રાજ્યમાં સ્પ્રેડ થયેલા કોરોના ને કાબુ માં લેવા રાજ્ય સરકારે બીજો એક નિર્ણય લીધો છે જેમાંલગ્ન સમારોહના ઉજવણીમાં અગાઉ 200 ની સંખ્યા ઘટાડી 100 કરી દેવામાં આવી છે. સ્થળની ક્ષમતા કરતા 50 ટકાથી ઓછા અને વધુમાં વધુ 100 લોકોની મર્યાદામાં આયોજન કરવાનું રહેશે. જ્યારે કોઈના મૃત્યુ સમયે અંતિમ વિધિમાં વધારેમાં વધારે 50 લોકોની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત ચારેય મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન લગ્ન સહિત કોઈ પણ પ્રકારની ઉજવણી માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાં આ નિર્ણયનો અમલ મંગળવારની મધ્યરાત્રિથી કરવામાં આવશે. આમ સરકારે કોરોના ને ધ્યાને લઇ આ નવો નિર્ણય કર્યો છે.
કવિ: Halima shaikh
પીઠ રાજકારણી એવા આસામના પૂર્વ મુખ્યમંત્રી તરૂણ ગોગોઈનું કોરોના માં નિધન થયું છે, તેઓ 84 વર્ષના હતા. તેઓ અગાઉ પણઓગસ્ટ માસ માં કોરોના સંક્રમિત બન્યા હતા અને તે વખતે તેઓ એ કોરોના ને માત આપી હતી અને સ્વસ્થ પણ થઈ ગયા હતા પરંતુ ફરી એકવાર સંક્રમિત બન્યા હતા અને ડાયાલીસીસ પણ શક્ય નહિ બનતા ગુવાહાટીની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં તેઓએ આજે સોમવારે સાંજે 5 વાગ્યે અને 34 મિનિટે અંતિમ શ્વાસ લીધા. તેઓ ત્રણ વખત આસામના મુખ્યમંત્રી પદ ઉપર રહયા હોય તેમનું રાજ્કીય કદ ઘણું મોટું હતું.વડાપ્રધાન મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. ગોગોઈનો જન્મ 1લી એપ્રિલ 1934ના રોજ થયો…
રાજકીય દાવપેચ અને કાવાદાવા વચ્ચે બિહાર વિધાનસભામાં નવા ધારાસભ્યોના શપથ દરમિયાન ઓવેસી ની પાર્ટી ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદ-ઉલ મુસ્લિમીન (AIMIM)ના ધારાસભ્ય અખ્તરૂલ ઇમાને હિન્દુસ્તાન શબ્દ બોલવા સામે પોતાનો વાંધો ઉઠાવી હિન્દુસ્તાન બોલવાનો ઇનકાર કરી દીધો હતો તેમનું કહેવું હતુ કે હિન્દી, અંગ્રેજી, મૈથિલી, સંસ્કૃત વર્તમાન શપથ પત્રમાં ભારત શબ્દ લખ્યો છે, તો ઉર્દુમાં હિન્દુસ્તાન કેમ લખવામાં આવ્યું છે. અક્તરૂલ ઇમાનના વાંધા બાદ પ્રોટેમ સ્પીકર જીતન રામ માંઝીએ તેમને ભારત શબ્દ બોલીને જ શપથ લેવાની પરમિશન આપી હતી. આ અંગે બીજેપીના ધારાસભ્ય નીરજ કુમાર બબલૂએ પોતાની પ્રતિક્રિયા માં જણાવ્યું કે જે લોકોને હિન્દુસ્તાન શબ્દ બોલવાથી વાંધો છે તેઓ તાત્કાલિક પાકિસ્તાન જતા રહે.…
