કવિ: દિલીપ પટેલ

Mandvi: કચ્છના માંડવી બીચ પાસે નાની હવાઈ પટ્ટી બનાવેલી છે. જેને લાંબી પહોળી કરીને ત્યાં કાર્ગો પ્લેન ઉતરણ કરે એવું હવાઈ મથક સરકાર બનાવવા માંગે છે. આમ તો સરકારે અત્યાર સુધી ક્યાંય કાર્ગો પ્લેન માટે હવાઈ મથક બનાવ્યું નથી. Mandvi નું આ પહેલું હવાઈ મથક હશે જ્યાં સરકાર પોતે વિમાનમાં માલ સામાન લાવવા અને લઈ જવા માટે બનાવી રહી છે. આવું સરકાર કરવાની નથી, તો પછી ગાય માટેની જમીન સરકાર કેમ હડપ કરવા માંગે છે. તે સવાલનો જવાબ સરકાર પાસે કાગળ પર નથી. આ અગાઉ બનેલા એરસ્ટ્રીપ માટે અન્ય જગ્યાએ જમીન આપી નથી. અગાઉ 150 હેક્ટર જમીન હવાઈ પટ્ટી માટે…

Read More

અંજારની ગૌચરનો અંત લાવનારાઓનો અંત કેવો હશે અંજારની ગૌચરની જમીન લઈને પડાવી લેતા કલેક્ટર અરોરા અરોરા પોતાને અદાલત સમજે છે Supreme Court : કાઠલા અને બીજા બે ગામનું ગૌચર કલેક્ટરે ખોટી રીતે લઈ લેવા માટે આદેશો કર્યા છે. આ ગૌટરની જમીન અહીં હવાઈ પટ્ટીને મોટી કરવા માટે આપવા કહ્યું છે. જેમાં સુપ્રીમ કોર્ટ કે ગુજરાતની વડી અદાલતના આદેશનો ભંગ થઈ રહ્યો છે. Supreme Court: સરકારની ગૌચર નીતિ અને સર્વોચ્ચ અદાલતની ઉપરવટ જઈને કલેક્ટરે જમીન લઈ લેવા આદેશ કર્યો છે. પણ ગામ લોકો જમીનનો કબજો છોડ્યો નથી. ઝારખંડ સર્વોચ્ચ અદાલતે સ્ટેટ ઓફ ઝારખંડ અને ગોકુલ જાગરણ મંચનું 2011નો ચૂકાદો છે. પંજાબ…

Read More

Mandvi: કચ્છ માંડવી બંદરની જાહોજહાલી હતી. ગૌચર જમીન કલેક્ટર અમિત અરોરાએ કાયદાઓ નેવે મૂકીને ફૂંકી મારી હોવાથી મહેલની રોનક જતી રહેવાની છે. Mandvi 44 હજાર ચોરસ કિમીટરનો જમીન વિસ્તાર ધરાવતા કચ્છમાં માંડવી બંદર છે. ખંભાત, ભરૂ, સુરત અને મુંબઈ પહેલા માંડવી ગુજરાતનું પ્રમુખ બંદર હતું. પૂર્વી આફ્રીકા, ફારસની ખાડી, માલાબાર તટ અને દક્ષિણ-પૂર્વી એશિયાથી જહાજ અરબી સાગરના બંદર પર આવતા હતા. કચ્છના રાજા ખેંગારે 1574માં માંડવીની સ્થાપના બંદર શહેરના રૂપમાં કરી હતી. માંડવી ખૂબ જ ઝડપથી સમૃદ્ધ થયું, વહાણવટા માટે પણ માંડવી પ્રખ્યાત છે. આ વહાણવટાથી અહીં કરોડો રૂપિયાની આવક થતી હતી. આવકમાંથી અહીં વિશાળ મહેલ બનાવાયો હતો. હવે આ…

