કવિ: દિલીપ પટેલ

Daman News લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના પખવાડિયા રહયા છે, ત્યારે દમણ-દિવ માં ખરાખરીનો જંગ જામશે કે પછી એકતરફા મતદાતાઓનો પ્રવાહ રહેશે? આ વખતની ચૂંટણી સત્તાપક્ષ ભાજપા માટે માથાનો દુખાવો રહેશે તેવું લાગી રહ્યું છે, પ્રશાસક તરીકેનો કાર્યભાર સંભાળીને પ્રફુલભાઈ પટેલે દાદરા, નગર હવેલી અને દમણ દિવમાં જે કાર્યો કર્યા છે એ ખૂબ જ પ્રશંસનીય છે જેમાં બેમત નથી પણ ક્યાંક ને ક્યાંક ભાજપના સ્થાનિક નેતાઓ બન્ને જિલ્લાની પ્રજાને પ્રદેશમાં થઈ રહેલા વિકાસના ફાઈદાઓ સમજાવી નથી શક્યા અને સ્થાનિકોનો વિશ્વાસ જીતવામાં વિફળ થયા છે, જ્યારે બીજી બાજુ વિરોધીઓ પ્રજાના મનમાં ગેરસમજ ઊભી કરવામાં સફળ થયા છે. લોકસભાની ચૂંટણીમાં આ વખતે પણ…

Read More

બેંગલુરુના 39 વર્ષીય સ્ટાર્ટઅપના સ્થાપક અને સીઈઓની તેના પુત્રની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપી સુચના સેઠે સોમવારે ઉત્તર ગોવાના કેન્ડોલિમ સ્થિત સર્વિસ એપાર્ટમેન્ટમાં તેના ચાર વર્ષના પુત્રની હત્યા કરી નાખી હતી. આ પછી, તેણીએ તેના પુત્રનો મૃતદેહ એક થેલીમાં રાખ્યો અને ભાડાની ટેક્સીમાં કર્ણાટક ભાગી ગયો. આ ચોંકાવનારો ગુનો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે હાઉસકીપિંગ સ્ટાફના એક સભ્યને એપાર્ટમેન્ટની સફાઈ કરતી વખતે લોહીના ડાઘ મળ્યા હતા જ્યાંથી સુચના સેઠે સોમવારે સવારે તપાસ કરી હતી. પોલીસ હજુ સુધી હત્યા પાછળનું કોઈ કારણ શોધી શકી નથી. ગોવા પોલીસની ચેતવણીના આધારે, તેને કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લાના આઈમંગલા પોલીસ સ્ટેશનમાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો.…

Read More

Gujarat : મુખ્ય પ્રધાને જીઆઈડીસીની ખાલી જમીન જપ્ત કરવા કહ્યું પણ કેમિકલ બોંબ જેવી 600 ફેક્ટરીઓ ખાલી કરવા ન કહ્યું અમદાવાદ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જુદી જુદી જીઆઈડીસીમાં વણવપરાશી ખુલ્લા પ્લોટ પરત લઈને ઉદ્યોગોની સ્થાપના દ્વારા તેનો પુનઃ વપરાશ થઈ શકે તે માટે નીતિ જાન્યુઆરી 2024માં જાહેર કરી છે. જીઆઈડીસીમાં લીઝ પરની ભરપાઈ કરેલી ફાળવણી કિંમત અને જીઆઈડીસીની હાલની ફાળવણી કિંમતના તફાવતના 75 ટકા સુધીની મહત્તમ મર્યાદામાં પ્લોટધારકને રકમ પરત કરવામાં આવશે. 500 જીઆઈડીસીમાં 1800 હેક્ટર જમીન ખાલી પડી છે. જ્યાં ઉદ્યોગો સ્થાપવામાં આવ્યા નથી. હવે ત્યાં ઉદ્યોગો સ્થાપવા જમીન જપ્ત કરાશે. પણ મુખ્ય પ્રધાને આવી જમીન પર બોંબ…

