કોરોના માં બેહાલ જનતા માટે લોન મોરટોરિયમ સુવિધાનો લાભ લેનારા માટે એક ગુડ ન્યૂઝ સામે આવી રહ્યા છે અને હવે બેંકો લોન પર વ્યાજ પર વ્યાજની વસૂલાત નહીં કરે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે કે એમએસએમઇ, શિક્ષણ, ગૃહ, ઉપભોક્તા અને ઓટો લોન પર લાગુ ચક્રવૃદ્ધિ વ્યાજને માફ કરવામાં આવશે. આ સિવાય ક્રેડિટ કાર્ડના બાકી લેણાં પર પણ આ વ્યાજ લાગુ કરવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારે સોગંદનામામાં કહ્યું હતું કે કોરોનામાં તો સરકારે વ્યાજ મુક્તિનો ભાર સહન કરવો જોઇએ, આ એકમાત્ર સમાધાન છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનામાં સુપ્રીમ કોર્ટે મોરટોરિયમ કેસમાં કેન્દ્ર સરકાર પર કડક ટિપ્પણી…
Author: mohammed shaikh
વલસાડના કલ્યાણબાગ સામે આવેલી સરવે નં.125 અને 127વાળી જગ્યામાં 40 વર્ષ પહેલા ફાળવાયેલી 84 કેબિનો ના મેગા ડિમોલિશન નો પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રારંભ થતા કેબિન ધારકો એ જોરદાર વિરોધ કર્યો હતો જોકે, બંદોબસ્ત માં તૈનાત પોલીસ જવાનો એ મામલો સાંભળી લીધો હતો. સ્ટેશન રોડ ને ડેવલપ કરવા માટે પાલિકા દ્વારા હાથ ધરાયેલી ડીમોલેશન ની કાર્યવાહી રોકવા કેબિન ધારકો એ ધારાસભ્ય ભરત પટેલ સહિત સુરત પહોંચી પ્રદેશ ભાજપ સીઆર પાટિલ સમક્ષ ડિમોલિશન રોકવા રજૂઆતો કરી હતી. વલસાડ શહેરના સ્ટેશન રોડ વિસ્તાર પાસે કલ્યાણબાગ સામેની જે તે વખતે પડતર ખુલ્લી જમીનમાં 1982માં તત્કાલિન કલેકટર મૃદુલાબેન વશીએ માનવીય અભિગમ દાખવી રોજીરોટી માટે વેચાણના…
વલસાડ શહેરના સ્ટેશન રોડ પર કલ્યાણબાગ સામેના પ્લોટ ઉપર 1982માં કાયમી વેચાણના આધારે કલેકટરે ફાળવેલી જગ્યામાંથી પાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે 84 જેટલી મનાતી ખુબજ જૂની કેબિનોનું ડિમોલિશન કરવાની તજવીજ હાથ ધરાતાં વલસાડ ના કેબિનધારકો માં કચવાટ જોવા મળ્યો હતો અને પોલીસ તેમજ ફરજ પરના અધિકારીઓ ને ડીમોલેશન રોકવા વિનવણી કરતા નજરે પડ્યા હતા. જોકે તંત્ર દ્વારા જેસીબી મશીનો સાથે બાંધકામ તોડવાનું ચાલુ રહ્યું હતું પરિણામે અહીં વાતાવરણમાં તંગદીલી જોવા મળી હતી. અત્રે નોંધનીય છે કે ગાંધીજયંતિ નિમિત્તે ધારાસભ્ય ભરતભાઇ પટેલ પાસે પહોંચી સ્થાનિક કેબિનધારક નિતીન સોની,પ્રશાંત ઘડિયાળવાળા,સીનિયર સિટિઝન ઠાકોરભાઇએ સામૂહિક રજૂઆતો કરી પાલિકાની ડિમોલિશનની તજવીજ રોકવા માગ કરી હતી.ધારાસભ્ય…
