રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ માં લાગેલી આગકાંડ માં 6 વ્યક્તિઓ એ જીવ ગુમાવ્યો છે ત્યારે આ ઘટનામાં થયેલી સરકારી તપાસમાં હોસ્પિટલ સંચાલકોની બેદરકારી નહિ નહીં પણ વેન્ટિલેટર જેવા સાધનમાં ખામીના લીધે આગ લાગી હોવાનું તારણ સાથે નો રિપોર્ટ સરકારી અધિકારી એ. કે. રાકેશે તપાસ અહેવાલ રાજ્ય સરકાર ને સોંપ્યો હતો. અધિક મુખ્ય સચિવ કક્ષાના અધિકારી રાકેશે આ અહેવાલમાં જણાવ્યું છે કે આ ઘટનામાં હોસ્પિટલ તંત્રની કોઇ ખામી દેખાઇ નથી. આગ લાગવાના કારણમાં ક્યાંય શોર્ટ સર્કિટ કે સાધનોના દેખરેખનો અભાવ પણ નથી. આ અહેવાલમાં જણાવ્યું છે કે વેન્ટિલેટર સતત 24 કલાક ધમધમતું હોવાથી ઓવર હીટિંગને કારણે આગ લાગી હતી. તપાસ…
કવિ: Halima shaikh
અમદાવાદના માં રાત્રે પોલીસ ઉપર હુમલા ની ઘટના પ્રકાશ માં આવી છે,રાજ્યના ચાર મહાનગરમાં હાલમાં 9 વાગ્યા બાદ કર્ફ્યુ લાગી જતો હોય વેજલપુર પોલીસ શનિવારની રાત્રે ફરજ પર હતી ત્યારે સોનલ સિનેમા રોડ પર બે એક્ટિવા ચાલક અને બે રિક્ષામાં લોકો સવાર જોરજોરથી હોર્ન વગાડવા સાથે ચીસો પાડી શો બાજી કરતા હોવાથી વેજલપુર પોલીસ માં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ યશપાલસિંહ, અમિતસિંહ સહિતના સ્ટાફે તેઓ ને રોકી ને ઇન્કવાયરી કરતા જાહેર માં બૂમ બરાડા કરી રહેલા લોકો એ લગ્ન પ્રસંગ હોય વહુને તેડીને જઈએ છીએ તેમ જણાવતા પોલીસે કરફ્યુ અમલમાં છે માટે શાંતિથી હોર્ન વગાડ્યા વગર જાવ કહેતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા…
દેશ ના તમિલનાડુ માં બહાર આવેલી એક ચોંકાવનારી ઘટના માં ચેન્નઇ ખાતે સીબીઆઇ દ્વારા જપ્ત કરાયેલ રૂપિયા ૪૫ કરોડની કિંમતનું ૧૦૩ કિલો સોનું ગૂમ થઈ જતા ભારે સનસનાટી મચી ગઇ છે. વિગતો મુજબ વર્ષ ૨૦૧૨માં સીબીઆઇ ની ટીમે ચેન્નઇ સ્થિત સુરાના કોર્પોરેશન લિમિટેડ માં રેડ કરીને સોના નો આ મોટો જથ્થો સુરાના કોર્પોરેશનની સેફ અને વોલ્ટમાં સીબીઆઇના લોક સાથે સીલ કરાયું હતું.જે ગાયબ થઈ ગયું છે. સીબીઆઇ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે તેણે ચેન્નઇની સીબીઆઇ કેસો માટેની પ્રિન્સિપલ સ્પેશિયલ કોર્ટમાં તમામ સેફ અને વોલ્ટની ૭૨ ચાવી જમા કરાવી હતી. જોકે સીબીઆઇએ ચાવીઓ કોર્ટમાં જમા કરાવી હોવાનો કોઈ ઉલ્લેખ…
