હાલ માં કોંગ્રેસ માંથી ધારાસભ્યો ને ભાજપ ઉઠાવી રહ્યું હોવાના અહેવાલો વચ્ચે કોંગ્રેસ દ્વારા ધારાસભ્યો ઉપર નજર રાખવામાં આવી રહી છે ત્યારે ધારી માં ધારાસભ્યો એ કેરી ની પેટભરીને મોજ માણી હતી. સૌરાષ્ટ્રના 18 ધારાસભ્યોને રાજકોટ ના નિલસિટી ક્લબમાં લવાયા બાદ તેઓ ને ગઢડા, રાજુલા લઈ જવાયા હતા.ત્યારબાદ આજે ખાંભા 12 ધારાસભ્યો આવી પહોંચ્યા હતા અને સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરી હતી. ખાંભામાં ડો.કિર્તીકુમાર બોરીસાગરના નિવાસસ્થાને તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા, બાદમાં તમામ ધારાસભ્યો ધારી જવા રવાના થયા હતા. વિપક્ષ નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં તમામ ધારાસભ્યો ધારી પહોંચ્યા હતા. ધારીમાં દલખાણીયા રોડ પર જિલ્લા પંચાયતના સદસ્યના ફાર્મ હાઉસમાં બધા ભેગા…
Author: mohammed shaikh
પપ્પા પ્લીઝ હવે રહેવાદો ..મને ખુબજ દુ:ખે છે અને દર્દ થી પીડાતી પુત્રી ની આ ચીસ જોઈ વધુ હેવાન બની જતા પિતા એકજ વાત કરતો થોડીવાર એવું થશે પછી સારું થઈ જશે અને સેક્સ માણી હવસ સંતોસતા નરાધમ પિતા આખરે જેલ માં ધકેલાયો છે. આ ઘટના માંસગીર પુત્રી પર બળાત્કાર ગુજારી ગર્ભવતી કરનાર નરામધ પિતાને કોર્ટે 14 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી હતી. તેમજ વળતર પેટે ભોગ બનનારને રૂા.25 હજાર વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો હતો. સગીર યુવતીને ચાર માસનો ગર્ભ હોય જે તે સમયે કાનુની મંજૂરી મેળવીને ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો. વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતી સગીર બાળા ને વર્ષ…
મહારાષ્ટ્ર માં કોરોના એ કાળો કેર વર્તાવ્યો છે અને ચાઈના કરતા મહારાષ્ટ્ર માં વધુ કેસો નોંધાયા ની વાતો વચ્ચે ગુજરાત ની વાત કરવામાં આવે તો ગુજરાત માં પણ છેલ્લા એક મહિનાથી કોરોના કાબૂ બહાર જઇ રહ્યો છે. અને દરરોજ 300થી વધુ કેસ તેમજ 30થી વધુ લોકોના મોત થઇ રહ્યા છે. ત્યારે હવે ડિસ્ચાર્જની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. અત્યારસુધીમાં કુલ 21,554 કેસમાંથી 14,743 દર્દી ડિસ્ચાર્જ થયા છે. ગઈકાલે રાજ્યમાં 24 કલાકમાં 510 નવા કેસ તેમજ 34ના મોત નોંધાયા છે. લોકો ચેપ લાગવાના ભય વચ્ચે પણ બે પૈસા ઉભા કરી ખર્ચ કાઢવા મથામણ કરી રહ્યા છે કારણ કે ત્રણ મહિના ઘર…
આસામ મો ક્રૂડ ઓઇલ કૂવામાં આગ લાગતા અફડાતફડી નો માહોલ છે. આ ઘટનામાં 2 ફાયર ફાઈટરના મોત થયા છે. ઓઈલ ઈન્ડિયા પ્રવક્તા ત્રિદેવ હજારિકા એ મિડિયા ને જણાવ્યું હતું કે આગ લાગ્યા બાદ ગુમ થયેલા બંને ફાયર ફાઈટરના શબ મળ્યા છે. શબ પર દાઝવાના નિશાન છે, તેના પરથી લાગી રહ્યું છે કે કદાચ કર્મચારીઓ કૂવામાં કૂદયા હશે અને ડૂબવાના કારણે તેમનું મોત થયું છે. સાચુ મોતનું કારણ પોસ્ટમોર્ટમ બાદ ખબર પડશે. આગ બુઝાવવાની કોશિશમાં લાગેલો ઓએનજીસીનો એકફાયર ફાઈટર પણ દાઝ્યો હતો. આગ એટલી ભયાનક હતી કે 10 કિલોમીટર દૂરથી તેની જવાળા દેખાઈ રહી છે. નજીકના 1.5 કિલોમીટર માં રહેતા 6000…
અમદાવાદ ના ચાંદખેડામાં રહેતા કેન્દ્રિય વિદ્યાલયના પ્રિન્સિપાલના બંગલાના ગેટ પાસે ગાડીમાં આવેલા નાગા બાવાએ પ્રિન્સિપાલ ને સરમાંનું પૂછતાં નજીક આવેલા પ્રિન્સીપાલ ના ગળામાંથી સોનાનો ચેઇન તોડી નાગો બાવો ફરાર થઈ જતા ભારે ચકચાર મચી હતી. વિગતો મુજબ ચાંદખેડા મોટેરા રોડ શિવમ બંગલોઝમાં રહેતા અર્ધકુમાર પ્રસાદ ગાંધીનગર સીઆરપીએફ કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. તેઓ સવારે 6 વાગ્યે દૂધ લેવા માટે મોટેરા આઈડીપી સ્કૂલ પાસે ગયા હતા અને દૂધ લઇને પાછા ઘરે આવ્યા હતા ત્યારે તેમના બંગલાના ગેટ પાસે પહોંચ્યા તે વખતે મોટેરા શાકમાર્કેટ બાજુથી એક ગાડી આવીને તેમના બંગલા પાસે ઊભી રહી હતી. ગાડીમાં 2 વ્યક્તિ બેઠા હતા, જેમાં…