Read More

Mandvi: ગુજરાતમાં 19 હવાઈ મથક છે. તેમાં કચ્છમાં હાલ 4 હવાઈ મથક છે અને 5મું હવાઈ મથક માંડવી બીચ પાસે બનાવવા સરકાર કામ કરી રહી છે. Mandvi થી 60 કિલો મીટર દૂર ગાંધીધામ – કંડલા એરપોર્ટ છે. માંડવીથી 40 કિલો મીટર દૂર અદાણીનું મુંદરામાં હવાઈ મથક છે. કાર્ગો માટે અહીં હવાઈ મથક છે. માંડવીથી 30 કિલો મીટર દૂર નલીયા હવાઈ મથક છે. વાયુસેના ઉપયોગ કરે છે. નલીયામાં પડતર જમીનો મોટા પ્રમાણમાં છે. તો હવે માંડવીમાં જ શા માટે એરપોર્ટ સરકાર બનાવવા જીદે ચઢી છે, તે લોકો સમજી શકતા નથી. હરેલા ભરેલા ગામડાઓ સરકાર શા માટે બરબાદ કરી રહી છે. તે…

Read More

Pride of India: કચ્છના માંડવી બીચ પાસે કાઠલા ગામની ગાયોને ચરવા માટેની ગૌચર જમીન કલેક્ટર અમિત અરોરાએ કાયદાઓ, નિયમો, નીતિ, અદાલતોને બાજુ પર મૂકીને આપી દીધી છે. જેની સામે લોકો લડી રહ્યાં છે. હવાઈ મથક મોટું કરવા માટે જમીલ ખોટી રીતે આપી દીધી છે. જે હવાઈ પટ્ટી માટે જમીન આપી છે તે હવાઈ પટ્ટી પર દેશ ભક્તિની સફળ ફિલ્મ પ્રાઈડ ઓફ ઈન્ડિયા બની હતી. હવે આ હવાઈ પટ્ટી જ શેઈમ ઓફ ઈન્ડિયા બની ગઈ છે. 5 વર્ષ પહેલાં અજય દેવગને ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા ફિલ્મનું શૂટિંગ જ્યાં કર્યું હતું, તે માંડવી પાસેના કાઠડા ગામની જમીન પરની હવાઈપટ્ટી સામે ગામના…

Read More

6 કલાકાના બદલે 3 કલાકમાં પહોંચી શકાશે 6 હજાર લોકોનું અનાજ પાકતુ બંધ થશે દિલીપ પટેલ અમદાવાદ, 3 ઓગસ્ટ 2024 Ahmedabad: આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ 214 કિલોમીટર લાંબો થરાદ-ડીસા-મહેસાણા-અમદાવાદ નેશનલ હાઇ-સ્પીડ કોરિડોર રૂ. 10,534 કરોડના કુલ મૂડી ખર્ચે બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર (BOT) મોડમાં વિકસાવવામાં આવશે. Ahmedabad એક કિલોમીટરે 6 હેક્ટર જમીનની જરૂર પડતી હોય છે. તે હિસાબે 1300 હેક્ટર ખેતીની જમીન આ માર્ગમાં સંપાદન કરીને ખેડૂતો પાસેથી લઈ લેવામાં આવશે. 150 પુલ અને આરઓબી બનાવવા પડશે. મહેસાણા જિલ્લામાં 44 કિલોમીટરના માર્ગ માટે 40 ગામના 1900 ખેડૂતોની જમીન જશે. 214 કિલોમીટર હાઈવેમાં 160 ગામના 8થી 10 હજાર ખેડૂતો અને પડતની 1300 હેક્ટર જમીન…

Read More

અમદાવાદ, 3 ઓગસ્ટ 2024 Lung cancer: તમાકુનો ધુમાડો ફેફસાના કેન્સર માટે માનવામાં આવતો હતો પણ હવે 50 ટકા કારણ પ્રદૂષણ છે. 85 ટકા દર્દીઓમાં ધૂમ્રપાન કારણભૂત છે. ગુજરાતમાં 5 વર્ષમાં અમદાવાદની કેન્સર હોસ્પિટલ જીસીઆરઆઈમાં 4660 દર્દીઓ ફેફસાના કેન્સરના નોંધાયા છે. ભારતમાં વર્ષે 8 હજાર અને ગુજરાતમાં વર્ષે 2 હજાર કેન્સરના દર્દી બને છે. જેમાં પુરુષો 82% અને મહિલાઓ 18% હોય છે. ફેફસાનું કેન્સર થયા પછી 10 ટકા લોકોના મોતથી બચે છે. Lung cancer જીસીઆરઆઈના દર્દીઓમાંથી ગુજરાતના 3290 તથા મધ્યપ્રદેશના 689 અને ઉત્તરપ્રદેશના 68 તેમજ બાકીના અન્ય રાજ્યોના છે. ગુજરાત કેન્સર સોસાયટીના અધ્યક્ષ પંકજ પટેલના મત પ્રમાણે ગુજરાત કેન્સર સોસાયટીએ 2023માં…

