ગુજરાત માં દિવાળી બાદ કોરોના ના કેસો ચિંતાજનક રીતે આગળ વધી રહ્યા છે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના ના સૌથી વધૂ કુલ 1560 કેસ નોંધાયા છે અને 16 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. બીજી તરફ 1302 દર્દીઓ સાજા પણ થયા છે. ગુજરાતમાં આજે કોરોનાનાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. જો જિલ્લાવાર કોરોનાનાં કેસોની વિગતો પર નજર કરવામાં આવે તો અમદાવાદમાં 361 કેસ 12નાં મોત, સુરતમાં 289 કેસ 3નાં મોત, વડોદરમાં 180 કેસ એકનું મોત, રાજકોટમાં 138 અને ગાંધીનગરમાં 70 કેસ, જામનગરમાં 45 અન જૂનાગઢમાં 24 કેસ, પાટણમાં 64, બનાસકાંઠામાં 41 કેસ, મહેસાણામાં 40, પંચમહાલમાં 29, આણંદમાં 28 કેસ, ખેડામાં…
Author: mohammed shaikh
કોરોના માં સાવચેતી ન રાખો તો જીવલેણ બની શકે છે અને હજુસુધી પરફેક્ટ રસી પણ બજાર માં આવી નથી એટલેજ સરકારે કોરોનાની ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જેમાં માસ્ક નહીં પહેરનાર સામે દંડનિય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે પણ ઘણા લોકો જાહેર માં એવું કહેતા નજરે પડી રહ્યા છે કે આતો બધું ઠીક કોરોના જેવું કંઈ છે જ નહી તેમ કહી પોતે તો માસ્ક પહેરતા નથી અને બીજા ને પણ આવી સલાહ આપતા હોય છે આવું ગામડાઓ માં વધુ જોવા મળી રહ્યું છે ત્યારે માસ્ક વગર રખડતા લોકો ના ટેસ્ટ માં આવા લોકો…
ભારત માં સ્વદેશી કોરોના રસી નું ટ્રાયલ ચાલુ છે ત્યારે વડાપ્રધાન ઝાયડસ કંપનીના પ્લાન્ટનું નિરિક્ષણ કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સોલા સિવિલમાં ચાલી રહેલ ટ્રાયલ વૅક્સિનનું નામ આત્મનિર્ભર જાહેર થાય તેવી પણ અટકળો ચાલી રહી છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે હાલ વૅક્સિનની ટ્રાયલ શરુ થઈ ગઈ છે ત્યારે આ વૅક્સિનનું નામ ‘આત્મનિર્ભર’ રાખવામાં આવી શકે છે. આગામી શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવનાર છે જે દરમિયાન વૅક્સિનના નામની જાહેરાત થનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. વડાપ્રધાન અમદાવાદની ઝાયડસ કંપનીની મુલાકાત લઈને ઝાયડસની વૅક્સિનની કાર્યવાહી અંગેનું પણ નિરિક્ષણ કરશે. હાલ ઝાયડસ કંપનીના પ્લાન્ટમાં વૅક્સિનનું કામ અંતિમ…
બંધારણ દિન પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઓલ ઈન્ડિયા પ્રેસાઈડિંગ ઓફિસર્સની કોન્ફરન્સ દરમિયાન વન નેશન-વન ઈલેક્શનની જરૂરિયાત ઉપર ભાર મુક્યો હતો.ગુજરાતમાં કેવડિયામાં યોજાયેલી ઈવેન્ટમાં મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા . વડાપ્રધાને કહ્યું કે, મુંબઈ હુમલાના ઘા ભારત ભૂલી નહીં શકે. નવું ભારત નવી રીતી-નીતિ સાથે આતંકવાદનો મુકાબલો કરી રહ્યું છે. આતંકને જડબાતોડ જવાબ આપનારા આપણા સુરક્ષાદળોને પણ વંદન કરું છું. મોદીએ વન નેશન, વન ઈલેક્શન ને જરૂરી ગણાવતા કહ્યું કે, ડિઝીટાઈઝેશનનો સમય આવી ગયો છે. પીઠાસીન અધિકારી તેને વિચાર કરશે તો ધારાસભ્યોને સરળતા રહેશે. હવે આપણે પેપરલેસ પદ્ધતિઓ પર ભાર આપવો જોઈએ. બંધારણ સભા આ વાત અંગે એકમત હતી…
છેલ્લા ઘણાજ સમય થી ચાલતુ ખેડૂતો નું આંદોલન આજે આક્રમક બન્યું હતું કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ 26થી 26 નવેમ્બરે સુધી દિલ્હી ચલો આંદોલનની શરૂઆત કરી છે અને પંજાબ નજીક હરિયાણા બોર્ડર પર આજે ગુરુવારે હિંસક દેખાવો થયા હતા અને બેરિકેડ તોડવા સાથે પથ્થરમારો થયો હતો પરિણામે પોલીસે સ્થિતિ ને કાબુ માં લેવા પાણીનો મારો અને ટીઅર ગેસના સેલ છોડ્યા હતા નોંધનીય છે કે નવા કૃષિ બિલના વિરોધમાં પંજાબ અને હરિયાણાના ખેડૂતો છેલ્લા બે મહિના થી આંદોલન ચલાવી રહ્યા છે. સરકારે કૃષિ સુધારા માટે 3 કાયદા ધ ફાર્મર્સ પ્રોડ્યૂસ ટ્રેડ એન્ડ કોમર્સ(પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) એક્ટ; ધ ફાર્મર્સ(એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન)એગ્રીમેન્ટ ઓફ પ્રાઈઝ…
કોરોના નો રાફડો ફાટ્યો છે અને અમદાવાદ માં મોટી સંખ્યા માં કોરોના ના કેસ નોંધાય રહ્યા છે અને મોત ના મામલા બહાર આવી રહ્યા છે ત્યારે ગાંધીનગરમાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને લઇને તંત્રની પોલ ખુલી છે અહીં કોરોનામાં મૃત્યુ પામેલા લોકોનો એક જ એમ્બ્યુલન્સમાં 4થી 5 મૃતદેહ ભરવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે, આ મામલે ભારે ચર્ચા ઉઠતા નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે તપાસના આદેશ આપ્યા છે. ગાંધીનગરમાં કોરોના માં મોત ની સંખ્યા વધુ હોવાનું પણ ખુલ્લું પડી ગયું છે.