સમગ્ર દેશ માં હાથરસ કાંડ છવાઈ ચૂક્યું છે અને રાજકીય રંગે રંગાઈ ચૂકેલા આ પ્રકરણમાં ફરી એક વાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પાર્ટીના સાંસદો સાથે હાથરસની યાત્રા કરવાની જાહેરાત કરતા ભારે હોબાળો મચી ગયો છે, કારણ કે અગાઉ પણ રાહુલ ગાંધી પોતાના બહેન પ્રિયંકા ગાંધી સાથે હાથરસ જવા રવાના થયા ત્યારે પોલીસે તેમને ધરપકડ કરી હતી અને ઝપાઝપી દરમિયાન રાહુલ ગાંધી પડી ગયા હતા પરિણામે દેશભરમાં આ પ્રકરણે ભારે ચર્ચા જગાવી હતી. દરમ્યાન રાહુલ ગાંધી એ ફરી એકવાર ત્યાં જવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે આજે જણાવ્યું હતું કે, કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં આજે બપોરે હાથરસ…
હાલ માં કોરોના ની વર્તમાન પરિસ્થિતિમાં રેલવે માં ટ્રેનો હજુ પૂર્ણ રીતે ચાલુ થઈ નથી અને લોકો મુસાફરી માં અટવાઈ રહ્યા છે બીજી તરફ છેલ્લા દિવસો માં કોરોના નું સંક્રમણ પણ વધતા તંત્ર મુંઝવણમાં છે ત્યારે ઓડિશાથી અમદાવાદ તરફ આવતી ટ્રેનોમાં પેસેન્જરોની ભીડ અને લાંબું વેઈટિંગ લિસ્ટ જોતાં અમદાવાદથી ખુર્દા રોડ માટે વધુ એક સ્પેશિયલ ટ્રેન શરૂ કરી છે. તમામ રિઝર્વ કોચ ધરાવતી આ વિશેષ ટ્રેન આજથી 24 ઓક્ટોબર સુધી દોડાવવામાં આવશે. એની સાથે આજથી સોમનાથ-જબલપુર ટ્રેન શરૂ થઈ રહી છે. આ ટ્રેનનું જૂનાગઢનું સ્ટોપ રદ કર્યું છે. આમ મુસાફરી માટે લાંબા અંતર નો અન્ય કોઈ વિકલ્પ નહિ હોવાથી ધીરેધીરે…
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મલેનિયા ને કોવિડ-19 ની સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ પહેલા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કેમ્પેઇન મેનેજરે જણાવ્યુ હતું કે હવે નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી દરમ્યાન ટ્રમ્પના ચૂંટણી પ્રચાર કાર્યક્રમો વર્ચ્યુઅલ આયોજીત કરાશે. આ નિર્ણય ટ્રમ્પના કોવિડ-19થી સંક્રમિત થયા બાદ લેવાયો છે. કેમ્પેઇન મેનેજરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ સાથે જોડાયેલા કાર્યક્રમોને મોકૂફ કરી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ અભિયાનના અન્ય તમામ કાર્યક્રમો એક પછી એક નક્કી કરવામાં આવશે અને અમે આગામી દિવસોમાં કોઈ પ્રાસંગિક જાહેરાત કરીશું. જો કે ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ ચૂંટણી…
ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા છે અને સંક્રમણ ફેલાતા હવે જેતે વિસ્તારોમાં સ્થાનિક તંત્ર ને અપાયેલી સ્વતંત્ર સત્તા અને પાવર ને લઈ સાબરકાંઠાના કલેક્ટરે વિજયનગર તાલુકાના પ્રવાસનસ્થળ પોળો ફોરેસ્ટ પર શનિ અને રવિવારે બહારના પ્રવાસીઓ માટે પ્રતિબંધ મૂકી દીધો છે, જેનો અમલ શરૂ થઈ ગયો છે. શનિ-રવિમાં 20 હજાર પ્રવાસી આવતા હોવાથી સંક્રમણ ફેલાવાની શક્યતા હોવાથી પ્રતિબંધ મૂક્યો છે, જેનો 18 ઓક્ટોબર સુધી અમલ કરાશે. આમ સંક્રમણ રોકવા માટે હવે તંત્ર સખત પગલાં ઉઠાવી રહ્યું છે તંત્ર દ્વારા લોકો ને સરકારી ગાઈડલાઈન નું સ્વેચ્છા એ પાલન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. જનતા ને સોશ્યલ ડિસ્ટનીંગ અને માસ્ક પહેરવા…