જમ્મુ-કાશ્મીરમાં શિયાળા ની શરૂઆત બાદ પ્રથમવાર હિમવર્ષા થઈ છે. શ્રીનગરમાં ૩ ઇંચ, અહરબાલમાં ૧૦, મંઝગામમાં ૮, ડીએસપોરામાં પાંચ, કુલગામમાં ૪, કુંદમાં ૮, બારામૂલા અને કુપવાડામાં પાંચ-પાંચ ઇંચ બરફ પડયો છે અને જમ્મુ-કાશ્મીરના હિલ સ્ટેશનોમાં બે થી ૩ ફૂટ જેટલી હિમવર્ષા થઈ હતી. ભારે હિમવર્ષાના કારણે જવાહર ટનલ ખાતે ભારે બરફ જમા થઈ જતાં જમ્મુ-શ્રીનગર હાઇવે પર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે લદ્દાખ અને કાશ્મીરમાં ભારે હિમવર્ષા અને વરસાદ થઈ શકે છે. જમ્મુ-કાશ્મીર, કારગિલ અને લેહમાં વ્યાપક વરસાદ અને હિમવર્ષા નોંધાયાં હતાં. હવામાન વિભાગે સંખ્યાબંધ સ્થળે હિમપ્રપાત સર્જાવાની ચેતવણી જારી કરી છે. વેસ્ટર્ન…
રાજકોટના ગોંડલમાં રહેતું બુઝુર્ગ દંપતી કોરોના મામલે ખુબજ સાવચેતી રાખતા હતા પણ ન છૂટકે એક લગ્ન પ્રસંગ માં જતા દંપતી ને કોરોના નો ચેપ લાગતા તેઓનું સારવાર દરમિયાન મોત થઇ જતા પરિવાર માં શોક ની લાગણી ફેલાઇ ગઇ હતી. આ પતિ-પત્નીએ જીવન-મરણના અંત સુધી સાથ નિભાવ્યો હતો. બંનેના મૃત્યુ વચ્ચે માત્ર 20 મિનિટનું જ અંતર રહ્યું હતું. વિગતો મુજબ ગોંડલના સ્ટેશન પ્લોટમાં રહેતાં મનીષભાઈ બુચના પિતા જ્યોતિશભાઇ અને માતા દેવયાની બહેન કોરોના પોઝિટિવ આવતા બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. કોરોનાની સારવાર દરમિયાન આજે વહેલી સવારે સારવાર કારગત ન નીવડતા જ્યોતિશભાઇએ દમ તોડયો હતો. પતિની વિદાય બાદ પત્ની દેવીયાનીબેન નું…
ગુજરાત માં પણ ફોરેન જેવો જ બીચ આવેલો છે અને દ્વારકા પાસેના શિવરાજપુર બીચને દુનિયાના બ્લુ બીચમાં સ્થાન મળ્યા બાદ આ સ્થળ ને ટુરિઝમ સ્પોટ તરીકે વિકસાવવા માટે સરકારે પ્રયાસો શરૂ કર્યા છે અને આ સ્થળ ને વધુ સુંદર બનાવવા અને બીચને જમીન માર્ગની સાથે ક્રૂઝ દ્વારા દરિયાઈ માર્ગે પણ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો સાથે જોડવા માટે રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતા શિવરાજપુર બીચને વધુ સુવિધા આપવા માટે ગુજરાત ટુરિઝમની ટીમે તાજેતરમાં જ મુલાકાત લીધી હતી. જ્યાં સર્વે કર્યા બાદ શિવરાજપુર પહોંચવા બીચ પર જવા માટેના રસ્તાના નવીનીકરણ માટે પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ગુજરાત સરકાર…
ઉત્તરપ્રદેશ માં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ની સરકારે મેડિકલની નવી ગાઈડલાઈન્સ તૈયાર કરી છે જેમાં પીજી કર્યા બાદ ડોક્ટર્સે ઓછામાં ઓછાં 10 વર્ષ સુધી સરકારી હોસ્પિટલમાં સેવા આપવાની રહેશે, અને જો કોઈ અધવચ્ચે નોકરી છોડી જાય તો તેને એક કરોડ રૂપિયા નો દંડ ઉત્તરપ્રદેશ સરકારને ભરવો પડશે. નવી ગાઈડલાઈન્સના નિર્ણયમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અભ્યાસ પૂરો કર્યા પછી ડોક્ટર્સે તાત્કાલિક નોકરીમાં જોડાવું પડશે. આ ઉપરાંત પીજી પછી સરકારી ડોક્ટર્સના સિનિયર રેસિડેન્સીમાં રોકાવા પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. નવા નિયમમાં કહેવામાં આવ્યું છે કે વિભાગ તરફથી આ સંબંધમાં NOC જાહેર કરવામાં નહીં આવે. નવી મેડિકલ ગાઈડલાઈન્સમાં જો કોઈ ડોક્ટર…
