ચોમાસા માં રાજ્ય ના ભંગાર થઈ ગયેલા રોડ મામલે ફરિયાદો ઉઠતા સરકાર ને ચિંતા થવા માંડી છે અને લોકો ના વાહનો માં મેન્ટેનન્સ આવતા સરકાર હવે રોડ બનાવવા ગંભીર બની છે અને તમામ મંત્રીઓ અને ધારાસભ્યોને રસ્તાના કામ સૂચવવા માર્ગ અને મકાન વિભાગના મંત્રીએ પત્ર પાઠવ્યો રાજ્યમાં વિધાનસભા વિસ્તાર દીઠ 50 કરોડની ફાળવણી કરવાનો નિર્ણય કરી દીધો છે. આગામી ચૂંટણી અગાઉ શહેરો અને ગામડાના રસ્તાઓના સમારકામ માટે રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી વિધાનસભા વિસ્તાર દીઠ 50 કરોડની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો છે. રસ્તા માટે સરકારે 9100 કરોડ નું બજેટ નક્કી પણ કરી લીધું છે. માર્ગ મકાન વિભાગે મંત્રીઓને રસ્તાના કામોની દરખાસ્ત…
કવિ: Halima shaikh
પ.બંગાળમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકારણ પરાકાષ્ટા વટાવી રહ્યું છે અને અહીં ભાજપ અધ્યક્ષ નડ્ડાના કાફલા પર હુમલા પછી હવે બર્દવાનમાં એક ભાજપ સમર્થક સુખદેવ પ્રમાણિક નો મૃતદેહ શંકાસ્પદ હાલત માં તળાવ માંથી મળી આવતા હોબાળો મચી ગયો છે. તૃણમૂલ સમર્થકો દ્વારા તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરાતા ભાજપ સમર્થકોએ દેખાવો શરૂ કરી દીધા હતા. આજે સોમવારે ભાજપ ના કાર્યકરો આ મામલે માર્ગો પર દેખાવ પણ કરશે. સુખદેવનો પરિવાર ભાજપ સમર્થક છે. બે દિવસ પહેલા તે ભાજપની રેલીમાં પણ ગયો હતો. અહીં ભાજપ અને તૃણમૂલના નેતાઓ વચ્ચે છેલ્લા દિવસો માં તણાવ વધી ગયો છે.
આજથી રાજ્યના ઈન્ટર્ન ડૉકટરો સ્ટાઇપેન્ડ અને માનદ વેતન વધારાની માંગ સાથે તમામ પ્રકારની તબીબી સેવાઓથી અળગા રહી હડતાળ પર ઉતરી જતા કોરોના માં સારવાર માટે નો પ્રશ્ન વિકટ બનશે કારણ કે કોરોના માં આજ ઈંટર્ન ડોકટરો ની સેવા લેવામાં આવતી હતી. અમદાવાદની બી.જે મેડિકલ કોલેજ ખાતે ઈન્ટર્ન ડૉકટરોએ ભેગા થઈ પ્લેકાર્ડ સાથે પોતાની માંગણીઓ રજૂ કરી હતી. કોરોનાના સમયગાળામાં પણ અન્ય રાજ્ય કરતા ઓછું વેતન ગુજરાત સરકાર ડોકટરોને મળી રહ્યુ છે તેવો ઈન્ટર્ન ડૉકટરોએ આક્ષેપ કર્યો છે.ઈન્ટર્ન ડૉક્ટરોની માંગ છે કે ઈન્ટર્ન ડૉક્ટરોનું રૂ. 12800 સ્ટાઇપેન્ડ વધારી ઓછામાં ઓછું રૂ. 20000 કરી આપવામાં આવે જે એપ્રિલ માસથી ગણી અને તેનું…
આખરે સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશનના પીએસઆઈ અમિતા જોશી આપઘાત પ્રકરણમાં પોલીસ જીપ ના ડ્રાઇવર પતિ સહિત સાસરીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. સુરત માં મહિલા પીએસઆઈ અમીતા જોશી એ ગત તા.5મી ડિસેમ્બરના રોજ પોતાને પેટના ભાગે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. પતિના આડાસંબંધ, અમિતાના મોત સમયે વૈભવની