આજકાલ ઉંચુ માર્કેટિંગ કરી પૈસા બનવવાનો જમાનો છે મોટી મોટી વાતો અને કલર ફૂલ પેમ્પલેટ લઈ અંગ્રેજી માં ફાડો એટલે જાણે કામ થઈ ગયું પછી એ વસ્તુ બોગસ જ નીકળે તેવો અનુભવ લોકો ને થતા રહે છે આવુજ કઈક કાલે જૂનાગઢ માં જોવા મળ્યું અહીં મીડિયા માં જોરશોરથી ચાલુ થયેલા રોપવે સામે સવાલો ઉઠ્યા છે. જૂનાગઢના ગિરનાર પર્વત પર શરૂ કરાયેલા રોપ- વેને શુક્રવારે સવારે 9:30 વાગ્યા સુધી બંધ કરી દેવાની નોબત આવી હતી. ભારે પવન ફુંકાતા આ નિર્ણય લેવો પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન આ સાથે અગાઉ કરેલા, 180 કિમીની ઝડપથી પવન ફૂંકાય તો પણ વાંધો ન…
કવિ: Halima shaikh
ગુજરાતમાં ચુંટણીઓ અગાઉ નેતા લોકો એ ઉપાડો લીધો હતો અને ખુરશી માટે કોરોના પણ ભૂલી ગયા અને ગાઈડલાઈન માત્ર જનતા પૂરતી રહી ગઈ ત્યારબાદ સમયાંતરે છૂટછાટો વધી અને તહેવારો માં તો હદ થઈ ગઈ અને હવે સીધાજ 1000 ઉપર કેસ આવવા મંડ્યા ત્યારે અમદાવાદ,વડોદરા, રાજકોટ ,સુરત માં કરફ્યૂ નાખી કઈક કર્યા ની વાતો અને ચર્ચા ચાલુ થઇ પણ એવું કેમ બન્યું કે કોરોના એટલી હદે સ્પ્રેડ થયો કે સરકારે હવે ફરફ્યુ લગાવવા નો વારો આવ્યો છે દૈનિક 1000 ઉપર સરેરાશ કેસ નોંધાતા સરકાર સફાળી જાગી અને હવે કરફ્યૂ લગાવી નિયમો લગાવી દીધા છે પણ કોરોના નો વિસ્ફોટ કેમ થયો તે…
અમદાવાદ માં કોરોના સ્પ્રેડ થતાંજ દિલ્હી ની જેમ લોકો કોરોના નો ભોગ ન બને તે માટે અગાઉ થી જ પગલાં ભરી દેતા અને રાતે નવ વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરવામાં આવેલા કર્ફ્યૂને લઈ અમદાવાદ માં 1700 જેટલા લગ્નો રદ કરાયા છે. માંડ વેડિંગ ઇવેન્ટ હવે શરૂ થતા જ ફરી કોરોના એ ઉપાડો લેતા હવે સંક્રમણ લાગવાના ભય થી કર્ફ્યૂ અને નાઈટ કર્ફ્યૂ આવતા વેડિંગ ઇવેન્ટ વ્યવસાય 8 મહિના બાદ ફરી શરૂ થતાં પહેલા જ બંધ થઈ ગયો છે. અમદાવાદમાં શનિવારે 500 અને રવિવારે 1200 એમ કુલ 1700 લગ્નના બુકિંગ હતા જે રદ કરવા પડ્યા છે. જ્યાં લગ્નો હતા…
રાજ્યમાં કોરોના નું સંકટ ફરી એકવાર ઉભું થયું છે અને કોરોના ઉપર કાબુ મેળવવા પ્રારંભિક તબક્કામાં હાલ તો રાજ્ય માં અમદાવાદમાં 57 કલાકનો રાત્રિ કર્ફ્યુ લાગુ કરી બસ સેવા પણ હાલ સ્થગિત કરી દેવાઈ છે અને માસ્ક નહિ પહેરનાર ને 1000 નો આકરો દંડ ફટકરવાનું શરૂ થયું છે, ત્યારે કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે વધુ એક આદેશ જારી કર્યો છે અને 925 બોન્ડ કરનારા MBBS ડોક્ટરોને હાજર થવા ફરમાન કર્યું છે. સરકારી આદેશ ની અવગણના કરી હાજર ન થનાર ડોક્ટરો સામે એપેડેમિક એક્ટ મુજબ કાર્યવાહી કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. બે દિવસમાં અમદાવાદ રાજકોટ સહિતના રાજ્યભરમાં સ્પ્રેડ…
અમદાવાદમાં કોરોના સ્પ્રેડ થતા હવે હરકત માં આવેલા તંત્ર દ્વારા સવારથીજ અમદાવાદ શહેરમાં માસ્ક વગર ફરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. માસ્ક વગર ફરતા લોકોનો કોરોના ટેસ્ટ કરાઈ રહ્યાં છે અને જો ટેસ્ટ પોઝિટિવ આવે તો સીધા હોસ્પિટલ ભેગા કરવામાં આવી રહ્યા છે અને જો નેગેટિવ આવે તો રૂ.1000 હજારનો દંડ ફટકારવાનું શરૂ થતાં લોકો માં ભારે ગભરાટ ફેલાયો છે. અમદાવાદ માં AMCની 200 ટીમ દ્વારા હાલ ચેકિંગ ધરવામાં આવી રહ્યું છે. હાલ કોરોના ની ગંભીર સ્થિતિ જોતાં માસ્ક વગર બહાર ફરતા લોકોને સીધા કરવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ખાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. માસ્ક…