એક તરફ કોરોના નો કહેર અને બીજી તરફ સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થતા હવે જીવન જરૂરિયાત ની ચીજ વસ્તુઓ ના ભાવો માં ભડકો થવાની શકયતા ઉભી થઇ છે, કોરોના કાળ દરમિયાન ક્રૂડ ના ભાવો નીચા હોવા છતાં સરકારે પેટ્રોલ અને ડીઝલ માં ભાવો માં વધારો ચાલુ રાખ્યો હતો અને કોરોના માં મોંઘવારી આંટો લઈ ગઈ છે ત્યારે હવે લીટર ના ભાવ 90 સુધી પહોંચતા આગામી દિવસો માં કઠોળ,શાકભાજી વધુ મોંઘા બનશે અને કોરોના માં બધું બંધ છે અને કમાવાના ઠેકાણા નથી ત્યાંજ હવે મોંઘવારી માં લોકો નું શુ થશે તે મોટો પ્રશ્ન છે. આજે ડીઝલના ભાવમાં…
ફિલ્મ ઇન્ડરસ્ટ્રીઝ માં સુશાંત રાજપૂત ના મોત બાદ બોલિવૂડમાં ચાલતા ડ્રગ્સ કનેક્શનની મોટી લિંક મળતા હાલ તપાસ ચાલી રહી છે ત્યારે આ તપાસને લીડ કરી રહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે અને તેમની પાંચ સભ્યની ટીમ ને નિશાન બનાવી ડ્રગ્સ માફિયાઓ એ હુમલો કરતા NCBના 3 સભ્યને ઇજા પહોંચી હતી. સમીર વાનખેડેની આગેવાની હેઠળ NCBની ટીમ મુંબઈના ગોરેગાંવના જવાહરનગર વિસ્તારમાં જ્યારે તપાસ માટે પહોંચી ત્યારે ડ્રગ-પેડલર્સ ના 60 જેટલા સાથીઓ એકત્ર થઈ ગયા હતાઅને પથ્થર-લાકડીઓથી NCBની ટીમ પર હુમલો કરી દીધો હતો આ હુમલામાં NCBના બે અધિકારી વિશ્વવિજય સિંહ અને શિવા રેડ્ડીને ઇજા પહોંચી હતી. જોકે બંને…
રાજ્ય માં વકરેલી કોરોના ની સ્થિતિ વચ્ચે હવે ચાર મહાનગરો માં માત્ર રાત્રી કરફ્યૂ લાગુ રહ્યો છે અને અમદાવાદ માં દિવસ નો કરફ્યૂ હટાવી લેવામાં આવ્યો છે ત્યારે આજે લોકો ખરીદી માટે નીકળ્યા હતા. અમદાવાદ શહેરમાં કુલ 111 માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોન પૈકી આજે ૬ માઇક્રો કન્ટેઇમન્ટ ઝોનને મુક્ત કરાયા હતા. જ્યારે નવા 22 માઇક્રો કન્ટેઇમેન્ટ વિસ્તારનો ઉમેરો કરાયો હતો. તંત્ર દ્વારા માઇક્રો કન્ટેઇમેન્ટ વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કીનીગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે . વિગતો મુજબ અમદાવાદના બોપલ વિસ્તારમાં જ 50 ટકા કેસ પોઝિટીવ હોવાની વાત સામે આવી છે, અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા સફલ પરિસર 1માં 42…
કોરોના ની મહામારી આખા દેશ માં ફેલાઈ ગઈ છે અને રાજધાની દિલ્હીમાં જ કોરોના પ્રભાવિત 121 લોકોનાં મોત થયાં છે, આ દેશમાં સૌથી મોટો મૃત્યુ આંક છે જ્યારે કોરોના માં 50 લોકોનાં મોતની સાથે મહારાષ્ટ્ર બીજા નંબરે રહ્યું છે. મહારાષ્ટ્રમાં આ આંકડો 15 મે પછી સૌથી ઓછો છે. ત્યારે અહીં 49 લોકોનાં મોત થયાં હતાં. દિલ્હીમાં આ પહેલાં 18 નવેમ્બરે સૌથી વધુ 131 દર્દીનાં મોત થયાં હતાં. દેશમાં ગતરોજ રવિવારે 44 હજાર 404 કેસ નોંધાયા છે અને 41 હજાર 405 દર્દી સાજા પણ થયા છે અને 510 લોકોનાં મોત થયા હોવાનું સરકારી ચોપડે નોધાયું છે. દેશમાં અત્યારસુધીમાં 91.40 લાખ કેસ…
