રાજકોટ, અમદાવાદ, પાટણ, સુરત મળીને 10 નકલી હોસ્પિટલ હમણાં પકડાય છે ડિગ્રી વગરના ડોક્ટર દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2024 Gujarat: ગુજરાત મેડિકલ એસોશિયેશનમાં નોંધાયેલા સાચા તબીબ 33 હજાર છે. આયુર્વેદ તબીબ, હોમિયોપેથી અને યુનાની પદ્ધતિમાં નોંધાયેલા એટલા જ તબીબ છે. બીજી માન્ય ડીગ્રી મળીને ગુજરાતમાં 1 લાખ જેવા ડોક્ટર હોઈ શકે છે. તેની સામે તમામ પ્રકારની સારવાર પધ્ધતિના બનીબેઠેલા નકલી તબીબો 5 હજારથી ઓછા નથી. હવે સાચા અને ખોટા એમ બન્ને પ્રકારના તબીબો પ્રજાની લૂંટ ચલાવી રહ્યાં છે. Gujaratમાં હવે રૂ. 20 લાખ લાંચ આપીને પણ તબીબ બની શકવાનું કૌભાંડ બહાર આવ્યું છે. ત્યારે સરકાર અને મેડિકલ એશોસિએશનની જવાબદારી…
કવિ: દિલીપ પટેલ
BJP ઘૂડખર અભયારણ્યના સર્રવે સેટલમેન્ટ અહેવાલમાં માત્ર 497 અગરીયાઓના હક્કોને માન્ય રાખ્યા છે. તેથી 7 હજાર અગરીયાયાઓ બેકાર બની જશે. આ અહેવાલ પર પુનર્વિચારણા કરવા અગરીયાયાઓ માંગ કરી રહ્યા છે. BJP ઉદ્યોગ વાભાગના સૂત્રો માની રહ્યા છે કે 5 લાખ હેક્ટર જમીન સોલાર અને પવન ઉર્જા માટે શ્રેષ્ઠ છે. તે જમીન પર કરોડો રૂપિયાના ઉદ્યોગો લાવી શકાય તેમ છે. ગુજરાત દેશના કુલ મીઠા ઉત્પાદનમાંથી 76% મીઠું પકવે છે. આ 76% ટકામાંથી 31% મીઠું કચ્છના નાના રણમાં પાકે છે. ચોમાસા બાદ સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં સુરેન્દ્રનગર, મોરબી, પાટણ અને કચ્છ જિલ્લાના 6 તાલુકાનાં 107 ઉપરાંત ગામોના પરંપરાગત અગરીયાઓ કચ્છના નાના રણમાં જઈને વડાગરું…
અમદાવાદ, 1 ઓગસ્ટ 2024 Gujarat: 1 કરોડ વિદ્યાર્થીઓ ગુજરાતમાં છે. જેમાંથી ઓછામાં ઓછા 50 ટકા ટ્યુશન રાખતાં હોય તો પણ 50 લાખ વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસમાં જાય છે. એક ટ્યુશન ક્લાસમાં સરેરાશ 250 વિદ્યાર્થીઓ હોય છે. તે હિસાબે આખા ગુજરાતમાં 20 હજાર ટ્યુશન ક્લાસ છે. દિલ્હી ખાતે થયેલા કોચિંગ ક્લાસમાં ભોંયરામાં વિદ્યાર્થીઓ પાણી ભરાવાથી મોતને ભેટ્યા ત્યાંથી ક્લાસ અંગે Gujarat માં ચિંતા ઊભી થઈ છે. વિદ્યાર્થીઓની સંખ્યા 2024 માટે ધોરણ 10ના 9,17,687 વિદ્યાર્થી જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4,98,279 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1,32,073 વિદ્યાર્થી હતા. ગુજરાત બોર્ડ પરીક્ષા ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહ સહિત…
