કોરોના અને લોકડાઉન બાદ કામધંધા વગર બેકારી ફાટી નીકળતા કંકાસ વધ્યા છે અને અનેક સુસાઇડ ની ઘટનાઓ સામે આવી રહી છે જે ખૂબજ કમનસીબ છે આ બધા વચ્ચે અમદાવાદ ના શહેરના વિંઝોલ વિસ્તારમાં આવેલી શ્રી પ્રયોસા રેસિડન્સીમાં બે પરિવારના સભ્યોએ સામુહિક આત્મહત્યા કરી લીધી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ પરિવાર માં બે ભાઈઓ અને તેમના ચાર બાળકો સહિત 6 લોકોના ફ્લેટ માંથી મૃતદેહ મળી આવ્યા છે. ઘટના અંગે ની જાણ થતાં વટવા જીઆઇડીસી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસ માં મૃતકના નામ ગૌરાંગ પટેલ અને અમરીશ પટેલ તેમજ તેમના બાળકોના નામ મયુર,…
Author: mohammed shaikh
વડીલો સારા હોય તો સારું બાકી દાદા ની ઉંમરે પહોંચેલા ભાભાઓ પણ જુવાનિયાઓ ને ટક્કર મારે તેવા કાંડ કરે છે આવા ઢાંઢાંઓ બાદમાં ધોળા માં ધૂળ પાડતા હોય છે ,અમરેલી નાખાંભાના ઉમરીયા ગામે રહેતી પોતાની પૌત્રી ની ઉંમર ની યુવતી ને ફોસલાવી ને 60 વર્ષ ના ભાભા એ ઈજ્જત લૂંટી હતી અને ચૂપ રહેવાની ધમકી આપતા ત્રણ માસ નો ગર્ભ રહી જતા મામલો પ્રકાશ માં આવ્યો હતો અને ગામમાં જ રહેતા વૃદ્ધ ભાભા એ બળજબરીપૂર્વક તેની સાથે કુકર્મ આચર્યું હોવાની વાતનો પર્દાફાશ થયો હતો. ખાંભા તાલુકાના ઉમરીયા ગામે રહેતા 60 વર્ષના કનુ મધુભાઈ નસીત નામના અંકલે અગાઉ તા.૧૬ જાન્યુઆરીના દિવસે…
ભારત ના 50 જવાનો ની ટુકડી ઉપર ચીન ના 300 સૈનિકો એ દગો કરીને ગલવાન ઘાટી માં ઘાતક ખીલા વાળા ડંડા અને પથ્થર થી ઓચિંતો હુમલો કરી દેતા 20 જવાનો શહીદ થવાની ઘટના માં દેશ માં ગુસ્સાનો માહોલ છે ત્યારે ચીનને જડબાતોડ જવાબ આપવાની લોકોમાં માંગ ઉઠી રહી છે. તેવે સમયે ચીન વિવાદને લઇ ચર્ચા કરવા માટે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વદળીય બેઠક બોલાવી છે. જેમાં રાજકીય પક્ષોના અધ્યક્ષ સામેલ થશે. બેઠકમાં ચીનને લઇ ચાલી રહેલા વિવાદ અને હાલની સ્થિતિ પણ ચર્ચા કરાશે. બેઠક સાંજે પાંચ વાગ્યે થશે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, એનસીપી પ્રમુખ શરદ પવાર સહિત કેટલાંય દિગ્ગજ…
દેશ માં ઠેરઠેર શહીદ જવાનો ને શ્રદ્ધાંજલિ પાઠવવા માં આવી રહી છે અને દેશભરમાં દરેક જગ્યાએ ‘ભારત માતા કી જય. શહીદ અમર રહે. ચીની સામાનનો બહિષ્કર કરો’ નારા લાગ્યા હતા. ગલવાન ઘાટીમાં શહીદ થયેલા પશ્ચિમ બંગાળના બીરભૂમના સિપાહી રાજેશ ઓરાંગે વોટ્સએપ પર અંતિમ મેસેજ ચીની સામાનના બહિષ્કારનો મોકલ્યો હતો. આ મેસેજ તેણે ગામના પોતાના કેટલાક મિત્રોને મોકલ્યો હતો. ભારતમાં લદાખ સરહદે ગલવાન ખીણમાં ચીને આચરેલા હિચકારા કૃત્યમાં શહીદ થયેલા ભારતના 20 જવાનના મૃતદેહ તેમના વતન મોકલવામાં આવ્યા હતા. દેશના અનેક હિસ્સામાંથી આવતા આ જવાનોના મૃતદેહો ઘરે પહોંચ્યા ત્યારે તેમના સ્વજનો જ નહીં, આખું ગામ, જિલ્લો, શહેર જ નહીં, આખો દેશવાસીઓ…
