સંઘપ્રદેશ દમણ દીવ અને દાનહમાં ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટાયેલી બોડીની મુદ્દત 30 સપ્ટેમ્બરે પુરી થઇ ચુકી છે ત્યારે સોમવારે દમણના ચૂંટણી અધિકારી દ્વારા દમણ નગર પાલિકાની બેઠકની ફાળવણી અને રીઝર્વ સીટ સહિત માટે ડ્રો માટે કામગીરી કરાશે. દમણની સૌથી મોટી ડાભેલ પંચાયતનું ચાર પંચાયતના વિભાજન થયા બાદ પ્રથમ વખત ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવા જઇ રહી છે. સંઘપ્રદેશ દમણ દીવ અને દાનહના જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયત તથા દમણ પાલિકાની ચૂંટણી માટે હવે ગતિવિધિ શરૂ થઈ છે અને તેના ભાગરૂપે આગામી 5મી ઓક્ટોબરના રોજ સાંજે 5 કલાકે નાની દમણ સ્થિત સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ હોલમાં રીઝર્વ સીટ…
Author: mohammed shaikh
વલસાડ જિલ્લા ના વાપીના મોરાઈ સ્થિત ઔદ્યોગિક એકમોમાંથી હવામાં બેફામ પ્રદુષણ ફેલાવવામાં આવતું હોવાની ઉઠેલી ગંભીર ફરિયાદો બાદ હરકત માં આવેલ સબંધિત વિભાગે કંપની ને નોટિસ ફટકારી હતી. જીપીસીબી ની ટીમે હાથ ધરેલી તપાસ દરમ્યાન બેસ્ટ કવેસ્ટ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના પેપર ડિવિઝનમાંથી હવા પ્રદુષણ ફેલાતું હોવાનું બહાર આવતા વાપી જીપીસીબીએ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી છે. નોંધનીય છે કે મોરાઇ ગામમાં ઔદ્યોગિક એકમો આવેલાં છે જેઓ સમયાંતરે પ્રદુષણ ફેલાવતા હોવાની ફરીયાદો ઉઠતી રહે છે.ત્યારે તંત્ર કડક કામગીરી કરે તેવી લોક માંગ ઉઠી રહી છે.
કોરોના ની સ્થિતિ વચ્ચે આજે રવિવારે યુપીએસસીની પરીક્ષા યોજાશે, નવી દિલ્હીના યુનિયન પબ્લીક સર્વિસ કમિશન દ્વારા આયોજિત સિવિલ સર્વિસ પ્રીલીમ પરીક્ષા-૨૦૨૦ આજે રવિવારે અમદાવાદના કુલ ૮૧ પેટા-કેન્દ્રો ખાતે યોજાનાર છે. અમદાવાદ જિલ્લા કલેકટર દ્વારા યુપીએસસીની પરીક્ષા દરમિયાન કોવીડ-૧૯ની ગાઈડલાઈનું ચુસ્તપણે પાલન થાય તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવી છે. અમદાવાદના જુદા-જુદા કેન્દ્રોમાં યોજાનારી યુપીએસસીની પરીક્ષામાં અમદાવાદના સ્પીપામાંથી ૪૨૬ ઉમેદવારો ભાગ લેવાના છે. ઉમેદવારોએ દરેક સેન્ટરનો એન્ટ્રી ગેટ પરીક્ષાના સમયથી એક કલાક પહેલા (પેપર-૧, ૦૮-૩૦ કલાકે, પેપર-૨ – ૧-૩૦ કલાકે) ખોલવામાં આવશે. તેથી પરીક્ષાર્થીઓએ સેન્ટર પર વહેલા પહોંચવાનું રહેશે અને સીધા જ પરીક્ષાના રુમ કે હોલમાં તેમની નિર્ધારીત જગ્યાએ બેસવાનું રહેશે. પરીક્ષા…
