સ્ટેચ્યુ ઓફ્ યુનિટી પર આતંકી હુમલાને લઈને મોકડ્રિલ યોજાયું હતું. સ્ટેચ્યૂ ઓફ્ યુનિટીના નકશા તેમજ હથિયાર પોલીસે જપ્ત કર્યા હતા. સ્ટેચ્યુ ઓફ્ યુનિટીમાં ૪ આંતકવાદી ઘુસી આવ્યા જે પૈકી નર્મદા પોલીસે ૩ને ઠાર માર્યા હતા. સ્ટેચ્યુ ઓફ્ યુનિટીના નકશા તેમજ હથિયાર પોલીસે જપ્ત કર્યા હતા. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે આજે સોમવારે યુનિટી પર આતંકી હુમલાને લઈને મોકડ્રીલનું આયોજન કરાયું હતું. સોમવારે સવારે 4 આતંકવાદીઓએ મુખ્ય ગેટથી સ્ટેચ્યુ ઓફ્ યુનિટીમાં પ્રવેશ લીધો હતો. બાદમાં સ્થળ પર હાજર ક્વીક રીસ્પોન્સ ટીમ અને ચેતક કમાન્ડોએ 4 આતંકીઓનો ઘેરાવો કર્યો હતો. બાદમાં પરિસરના ઇમરજન્સી એલાર્મ વાગતા મોટી…
કવિ: Satya Day News
ભાવનગરના વલ્લભીપુરના રતનપુર ખાતે નદીમાં ન્હાવા પડેલાં 10 લોકો તણાઈ ગયા હતા. જેમાં પાંચ લોકોનાં મોત નિપજ્યા હતા. તો ડૂબી રહેલાં અન્ય પાંચ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. મૃતકોમાં આધેડ, એક યુવક, બે યુવતી અને 13 વર્ષનાં એક બાળકનું મોત નિપજ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં શનિવારે જન્માષ્ટમી અને રવિવારે પાણીમાં ડૂબી જવાના અલગ-અલગ બનાવમાં 17 લોકોનાં મોત નિપજ્યા હતા. જેમાં વલસાડમાં ભૈરવીમાં પોલીસની રેડથી બચવા એક શખ્સ નદીમાં કૂદી પડતાં મોત નિપજ્યું હતું. સુરત જિલ્લાનો યુવક કેનાલમાં ડૂબી ગયો હતો. કેશોદના સાબલી નદીમાં ડૂબી જતાં બે ભાઈનાં મોત નિપજ્યા હતા. માળિયાના દેરાળામાં પાણીમાં ડૂબી જતાં યુવકનું, વંથલી ગાંઠલિા ગામેથી પસાર…
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે વિધાનસભાની ચૂંટણી પહેલા મહત્વની જાહેરાત કરી છે. દિલ્હીનાં લોકો માટે સીએમ કેજરીવાલે પાણીનાં બિલનાં રૂપમાં વધુ એક ભેટ આપી છે. કેજરીવાલે દિલ્હીવાલીઓના બાકી નિકળતા પાણી બિલને માફ કર્યુ છે. આ માફી તેમને મળશે જેમના ઘરે પાણીના મીટર છે. તેમણે જણાવ્યુ કે, આમ આદમી પાર્ટીની સરકારે બિલિંગ માટે નવી સિસ્ટમ શરૂ કરી છે. જેથી પાણીનું મીટર ધરાવનારને ફાયદો થશે. મહત્વપૂર્ણ છે કે, આ પહેલા કેજરીવાલે વીજળી બિલ અને મેટ્રોમાં મહિલાઓને મફતમાં મુસાફરીની જાહેરાત કરી હતી. મહત્વપૂર્ણ છે કે, કેજરીવાલ એક બાદ એક ચૂંટણીલક્ષી મત્વના નિર્ણય લઈ રહ્યા છે.