આખરે ચૂંટણી નો દિવસ આવી પહોંચ્યો છે અને દેશનાં આઠ રાજ્યો માં ૧૯ રાજ્યસભા બેઠકો પર આજે મતદાન થવા જઇ રહ્યું છે. મધ્યપ્રદેશમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચાર ઉમેદવારો સામસામે છે. ભાજપના જ્યોતિરાદિત્ય સિંધિયા અને સુમેરસિંહ સોલંકી તો કોંગ્રેસના દિગ્વિજયસિંહ અને ફુલસિંહ બારૈયાની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે. ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠક માટે પાંચ ઉમેદવાર જંગમાં છે. ભાજપના ત્રણ અને કોંગ્રેસના બે ઉમેદવાર મેદાનમાં છે. ઝારખંડમાં બે બેઠકો માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં છે. સભ્યસંખ્યા જોતાં જેએમએમના શિબુ સોરનનો વિજય નક્કી છે. રાજસ્થાનમાં રાજ્યસભાની ત્રણ બેઠક માટે ચાર ઉમેદવારો મેદાનમાં છે. આંધ્રપ્રદેશમાં રાજ્યસભાની ચાર બેઠક માટે પાંચ ઉમેદવાર જંગમાં છે. અહીં…
છેલ્લા ઘણાજ સમય થી ભારે ચર્ચાસ્પદ રહેલી રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણી આજે (શુક્રવારે) યોજાનાર છે. જેની સામે ખાસ કરીને રાજકારણીઓ માં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. જેમાં ભાજપ ના ત્રણ અને કોંગ્રેસે બે ઉમેદવારોને વચ્ચેનું ચિત્ર સ્પષ્ટ થશે. સવારે ૯થી સાંજે ૪ વાગ્યા સુધી મતદાન થશે. જ્યારે સાંજે ૫ાંચ વાગ્યાથી મત ગણતરી થશે. ભાજપ અને કોગ્રેંસે પોતાના તમામ ધારાસભ્યોને વ્હીપ આપી દીધો છે. જો કે ૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસે વ્હીપ આપ્યો હોવા છતા ૮ ધારાસભ્યોએ ભાજપના ઉમેદવારની તરફેણમાં મતદાન કર્યુ હતુ. કોંગ્રેસમાંથી તાજેતરમાં જ કુલ ૮ ધારાસભ્યોએ રાજીનામાં આપી દેતા ભાજપના ત્રણેય ઉમેદવારો જીતી જાય તેવું માનવામાં આવી રહ્યુ…
ચાઈના એ શાંતિ માટે વાટાઘાટો ની જાળ બિછાવ્યા બાદ થોડા 2 કિમી પીછેહટ કરી ભારતીય સૈનિકો ને વિશ્વાસ માં લઇ આપણા નીશસ્ત્ર 50 સૈનિકો ઉપર 300 ચાઈના ના સૈનિકો એ લોખંડ ના કાંટા વાળા ડંડા અને પથ્થર થી ઓચિંતો હુમલો કરતા ભારતીય સૈનિકો શહીદ થવાની ઘટના બાબતે ફરીએકવાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ટિ્વટ કરીને કહ્યું કે, સરકારે હથિયાર વગર જવાનોને શહીદ થવા માટે કેમ મોકલી દીધા? ચીને હુમલો કરવાની હિંમત પણ કેમ કરી તે વાત ને લઈ રાહુલ ગાંધી એ ગૂસ્સો વ્યક્ત કર્યો છે. રાહુલે બુધવારે વડાપ્રધાન પર નિશાન સાધ્યું હતું. રાહુલે પુછ્યું હતું…
