Election Results: લગભગ દોઢ મહિના સુધી ચાલેલી લાંબી લોકસભા ચૂંટણી પછી હવે તેના પરિણામો આવી રહ્યા છે. ઈન્ડિયા ટુડે-એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલના પરિણામોમાં એવું કહેવામાં આવ્યું છે કે. એક્ઝિટ પોલ સર્વેમાં ભાજપને મળેલા કુલ વોટમાંથી 68 ટકા વોટ માત્ર મોદીજીના નામ અને કામ પર મળ. મોદી સરકારના કામ પર સૌથી વધુ 22% વોટ મળ્યા છે, જ્યારે 18% મત મોદીના નામે મળ્યા છે. તેનો સીધો મતલબ કે ભાજપના ઉમેદવારો પોતાના દમ પર માત્ર 2% વોટ મેળવી રહ્યા છે, તો પછી એક્ઝિટ પોલમાં 400 પાર કરવાની સફળતા કેવી રીતે દેખાઈ રહી છે? માત્ર બે ટકા લોકોએ જ ઉમેદવારોના ચહેરા પર મતદાન…
કવિ: દિલીપ પટેલ
Social Media: લોકસભાની ચૂંટણીમાં સોશિયલ મીડિયા પર કોણ આગળ રહીને યુદ્ધ જીતી શક્યા છે ? સોશિયલ મીડિયા ભારતીય ચૂંટણીઓમાં જાતે જઈને પ્રચાર જેટલું જ મહત્વપૂર્ણ બની ગયું છે. નેતાઓની ઓનલાઈન પ્રવૃતિઓ વધી છે. મતદારો દ્વારા મૂડ અને લાગણી બતાવે છે. ઈન્ડિયા ટુડેની ઓપન-સોર્સ ઈન્ટેલિજન્સ દ્વારા ભારતીય જનતા પાક્ષ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને તેમના ટોચના નેતાઓના મુખ્ય સોશિયલ મીડિયા ખાતાની વૃદ્ધિનું વિશ્લેષણ કર્યું છે. માર્ચ, એપ્રિલ અને મે મહિનાના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ભાજપ ભારતીય સોશિયલ મીડિયા સ્પેસ પર પ્રભુત્વ ધરાવે છે. કોંગ્રેસ અને આમ આદમી પક્ષ યુટ્યુબ અને ઈન્સ્ટામાં નવા લોકો સુધી પહોંચવામાં આગળ છે. મોદીનો ભાજપ…
Gujarat: મિલિન્દ શાહ ફાયરબ્રિગેટમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર સામે ઘણાં વર્ષોથી લડી રહ્યા છે. તેમણે ફાયરના સાધનો માટેનો વેપાર શરૂ કર્યો ત્યારે તેમની પાસેથી અમદાવાદના ફાયર અધિકારીએ લાંચ માંગી હતી. તેમણે રૂ. 60 હજારની લાંચ ન આપી અને રૂ. 10 લાખની ખોટ ખાઈને ધંધો બંધ કરી દેવો પડ્યો હતો. ત્યારથી તેઓ લાંચીયા અધિકારીઓ સામે લડી રહ્યાં છે. સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસના અનેક ગોટાળા તેમણે બહાર પાડ્યા છે. સાંસદની લાંચ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ કાટી નીકળી હતી. આ અકસ્માતમાં 12 બાળકો સહિત 28 લોકોના મોત થયા હતા. રાજકોટમાં ભારતીય જનતા પક્ષના રાજ્યસભાના સંસદસભ્ય રામ મોકરિયાએ ફાયરનું ના વાંધા પ્રમાણપત્ર લેવા માટે…
