ગુજરાતમાં 15 લાખ મોબાઈલ ફોન ઘટી ગયા ભાવ વધતા 3 વર્ષમાં 1 કરોડ ફોન ઓછા થવાની ધારણા શું ગુજરાતની આર્થિક સ્થિતિ ડગમગી રહી છે એક જ મહિનામાં 4 લાખ 40 હજાર ફોન ગ્રાહકો ઘટી ગયા Gujarat:ગુજરાત રાજ્યમાં 6.7 કરોડ મોબાઈલ ગ્રાહકો હતા. તે એપ્રિલમાં ઘટીને 6.55 કરોડ થઈ ગયા છે. 2020થી 2024 વચ્ચે 15 લાખ ફોન ઘટી ગયા છે. જે ગુજરાતમાં લોકોની આર્થિક હાલત બગડી ચૂકી હોવાનું દર્શાવે છે. માર્ચ 2024ની સામે એપ્રિલ 2024માં એક મહિનામાં 4 લાખ 40 હજાર ફોન ઘટી ગયા હોવાનો અહેવાલ ટેલિકોમ વિભાગે જાહેર કર્યો છે. ભાવ વધતાં બીજા 50 લાખ મોબાઈલ ફોન જોડાણ ઓછા થવાની…
કવિ: દિલીપ પટેલ
sansad: એડીઆર દ્વારા આજે 4 જુલાઈ 2024ના રોજ જાહેર કરાયેલાં વિશ્લેષણ અહેવાલમાં ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી છે. કુલ 503 કરોડપતિ સાસદમાથી 54 સાંસદોની સામેના સ્પર્ધક/વિરોધક ઉમેદવાર કરોડથી ઓછી મિલકત ધરાવતા હતા. આ 54 સાંસદોમાંથી 5 સાંસદોને 30% થી વધુ લીડ મળી છે. સાંસદ શંકર લાલવાની (BJP) (મધ્ય પ્રદેશ ના ઈન્દોર મતક્ષેત્રમાંથી) ને 64.54% માર્જિનથી જીત્યા છે. કરોડથી ઓછી મિલકત ધરાવતા ઉમેદવારોની જીત અને તેમની લીડ 39 સાસદો 1 કરોડથી ઓછી મિલકત ધરાવે છે. તેમના પૈકી 31 MP એ એમના કરોડપતિ સ્પર્ધક ને હરાવ્યા છે. અને એમનામાંથી 2 સાંસદોને 30% થી પણ વધુ મતની લીડ મળી છે. * ગુજરાતના ભરતભાઈ…
Anil Ambani: અનિલ અંબાણીની મોટાભાગની કંપનીઓ નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. તેની અસર શેરો પર સીધી દેખાઈ રહી છે. અનિલ અંબાણીની કેટલીક કંપનીઓના શેર 99 ટકા ઘટ્યા છે અને પેની સ્ટોકની શ્રેણીમાં આવી ગયા છે. આમાંથી એક શેર રિલાયન્સ હોમ ફાઇનાન્સનો છે. થોડા વર્ષો પહેલા જે શેરની કિંમત રૂ. 120 પર ટ્રેડ થતી હતી તે આજે શેરબજારમાં રૂ. 5 કરતા પણ ઓછી છે. તે થોડા સમય પહેલાં 75 પૈસા હતો. અનિલ અંબાણીનો સમાવેશ ક્યારેક દુનિયાના ટોચના 10 અબજોપતિઓમાં થતો હતો, ત્યારે કુલ 42 અબજ ડોલરની સંપત્તિ હતી. પણ હાલ તેમનો સૌથી ખરાબ સમય ચાલી રહ્યો છે. શેરની સ્થિતિ રિલાયન્સ…
Education: રાજ્યની સરકારી પ્રાથમિક અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી કેલેન્ડરને આખરી ઓપ આપ્યો છે. શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર તેમજ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા ઓગષ્ટથી ડિસેમ્બર 24,700 શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરીને ભરતીની પ્રક્રિયા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. માધ્યમિક શાળાઓની 4000 જગ્યાઓ કેબિનેટ બેઠકના આ નિર્ણયથી રાજ્યની શાળાઓમાં આ ભરતી દ્વારા પૂરતી સંખ્યામાં શિક્ષકો ઉપલબ્ધ થશે તેમજ યોગ્ય ઉમેદવારોને તક મળશે તેમ તેમણે જણાવ્યું હતું. અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણધિકારી દ્વારા ‘વિદ્યાર્થી-જીવન પથદર્શક બનશે શ્રીમદ્ ભગવદ ગીતા’ જે.