અમદાવાદ, 1 ઓગસ્ટ 2024 Gujarat: રાજકોટ ગેમિંગ ઝોનમાં આગની ઘટનામાં 27 લોકોએ જીવ ગુમાવ્યા બાદ, ગુજરાત સરકારે કડક આગ સલામતી અને નિયમનકારી પગલાં લાધા નથી. હવે તમામ ઔદ્યોગિક વિસ્તારમાં ભાજપ સરકાર ખાનગી ફાયર બ્રિગેડ ઊભા કરવા ફરજ પાડી રહી છે. સાણંદ જીઆઇડીસીમાં આવું ખાનગી ફાયર બ્રિગેડ બનાવવા ફરજ પાડી છે. લોકસભામાં રજૂ કરવામાં આવેલા તાજેતરના આંકડાકીય અહેવાલ દર્શાવે છે કે ફાયર સર્વિસમાં મોટી ખામી છે. Gujarat માં 183 ફાયર સ્ટેશનો પર 1,447 અગ્નિશામકો તૈનાત છે, જ્યારે મંજૂર થયેલી વાસ્તવિક જરૂરિયાત 34,240 છે. આનો અર્થ એ થયો કે, મંજૂર થયેલી જગ્યા માટે રાજ્યમાં 32,793 અગ્નિશામકોની અછત છે. પણ વસતીની દ્રષ્ટિએ 250…
ગુજરાત કોલેજ રેલ્વે ઓવરબ્રિજની દીવાલોમાં તિરાડ પડી ગઈ ગાંધીબ્રિજનું સુપર સ્ટ્રક્ચર ખરાબ, પરિમલ અંડર પાસની દીવાલોમાં તિરાડ અમદાવાદ, 1 ઓગસ્ટ 2024 Ahmedabad મ્યુનિ.ના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા 70 પુલના તપાસ કરવામાં આવતા તેમાં 75 ટકા પુલોમાં ખામી જણાય હતી. Ahmedabad નદીપારના વિસ્તારમાં આવેલા રીવર બ્રિજ, ફલાય ઓવરબ્રિજ સહિત 32 બ્રિજનું ઈન્સપેકશન કરવામાં આવ્યુ હતુ. ગાંધીબ્રિજનું સુપર સ્ટ્રક્ચર ખરાબ પરિસ્થિતિમાં જોવા મળ્યુ છે. પરિમલ અંડર પાસની દીવાલોમાં તિરાડ જોવા મળી છે. અંજલી, શિવરંજની ફલાય ઓવરબ્રિજ સહિતના અન્ય બ્રિજમાં રીપેરીંગ કરવું જરૂરી બન્યું છે.ગુજરાત કોલેજ રેલવે ફલાયઓવર બ્રિજ દીવાલોમાં તિરાડ પડી ગઈ છે. અમદાવાદ પૂર્વના વિસ્તારમાં આવેલા 37 બ્રિજના ઈન્સપેકશન પછી નદીપારના…
અમદાવાદ અને નર્મદા બંધ પાસે સિંહ સફારી પાર્કને મંજૂરી નહીં દિલીપ પટેલ અમદાવાદ, 1 ઓગસ્ટ 2024 Gujarat: સિંહોના નવા બે સફારી પાર્ક જુનાગઢ અને કચ્છમાં બનાવવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. કચ્છના નારાયણ સરોવર પાસે અને ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક લાયન સફારીને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. બન્ને સફારી પાર્ક પાછળ કુલ રૂ. 100 કરોડનું ખર્ચ થઈ શકે છે. 10 ઓગસ્ટ 2013થી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તે પૂર્વે મંજૂરી આપવામાં આવી હતી. માત્ર સિંહ જ નહીં પણ, વધુ પ્રજાતિનાં વન્યપ્રાણી રાખવામાં આવશે. કચ્છ પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર નિત્યાનંદ શ્રીવાસ્તવ અને કચ્છના ચીફ કન્ઝર્વેટર ઓફ…
મહિસાગર જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી જીગર પંડયાને એક માસની કેદ ગુનો કર્યો છતાં પાટીલે તેમને સસ્પેન્ડ કરવાના બદલે હોદ્દા પર ચાલુ રાખ્યો Gujarat અમદાવાદ, 1 ઓગસ્ટ 2024 Gujarat લુણાવાડામાં ભાજપના કોર્પોરેટરને પોલીસ સ્ટેશનમાં માર મારનાર ભાજપના કાર્યાલય મંત્રીને જેલની સજા થઈ છે. તેની આખા રાજ્યમાં ચર્ચા થઈ રહી છે. ચર્ચા એટલા માટે થઈ રહી છે, કારણ કે તેણે પોતાના જ પક્ષના ચૂંટાયેલા નેતાને પોલીસ સ્ટેશનમાં જઈને માર માર્યો હોવા છતાં પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે તેમના હોદ્દા પર ચાલુ રાખ્યો હતો. એક ગુનેગારને છાવર્યો હતો. સજા મહિસાગર જિલ્લા ભાજપના કાર્યાલય મંત્રી જીગર પંડયાએ જેતે સમયે ભાજપના જ કોર્પોરેટર (હાલ પૂર્વ કોર્પોરેટર)ને…