Read More

આંતરરાષ્ટ્રીય સામયિક ઇકોનોમિસ્ટમાં દેશમાં મેટ્રો રેલ નેટવર્ક અંગે ભારત સરકારના ભ્રામક દાવાઓનો પર્દાફાશ કર્યો હતો. જેનાથી ભારત સરકાર હચમચી ઉઠી હતી. તેના અહેવાલ અંગે જાહેરમાં સરકારે નિવેદન બહાર પા઼ડવું પડ્યું હતું. ઇકોનોમિસ્ટનો અહેવાલ કહે છે કે, દેશની કોઈપણ મેટ્રો લાઇન તેની અડધી ક્ષમતાથી મુસાફરોને વહન કરતી નથી. ઘણા શહેરોમાં મેટ્રોની મોટા પાયે નિષ્ફળ છે. મેટ્રોના અધિકારીઓ દ્વારા બોલવામાં આવેલા જુઠ્ઠાણાનો હવે અમુક અંશે વિદેશી મીડિયામાં પર્દાફાશ થયો છે. મીડિયામાં મેટ્રોનું હાડપિંજર દેખાઈ રહ્યું છે. ખરાબ કામગીરી છતાં મેટ્રોના કેટલાક અધિકારીઓ દ્વારા સ્વ-મહત્વનું વધુ પડતું પ્રદર્શન છે. દિલ્હીમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના ગીતમ તિવારી અને દીપ્તિ જૈનના અભ્યાસ અનુસાર, ભારતની કોઈપણ…

Read More

વાઘોડિયા(Waghodia) સાથે ત્રણ પંચાયત ભેગી કરી વાઘોડિયા નગરપાલિકા બનાવાશે. વાઘોડિયા ઉપરાંત માડોધર અને ટીંબી ગ્રામ પંચાયતોને એકત્રિત કરી વાઘોડિયા નગરપાલિકા બનાવવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકાના વાઘોડિયા રોડથી નજીકની ગ્રામ પંચાયતો છે. ગ્રામ પંચાયતોના વિસ્તારમાં મોટા ઉદ્યોગો, GIDC અને શૈક્ષણિક સંસ્થાઓ છે. ગુજરાતમાં 156 નગરપાલિકાઓ છે. હવે 157મી વાઘોડિયા બનશે. અગાઉ છાંયા, વઢવાણ, વિજલપોરને છેલ્લે નગરપાલિકા બનાવવામાં આવી હતી. 4 નગરપાલિકાઓને મહાનગરમાં ભેળવી દેવામાં આવી જેમાં પેથાપુર, સચિન, કનકપુર, બોપલનો સમાવેશ થાય છે. 3 કરોડ શહેરી લોકો 156 નગરપાલિકાઓની કુલ વસતી 75 લાખની આસપાસ થવા જાય છે. આ 156માંથી શહેરી મતદારો ભાજપને મત આપતાં હોવાથી હવે 50 બેઠકો નગરપાલિકાઓની થઈ ગઈ છે.…

Read More

BJP Gujarat : વડાપ્રદાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રાવસે છે. તેઓ ગયા પછી 15 દિવસમાં અમિત શાહ આવશે. ભાજપના નેતાઓ ગુજરાતની વારંવાર મુલાકાત લે છે પણ તેની પાછળ જે ખર્ચ થાય છે તે સરકાર હિસાબોમાં કઈ રીતે ગોટાળા કરી રહી છે તે બહાર આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતમાં વારંવાર આવીને પ્રજાના નાણાં જાહેર કાર્યક્રમોમાં વાપરે છે અને ભારતના બંધારણ વિરૂદ્ધ જઈને કેવા ખોટા ખર્ચ કરે છે તેની ગુજરાતની પ્રજા વિરોધ કામ કરવાની વાવતો બહાર આવી છે. હિસાબ પદ્ધતિ માળખાનું પાલન કરવામાં ભાજપની સરકાર ભારે બેદરકાર છે. ભારતના બંધારણની કલમ 150નો ભંગ પણ કરી રહી છે.…

Read More

Mansukhbhai Vasava – ભગવાસ્થળી  કુસંપથી ભગવા હેઠળ કેવા કાવાદાવા થઈ રહ્યાં છે તે ગુજરાતની પ્રજાએ જાણવું જરૂરી છે. પાટીલને ભ્રષ્ટાચારી સાબિત કરી મોટા ગજાના નેતાઓ સુધી પેનડ્રાઈવ અને પત્રિકા પછી ભાજપમાં ચાલી રહેલી યાદવાસ્થળી જગજાહેર થઈ ચૂકી છે. ગુજરાત ભાજપમાં ડખા છે. અહીં ભગવાસ્થળીના કારનામાં આ સીરીઝમાં છે.  દરેકને તમારી યોજના જણાવશો નહીં, એવું સરમુખત્યારી રાજકારણમાં લેખેલો નિયમ છે. મોદી કે ભાજપ કે શાહ વિરોધીઓને યોજનાઓ વિશે ખબર ન પડે તેની તો કાળજી રાખે છે. પોતાના વિશ્વાસપાત્ર પાત્રો સાથે યોજના જણાવતાં નથી. એક કાર્યક્ષમ નેતા તે છે જે તેની યોજના શરૂ કરતા પહેલા તેના જૂથના લોકો અથવા તેના સાથીદારો પાસેથી સૂચનો…