દેશ માં ગુજરાત સહિત દિલ્હી,મહારાષ્ટ્ર અને આસામ માં કોરોના કેસ વધવા છતાં સરકારે લગ્નો અને સભાઓને મંજૂરી આપતા ઝાટકણી કાઢી હતી અનેદિલ્લી અને મહારાષ્ટ્ર બાદ ગુજરાતની સ્થિતિ સૌથી ખરાબ હોવાનું સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે. આ મામલે સરકારને રિપોર્ટ સોંપવા કર્યો આદેશ કર્યો છે.દેશમાં અમુક રાજ્યોમાં વધતા કોરોનાના કેસનો મુદ્દો સુપ્રીમ કોર્ટે ધ્યાનમાં લીધો છે. આજે સોમવારે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત અને આસામને બે દિવસમાં એફિડેવિટ દાખલ કરીને એ જણાવવા કહ્યું છે કે કોરોનાની હાલની સ્થિતિ સામે લડવા માટે તેમણે શું પગલાં લીધાં છે. સુપ્રીમ કોર્ટે કોરોનાના કેસ વધ્યા છતાં લગ્ન અને સમારોહ કરવાની મંજૂરી આપવા મામલે આ ચાર રાજ્ય…
ભારત માં કાતિલ ઠંડી નો ચમકારો શરૂ થઈ ગયો છે અને હિમાલયમાંથી ફૂંકાઇ રહેલા તીવ્ર ઠંડા પવનો ને લઈ દેશની રાજધાની દિલ્હીમાં લઘુતમ તાપમાન ૬.૯ ડિગ્રી સેન્ટિગ્રેડ થઈ જતા જન જીવન પ્રભાવીત બન્યું હતું. દિલ્હીની સફદરજંગ ઓબ્ઝર્વેટરી ખાતે લઘુતમ તાપમાન ૬.૯ ડિગ્રી નોંધાયું છે. પાલમ વેધર સ્ટેશન ખાતે ઠંડીનો પારો ૬.૧ ડિગ્રી નોંધાયો હતો. જ્યારે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલપ્રદેશ, અરુણાચલપ્રદેશ, પશ્ચિમ બંગાળના પર્વતીય વિસ્તારોમાં પણ મહત્તમ તાપમાન પાંચ ડિગ્રી રહ્યું છે. હરિયાણા, ચંડીગઢ, દિલ્હી અને પૂર્વ રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરપ્રદેશ, પૂર્વ મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં લઘુતમ તાપમાન ૩ થી પાંચ ડિગ્રી ઘટયું હતું. કાશ્મીર ખીણમાં મોટાભાગનાં સ્થળોએ લઘુતમ તાપમાન ફ્રીઝિંગ પોઇન્ટથી નીચે…
એક તરફ કોરોના એ ઉપાડો લીધો છે ને બીજી તરફ ભાજપ ના નેતાઓ ને પણ રેલીઓ યોજવાનું ચાનક ઉપડતા હવે આવા માથા ફરેલા નેતાઓ ને શાંતિ રાખવા ખૂદ સીઆર પાટીલે જ શાન માં સમજાવી દેતા હવે આવા નેતાઓ હેઠા બેઠા છે, સીઆર પાટીલે કોઈપણ પ્રકારના સંમેલનનો ન યોજવા કાર્યકરોને સૂચના આપી દેતા હવે ભાજપે તમામ જાહેર કાર્યક્રમો પર રોક લગાવી ને કોઈપણ પ્રકારના સંમેલનનો ન યોજવા કાર્યકરોને સૂચના આપવામાં આવી છે. વિગતો મુજબ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે હાલ કોરોના ની વકરેલી સ્થિતિ ને લઈ ગુજરાતભરના તમામ ભાજપાના આગેવાનો તેમજ કાર્યકરોને સુચના આપી છે કે, નવી સૂચના ન મળે…