Gujarat:રાજકોટમાં TRP ગેમ ઝોનમાં આગ લાગવાથી 27 લોકોના મોત થયા બાદ ગુજરાતમાં આગ લાગવાની શક્યતા ધરાવતાં સ્થાનો અંગે ચિંતામાં છે. 50 શહેરોની અંદર ગુજરાત ઔદ્યોગિક વસાહત આવી ગઈ છે. જેમાં આગ લાગવાથી બ્લાસ્ટ થઈ શકે એવા કેમિકલ બને છે અથવા રાખવામાં આવે છે. 50 જીઆઈડીસીની આસપાસ 1 કરોડ લોકો જીવના જોખમે જીવી રહ્યાં છે. ગુજરાતના 50 શહેરો જીવતાં બોંબ પર બેઠા છે. શહેરની વચ્ચે આવેલી કેમિકલની ફેક્ટરીઓ જોખમી બની ગઈ છે. 48 જીઆઇડીસી એવી છે કે જે શહેરની વચ્ચે આવી ગઈ છે. જે પહેલાં શહેરોથી દૂર હતી. શહેર મોટા થવાન કારણે તેની ચારેબાજુ લોકો રહેવા આવી ગયા છે. જેમને પારાવાર…
Lok Sabha Election: જ્યારે મતદાનની ટકાવારી ઓછી હોય ત્યારે તેને સરકાર વિરુદ્ધ ગણવામાં આવે છે. અંડરકરંટ ઓછું મતદાન બતાવે છે. પહેલા તબક્કામાં જ મતદાન ઓછું થતાં ભાજપે મતદારોના મત પડાવવા માટે દરેક તબક્કે 7 વખત ચૂંટણી મુદ્દા બદલવાની ફરજ પડી હતી.7 તબક્કાના ચૂંટણી પ્રચારનો અંત આવી ગયો છે. ત્યારે ભારતમાં પ્રચાર કેવો હતો. ગુજરાતમાં પ્રચાર કેવો હતો તે સમજીએ તો હાર કોની અને જીત કોની તે સ્પષ્ટ થઈ શકે તેમ છે. શાસક અને વિપક્ષના નેતાઓએ ઉઠાવેલા મહત્વના મુદ્દાઓ સમજવા જેવા છે. (ગુજરાતને બાદ કરતાં બીજા મુદ્દાઓ સમાચાર માધ્યમોમાં આવેલા અહેવાલો અને નેતાઓના ભાષણોનો આધાર આ લેખ તૈયાર કરવામાં લીધો છે.)…
Surya Press: ગુજરાતનું ભરતી કૌભાંડી મોડલમાં 11 પેપર લીક, 201 આરોપી, સિલેક્શન બોર્ડના ચેરમેનનું રાજીનામું, પણ એક પણ સજા થઈ નથી. ભરતી કૌભાંડો સરકારી સમર્થન વિના શક્ય નથી. ભાજપના અગ્રણી નેતા અને નરેન્દ્ર મોદીના નજીકના નેતા અને મણીનગર વિધાનસભા બેઠક પર પ્રભુત્વ ધરાવતાં અસિત વોરાએ એક કુખ્યાત કૌભાંડ બાદ પસંદગી મંડળના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. એ જ રીતે પેપર લીક મુદ્દે જે પ્રિન્ટિંગ પ્રેસ સમાચારોમાં હતી તેણે એક સમયે મોદીનું પુસ્તક છાપ્યું હતું. ભાજપના ચૂંટણી ઢંઢેરામાં મોદીની એક બાંયધરી કહે છે કે ‘અમે સરકારી ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિઓને રોકવા માટે કડક કાયદો બનાવ્યો છે. હવે, અમે આ કાયદાનો કડક…
Exit polls: 1 તારીખે એક્ઝિટ પોલ લોકોનાં મગજ ફેરવી નાખશે એક્ઝિટ પોલ કેટલા સાચા કેટલા ખોટા 2019માં એક્ઝિટ પોલ ભાજપ માટે સાચા રહ્યાં, પણ કોંગ્રેસ માટે ખોટા હતા. 1 જૂન 2024માં મતદાનનો છેલ્લો તબક્કો સાંજે 6 વાગ્યે પૂર્ણ થતાં જ 892 ખાનગી ટેલિવિઝન સેટેલાઇટ ચેનલોમાંથી ન્યૂઝ અને કરંટ અફેર્સની 403 ઉપગ્રહ આધારિત ટેલિવિઝન ચેનલો પર કોની સરકાર બનશે તેના સમાચાર શરૂ થઈ જશે. 23 કરોડ ટેલિવિઝન સેટમાં દરેક ઘરમાં તે સમાચાર પહોંચી જશે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે કહ્યું છે કે તેણે 1031 ચેનલોને પરવાનગી આપી હતી, પરંતુ બાદમાં 139ની પરવાનગી રદ કરી હતી. 30 જૂનની યાદી મુજબ સામાન્ય મનોરંજન ચેનલોની…