સુરતમાં હાજરી અને ટીશર્ટ ફાટેલું હોવાની આંશકા સાથે પતિ સહિત સાસરિયાં સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. અમિતાના પિતાએ મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં અમિતાના પતિ વૈભવ, સાસુ હર્ષાબેન, સસરા જીતેશ અને નણંદ મનિષા અને અંકિતા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ અમીતા જોશી ના પિતા બાબુભાઈ શાંતિલાલ જોશી રહે. ધારી, જિલ્લો અમરેલી એ…
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટાયેલી પાંખની મુદત રવિવારે રાત્રે જ પુરી થઈ જતા 20 વર્ષ બાદ અમદાવાદ કોર્પોરેશનમાં વહીવટદાર નિમાયા હોવાની વાત સામે આવી છે. આજથી અમદાવાદ મ્યુનિ. કમિશનર મુકેશકુમાર વહીવટદારનો ચાર્જ સંભાળી લેશે. મ્યુનિ.ની ચૂંટાયેલી પાંખની મુદત ડિસેમ્બર મહિનામાં પૂરી થતી હોય ચૂંટણી નક્કી હતી પરંતુ કોરોનાને કારણે નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીઓ રાજ્ય સરકારે મુલતવી રાખતા હવે અહીં વહીવટદારની નિમણૂક કરવી પડી છે. હવે આગામી ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાય ત્યારે જ નવી બોડી ના હાથ માં વહીવટ આવી શકે છે ત્યાં સુધી મ્યુ.કમિશનર ના હાથ માં તમામ વહીવટ રહશે.
સરકાર ના નવા કૃષિ કાયદા નો વિરોધ કરી રહેલા ખેડૂતો નું આંદોલન આગળ વધતું જઈ રહ્યું છે અને રોજ નવા કાર્યક્રમો અપાઈ રહ્યા છે ત્યારે આજરોજ સોમવારે તમામ ખેડૂત સંગઠનના નેતાઓ ૯ કલાકની ભૂખ હડતાળમાં જોડાશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સોમવારે ખેડૂતોની સાથે ઉપવાસમાં જોડાવાની જાહેરાત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કૃષિ કાયદાના વિરોધમાં રવિવારે ૧૮મા દિવસે દિલ્હી, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં ખેડૂતોના દેખાવો ચાલુ રહ્યા છે. આંદોલનને ઉગ્ર બનાવતાં ખેડૂતોએ ૧૪મી ડિસેમ્બરના સોમવારે દેશવ્યાપી ધરણાં કરવાની જાહેરાત કરી હતી. ખેડૂતો સોમવારે દરેક જિલ્લા મથક ખાતે કલેક્ટર કચેરીઓ સામે આંદોલન કરશે અને ભાજપના નેતાઓનો ઘેરાવ કરશે. સિંધુ બોર્ડર…
મુંબઈ પોલીસે આજે રવિવારે ન્યુઝ ચેનલ રિપબ્લિક ટીવીના CEO વિકાસ ખનચંદાનીની નકલી TRPના મામલામાં ધરપકડ કરી હતી. પોલીસ કમિશનર પરમબીર સિંહે લગભગ બે મહિલા આ સ્કેમનો ખુલાસો કર્યો હતો. આ પ્રકરણમાં અગાઉ રિપબ્લિકના આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડન્ટ(ડિસ્ટ્રીબ્યુશન) ધનશ્યામ સિંહને 5 ડિસેમ્બરના રોજ કોર્ટમાંથી જામીન મળ્યા હતા. ચેનલે આરોપ લગાવ્યો હતો કે પુછપરછ દરમિયાન તેમને ટોર્ચર કરવામાં આવ્યા હતા. આ પહેલા રિપબ્લિક મીડિયા નેટવર્કે બોમ્બે હાઈકોર્ટેને એક ઈન્ટરીમ અરજી કરીને કહ્યું હતું કે ધનશ્યામ સિંહને કસ્ટડીમાં બેલ્ટ વડે માર મરાયો હોવાનું જણાવ્યું હતું. રિપબ્લિક મીડિયા નેટવર્કના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામીએ કહ્યું હતું કે મુંબઈ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે રિપબ્લિક ટીવીની વિરુદ્ધ…
