Shaktisinh: 9 જૂન 2023ના દિવસે નવા પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની વરણી કરવામાં આવી તેને એક વર્ષ થયું છે. ત્યારે તેઓ કેટલાં સફળ અને કેટલાં નિષ્ફળ રહ્યાં તેના કામને ત્રાજવે તોળવામાં આવી રહ્યા છે. તેમની નિમણુંક કેમ થઈ હતી તેમના પૂરો ગામી જગદીશ ઠાકોર પર આરોપ હતા કે તેમણે ચૂંટણીમાં ઉમેદવારોને ટિકિટ પૈસા લઈને આપી હતી. તેથી તેમની મિલકતો અંગે તપાસ કરવા માટે ફરિયાદો મોવડીઓ સમક્ષ થઈ હતી. ગુજરાતના અન્ય તમામ અગ્રણી નેતાઓને પદ સોંપાઈ ચૂક્યું છે. શક્તિસિંહની નિમણૂંક જ્ઞાતિ આધારિત નહીં પણ વ્યક્તિ આધારિત હતી. સ્વચ્છ છબી ધરાવે છે. 63 વર્ષીય શક્તિસિંહ હરિશ્ચંદ્ર ગોહિલને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ કેમ બનાવવામાં…
કવિ: દિલીપ પટેલ
Plastic Surgery: એક અંગ્રેજના ચહેરા પર ભારતમાં પ્લાસ્ટિક સર્જરી વૈદે કરી હતી. ત્યારથી આખી દુનિયામાં પ્લાસ્ટિક સર્જકી કે કોસ્મેટિક સર્જરી તરીકે જાણીતી શસ્ત્રક્રિયાનો જન્મ ભારતમાં થયો હતો. અહીંથી આ કલા આખી દુનિયામાં પ્રસરી ગઇ છે. આ વિદ્યાના જનક વૈદ્ય સુશ્રુત હતા. ઋષિ વિશ્વામિત્રના વંશજ અને કાશીનરેશ દિવોદાસ ધન્વન્તરિના શિષ્ય હતા. વિશ્વામિત્રનો કાન્યકુબ્જ દેશના કુશિક નામના કુળમાં એમનો જન્મ થયો હતો. ગુજરાતની પહેલી હોસ્પિટલ અમદાવાદના સરસપુરમાં આવેલી શારદાબેન જનરલ હોસ્પિટલમાં ગુજરાતનો સૌથી જૂનો પ્લાસ્ટિક સર્જરી વિભાગ છે. 30 વર્ષથી જન્મજાત ખોડખાપણ, (હાથ પગની જોડાયેલી આંગળીઓ, ચહેરા ઉપરના અવિકસિત ભાગો, પેશાબના કાણાની તકલીફ ) દાઝેલાની સારવાર, હાથ- પગ કે આંગળીઓ પૂરી કપાઈ…
Fake Seeds: ગુજરાતમાં ખેતી પાક લેવા માટે વપરાતા બિયારણોમાં મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. અસલી અને નકલી બિયાણનો ગુજરાતમાં ધંધો રૂ.5 હજાર કરોડની આસપાસ હોવાનું માનવામાં આવે છે. પ્રત્યેર ખેડૂત સરેરાશ રૂ. 10 હજારના બિયારણનો ઉપયોગ કરે છે. જેમાં નકલી બિયાણ આવે ત્યારે તેને રૂ. 3 લાખનું કૃષિ ઉત્પાદન ગુમાવવું પડે છે. બીટી કોટન બિયારણે વિદેશી અમેરિકન કંપનીએ ગુજરાતને જેટલો ફાયદો કરાવ્યો હતો તેનાથી વધારે નુકસાન ગુજરાતના પોતાના બીટી બિજમાફિયાઓ કરાવી રહ્યાં છે. હવે બીજમાફિયાઓ કૃષિ વિભાગ ચલાવી રહ્યાં છે. તેઓ ધારે તે કરી શકે છે. કૃષિ નિયામક અને કૃષિ પ્રધાન બિજમાફિયાઓના ઈશારે નાચ કરી રહ્યાં છે. પ્રમાણપત્રો વગરના બીજ…