જી.ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાના હસ્તે 19 જુન 2024માં શરૂ કરવામાં આવ્યું હતું. જાહેરાત બાદ પુસ્તકમાં ક્યાંય…
અમદાવાદમાં સ્ટોર ખોલ્યો ત્યારે દેવામાં ધકેલાઈ રહેલી ઈશા રણ કાકાના માર્ગે દેશમાં સૌથી મોટી દેવાદાર કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ છે. તેના પર 3.13 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. Reliance: ભારતની સૌથી મોટી ઈશા મુકેશ અંબાણીની રિટેલર રિલાયન્સ રિટેલે તેની પ્રીમિયમ ફેશન અને જીવનશૈલી બ્રાન્ડ, AZORTE,નો દસમો સ્ટોર અમદાવાદમાં શરૂ કર્યો છે. ત્યારે મુકેશ અંબાણીની કંપની અનિલ અંબાણીની જેમ ભારે દેવા હેઠળ આવી ગઈ છે. ઈશા મુકેશ અંબાણી આ ધંધો સંભાળી રહી છે ત્યારે કાકા અનિલ અંબાણીના માર્ગ પર તો નથી જઈ રહીને એવો સવાલ ઉભો થાય છે. જો ઈશા આ રીતે ચાલશે તો દેશના ટોચના 10 દેવું ધરાવતી કંપનીમાં પિતા પછી…
Ahmedabad: ગુજરાત સરકારના કૌભાંડોથી ખીચોખીચ ભરેલું અમદાવાદના કાંકરિયા ખાતેના રૂ. 1માં આપેલી સરકારી જમીન પર બનેલા ખાનગી કંપનીના રૂ. 550 કરોડનમાં તૈયાર થયેલું ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ બંધ કરી દેવાનું છે. આબાદ સ્પોર્સટ કૌભાંડ કરોડો રૂપિયાની કાંકરિયા પાસેની આબાદ ડેરીની જમીન વેંચીને સ્પોર્ટસ કૌભાંડ કરનારા ભાજપ હવે અમદાવાદમાં ખેલ-કૂદ-રમતોનું ખાનગી કરણ કરવાની ગુપ્ત આયોજન સાથે એક કંપની બનાવી રહ્યો છે. રાજ્ય સરકાર અમપાનાં 50-50 ટકાનાં સહયોગથી અમદાવાદ સ્પોર્ટસ પ્રમોશન કંપની બનાવશે. તે માટે રૂ.10 કરોડની જોગવાઈ કરી છે. અલગ-અલગ વિસ્તારોમાં નવા સ્પોર્ટસ સંકુલ બનાવવા આ કંપની કામ કરશે. નાણાં મેળવવા પ્રજાની જમીન ખાનગી કંપનીઓને આપી દેવામાં આવશે. કમિશ્નર વિજય નહેરાએ જાહેર કર્યું…
ગુજરાતમાં હવે 137 કાયદા બદલાયા Law: 1 જુલાઇ થી સમગ્ર દેશમાં IPC, CrpC અને પુરાવા અધિનિયમ સંબંધિત સંસદ દ્વારા નવા કાયદા બનાવી નવીન જોગવાઇઓ લાગુ કરવામાં આવી છે. જેના સંદર્ભે રાજ્યપાલના વટહુકમ દ્વારા આ જોગવાઇઓ સંબંધે ગુજરાત રાજ્યના કાયદાઓ માં સંબંધિત સુધારા કરી તેને લાગુ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે. IPC (ભારતીય દંડ સંહિતા) હવે ભારતીય ન્યાય સંહિતા, 2023 CrpC ( ક્રિમીનલ પ્રોસીજર કોડ) હવે, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023 અને India Evidence Act ( ભારતીય પુરાવા અધિનિયમ ) હવેથી ભારતીય સાક્ષ્ય અધિનિયમ, ૨૦૨૩ ના સ્વરૂપમાં બનાવવામાં આવ્યો છે તેથી અગાઉના IPC, CrpC અને Evidence Act ના…