Read More

જૂનાગઢના યુવાનનું અપહરણ, હુમલાના કેસમાં બનાવના બે માસમાં પોલીસે તપાસ પૂર્ણ કરી : પુરાવાના નાશની કલમનો ઉમેરો જૂનાગઢ, Gujarat: જૂનાગઢના યુવાનનું અપહરણ અને ખૂની હુમલાના કેસમાં ગોંડલના ગણેશ જાડેજા ઉર્ફે જ્યોતિરાદિત્યસિંહ સહિતના 11 આરોપીઓની પોલીસે ધરપકડ કરી તપાસ કરી હતી. જેમાં પુરાવાના નાશની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો. બે માસમાં તપાસ પૂર્ણ કર્યા બાદ પોલીસે 4500 પાનાનું આરોપનામું અદાલતમાં રજૂ કર્યું હતું. Gujarat જૂનાગઢ પોલીસે બે માસમાં આ કેસની તપાસ પૂર્ણ કરી છે. હથિયાર મળ્યું નથી. ફરિયાદમાં હથિયાર બતાવી નગ્ન કરી ધમકી આપ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આથી પુરાવાના નાશની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. 29 મે 2024ના જૂનાગઢના દાતાર…

Read More

અમદાવાદમાં ફેક્ટરીને સીલ લગાવીને ખોલી નાંખવાનો કાળો કારોબાર અમદાવાદ, 2 ઓગસ્ટ 2024 Gujarat: પ્રદૂષણની સમસ્યા ખૂબ જ ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. 3 વર્ષમાં ગુજરાતના 189 ઉદ્યોગોને પ્રદૂષણ ફેલાવવા બદલ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની નોટિસ મળી છે. સાબરમતી નદીમાં કેમિકલયુક્ત પ્રદુષિત પાણી માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે ખાસ ટાસ્ક ફોર્સની રચના કરી છે. Gujarat છેલ્લા 3 વર્ષની સ્થિતિ જોવામાં આવે તો પ્રદૂષણ ફેલાવતા ઉધ્યોગો અંગેની ફરિયાદ 3 વર્ષમાં બમણી થઈ ગઈ છે. ગુજરાતમાં 2021-22માં કુલ 35 ફરિયાદ હતી અને તે હવે વધીને 68 થઈ છે. દેશમાં 2021-22માં 417, 2022-23માં 746 અને 2023-24માં 688 ફરિયાદ મળી છે. પ્રદુષિત પાણી છોડતા…

Read More

દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2024 India: સપ્ટેમ્બરથી ડિસેમ્બર 2024 દરમિયાન સમગ્ર દેશમાં 21મી પશુ વસ્તી ગણતરી કેન્દ્ર સરકાર કરશે. તે ડેટાના આધારે 5 વર્ષનું આયોજન થશે. 2019માં 3 લાખ 40 હજાર ગૌવંશનો ઘટાડો થયો હતો. આ વખતે ગૌ વંશ ઘટે છે કે કેમ તે સવાલ છે. India વિચરતા પશુઓનો પ્રથમવાર વસ્તી ગણતરીમાં સમાવેશ કરાયો છે. 1919થી દર 5 વર્ષે પશુ વસ્તી ગણતરી થાય છે. 100 વર્ષથી સતત પશુની ગણતરી કરતો ભારત વિશ્વનો એકમાત્ર દેશ છે. જેમાં તમામ પાળેલા પ્રાણીઓને આવરી લેવામાં આવે છે. આ વખતે વિચરતા પશુપાલકોના પશુઓ, રખડતા પશુઓ, કુતરા તથા પાંજરાપોળ, ગૌશાળા, સરકારી ફાર્મ અને ડેરી ફાર્મના…

Read More