Read More

BJP પુડુચેરી, મેઘાલય અને નાગાલેન્ડમાં પ્રદેશ અધ્યક્ષોની જાહેરાત કરી છે. મુસ્લિમ નેતા રિકમેન મોમિનને મેઘાલય બીજેપીના પ્રદેશ અધ્યક્ષ અને એસ સેલ્વગનાબાથીને પુડુચેરી બીજેપીની કમાન સોંપવામાં આવી છે. આ દરમિયાન બેન્જામિન યેપથોમીને ભાજપ નાગાલેન્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વર્ષ 2022માં ભાજપે મેઘાલયની તુરા લોકસભા બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર તરીકે રિકમેન મોમિનને ટિકિટ આપી હતી. ભાજપે સોમવારે ત્રણ રાજ્યોમાં મોટો ફેરબદલ કર્યો અને કેપ્ટનો બદલ્યા. પુડુચેરીની કમાન એસ સેલવાગનાબાથીને સોંપવામાં આવી છે. બેન્જામિન યેપથોમીને નાગાલેન્ડની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે જ મુસ્લિમ નેતા રિકમેન મોમીનને મેઘાલયના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પાર્ટી અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ આ નિમણૂંકો માટે…

Read More

ભાજપના જૂથવાદ, સરમુખત્યારશાહી અને અન્યાયનો અર્થ સમજવા મનસુખ વસાવાને સમજવા પડે. ભાજપના આદિવાસી નેતાઓ એટલા જૂથ છે. દેશની નીતિ નક્કી કરતાં હતા એવા કોંગ્રેસના નેતા અહમદ પટેલને જેણે સાફ કરી નાંખ્યા તેને ભાજપના શક્તિશાળી જૂથે સાફ કરી નાંખ્યા  BJP Gujarat:  ભગવાસ્થળી -કુસંપથી ભગવા હેઠળ કેવા કાવાદાવા થઈ રહ્યાં છે તે ગુજરાતની પ્રજાએ જાણવું જરૂરી છે. ભાજપમાં ચાલી રહેલી યાદવાસ્થળી જગજાહેર છે. ગુજરાત ભાજપમાં ડખા છે. અહીં ભગવાસ્થળીના કારનામાં છે. રાજકીય આટાપાટા અને કુસંપ છે. આ સીરીઝમાં ગુજરાતની રાજનીતિ કઈ તરફ જઈ રહી છે, તે બહાર આવશે. ભગવાસ્થળીમાં સંન્યાસ નહીં પણ સત્તા અને સાઠમારીની વાત આવે છે. કુસંપની વાત છે. 182 માંથી 156 બેઠકો જીતી પણ 2022થી…

Read More

ગુંજ લોકસભાની ચૂંટણીમાં સંબળાશે. કારણ કે કોંગ્રેસથી ભાજપમાં આવેલા માડમ સામે સંઘીઓનો મોરચો આજે પણ છે. નવા નેતાઓ સામે મોરચો છે. ભગવાસ્થળી : કુસંપથી ભગવા હેઠળ કેવા કાવાદાવા થઈ રહ્યાં છે તે ગુજરાતની પ્રજાએ જાણવું જરૂરી છે. પાટીલને ભ્રષ્ટાચારી સાબિત કરી મોટા ગજાના નેતાઓ સુધી પેનડ્રાઈવ અને પત્રિકા પછી ભાજપમાં ચાલી રહેલી યાદવાસ્થળી નહીં પણ ભગવાસ્થળી છે. જૂથવાદ જગજાહેર છે. ગુજરાત ભાજપમાં ડખા છે. અહીં ભગવાસ્થળીના કારનામાં આ સીરીઝમાં છે. રાજકીય આટાપાટા અને કુસંપ છે. આ સીરીઝમાં ગુજરાતની રાજનીતિ કઈ તરફ જઈ રહી છે, તે બહાર આવશે. ભગવાસ્થળીમાં સંન્યાસ નહીં પણ સત્તા અને સાઢમારીની વાત આવે છે. કુસંપની વાત છે.…

Read More