નેનો યુરિયામાં ઉત્પાદન વધવાના બદલે ઘટી રહ્યું છે Nano Urea: નેનો યુરિયાના ઉપયોગ પછી ઉત્પાદન અને પ્રોટીનમાં ઘટાડો થયો હોવાનું પંજાબ કૃષિ યુનિવર્સિટીએ જાહેર કર્યું છે. સંશોધકોએ શોધી કાઢ્યું કે નેનો યુરિયાના ઉપયોગથી ઘઉંની ઉપજમાં 21.6 ટકા અને ચોખાની ઉપજમાં 13 ટકાનો ઘટાડો થયો છે. નરેન્દ્ર મોદી અને તેમના રાસાણ પ્રધાન મનસુખ માંડવિયાએ આખા દેશને ગેરમાર્ગે દોરતા દાવા કર્યા હોવાનો પર્દાફાશ કૃષિ વિજ્ઞાનીઓએ કર્યો છે. અમદાવાદ નજીકના ઈફકો કારખાનામાં નેનો યુરિયાની વિશ્વમાં પ્રથમ શોધ કરીને 500 મીલીલીટર નેનો યુરિયા 50 કિલોની બેગના યુરિયાની બરાબર છે. એવો દાવો પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા રસાયણ પ્રધાન હતા ત્યારે આખા દેશમાં ફરીને કર્યો હતો.…
Gujarat: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના નવા પ્રમુખ સંદીપ એન્જિનિયર બન્યા છે. તેમણે જાહેરાત કરીકે હાલ 12 હજાર સભ્યો છે તે વધારીને 1 લાખ કરાશે. આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) વિશે પણ વાત કરી હતી. ઉદ્યોગોમાં મહત્તમ પ્રમાણમાં ટેકનોલોજી (એઆઈ)નો ઉપયોગ કરીને ચેમ્બર તેની તૈયારીઓને વધુ મજબૂત અને આધુનિક બનાવશે, આધુનિક ટેકનોલોજીની મદદથી જ તેમ થઈ શકશે. ચેમ્બરની ચૂંટાઈ આવેલી નવી કારોબારી નાના બિઝનેસમેનને માર્ગદર્શન અને તાલીમ આપી શકાય તે માટે એક સેન્ટર ઓફ લર્નિંગ ઊભું થાય તેમ ઈચ્છે છે, જીસીસીઆઈના કેમ્પસમાં જ આ સેન્ટર શરૂ કરવામાં આવશે. નાના તથા મોટા ઉદ્યોગો અને વેપારના પ્રશ્નોનો ઉકેલ લાવવાના પ્રયાસો કરીશ. ઉભરી રહેલા…
જુલમી ત્રણ કાયદા પોલીસ ગમે ત્યારે પકડીને 90 દિવસ સુધી જેલમાં નાખી શકે ત્રણ ફોજદારી કાયદા 1 જુલાઇથી સમગ્ર દેશમાં અમલમાં આવ્યા છે New Criminal Law: ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમના ત્રણ કાયદા લાગુ કરવામાં આવી રહ્યા છે. જેમાં ઘણી સારી જોગવાઈઓ કરવામાં આવી છે. તેની સારી બાબતો અંગે સરકાર અને પોલીસ પોતાનો પ્રચાર કરી રહી છે. ભારતીય દંડ સંહિતા, 1860- IPC ને ભારતીય ન્યાયિક સંહિતા (BNS), 2023 દ્વારા બદલવામાં આવશે ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા (BNSS) 2023 ફોજદારી કાર્યવાહી સંહિતા 1973 (CrPC) ને બદલે ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872 (IE એક્ટ) ને ઇન્ડિયન એવિડન્સ એક્ટ (BSA) 2023 દ્વારા બદલવામાં આવશે. પણ સરકાર જે…