અમદાવાદ માં મકાન ના ચાલી રહેલા કૌટુંબિક ઝગડા માં માસૂમ બાળકો એસિડ ઍટેક નો ભોગ બન્યા છે જે ઘટના બાદ હજુસુધી આરોપી નહિ પકડાતા સવાલો ઉઠ્યા છે. અમદાવાદ ના માધવપુરામાં મહેંદીકુવા વિસ્તારમાં આવેલી કંચનબેનની ચાલીમાં લક્ષ્મીબેન દંતાણી તેમના બે દીકરા અને ત્રણ પુત્રીઓ સાથે રહે છે જેઓએ આ મકાન છ વર્ષ અગાઉ તેમના કાકા સસરા મોહનભાઇ દંતાણી પાસેથી રૂ. ત્રણ લાખમાં ખરીદ્યું હતું. મકાન ખરીદી લીધા બાદ તેમના પુત્ર અજય અને વિજય આ મકાન ખાલી કરાવવા બાબતે ઝઘડો ચાલતો હતો અને આજ અરસા માં મુંબઈથી લક્ષ્મીબેનના બહેન બનેવી પણ આવ્યા હોઈ તમામ લોકો ઘરમાં સુતા હતા તે સમયે અજય દંતાણી…
રાજ્ય માં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ વાતાવરણમાં પલટા સાથે ચોમાસા જેવો માહોલ છે ત્યારે હવે સોમવાર ના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત ઉપરથી હઠી જતા રાજ્યનાં મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 10થી14 ડિગ્રી નીચે જવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. કચ્છ માં નલિયા અને ઉત્તર ગુજરાત ના ડીસા જેવાં શહેરોનું તાપમાન 10 ડિગ્રી નીચે જતાં રાજ્યમાં કાતિલ ઠંડી પડવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.સોમવારથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 10થી14 ડિગ્રી નીચે પહોંચવાની શક્યતા હોવાથી ઠંડીનું જોર વધશે, જેને કારણે કચ્છના નલિયા,ભુજ,કંડલા અને ડીસામાં ઠંડીનો પારો 10 ડિગ્રી તેમજ અમદાવાદમાં 12 ડિગ્રી રહેશે પરિણામે રાજ્યભરમાં કાતિલ ઠંડી પડવાની શક્યતા વ્યક્ત…
ગુજરાત માં રાજ્કીય ક્ષેત્રે આમ આદમી પાર્ટી એ પોતાની સત્તાવાર હાજરી નોંધાવી દીધી છે હવે ગુજરાતની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી એ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે ગોપાલ ઈટાલિયા ની નિમણૂક કરી છે. આ એ જ ગોપાલ ઈટાલિયા છે જેઓ ધંધુકા ડેપ્યુટી કલેક્ટર ઓફિસમાં ક્લાર્ક તરીકે ચાલુ નોકરીએ હતા ત્યારે વિધાનસભા સંકુલમાં ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પર ચંપલ ફેંક્યુ હતું તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફોન કરીને તેમની સાથે માથાકૂટ કરતો ઓડિયો વાઈરલ થતાં પણ ઈટાલિયા ચર્ચામાં આવ્યા હતા. ગોપાલ ઈટાલિયા સોસિયલ મીડિયા માં ગુજરાતમાં ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારના અવારનવાર આક્ષેપો કરવા માટે જાણીતા છે. સાથેજ…