કવિ: Halima shaikh

કોરોના માં સરકારી ગાઈડ લાઈન નો ભંગ કરનાર પબ્લીક ને પકડી ને દંડ કરવાનું અભિયાન ચાલુ છે ત્યારે રાજકારણ સાથે સંકળાયેલા લોકો ને દંડ કરવામાં પોલીસ સો વાર વિચાર કરે છે ભૂતકાળમાં પણ નેતાઓ રેલીઓ અને સભાઓ ગજાવી ચુક્યા છે પણ હાજર પોલીસ હંમેશા આ વાત ને નજર અંદાજ કરતી આવી છે ત્યારે અમદાવાદ ના નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીએ ધારાસભ્ય બન્યા હોવાની ત્રીજી એનિવર્સરીની ઊજવણી કરી હતી, જેમાં તેમના સમર્થકો એ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરીને એકબીજાને કેક ખવડાવી હતી. કેટલાકે તો માસ્ક પણ નહોતા પહેર્યા અને ગળામાં જ માળા જેમ લટકી રહયા હોવાનું જણાયું હતું. નોંધપાત્ર વાત તો એ હતી…

Read More

વડોદરા માં લવ જેહાદ ના કિસ્સા એ ભારે ચકચાર મચાવી છે અને હિન્દૂ સંગઠનો એ ભારે વિરોધ કરતા મામલો ગરમાયો છે. અહીં ના નાગરવાડા વિસ્તારમાં બ્રાહ્મણ યુવતીને ધર્મ પરિવર્તન કરાવી મુસ્લિમ યુવકે નિકાહ કરી લીધા બાદ બંનેને પોત પોતાના ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. ગુરુવારે યુવતીની આખા દિવસ દરમિયાન સ્થાનિક નેતાઓએ મુલાકાત કરી સમજાવવાના પ્રયાસો આદર્યા હતા. જ્યારે યુવકના પિતા અને વકિલે પણ વાત કરવાનું ટાળ્યું હતુ. હજી બંનેનું 3-4 દિવસ સુધી કાઉન્સેલિંગ કરાશે. ધર્મ પરિવર્તન કરનાર બ્રાહ્મણ યુવતી ના જણાવ્યા મુજબ પોતે અયાઝ ને છ વર્ષથી ઓળખે છે મિત્રો થકી અમે સતત એકબીજાના સંપર્કમાં હતા. અમારો આ પરિચય પ્રેમમાં…

Read More

રાજ્ય માં મેડિકલ લાઈન માં જે વિદ્યાર્થીઓ એ પ્રવેશ માટે રિપોર્ટિંગ ન કરાવ્યું હોય તેવી 293 અને ડેન્ટલની 710 બેઠક મળી 1003 બેઠક પર 18 ડિસેમ્બરથી મોપ અપ રાઉન્ડની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રવેશ કાર્યવાહી 23 ડિસેમ્બર સુધી ચાલનાર છે જેમાં રાજ્ય ના અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ, જામનગર,જૂનાગઢ, સહિતની કુલ 11 મેડિકલ કોલેજોના હેલ્પ સેન્ટર ખાતે વિદ્યાર્થીઓને મેરિટ ક્રમ મુજબ ફાળવેલ તારીખ મુજબ હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે. હાલ પ્રવર્તમાન કોરોના ની સ્થિતિ ના કારણે વિદ્યાર્થીઓને ગાંધીનગર, જીએમઈઆરએસ મેડીકલ કોલેજમાં પ્રવેશ માટે એકત્ર ન થવું પડે તે માટે જુદાજુદા 11 જગ્યા એ પ્રવેશ કાર્યવાહી માટેની એપોઈનમેન્ટ આપવાનો…