કોરોના ની મહામારી વચ્ચે વધુ એક નેતા કોરોના સંક્રમિત બન્યા છે,ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કોરોના સંક્રમિત બન્યા છે. નોંધનીય છે કે ત્રણ દિવસ પહેલા તેઓ બંગાળના પ્રવાસે ગયા હતા. ત્યાં 9 અને 10 ડિસેમ્બરે તેઓએ રોડ શો અને રેલીઓ માં ભાગ લીધો હતો. નડ્ડાએ સોશિયલ મીડિયા ઉપર જાતેજ સંક્રમિત થયાની જાણકારી આપી છે. નડ્ડાએ ટ્વીટ કર્યું કે કોરોનાના પ્રારંભિક લક્ષણો જણાતા મે ટેસ્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડોક્ટરોની સલાહ મુજબ હું હોમ આઈસોલેશનના તમામ નિયમોનું પાલન કરી રહ્યો છું. મારા સંપર્કમાં આવનાર તમામ લોકો પોતાને આઈસોલેટ કરી લે અને પોતાની તપાસ કરાવે. આમ તેઓ રેલીઓ માં…
ગુજરાત માં વધતી જતા આગ ના બનાવો ને લઈ સરકાર હરકત માં આવી છે અને આ અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ નવી ફાયર રેગ્યુલેશન સિસ્ટમની મહત્વ ની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી રૂપાણી એ જણાવ્યું કે આગ ની દુર્ઘટનાઓ કાબુ માં લેવા ડાયરેક્ટર ઓફ ફાયરની પોસ્ટ ઉભી કરવામાં આવશે અને ચાર ઝોનમાં અધિકારીની નિયુક્તિ કરવામાં આવશે. ફાયર સર્વિસના નવા નિયમોનો 26મી જાન્યુઆરીથી અમલ કરવામાં આવશે. રાજ્યમાં દરેક હાઇરાઇઝડ બિલ્ડીંગ, વાણિજ્યિક સંકુલો, સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ્સ અને ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફ્ટી એન.ઓ.સી. ઓનલાઇન મેળવવા માટેની પ્રક્રિયાઓ અંગે રાજ્ય સરકાર પારદર્શી રીતે ફાયર સેફ્ટી કોપ પોર્ટલ વિકસાવશે રાજ્યમાં ફાયર સર્વિસ ક્ષેત્રે કારકિર્દી…
રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ માં લાગેલી આગકાંડ માં 6 વ્યક્તિઓ એ જીવ ગુમાવ્યો છે ત્યારે આ ઘટનામાં થયેલી સરકારી તપાસમાં હોસ્પિટલ સંચાલકોની બેદરકારી નહિ નહીં પણ વેન્ટિલેટર જેવા સાધનમાં ખામીના લીધે આગ લાગી હોવાનું તારણ સાથે નો રિપોર્ટ સરકારી અધિકારી એ. કે. રાકેશે તપાસ અહેવાલ રાજ્ય સરકાર ને સોંપ્યો હતો. અધિક મુખ્ય સચિવ કક્ષાના અધિકારી રાકેશે આ અહેવાલમાં જણાવ્યું છે કે આ ઘટનામાં હોસ્પિટલ તંત્રની કોઇ ખામી દેખાઇ નથી. આગ લાગવાના કારણમાં ક્યાંય શોર્ટ સર્કિટ કે સાધનોના દેખરેખનો અભાવ પણ નથી. આ અહેવાલમાં જણાવ્યું છે કે વેન્ટિલેટર સતત 24 કલાક ધમધમતું હોવાથી ઓવર હીટિંગને કારણે આગ લાગી હતી. તપાસ…