ગુજરાત માં કોરોના નો કહેર યથાવત છે ત્યારે ભાજપ સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા ચુસ્ત આગ્રહ કરવામાં આવી રહ્યો છે તેવે સમયે ભાજપના ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા એ જાણીતી ગાયિકા કિંજલ દવે સાથે ગાઈડલાઈન ની ઐસી તૈસી કરીને ‘ અમે ગુજરાતી લેરી લાલા ગુજરાતી સોંગ પર’ … ભારે જમાવટ નો શીન ઉભો કરતા ભારે ચકચાર મચી ગઇ હતી. તેઓ એ જાહેર માં સરઘસ કાઢીને સોશિયલ ડિસન્સિંગના લીરેલીરા ઉડાડ્યા હતા અને આ ગીત ગાનાર સિંગર કિંજલ દવે પણ આ તેમની સાથે જોડાયા હતા અને ધારાસભ્યની સાથે સરઘસમાં જોડાઈને કોરોના ના નિયમો ના ધજાગરા ઉડાવી દીધા હતા અને ઘોડેસવારીની મજા માણી…
રાજ્ય માં આજે બનેલી નોંધનીય ઘટના માં ભાજપ ના નેતા ને સજા થતા નેતાઓ માં આ મેટર ભારે ચર્ચામાં રહી છે. વિગતો મુજબ 2016માં 1.48 કરોડ રૂપિયાના ચેક રિટર્ન કેસમાં સુરેન્દ્રનગર ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપુરાને કલોલ કોર્ટે 2 વર્ષની સાદી કેદની સજા અને 2 કરોડ 97 લાખ 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હોવાની વિગતો સામે આવી છે. વાત છે 13 ઓક્ટોબર 2016ના રોજ ની ત્યારે અમદાવાદના પ્રભાતસિંહ ઠાકોરે દેવજી ફેતપુરા વિરુદ્ધ કલોલ કોર્ટમાં ચેક રિટર્ન અંગેની ફરિયાદ કરી હતી. રાજકોટની જમીનના બાનાપેટે 1 કરોડ 48 લાખ લીધા હતા, પ્રભાતસિંહ ઠાકોર અને દેવજી ફતેપુરા મિત્રો હોઈ દેવજી ફતેપુરાએ પ્રભાતસિંહને રાજકોટ…
અમદાવાદ શહેરમાં દારૂ અને જુગારની બદી ફૂલીફાલી છે અને પોલીસ કમિશનરે બંધ કરાવવા આદેશ આપ્યા છે ત્યારે ખુદ પોલીસ લાઇન માજ પોલીસ ના ઘરમાં જ જુગરધામ ઝડપાતા હડકંપ મચ્યો છે. આ જુગાર ધામ માં જુગાર રમતો પ્રખ્યાત હોટલ એવી સિમરન હોટલનો માલિક ઐયુબખાન પઠાણ પણ ઝડપાયો છે આ હોટલ માં પોલીસ ના માણસો ની હાજરી વધુ રહે છે અને જમવા,નાસ્તા ચા માટે પોલીસ ની હાજરી વધુ રહે છે, જેથી ઐયુબ પોલીસ માટે જાણીતો માણસ હોવાનું કહેવાય છે ,જે પોલીસ ચોપડે વોન્ટેડ બોલે છે ,કારણ કે ગત 3 સપ્ટેમ્બરે જ્યારે કેન્ટોન્મેન્ટ વિસ્તારમાં જુગારની રેડ પોલીસે કરી હતી, તેમાં ફરાર બતાવ્યો હતો…
સમગ્ર દેશ માં ભારે ચકચાર જગાવનાર હાથરસ ગેંગરેપ પીડિતની લાશ ના અંતિમ સંસ્કાર કરી દીધાના ત્રણ દિવસ બાદ ભારે વિરોધ પછી પોલીસે મીડિયાને પીડિતના ગામમાં પ્રવેશ આપ્યો છે. જોકે,મીડિયા સાથે વાતચીતમાં પીડિત પરિવારે તંત્ર અને પોલીસ ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે મૃતક ની માતાએ કહ્યું, છેલ્લી વખત તેઓ ને તેમની પુત્રી નું મોઢું પણ ન જોવા દીધું, અમને તો એ પણ ખબર નથી કે પોલીસે કોનો મૃતદેહ સળગાવી દીધો અને અમે કોના અસ્થિ લાવ્યાં છીએ. પીડિતાની ભાભીએ કહ્યું, પોલીસે પરિવાર સાથે મારઝૂડ પણ કરી હતી , પીડિતના ભાઈએ જણાવ્યું, બુધવારે રાતે 10 વાગ્યા સુધી પોલીસ ઘરે રહી હતી. આ દરમિયાન…