સૌરાષ્ટ્રમાં મેઘરાજા એ ઝંઝાવાતી બેટિંગ કરતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે અને આ બધા વચ્ચે બનેલા કરૂણ બનાવ માં બગસરા પંથકમાં ભારે વરસાદને કારણે નદી અને વોંકળાઓ પાણી થી તરબોળ બન્યા હતા અને પુર આવ્યું હતું. બગસરાના હામાપુર ગામે પૂરના પાણીમાં 7 લોકો બળદગાડા સાથે તણાયા હતા. જેમાં 4 લોકોના કરુણ મોત થતા અરેરાટી ફેલાઈ ગઈ છે અને આ બનાવ માં સદનસીબે 3 લોકોનો બચાવ થયો છે. આ ઘટનામાં એક બળદનું પણ મોત નીપજ્યું છે. મૃતકમાં બે મહિલા અને બે બાળકોનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયરબિગ્રેડની ટીમ દોડી આવી હતી અને તણાયેલાઓ ની શોધખોળ કરતા…
ભારત ની સરહદ માં દાદાગીરી કરીને ઘુસી આવેલા ચીન ના સૈનિકો આપણા જવાનો સામે ઘૂરકિયા કરી રહ્યા છે ત્યારે દેશને સાચી વાત થી દુર રાખવા વિરોધ પક્ષ ના નેતા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી જવાબ માંગી રહ્યા છે તેઓએ ફરી એકવાર લદ્દાખ સરહદે ખેંચતાણ અંગે મંગળવારે ફરી સરકાર સામે નિશાન તાક્યું. તેમણે ટ્વિટ કરી કહ્યું કે જો સંરક્ષણમંત્રીના પંજાના નિશાન પર ટિપ્પણી કરવાનું કામ પૂરું થઈ ગયું હોય તો જણાવે કે શું ચીનના સૈનિકોએ લદ્દાખમાં ભારતીય ક્ષેત્ર પર કબજો જમાવી લીધો છે? ખરેખર સોમવારે સંરક્ષણ નીતિ અંગે રાહુલ અને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે શાયરાના અંદાજમાં આરોપ-પ્રત્યારોપવાળી ટ્વિટ કરી હતી. પૂર્વ લદ્દાખમાં ચીનના…
આજકાલ સોશ્યલ મીડિયા માં ગોદી મીડિયા શબ્દ નો લોકો ખુબજ ઉપયોગ કરતા થઈ ગયા છે અને પ્રેસ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે આવું કંઈક અમેરિકામાં પણ જોવા મળ્યું. હાલ માં અમેરિકા અને ચીન વચ્ચે કોરોના ફેલાવવા મામલે વિવાદ છે ત્યારે અમેરિકાના કેટલાક સમાચારપત્રો ચીન નું સારું સારું લખતાં હતા અને વાહવાહ કરતા હતાજેથી આવા અખબારો સવાલોના ઘેરામાં આવી ગયા હતા પરંતુ જ્યારે સાચી વાત બહાર આવી ત્યારે અમેરિકન લોકો માં આવા અખબાર અને પત્રકારો સામે આક્રોશ ફેલાયો છે. ચીની સરકારના મુખપત્ર ચાઈના ડેઈલી એ અમેરિકન અખબારો ની મોટી પોલ ખોલી નાંખી છે જેથી સનસનાટી મચી છે. ડેલી લોકરને…
તાજેતર માં સુરતના વેવાઈ-વેવાણની આખા દેશ માં ભારે ચર્ચાસ્પદ બની હતી અને હજુપણ તેની વાતો ચાલી રહી છે ત્યારે સાબરકાંઠા વિસ્તાર ના ખેડબ્રહ્મામાં વેવાઈ-વેવાણ ના આવા જ કિસ્સાએ ભારે ચર્ચા જગાવી છે પરંતુ દુઃખની વાત એછે કે ખેડબ્રહ્માની આ ઘટનામાં વેવાઈ- વેવાણે સજોડે આત્મહત્યા કરી લીધી છે. વડાલીના વેવાઈ વેવાણે દિધીયા ગામે જઈ આપઘાત કરી લેતા અહીં સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ખેડબ્રહ્માના વડાલી ગામના વેવાઈ-વેવાણે દિધીયા ગામે જઈને ગામની સીમમાં ઝાડ સાથે ગળેફાંસો ખાઈ લઈ આત્મહત્યા કરી હતી. ખેડબ્રહ્મા પોલીસે આ ઘટનામાં પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ આપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. વડાલીના થેરાસણા…
કોરોના નો કહેર હજુપણ જારી છે અને દિલ્હી માં પણ તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને તેમના માતા માધવી રાજે સિંધિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બન્ને માં અને દીકરા ને દિલ્હીની મેક્સ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા છે. સિંધિયાને ગળામાં ખારાશ અને તાવ હતો. ત્યારબાદ તેમનો કોરોના ટેસ્ટ કરાવતા પોઝીટીવ આવ્યો હતો જ્યારે જ્યોતિરાદિત્યને ચાર દિવસ પહેલા મેક્સ સાકેતમાં એડમિટ કરાયા હતા. તેમની માતામાં કોરોનાના કોઈ લક્ષણ ન હતા. તેમ છતા આજે બન્નેનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે બન્નેની સારવાર ચાલી રહી છે. લોકડાઉનની જાહેરાત પછીથી જ્યોતિરાદિત્ય સિંધિયા દિલ્હીમાં જ છે.…