રાજકોટના નવા હવાઈ અડ્ડા પાસે અબજોના જમીન કૌભાંડ રૂપાણી રાજમાં સૌથી મોટું જમીન કૌભાંડ બહાર આવતાં તેમને હાંકી કઢાયા Rajkot: રાજકોટનું નવું હવાઈ મથક 35 કિલોમીટર દૂર અમદાવાદ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર બનાવવામાં આવ્યું છે. બનાવવા માટે 4 લાખ ચોરસ મીટર જમીન સંપાદન કરાઈ છે. હિરાસર ગામના ગામની 17 સરવે નંબર છે. સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના ગારીડા અને ડોસલીઘુ ગામોની જમીન છે. જંગલ ખાતાની જમીન 1700 એકર જમીન છે. જે સૌથી વધુ છે. તે જમીનના બદલામાં કચ્છમાં વન વિભાગને જમીન આપવાનું નક્કી કર્યું હતું. હવાઈ મથક આસપાસ આવેલી જમીનમાં મોટા કૌભાંડ થયા છે. સરકારી ખરાબા આસપાસ આવેલી 150 એકર નકામી જમીન…
કૌભાંડી ભાજપને જરા પણ જમીન ખણવી નથી, બેશરમીની હદ આવી છે રાજકોટના જુના હવાઈ મથકની 265 એકર જમીન પર બગીચા અને સ્ટેડિયમ બનાવો પણ વેચશો તો વિરોધ થશે Rajkot: રાજકોટના 92 વર્ષ જૂના એરપોર્ટ માટે પણ આવું જ છે. નવું એરપોર્ટ બની જતાં 10 સપ્ટેમ્બર 2023થી રાજકોટ એરપોર્ટ બંધ કરી દેવાયું છે. તેની 265 એકર જમીન પર ભાજપના સત્તાધીશોની નજર ખરાબ થઈ છે. ગમે ત્યારે તેને ફૂંકી મારશે. 1 કરોડ 15 લાખ 43 હજાર 400 ચોરસ ફુટ જમીન છે. અહીં ફૂટ જમીનનો ભાવ 30થી 35 હજાર રૂપિયા છે. એ હિસાબે 30થી 38 હજાર કરોડ રૂપિયાની જમીન થાય છે. ગુજરાતમાં કોઈ…
રૂપાણી સરકારના 100 કૌભાંડો પછી હાંકી કઢાયા હતા કૌભાંડોથી ખરડાયેલી સરકારને કોણ હાંકી કાઢે છે રૂપાણીએ જેમને છાવર્યા હતા તે સાગઠીયાના કૌભાંડો પછી રૂપાણીના 100 કૌભાંડો જૂઓ Gujarat: ભોળા દેખાતા ગુજરાતના બિલ્ડર અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારમાં એક પછી એક 100 કૌભાંડો બહાર આવ્યા છે. તેનાથી પ્રજાને આંચકા પર આંચકા મળી રહ્યા છે. ત્યારે લોકો હવે વિજય રૂપાણીના રાજમાં 100 કૌભાંડો થયા હતા તે યાદ કરીને કઈ સરકાર સારી તેનો હિસાબ મૂકી રહ્યા છે. ખાસ કરીને દેશના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં ચૂંટણી જીતવા લોકસભામાં અમિત શાહને પડકાર આપીને ગુજરાતમાં સાગઠીયા કૌભાંડના અગ્નિકાંડના લોકોને મળ્યા બાદ હવે દિલ્હી…
પાલનપુરમાં રીંગરોડ બને તે પહેલાં 45 જમીનોના એન એ કઈ રીતે થયા ખેતીની જમીનને બિનખેતી કરી સરકારને કરોડોનું નુકસાન કરાવ્યું માર્ગ બનાવવામાં કેવા ગોટાળા થયા તેની સરકારમાં ફરિયાદ કરાઈ Gujarat: બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના એરોમા હાઇવે સર્કલ પર ટ્રાફિક જામ એ વર્ષો જૂની સમસ્યા છે. લોકો હાઇવે સર્કલ પર કલાકો સુધી ટ્રાફિકમાં ફસાય છે. જે સમસ્યાનો નિવેડો લાવવા માટે સરકારે બાયપાસ મંજૂર કરી જમીન સંપાદન હાથ ધર્યું હતું. પાલનપુરના 40 હજાર લોકોને માટેનો આ પ્રશ્ન 15 વર્ષથી છે. 50 હજાર વાહનો નોંધાયેલાં છે. અહીં રોજના 70 હજાર વાહનો પસાર થતાં હોવાની ધારણા છે. પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા…
