Author: mohammed shaikh

WhatsApp Image 2020 11 02 at 9.34.29 AM

રાજ્ય માં અચાનક જ જાણે રાતોરાત કોરોના ગાયબ કરી દેવાનો કારસો ચાલુ કરી દેવામાં આવ્યો હોવાની હકીકતમાં નો અગ્રીમ મીડિયા રિપોર્ટ્સ માં દાવો થતા ભારે ચકચાર મચી ગઈ છે. રાજકોટ અને જામનગરમાં કોરોનાના કેસ ઓછા બતાવવા માટે હવે પોઝિટિવને પણ નેગેટિવ બતાવવાનું શરૂ થયું છે. જનતા ને ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે. આ માટે આરોગ્ય અધિકારીઓ પોતાના કર્મચારીઓને પોઝિટિવ દર્દીઓનું લિસ્ટ દઈ ચીમકી આપી રહ્યા છે કે આ બધાની એન્ટ્રી નેગેટિવ તરીકે કરવાની છે આ વાત બહાર આવતા ભારે હોબાળો મચ્યો છે. રાજ્યભરમાં કોરોનાના કેસ ઓછા બતાવવામાં આવી રહ્યા છે એ વાત જગજાહેર છે અને મોતના આંકડામાં…

Read More
WhatsApp Image 2020 11 02 at 9.00.56 AM

ભારત માં કોરોનાને કારણે લોકો ની આર્થિક સ્થિતિ સારી નથી અને બીજી તરફ સરકારની ટેક્સની આવક નાણાકીય વર્ષ 2020-21ના પહેલા 6 મહિનામાં 7 લાખ કરોડ રહેવા પામી છે ગયા જે નાણાકીય વર્ષના પહેલા 6 મહિનાની આવક કરતા 21% ઓછી છે. સરકારની કોર્પોરેટ ટેક્સ, ઇન્કમ ટેક્સ, કસ્ટમ ડ્યુટી અને GST કલેક્શન એમ તમામ મોરચે આવકમાં મોટો ઘટાડો થતા માર્ચમાં અને મે મહિનામાં પેટ્રોલ ડિઝલની એકસાઇઝ ડ્યુટીમાં વધારો કરાયા બાદ ફરી એકવાર વધારો કરવા સરકાર વિચારણા કરી રહી છે. માર્ચમાં પેટ્રોલ ઉપર પ્રતિ લીટર 20 રૂપિયાની એકસાઇઝ ડ્યુટીને વધારીને હાલ 33 રૂપિયા પ્રતિ લીટર રાખવામાં આવી છે. આ જ પ્રમાણે માર્ચમાં ડિઝલ…

Read More
WhatsApp Image 2020 11 02 at 8.32.25 AM

દેશમાં દિનપ્રતિદિન બળાત્કાર ની ઘટનાઓ વધી છે વિકૃતી વધતી જઇ રહી છે. હાલ માં નાની બાળાઓ,બાળકો,યુવતીઓ ,વૃદ્ધાઓ પણ સલામત નથી રહી ત્યારે એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે તે જાણી વાસનામય બનેલા ઈસમો કેટલી નીચ હરકત કરી શકે છે તે ખ્યાલ આવી શકે છે ગુજરાત ના પવિત્ર ધામ ગણાતા દેવભૂમિ દ્વારકા માં જ એક ઇસમે માતા તરીકે પૂજાતી એવી ગાય સાથે દુષ્કર્મ કરવાની કોશિશ કરતા ઝડપાયો હતો. રાત્રિના અંધકારમાં અહીંના જૂની નગરપાલિકા નજીક આવેલી આદિત્ય હોસ્પિટલની સામે ભરત અશવારે નામનો રિક્ષાચાલક ઈસમ અંધારામાં બેસેલી ગાયને અડપલાં કર્યા હતા. ત્યારબાદ ગાય ઊભી થઈ જતા તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાની…