એક કહેવત છે જેવું વાવસો તેવું લણશો. એવું જ કંઈક એક માણસ સાથે થયું જ્યારે તે રસ્તા પર કાર પાર્ક કરીને તે એક સ્ટોરમાં ચોરી કરી રહ્યો હતો. અને અને ત્યારે કોઈએ તેની ટ્રક ચોરી ગયું. આખી ઘટના વોશિંગટનની છે, પોલીસ જ્યારે ઘટના સ્થળ પર પહોંચી તો ગાડીના માલિક વિલિયમે તેમને જણાવ્યું કે કોઈ મોટરસાઈકલ વાળાએ તેની પિકઅપ ગાડી ચોરી લીધી. તેણે એ પણ જણાવ્યું કે ચાવી ટ્રકની અંદર જ રાખી હતી. જોકે પોલીસે સીસીટીવી ફુટેજની તપાસ કરી તો કંઈક બીજું જ સામે આવ્યું હતું. પોલીસને સીસીટીવી જોયા પછી ખ્યાલ આવ્યો કે કેલી રસ્તા પર ગાડી મૂકીને એક સ્ટોરમાં ચોરી…
કેન્દ્રની મોદી સરકાર માટે આરબીઆઈએ ખુશખબર આપી છે. ભારતીય રિઝર્વ બેન્કે ભારત સરકારને 1.76 લાખ કરોડ રુપિયાની સહાયતા આપવાનો નિર્ણય કર્યો છે. RBIએ બિમલ જાલાન પેનલની ભલામણોની મંજૂરી આપી દીધી છે. બિમલ જાલાનની અધ્યક્ષતાવાળી સમિતિએ પોતાના રિપોર્ટમાં આરબીઆઈના સરપ્લસ કેશ રિઝર્વના ટ્રાન્સફરનું સમર્થન કર્યું હતું અને સલાહ આપી હતી કે તેનો ઉપયોગ સરકારની મદદ માટે કરવો જોઈએ. RBI પોતાના રિઝર્વ કેશનો કુલ 28% સરકારની મદદ માટે આપવા રાજી થઈ ગયું છે. RBI બોર્ડે સરપ્લસ ટ્રાન્સફરની મંજૂરી આપી છે. ભારત સરકારને 1,76,051 કરોડ રુપિયા ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી દીધી છે. સરપ્લસ રકમ 1,23,414 કરોડ રુપિયા રહેશે. કોન્ટિજેન્સી ફંડ, કરન્સી અને ગોલ્ડ…
આરોગ્ય કમિશનર જયંતી રવિએ જણાવ્યું કે, ક્રીમિયન કોંગો હેમરેજીક ફીવર સામે રાજ્યનું આરોગ્ય તંત્ર સજજ રાજ્યમાં સુરેન્દ્રનગર લીમડી તાલુકાના ઝામડી બોરણા ગામના એક વૃદ્ધાને ગત અઠવાડિયે ક્રીમિયન કોંગો હેમરેજીક ફીવરના લક્ષણો જણાતા તેઓને સી.યુ. શાહ મેડીકલ કોલેજ સુરેન્દ્રનગર અને ત્યારબાદ એસ.વી.પી. હોસ્પિટલ અમદાવાદ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આ દર્દીના લોહીના નમૂના લઇને એન. આઈ. વી. પુના ખાતે મોકલતા તેનો ક્ર્મિયન કોન્ગો હેમરેજીક ફીવરનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ દર્દીનું એસ.વી.પી. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયુ છે. રાજ્યમાં આ રોગ પ્રસરે નહીં તે માટે તંત્ર સુસજ્જ છે અને પ્રોએક્ટીવ કામગીરી દ્વારા સતત મોનીટરીંગ પણ કરવામાં આવી રહ્યું છે.…
મંગળવારે વહેલી સવારે ધનીપુર એર-વેમાં થયેલી આ દુર્ઘટનામાં દરેક 6 યાત્રીઓ સુરક્ષીત. ઉત્તર પ્રદેશના અલીગઢમાં ચાર્ટર કંપનીનું પ્રાઈવેટ પ્લેન ક્રેશ થઈ ગયું છે. મંગળવારે ધનીપુર એર-વેમાં થયેલી આ દુર્ઘટનામાં દરેક 6 યાત્રીઓ સુરક્ષીત છે. માનવામાં આવે છે કે, લેન્ડિંગ દરમિયાન વીજળીના તારમાં ફસાઈને વિમાન જમીન પર પડી ગયું હતું. આ વિમાન અલીગઢ મેઈન્ટેનન્સ માટે આવ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે ખાનગી એવિયેશન કંપનીના પ્લેનના સમારકામ માટે એન્જિનિયરિંગની ટીમ આજે દિલ્હીથી પ્લેન દ્વારા અલીગઢ આવી રહી હતી. પ્લેન અલીગઢના ધનીપુર એરપોર્ટ પર લેન્ડ થઈ રહ્યું હતું તે સમયે જ વીજળીના તારમાં ફસાઈ ગયું હતું. પ્લેનમાં ચાર એન્જિનિયરની સાથે 2 પાયલટ પણ હતા.…