Read More

કૃષિ કાયદો રદ કરવાની માંગણી સાથે આંદોલન ચલાવી રહેલા ખેડૂતો ને હવે ગુજરાત ના ખેડૂતો નું પણ સમર્થન મળતા ગુજરાતમાંથી ૧૦ હજાર ખેડૂતો દિલ્હી પહોંચશે. જેમાં દરેક તાલુકામાંથી ખેડૂતો દિલ્હી પહોંચી રહ્યા છે. દિલ્હીમાં ગુરુવારે સવારે ગુજરાતના ખેડૂતોએ ગરબાના કાર્યક્રમનું આયોજન કર્યું છે. બુધવારે પણ કૃષિ કાયદા રદ્ કરવાની માગણી સાથે ખેડૂત આગેવાનોએ સંબોધન, સૂત્રોચ્ચાર કર્યા હતા. ગુજરાતમાંથી દિલ્હી પહોંચેલા ખેડૂત અગ્રણી ડાહ્યાભાઈ ગજેરા એ જણાવ્યું કે, આજે વડોદરા, ભરૂચ, મોરબીના ૫૦૦ જેટલા ખેડૂતો દિલ્હી પહોંચી ગયા છે, વડોદરાથી એક જૂથ ખાસ લંગર સેવા માટે આવી પહોંચ્યું છે અને બાકીના ખેડૂતો પણ તબક્કા વાર અહીં આવશે તેવું આયોજન કરાયું છે.

Read More

ગુજરાત માં દારૂબંધી ને સરકારે મજાક બનાવી દીધી છે,ગાંધીનગર માં સરકારી અધિકારી ની સરકારી ગાડી માં જ દારૂ ઝડપાતા ચકચાર મચી છે.ગુજરાતમાં સરકાર દારૂબંધી ના કડક કાયદો બનાવી ટીવી અને અખબારો માં જાહેરાત તો કરી દીધી પણ આ કાયદા નું ખુદ અધિકારીઓ જ પાલન કરતા નથી અને સરકારી ગાડીઓ માં જ દારૂ પકડાઈ રહ્યો હોવાના શરમજનક કિસ્સા સામે આવી રહ્યા છે, રાજ્યમાં દારૂબંધી ફારસ સાબિત થઇ રહી છે. જ્યાં નેતાઓ બેસે છે તે રાજ્ય ના પાટનગર ગાંધીનગર ના જ અધિકારીની સરકારી ગાડીમાંથી વિદેશી દારૂ પકડાતા ભારે ચર્ચા ઉઠવા પામી છે. ખુદ સરકારી અધિકારીઓ ને જ દારૂ વગર ચાલતું નહિ હોવાનું…

Read More

આપણા લોકશાહી દેશ ભારત માં જુદાજુદા પક્ષ ના નેતાઓ હંમેશા એકબીજાને ભાંડતા રહે છે પણ એક વાત સમજાતી નથી કે જ્યારે નેતાજીઓ ના પગાર કે ભથ્થા વધારા ની વાત આવે ત્યારે બધા એક થઇ જાય છે આ એક ગજબ ની એકતા જોવા મળે છે. નવાઈ ની વાત તો એ છે કે ધારાસભ્યો અને મંત્રીઓના પગાર-ભથ્થામાં માત્ર દોઢ કલાકમાં વધારો થઈ જાય છે. અગાઉ ધારાસભ્યો અને મંત્રીઓના પગાર વધ્યાના બે દિવસમાં જ રાજ્યની 8 મહાનગરપાલિકાના કોર્પોરેટરોનાં પણ પગાર-ભથ્થાંમાં વધારો કરી લીધો હતો, આજના રાજકારણી ને મોંઘવારી ક્યારેય નડતી નથી કારણ કે તે પ્રજા નો પ્રતિનિધિ છે અને બધીજ સવલતો મલે છે,સારામાં…