Read More
WhatsApp Image 2020 11 02 at 8.13.23 AM

સુરત થી ભાવનગર જવા માટે ફરી એકવાર તંત્ર સાબધું બન્યું છે અને જોરશોરથી જાહેરાત કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી ફરી એકવાર તા.8 નવેમ્બરે સુરતના હજીરા બંદરેથી ભાવનગરના ઘોઘા બંદર માટે રો-પેક્સ ફેરી સેવાનો ઓનલાઈન શુભારંભ કરાવશે અને નવનિર્મિત રોરો ટર્મિનલ પોર્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે. સુરતમાં ધંધાર્થે સ્થાયી થયેલા સૌરાષ્ટ્રના લોકો માટે આ પ્રધાનમંત્રી તરફથી દિવાળીની ભેટ સાબિત થઇ શકશે કારણ કે દિવાળી ઉપર મોટી સંખ્યામાં લોકો સૌરાષ્ટ્ર તરફ જતા હોય છે જેમાં ભાવનગર તરફ જતા લોકો ને લાંબા ફેરા માંથી મુક્તિ મળી શકે છે. હાલ માં સુરતથી સૌરાષ્ટ્ર…

Read More
WhatsApp Image 2020 11 01 at 7.56.00 PM

કોરોના ની સ્થિતિ યથાવત છે ત્યારે લોકડાઉન બાદ દેશ માં અનલોક ની ગાઈડલાઈન વચ્ચે ધીરેધીરે ધંધા,રોજગાર શરૂ કરવા તબક્કાવાર છૂટછાટ અપાઈ રહી છે ત્યારે હવે આજથી અનલોક -6 લાગુ થતા વધુ છુટછાટ અપાઈ છે જેમાં દેશ ની રાજધાની દિલ્હી માં પુરી ક્ષમતા સાથે બસો દોડશે,જ્યારે મુંબઈમાં વધુ 610 લોકલ ટ્રેન શરૂ થશે ઉપરાંત વૈષ્ણોદેવી માં 15 હજાર શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે એટલુંજ નહિ હવે ગોવા માં કેસીનો માણી શકાશે, પર્યટકો માટે નેશનલ પાર્ક ખુલવા મંજૂરી મળી છે જેમાં કાજીરંગા નેશનલ પાર્ક ની એલિફ્રન્ટ સવારી ખોલવામાં આવી છે. ઉત્તર પ્રદેશ નો ટાઇગર રિઝર્વ પર્યટકો માટે ખોલવા સાથે 314 અને 296 વેસ્ટર્ન…

Read More
WhatsApp Image 2020 11 01 at 1.49.57 PM

ગુજરાત માં તા. ત્રીજી એ પેટા ચુંટણીઓ થવા જઈ રહી છે ત્યારે કોંગ્રેસે આખરી દાવ ખેલી ભાજપે 10 કરોડ આપી કોંગ્રેસ ના ધારાસભ્યો ની સોદાબાજી કરી હોવાનો સીધો આક્ષેપ કરી અમિત ચાવડા અને સી આર પાટીલ સામે પગલાં ભરવાની માંગ કરતા ભારે સનસનાટી મચી ગઇ છે. કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજીને સ્ટિંગ ઓપરેશનનો વીડિયો પણ જાહેર કર્યો છે અને મુખ્યંમંત્રી સહિત સીઆર પાટીલ અને અમિત શાહ સામે ACB અને મની લોંડરિંગ એક્ટ હેઠળ કેસ દાખલ કરવા માગ કરી છે. રાજ્ય માં 3 નવેમ્બરે 8 બેઠકો પર મતદાન થવાનું છે અને આજે સાંજે પાંચ વાગ્યે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઇ જવાના…