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ બાબતે તેપાસ તેજ કરી દીધી છે. જેમાં ગંધી પરિવાર પણ આરોપી છે. સોમવારે ઈડીએ કોંગ્રેસ દ્વારા સ્થાપિત એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL), વરિષ્ઠ કોંગ્રેસ નેતા મોતીલાલ વોરા અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેંદ્ર સિંહ હુડા વિરૂદ્ધ મની લૉન્ડ્રિંગ કેસની તપાસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. સોનિયા અને રાહુલ ગાંધી વિરૂદ્ધ ઈન્કમટેક્સ વિભાગની તપાસ ચાલી રહી છે. બંને ને 2015માં એક ટ્રાયલ કોર્ટે જમાનત આપી હતી. કોંગ્રેસ નેતાઓ પર ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની તપાસ બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીની તપાસ બાદ શરૂ થઈ. ટ્રાયલ કોર્ટ સમક્ષ ફરિયાદમાં સોનિયા, રાહુલ અને અન્ય પર નાણાકિય અનિયમિતતાઓનો આરોપ છે. AJL, વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓ દ્વારા નિયંત્રિત છે,…
અમેરિકન મોડલ અને અભિનેત્રી કાઈલી જેનર હોટનેસના મામલામાં કોઈથી ઓછી નથી. તાજેતરમાં કાઈલીએ સોશિયલ મીડિયા પર કેટલીક તસ્વીરોને શેર કરી છે.તે તસ્વીરોમાં કાઈલી બિકીનીમાં ખુબ હોટ લાગી રહી છે. ફેન્સને તેનો આ હોટ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે. કાઈલીની આ તસ્વીરોને કોઈપણ તેનો ફેન્સ બની જાય તેમ છે. દરેક ફોટોમાં કાઈલી ખુબ સેક્સી લાગી રહી છે. દરકોઈ તેની સુંદરતા અને લુકને લઈને પ્રશંસા કરી રહ્યાં છે અને સાથે જ કાઈલીની આ ફોટો પણ ઝડપથી વાયરલ થઈ રહી છે.કાઈલી દુનિયાની સૌથી યંગ 21 વર્ષિય અબજોપતિ છે. જાણકારી મુજબ, કાઈલી કિમ કાર્દશિયનની બહેન છે. જણાવી દઈએ કે કાઈલી દુનિયાની સૌથી ઓછી…
એક સમયે રૂપાલ તથા આસપાસના પંથકમાં ભગવાન તરીકે પુજાતો ઢબુડી માતા પોલીસ અને વિજ્ઞાનજાથાના ડરથી ફરાર થઇ ગયો છે. ઢબુડી માતાએ અંધશ્રધ્ધાના નામે રીતસરની હાટડી ખોલી હતી. વિજ્ઞાનજાથાના સર્વે પ્રમાણે ઢબુડી માતા અને તેના સાગરીતોને સપ્તાહની 80 લાખથી એક કરોડની આવક હતી. ઢબુડી માને એક વિચિત્ર શોખ હતો. તેઓને વિદેશી ચોકલેટોનો અનોખો શોખના કારણે જાણીતા બન્યા હતા. ઢબુડીને વિદેશી ચોકલેટનો અનોખો શોખ પણ હતો, જેથી તેમના ભક્તો જ્યારે સ્વિડન, યુ.કે, યુએસ સહિતના દેશમાંથી આવતા લોકો મોટા પ્રમાણમાં વિદેશી ચોકલેટ પ્રસાદ રૂપે લઈ આવતા હતા. આ સિવાય ઢબુડીને (ઢીંગલી), બદામ પિસ્તા, ચોકલેટ સહિતની ચીજવસ્તુઓ પ્રસાદીના સ્વરૃપમાં તેને ધરાવવાની પરંપરા હતી. આ…