કહેવાય છે ને જે પ્રેમ આંધળો હોય છે અને પ્રેમીઓ કંઈપણ કરવા તૈયાર થઈ જાય છે વલસાડ પંથક માં આવા જ પ્રકાર ની ત્રિકોણ પ્રણય ની સ્ટોરી એ બે મિત્રો નો જીવ લીધો છે. વિગતો મુજબ વલસાડ ના ઉંટડી ગામમાં એક જગ્યા એ કામ કરતા બે મિત્રો એક જ યુવતીનાં પ્રેમમાં પડ્યા હતા જેઓ ને જ્યારે આ વાત ની ખબર પડી ત્યારે બન્ને એ એકસાથે જ આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ ગઈ છે. વલસાડ તાલુકાનાં ડુંગરી પંથકમાં આવેલા ઉંટડી ગામમાં રહેતા કિશોરભાઈ જોગીબાઈ આહિરનો ભેંસનો તબેલો છે. જેમાં 27 વર્ષનાં પ્રવિણ કાનજીભાઈ રાવત (રહે.પાલપુરા, તા.કાંકરેજ, જિ.બનાસકાંઠા) અને 27 વર્ષનાં ગોપાળ…
ચીની સેના એ જાળ બિછાવી ને શાંતિ નો દેખાવ ઉભો કરી ગલવાન ખીણમાં 15 જૂને ભારતીય સૈનિકોને દગાથી ઘેરીને ક્રૂરતાની હદ પાર કરી ત્યારે ચીનમાં સર્વોચ્ચ નેતા રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગના જન્મદિવસની ઉજવણી ચાલતી હતી. ભારતીય સૈન્યનાં સૂત્રો ના જણાવ્યા મુજબ જિનપિંગને જન્મદિને ભેટ આપવા માટે ચાઈના ના સૈનિકો ચાલ રમ્યા હતા અને છેતરી ને ભારતીય સૈનિકો ઉપર હુમલો કરી દીધો હતો તેઓ પાસે મોટા ખિલા વાળા ડંડા હતા અને ક્રૂરતા થી ઘા કરતા રહ્યા હતા. શહીદોના શરીર પરના ઘા તેના પુરાવા છે. 20 શહીદમાંથી 16ના શરીર પર દંડા-પથ્થરથી હુમલાના બહુ ઊંડા ઘા જોવા મળ્યા છે. 4 સૈનિક ના મોત તો…
ચીન દ્વારા છેતરી ને ભારતીય જવાનો ઉપર હુમલો કરતા 20 જવાનો શહીદ થયા છે આ ઘટનાને લઈ દેશભરમાં આક્રોશ ફેલાઈ ગયો છે અને ઠેરઠેર દેખાવો યોજી ચીન ની ચીજ વસ્તુઓ ની હોળી કરી હતી. ભારતીય વેપારીઓએ પણ લદ્દાખમાં ચીની સૈનિકો દ્વારા ભારતીય સૈનિકો પર કરાયેલા હુમલાની ટીકા કરી ચાઇનીઝ પ્રોડક્ટના બહિષ્કારનો નિર્ણય લીધો છે. ગુજરાત ના અમદાવાદ શહેરના વેપારી એસોસિએશને ગ્રાહકોને ચીનનો બહિષ્કાર કરવા અને ભારતીય વસ્તુઓની ખરીદી માટે આગ્રહ રાખવા નિર્ણય કર્યો છે. વેપારી એસો.ના અગ્રણી આશિષ ઝવેરીએ કહ્યું કે,હવે થી ચીનથી 13 અબજ ડોલરની આયાત ઘટાડવા નો નિર્ણય લેવામાં આવ્યો હતો. કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના ચેરમેન મહેન્દ્ર…