રાજકોટ નજીક મંત્રી કુંવરજી બાવળિયાના કાફલાનો અકસ્માત થયો હોવાના અહેવાલ છે અને એક સાથે ત્રણ ગાડીઓ એકબીજા સાથે અથડાતા સર્જાયેલા આ અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. વિગતો મુજબ વીંછીયા તાલુકાના દેવધરી ગામે સુવિધા પંથ કાર્યક્રમમાં ભાગ લેવા જઇ રહેલા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ના કાફલાને અકસ્માત નડ્યો છે. મંત્રી બાવળિયા સલામત છે તથા તેમની ગાડી પણ સુરક્ષિત છે. જાણવા મળતી માહિતી મુંબજ વીંછીયા તાલુકા વિકાસ અધિકારીની ગાડીના ડ્રાઈવરની બેદરકારીના કારણે આ અકસ્માત સર્જાયો હોવાની વાત બહાર આવી છે. એક સાથે ત્રણ ગાડીનો અકસ્માત સર્જાયો જેમાં મામલતદાર, ટી.ડી.ઓ અને માહિતી ખાતા ની ત્રણ અધિકારીઓ ની ગાડીઓ એકબીજા…
કોરોના કાળ માં બધીજ સ્કૂલો બંધ હોવાછતાં ફી માંગવાની જીદ ઉપર ઉતરેલા શાળા સંચાલકો ની ફી માટે ની દાદાગીરી સામે હવે વાલીઓ એ પણ બાંયો ચડાવી છે અને ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એસોસીએશને સ્પષ્ટ કર્યું છે કે મંદીમાં વાલીઓ માત્ર 25 ટકા જ ફી ભરી શકે તેવી સ્થિતિમાં છે, માટે સરકારે 75 ટકા ફી માફીની જાહેરાત કરવી જોઇએ. ફેડરેશનનો આક્ષેપ છે કે 25 ટકા ફી માફીની જાહેરાતનો નિર્ણય લેતા પહેલા સરકારે રાજ્યમાં વાલીમંડળો સાથે ચર્ચા કરી નથી. આ નિર્ણય માત્ર સ્કૂલ સંચાલકોને ધ્યાને લઈને લેવામાં આવ્યો છે જે એક તરફી છે અને કોઈ વાલી 75 ટકા ફી ભરવાના નથી. ફેડરેશને શિક્ષણમંત્રીને…
વલસાડ માં ચૂંટણી પહેલા રાજકારણ માં સળવળાટ જોવા મળી રહ્યો છે અને કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમેદવાર તરીકે જીતુ ચૌધરી લગભગ નક્કી હોવાની વાતો વચ્ચે ચૂંટણી નું વાતાવરણ જામી રહ્યું છે અને રાજકીય કાર્યકરો,સંગઠન હોદ્દેદારો સાથે નેતાઓની બેઠકો માટે આગામી કાર્યક્રમો અંગે પણ રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે પ્રદેશ ભાજપે કપરાડા વિધાનસભાની પેટા ચૂંટણીના ઇન્ચાર્જ તરીકે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમાર અને રાજ્યના મંત્રી ઇશ્વરસિંહ પટેલની નિયુક્તિ કરી દેતા હવે ભાજપ દ્વારા હવે કપરાડા વિસ્તારોમાં બંન્ને ઇન્ચાર્જ પદાધિકારીઓ કામે લાગી ગયા છે અને આગામી પ્લાનિંગ ગોઠવી રહ્યા છે. આમ વલસાડ માં રાજ્કીય સળવળાટ સાથે…