનસીપી પ્રમુખ શરદ પવારે મહારાષ્ટ્રના ચૂંટણી પ્રચાર દરમિયાન એક સભાને સંબોધતા કહ્યુ હતુ કે, ગુરુવારે નાસિકના બજારમાં ડુંગળીનો જથ્થો ઠાલવવા માટે સરકારે મંજૂરી આપી નહોતી. કારણકે સરકારને બીક હતી કે, નાસિકમાં ગુરુવારે સભા સંબોધવા આવેલા પીએમ મોદીના કાફલા પર લોકો ડુંગળીઓ ફેંકશે. પવારે કહ્યુ હતુ કે, દેશમાં મંદીનો માહોલ છે અને જો આ જ રીતે મંદી રહી તો ઈકોનોમી મુશ્કેલીમાં આવી શકે છે. પીએમ મોદી દેશમાં આવી રહેલી નવી કંપનીઓની વાત કરે છે પણ એ વાત નથી કહેતા કે પહેલેથી ચાલતી કેટલી કંપનીઓ બધ થઈ. મુંબઈ એક સમયે દુનિયાનુ સૌથી મોટુ ટેક્ટાઈલ હબ હતુ. આજે મિલોની જગ્યાએ મોટી ઈમારતો દેખાય…
તહેવારોની સીઝનમાં લોકોનો ખર્ચ વધી છે, તેના કારણે કામદાર વ્યક્તિ બોનસ મેળવે છે. અને જો તમને સારી બોનસ મળે છે, તો તહેવારોની મજા બમણી થઈ જાય છે. આ વખતે સિંગરેની કોલિયરીઝ કંપની લિમિટેડ (એસસીસીએલ) તેના કર્મચારીઓને દશેરા નિમિત્તે 1.01 લાખ રૂપિયાનું બોનઝા આપશે. આ કંપની રાજ્ય સરકાર ચલાવે છે. સરકારે ગુરુવારે તેની જાહેરાત કરી છે. વિધાનસભામાં જાહેરાત કરતા મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે કહ્યું કે એસસીસીએલની વૃદ્ધિ છેલ્લા પાંચ વર્ષમાં ઘણી સારી રહી છે અને તેનો શ્રેય કર્મચારીઓને જાય છે. તેમણે કહ્યું કે અહીંના કર્મચારીઓ તેમના જીવનને જોખમમાં મૂકીને રાષ્ટ્રની સંપત્તિ વધારવાનો પ્રયાસ કરે છે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમનું કાર્ય…