Read More
WhatsApp Image 2020 11 01 at 10.14.24 AM

ગુજરાત માં વિધાનસભાની 8 બેઠકો માટે ચૂંટણીને લઇને રાજકીય પક્ષો દ્વારા ચાલી રહેલા પ્રચાર માટેનો આજે અંતિમ દિવસ છે અને આજે સાંજ 5 વાગ્યા બાદ આચારસંહિતા લાગુ પડી જતા જાહેર માં પ્રચાર થઈ શકશે નહી પણ મતદારોને રીઝવવા ડોર ટુ ડોર અથવા ખાટલા મિટિંગ જેવી પ્રવૃત્તિ ચાલુ રહેશે ઉલ્લેખનીય છે કે, મતદાનના કેટલાક કલાક પહેલા આચારસંહિતાના ભાગ રૂપે પ્રચાર કાર્ય જોરશોરથી કરી શકાતું નથી તેથી રાજકીય પાર્ટી અને ઉમેદવારો આ સમય દરમિયાન જાહેરસભા, રેલી વગેરે કરી શકશે નહી. લાઉટ સ્પીકર પર પ્રચાર કરી શકશે નહી તેથી શાંતિ થી પોતાના વિસ્તારમાં જઈ ખાટલા મિટિંગો ચાલુ રહેશે. આમ આજથી પ્રચાર શાંત થશે.

Read More
WhatsApp Image 2020 11 01 at 10.03.02 AM

કચ્છના ભચાઉમાં સવારે 8 કલાક અને 18 મિનિટે અનુભવાયો આંચકો, રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1ની નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. કચ્છમાં ઉપરા ઉપરી ભુકંપ ના આંચકાઓ આવી રહ્યા છે ત્યારે તે ચિંતા નો વિષય છે. સવારે 8.18 કલાકે 4.1ની તીવ્રતાનો ભૂકંપ, ભચાઉથી 12 કિમી ઉત્તર ઉત્તર પૂર્વમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સબંધીતો જણાવી રહ્યા છે આ ઘટના ને લઈ ફરી એકવાર લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને ગભરાટ ફેલાયો હતો.

Read More
WhatsApp Image 2020 11 01 at 9.19.26 AM

કોરોના ની હાડમારી આખી દુનિયા માં હાહાકાર મચાવી રહી છે અને કોરોના થોડો મંદ પડ્યા બાદ ફરી એકવાર ઉથલો મારતા દુનિયાભર માં ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે કોરોના ની વેકશીન હજુ આવી નથી ત્યાંજ ફરી કોરોના એ ઉથલો માર્યો છે અને બ્રિટન માં ફરી એકવાર કોરોના ની બીજી લહેર શરૂ થતાંની સાથે જ બ્રિટનમાં વડાપ્રધાન બોરિસ જોનસને 2 ડિસેમ્બર સુધી લોકડાઉન લગાડવાની જાહેરાત કરી છે. જોનસનનો આ નિર્ણય પોતાના મંત્રીમંડળના સીનિયર સભ્યોની સાથે બેઠક કર્યાં બાદ લીધો છે. અહીં અત્યાર સુધીમાં 9 લાખ 89 હજારથી વધુ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે. છેલ્લાં એક સપ્તાહથી દરરોજ 24-30 હજાર…

Read More
WhatsApp Image 2020 11 01 at 7.56.24 AM

વડોદરા સહિત ગુજરાત માં ઠગાઈ અને બળાત્કાર કેસ માં ગુનામાં હાલ જેલની હવા ખાઈ રહેલા બગલામુખી મંદિરના કહેવાતા સંત એવા પ્રશાંત ઉપાધ્યાયે 2013થી 2017 ના સમયગાળા દરમિયાન દસમા ધોરણના વેકેશનમાં ગુરુ ની સેવા માં રહેલી કિશોરીને તારા શરીરમાં દૈવી શક્તિ નો પ્રવેશ કરાવવા નું જણાવી તેની સાથે 12 વખત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કિશોરીએ પોલીસમાં નોંધાવતા ભારે સનસનાટી મચી ગઇ છે. ભારે હિંમત બાદ કિશોરી એ આખરે પોતાના ઉપર થયેલા અત્યાચાર ને મનમાં સહન નહિ થતા પાપીને સજા મળે તે માટે ફરિયાદ આપી છે. કિશોરી ના જણાવ્યા મુજબ મોટી ઉંમર ના આ સંત પ્રશાંત ઉપાધ્યાયે તેને એમ કહ્યું કે તારા…

Read More