Lok Sabha Election: લોકસભાની ચૂંટણી સમયે નફરત અને વિભાજનકારી ભાષણો થયા છે. ખુલ્લેઆમ ધર્મના નામે ધ્રુવીકરણની વાતો થઈ રહી છે, જેના કારણે પાર્ટી ખુલ્લેઆમ વિભાજનના માર્ગ પર ચાલી રહી છે. આ ઉદ્દેશ્યને પૂર્ણ કરવામાં વડાપ્રધાન મોદી, ગુજરાતના મુખ્ય પ્રધાનની ભૂમિકામાં પાછા ફર્યા છે. મોદીએ 2002ના કોમી તોફાનો બાદ ચૂંટણી જીતવા માટે ગુજરાતમાં ગૌરવ યાત્રા કાઢી હતી. 30 વર્ષથી લોકસભા અને વિધાનસભાની કોઈપણ ચૂંટણીમાં નફરતી વાતો ફેલાવવામાં આવે છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વખતે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. લઘુમતી સમુદાય મુસ્લિમો પર હુમલો કરીને વિક્રામ તોડી નાંખ્યો છે. ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરતી વખતે, મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે…
Gujarat: 2024માં નીતિ આયોગ તેંડુલકર સમિતિની ગરીબી રેખા અપનાવીને કામ કરી રહી છે. તે પ્રમાણે 2011-12માં ગ્રામીણ ગુજરાતમાં, ગરીબીનું પ્રમાણ 21.9% હતું. પ્રતિ વ્યક્તિ માસિક આવક ગરીબી રેખા રૂ. 932 હતી. કોઈ પણ વ્યક્તિને જીવવા માટે રૂ.2 હજારનું ખર્ચ દર મહિને કરવું પડે છે. પણ ગુજરાત સરકાર માત્ર રૂ. 932 આવક હોય તો જીવી શકાય એવું માને છે. આંકડાઓની રમતમાં ગુજરાત સરકાર વાસ્તવિક ગરીબી રેખા છુપાવી રહી છે. આ હિસાબે ગુજરાતની અડધા કરતાં વધારે પ્રજા ગરીબી રેખા હેઠળ જીવી રહી છે. વિકાસની હવા વચ્ચે ગુજરાતમાં ગરીબી ઘટવાના બદલે વધી રહી છે. ગુજરાતની 10 ટકા પ્રજા શ્રીમંત છે અને 40 ટકા…
Surat: 2 લાખ 17 હજાર ચોરસ મીટરનો વિસ્તા એવો છે જે સુરતના કલેક્ટરે કોઈ નેતાના કહેવાથી વેંચી માર્યો છે. સુરત હવાઈ મથક પાછળ ડુમસમાં 21.7 હેક્ટર સોનાની લગડી જેવી જમીનના વિવાદો ચાલી રહ્યાં છે. અત્યારે કલેક્ટર તરીકે ર્ડા સૌરભ પારધી છે. તેમની પહેલાંના કલેક્ટર આયુષ ઓક – IAS હોદ્દાનો દૂર ઉપયોગ કરીને 90 વીઘા જમીનમાં કૌભાંડ કર્યું છે. સરકારી પડતર જમીનમાં ખાનગી લોકોને ગણોતિયા બતાવીને તેમને જમીન માલિક બનાવી દેવામાં આવ્યા છે. કલેક્ટર અને સુરત ભાજપના વગદાર નંબરી નેતા પર શંકાની સોય તાકવામાં આવી રહી છે. અંદાજે 2 હજાર કરોડ રૂપિયાની જમીન છે. આ કૌભાંડ બહાર આવતા પ્રધાન પાસેથી ખાતુ…