Read More

ખેડૂત આંદોલન ને સમર્થન જાહેર કરી સંતે જાહેર માં આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે લાખ્ખો અનુયાયી ધરાવતા સંતે સુસાઇડ કરતા સરકાર ભીંસ માં મુકાઈ છે.કૃષિ કાયદા ના વિરોધ માં ખેડૂત આંદોલન હવે વેગવંતું બની રહ્યુ છે ત્યારે એક ચોંકાવનારા અહેવાલો સામે આવી રહ્યા છે જેમાં કૃષિ કાયદા વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં 65 વર્ષના સંતે આત્મહત્યા કરી લીધી છે અને સુસાઇડ નોટ માં ખેડૂતો ને થઈ રહેલા અન્યાય ને જવાબદાર ઠેરવતા ભારે ચકચાર મચી ગઇ છે, સિંઘરા ગામના બાબા રામ સિંહ ગુરુદ્વારા સાહિબ નાનકસરના સંત હતા. તેમના અનુયાયીઓની સંખ્યામાં લાખોમાં છે ત્યારે તેઓમાં સરકાર વિરુદ્ધ રોષ ફેલાય…

Read More

રાજ્યમાં વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસ ની હાર થયા બાદ નૈતિક જવાબદારી સ્વીકારીને પ્રદેશ-પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામાં ધરી દીધાં બાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ પણ પ્રભારીપદ છોડે તેવી વાત વચ્ચે કોંગ્રેસે નવા પ્રમુખની શોધખોળ શરૂ કરી દીધી છે, જેમાં હાલના ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલનું નામ સૌથી આગળ છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કોંગ્રેસ ફરી એકવાર પાટીદાર કાર્ડ ની વ્યૂહરચના ગોઠવી શકે છે. જોકે,વિધાનસભા વિપક્ષના નેતા તરીકે શૈલેશ પરમાર, પૂંજા વંશ અને અશ્વિન કોટવાલનાં નામ પણ ચર્ચામાં છે, જયારે પ્રદેશ-પ્રમુખની જવાબદારી નિભાવી શકે એ માટે અર્જુન મોઢવાડિયા અને જગદીશ…

Read More

કેટલાક માથાભારે તત્વો દ્વારા ગરીબો ની જમીન ઉપર કબ્જા કરવા અને ધમકીઓ આપી જમીનો મફત માં પડાવી લેવાની ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ કરી રહેલા લુખ્ખાઓ ને લગામ નાથવા સરકારે તખ્તો તૈયાર કરી દીધો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી એ જમીન ઉચાપત કાયદા અંગે મહત્ત્વની જાહેરાત કરી છે. જેમા હવેથી ગેરકાયદેસર જમીન પચાવી પાડનારને 10થી 14 વર્ષની સજા થશે. આ મામલે 6 મહિનાની અંદર કોર્ટ નિર્ણય સંભળાવશે. નાના માણસોને સલામતી મળે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવશે. આ માટે 7 અધિકારીઓની કમિટી બનાવવામાં આવશે. સીએમએ વધુમાં જણાવ્યું કે, ગમે તે માથાભારે વ્યક્તિ સામે પણ ફરિયાદ નોંધી કાર્યવાહી થશે અને ફરિયાદ મળ્યાના 20 દિવસમાં જ…

Read More

પાકિસ્તાન સામે ના 1971ના યુદ્ધમાં ભારત ના વિજય ને 50 વર્ષ થતા વડાપ્રધાન મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. પાકિસ્તાન સામેના યુદ્ધમાં વિજય બાદ બાંગ્લાદેશ ને પણ આઝાદ કરાવ્યું હતું.ત્યારથી ભારત દ્વારા દર વર્ષે તા.16 ડિસેમ્બરને વિજય દિન તરીકે ઉજવણી કરે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને ત્રણેય સૈન્યના વડા ની ઉપસ્થિત વચ્ચે આજે નવી દિલ્હીના રાષ્ટ્રીય સ્મારક ખાતે ઉપસ્થિત રહી અહીં PM મોદી 4 સ્વર્ણિમ વિજય મશાલ પ્રગટાવી હતી જે અમર જ્યોતથી ચાર વિજય મશાલ પ્રજ્વલિત કરી આ મશાલને દેશના અન્ય ભાગો માં લઇ જવાશે અને 1971ના યુદ્ધમાં પરમવીર…

Read More