આજે ત્રીજી ઓક્ટોબર ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 વાગ્યે વિશ્વની સૌથી મોટી ‘અટલ ટનલ’નું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આ ટનલ રોહતાંગમાં બનેલી 9.02 કિમી લાંબી ટનલ છે અને મનાલીને લાહૌલ સ્પીતી સાથે જોડે છે. આ ટનલ બનતા હવે મનાલી અને લાહૌલ સ્પીતી વેલી બારેય મહિના એકબીજા ના સંપર્ક માં રહેશે નોંધનીય છે કે અગાઉ બરફવર્ષાને કારણે, લાહૌલ સ્પિતી ઘાટી વર્ષના 6 મહિના સુધી દેશના અન્ય ભાગો થી વિખૂટું પડી જતું હતું.અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી પીર પંજલની ટેકરીઓમાં ‘અટલ ટનલ’ બનાવવામાં આવી છે. તે દરિયાઇ સપાટીથી 10,000 ફૂટની ઉંચાઇ પર આવેલ છે અને મનાલી અને લેહ વચ્ચેનું અંતર 46 કિલોમીટર…
ભારતની આન-બાન અને શાન ના પ્રતીક સમા યુદ્ધ જહાજ INS વિરાટ નું તારીખ 28 સપ્ટેમ્બરે અલંગ ખાતે આખરી સફર પુરી થયા બાદ થેંક્યું વિરાટ નામે કાર્યક્રમનું આયોજન થયું હતું. ત્યારે ભારતીય નૌકાદળનું વિમાન વાહક આ જહાજ ભાંગવા માટે ખરીદનારા અલંગના શ્રીરામ ગ્રુપે હવે જહાજ વેચવા માટે વાત ચલાવતા ભારે વિવાદ ઉભો થયો છે. INS વિરાટ જહાજને રાષ્ટ્ર ગૌરવના નામે 38.54 કરોડમાં ખરીદ્યા બાદ શ્રી રામ ગ્રુપે તેને સો કરોડમાં વેચવા તૈયાર બતાવતા હવે આ જહાજને મ્યુઝિયમમાં ફેરવવા માટે મુંબઈના એક મોટા જૂથે માંગણી કરી છે અને ગોવાના મુખ્યપ્રધાને પણ આ જહાજને મ્યુઝિયમ બનાવવા માટે જણાવ્યું છે, ત્યારે સવાલ એ છે…
અમદાવાદમાં પોલીસ અને કરનીસેના વચ્ચે ફરી વિખવાદ થયો છે અને સંઘર્ષ થતા ભારે હોબાળો થયો છે. વિગતો મુજબ ફિલ્મ પદ્માવતના વિરોધમાં રાજ્યભરમાં જે-તે સમયે કરણીસેના દ્વારા ઉગ્ર વિરોધ આંદોલન થયું હતું જેને લઇને પોલીસ કેસ કરવામાં આવ્યા હતા. આ કેસ સરકાર દ્વારા પાછા ખેંચવામાં આવે તેવી માગ સાથે ગાંધી આશ્રમ ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણીસેના એક દિવસના ધરણાં નો કાર્યક્રમ યોજ્યો હતો જોકે આ સમયે મંજૂરી નહિ હોવાથી કરણીસેના અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે કરણીસેના પ્રમુખ રાજ શેખાવત અને કાર્યકરોની અટકાયત કરી છે. કરણીસેનાના પ્રમુખ રાજ શેખાવત અને કાર્યકરો ગાંધીજયંતી નિમિત્તે ગાંધીઆશ્રમ ખાતે પોતાની માગ સાથે એક દિવસનાં ધરણાં…