Gandhinagar ડાન્સર રાધિકા મારફતિયાના નામનાં આજકાલ ગાંધીનગરમાં સિક્કા પડે છે.Gandhinagar નાં સચિવાલયમાં અમદાવાદની નૃત્યાંગનાના વિશાળ સંપર્કો છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની પીઠ પાછળ કોઈક તો એવું છે કે, જે ધારે તે કરાવી શકે છે. આ અગાઉ પૂર્વ નાણા પ્રધાન અને મહેસૂલ પ્રધાન તથા ગુજરાતના સૌથી મોટા બિલ્ડર એવા ભાજપના નેતા વજુભાઈ વાળાના સમયમાં પણ વસ્ત્રાપુરની એક યુવતી ધારે તે કરાવી શકતી હતી. કચ્છની એક આર્કિટેક યુવતી પણ નરેન્દ્ર મોદીની સરકાર વખતે વિવાદમાં હતી. આવું જ વિજય રૂપાણીના સમયમાં થયું હતું. પાટનગરમાં સાંસ્કૃતિક ક્ષેત્રનું કોઈ પણ કામ રાધિકાની ઈચ્છા અનુસાર થાય છે એમ કહેવાઈ રહ્યું છે. રાધિકા મારફતિયા કોઈ કામનું ટેન્ડર…
Ahmedabad: અમદાવાદ મહાનગરપાલિકા વેરા વિભાગ દ્વારા નાણાકીય વર્ષ 2024-25 માટે 16 હજાર નવી મિલ્કતો થઈ છે. નવી 11250 રહેણાંક અને 5186 કોમર્શિયલ મિલ્કતની આકારણી કરવામાં આવી છે. બી. યુ. પરમીશન તેમજ વપરાશ શરૂ થઈ ગયા બાદ મિલકત તરફથી કરવામાં આવતી અરજીના આધારે નવી આકારણી થતી હોય છે. Ahmedabad ટેક્સ વિભાગ દ્વારા નવી મિલ્કતની આકારણી કરાઈ છે. ઝોન પૂર્વ ઝોનમાં સૌથી વધુ 4563 ઉત્તર પશ્ચિમ ઝોનમાં 3200 દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 460 કોમર્સિયલ ઓફિસ, 235 દુકાન, 33 એન.એ. કરી છે. ઉત્તર પશ્ચિમમાં 633 ઓફિસ, 360 દુકાન અને 33 એન.એ.ખુલ્લા પ્લોટ. દક્ષિણ ઝોનમાં 252 ઓફિસ, 340 દુકાન, 42 ફેક્ટરી અને 49 વર્કશોપ. પૂર્વ…
સિધ્ધાર્થ પટેલે મેનેજરને ગાળો આપી હતી. મેનેજરે રાજીનામું આપી લીધું છે. દિલીપ પટેલ અમદાવાદ, 30 જુલાઈ 2024 Narendra Modi: સોશિયલ મીડિયા સેલના પ્રદેશ કન્વીનર પદેથી સિદ્ધાર્થ પ્રફુલ્લ પટેલને મુદત પૂરી થાય તે પહેલાં હાંકી કઢાયા હતા. સિદ્ધાર્થ પ્રફુલ્લ પટેલે તાજેતરમાં શામળાજી મંદિરના મેનેજર સાથે અત્યંત ઉદ્ધત વર્તન કર્યું હતું. Narendra Modi આ અંગેની વિગત એવી છે કે ગુજરાતનાં પૂર્વ ગૃહ પ્રધાન અને હાલ દીવ,દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક તરીકે 7 વર્ષથી ફરજ બજાવતા પ્રફુલ્લ પટેલના પુત્ર સિદ્ધાર્થ શામળાજી ટ્રસ્ટના જુનિયર ટ્રસ્ટી છે. શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મયંક નાયકની રાજ્યસભાના ભાજપાના સભ્ય છે. ત્રિલોકી નાથ મંદિરની દાન, ભેટની રકમ…