Junagadh: ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાએ ધમકી આપી હતી કે જે નડ્યા છે તેમને જોઈલેશે. હવે તેમના મતવિસ્તારમાં 40 ગામોમા બુલડોઝર ફેરવીને બદલો લેવામાં આવી રહ્યો છે. રાજેશ ચૂડાસમાએ શું કહ્યું હતું ? જૂનાગઢના સાંસદ બનતાની સાથે જ ભાજપના રાજેશ ચૂડાસમાએ વિવાદસ્પદ નિવેદન આપ્યું હતું કે, વિરોધીઓ અને મતદારોને જાઇ લઈશ. વર્ષ જે લોકો મને નડ્યા છે તેમને હું છોડવાનો નથી. પાર્ટી કાર્યવાહી કરે કે ન કરે હું તેમને છોડવાનો નથી. ભાજપના રાજેશ ચુડાસમા નામના એક સાંસદ પ્રજા સામે બદલાની ભાવનાથી કેવી રીતે કામ કરી શકે ? જિલ્લા કલેક્ટર ડીડી જાડેજા છે. તે ચૂડાસમાના આદેશથી બુલડોઝર લઈને નિકળી પડ્યા છે. જૂનાગઢ…
મોરબી ઝુલતો પુલ, ગોલ્ડન પુલ અને સુરતના હોપ પુલ પછીનો ત્રીજા નંબરનો ગુજરાતનો લોખંડનો પુલ એલિસ છે અમદાવાદના ઐતિહાસિક પુલની દાસ્તાન વાંચો Ahmedabad: 131 વર્ષ પહેલાં રૂ. 4 લાખમાં બનેલો એલિસબ્રિજ રૂ. 32 કરોડમાં રીપેરીંગ કરાશે. વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના હેરિટેજ બ્રિજ એવા 131 વર્ષ જૂના એલિસ બ્રિજના મજબૂતીકરણ અને પુનઃસ્થાપન માટે 32 કરોડ 40 લાખ 50 હજાર રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી 8 જુલાઈ 2024માં આપી હતી. આ અગાઉ પુલ માટે બનેલી 6 યોજનાઓ પાછળ 8 કરોડનું ખર્ચ થઈ ચૂક્યું છે. આમ એલિસ પુલના સમારકામ પાછળ રૂ.40 કરોડ ખર્ચ થઈ જશે. પુલને તોડી પાડવા કે ઉતારી લેવો કે નહીં તે…
Gujarat: ચામાસુ શરુ થાય છે અને જર્જરિત મકાનો તુટવા લાગે છે. સુરતના સચિનના પાલી ગામ વિસ્તારમાં આવેલી ડીએમ નગરમાં પાંચ માળની બિલ્ડિંગ તૂટી પડી હતી. આ બિલ્ડિંગ માત્ર 8 વર્ષ જૂની હતી. તે અચાનક જ પત્તાના મહેલની જેમ તુટી પડી હતી. બિલ્ડિંગ પડી ત્યારે તેની અંદર 15 લોકો હતાં. આખા ગુજરાતમાં ઓછામાં ઓછા 1 લાખ મકાનો જોખમી હોવા છતાં તેમાં લોકો રહેવા મજબૂર છે. રથયાત્રા અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા પહેલા ભયજનક મકાનોનો હંમેશની જેમ સરવે કરાય છે. જૂના શહેર કોટ વિસ્તારમાં ચિંતાજનક રીતે ભયજનક મકાનોનું પ્રમાણ સતત વધતું જાય છે. અમદાવાદના કોટ વિસ્તારમાં 157 મકાનને ભયજનક જાહેર કરાયા હતા. કોટ વિસ્તારમાં…