કોરોના દેશ માં ફરી વકર્યો છે ત્યારે કેન્દ્ર દ્વારા ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે જે અંગે ગુજરાત સરકારની આજે સાંજે મળનારી કોર કમિટીની બેઠકમાં કર્ફ્યૂ-નિયંત્રણો અને કોરોના કાબૂમાં લેવા માટેના નિર્ણયો લેવામાં આવી શકે છે જેમાં ચાર શહેરો અમદાવાદ, વડોદરા, સુરત,રાજકોટ માં હજુ પણ બેકાબૂ બનતી ભીડ અને કેસોના મામલે વીક એન્ડ કર્ફ્યૂ અને ભીડ કરતા વેપારધંધા પર નિયંત્રણ લાદવામાં આવે એવી શક્યતા છે કફર્યૂ અને લોકડાઉનને લઈને CM રૂપાણીએ જણાવ્યું કે કોરોના ની સ્થિતિ બગડશે તો ઉચિત નિર્ણય કરાશે તેઓ એ કહ્યું હતું કે રાજ્યમાં ફરી લોકડાઉન લાદવામાં આવશે નહિ. કોરોના મહામારીને રોકવા માટે સરકાર કટિબદ્ધ છે. જ્યારે રાજ્યનાં…
કોરોના થી સંક્રમિત થયેલા અહેમદ પટેલ નું સારવાર દરમ્યાન કરુણ નિધન થયા બાદ તેઓની અંતિમ ઈચ્છા ને લઈ દિલ્હી થી તેમના વતન ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકા પિરામણ ગામમાં આવેલા કબ્રસ્તાનમાં તેમના માતા-પિતાની કબરની બાજુમાં જ અહેમત પટેલના પાર્થિવ દેહની દફનવિધિ કરવામાં આવી હતી. દિલ્હી થી ખાસ ચાર્ટર પ્લેન મારફતે તેમના પાર્થિવ દેહને વડોદરા એરપોર્ટ પર લવાયા બાદ અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં રાત્રિ દરમિયાન રાખવામાં આવ્યો હતો.જ્યાંથી અહેમદ પટેલનો પાર્થિવ દેહ વતન પિરામણ લઇ જવાયો હતો. જ્યાં સુન્ની વહોરા મુસ્લિમ જમાઅતના કબ્રસ્તાનમાં અહેમદ પટેલની અંતિમ વિધિ કરવામાં આવી હતી. અને જનાજાની નમાઝ અદા કર્યાં બાદ તેમની દફનવિધિ કરવામાં…
કોરોના ની સ્થિતિ આખા વિશ્વ માં વકરી છે અને અસંખ્ય લોકો મોત ને ભેટયા છે ત્યારે દેશમાં કોરોના નું વધતું જતું સંક્રમણ રોકવા માટે DGCA દ્વારા આંતરરાષ્ટ્રીય ઉડાન અંગે લેવાયેલા માં DGCA વિભાગે આંતરરાષ્ટ્રીય હવાઈયાત્રા પરના પ્રતિબંધને 31 ડિસેમ્બર સુધી લંબાવી દીધો છે. હવે દેશમાં 31 ડિસેમ્બર સુધી કોઈ કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ભારત બહાર જશે નહીં અને બહારથી ભારતમાં આવશે પણ નહીં. જોકે આ દરમિયાન વંદે ભારત મિશન અંતર્ગત ચાલતી ખાસ ફ્લાઈટો ચાલુ રહેશે. આ પહેલાં DGCAએ ઈન્ટરનેશનલ ફ્લાઈટ પરનો પ્રતિબંધ 30 નવેમ્બર સુધી વધાર્યો હતો
હાલ કોરોના નો કહેર ચાલી રહ્યો છે ત્યારે જાહેર માં થુકવાની મનાઈ છે તેવા સમયે કચ્છના અંજારમાં પોલીસ કર્મચારી એ એક ઈસમ ને જાહેર માં નહિ થુકવા બાબતે ઠપકો આપતા આ ઇસમે વિજયનગર પાસે જૂની કોર્ટ નજીક તે પોલીસ કર્મી ની હત્યા કરી દેતા ભારે ચકચાર મચી છે. આ ઈસમ ને એટલો બધો ગુસ્સો આવ્યો કે તેણે પોલીસકર્મીના માથામાં અને પગમાં કુહાડીના ઘા મારી ક્રૂર હત્યા કરી નાખી હતી. વિજય ચૌહાણ પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા અને તેઓ એ સુનીલ ઉર્ફે મુન્ના ને બગીચામાં જાહેરમાં થુંકવાની ના પાડતા બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી જેનું વેર…