દેશ માં કોંગ્રેસ પક્ષ તૂટી રહ્યો છે કારણ કે સૌથી મોટો વિરોધ પક્ષ હોવાછતાં પણ ભાજપ અને સાથી પક્ષો સામે રાજ્કીય દાવપેચ માં ફાવી શક્યું નથી તેવે સમયે હમણાં હમણાં બિહાર વિધાનસભાની ચૂંટણી માં કોંગ્રેસ ના બુરા હાલ થતા હવે કોંગ્રેસના જ કેટલાક વરિષ્ઠ નેતાઓ એ પાર્ટી હાઈકમાન્ડ ઉપર સવાલો ઉઠાવી રાહુલ ગાંધી વિરૂદ્ધ અવાજ ઉઠાવતા રાહુલ ગાંધી વિરુદ્ધ અવાજ ઉઠાવનારા પીઢ કૉંગ્રેસીઓ ને ઠેકાણે પાડવા તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે. પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવનારા પૂર્વ સાંસદ ફુરકાન અંસારી ને કારણદર્શક નોટિસ જાહેર કરી જવાબ માંગવામાં આવ્યો છે. કોંગ્રેસ પાર્ટી હાઇકમાન્ડ ફુરકાન અંસારીને નોટિસ મોકલીને…
કોરોના ની સ્થિતિ વિકટ બનતા અમદાવાદ બાદ હવે સરકારે ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર ને પણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કોરોના ની સ્થિતિ ધ્યાને લઇ મંદિર આજે સાંજે સાત વાગ્યા બાદ બંધ કરી દેવામાં આવશે. તા.21 થી 23 નવેમ્બર સુધી ગાંધીનગર ખાતે આવેલું અક્ષરધામ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
અમદાવાદમાં કોરોના ની સ્થિતિ વધુ ગંભીર બનતા હાલ અમદાવાદમાં શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી તા. 23મીને સોમવારે સવારે 6 વાગ્યા સુધી 57 કલાકના કરફ્યૂની જાહેરાત કરવામાં આવી છે તેવે સમયે શહેરમાં આજે રાતથી સોમવાર સવાર સુધી એસટી બસ સેવા પણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે અને રાત્રે નવ વાગ્યા શહેરમાં પછી એસટી બસના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.પરિણામે બહાર થી આવતી બસ અમદાવાદ માં પ્રવેશી નહિ શકે અને તે તમામ બસો બાયપાસ થઈને જશે અને અમદાવાદ માંથી રાતે ઉપડતી આશરે 350 જેટલી બસો બંધ રાખવાનો નિર્ણય એસટી વિભાગે લેતા હવે બસો ઉપડી નહિ શકે. સોમવારથી દરરોજ રાત્રે 9 વાગ્યાથી સવારે…
ગુજરાત માં કોરોના નો ત્રીજો તબકકો શરૂ થતાં હાલ માં જ 23 મી શરૂ થનારી શાળા-કોલેજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે હવે બીજા એક નિર્ણય માં રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ધોરણ 9થી 12ની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 9, 10, 11 (વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ), ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પરીક્ષાના પ્રશ્નપત્રમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 20 ટકાથી વધારી 30 ટકા કરવામાં આવ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 50 ટકા હેતુલક્ષી પ્રશ્નો (OMR પદ્ધતિ) અને 50 ટકા વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ યથાવત રહેશે. શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ધોરણ 9, 10 11 (વિજ્ઞાન પ્રવાહ અને…
ગુજરાત માં કોરોના સ્પ્રેડ થતા જ અમદાવાદમાં મીની કરફ્યૂ ની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે રાજ્ય ના અન્ય મહાનગર પણ એલર્ટ થઈ ગયા છે જેમાં રાજકોટમાં તંત્ર કડક એકશન લેનાર હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. કોરોના પોઝિટિવ આવનાર દર્દીના મોબાઇલ કોલ ટ્રેસિંગ કરી તે દર્દીને અઠવાડિયામાં સંપર્કમાં આવનાર વ્યક્તિને પણ ક્વોરન્ટીન કરવામાં આવશે, આ ઉપરાંત માસ્ક નહીં પહેરનાર અને સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવનાર સામે ફરીથી પોલીસ આકરી કાર્યવાહી કરશે. રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં હાલ કોરોના ના અમદાવાદ જેટલા કેસ હજુ આવ્યા નથી તેથી રાત્રી કર્ફ્યૂ લાદવાનો નિર્ણય લેવાશે નહીં,પણ કોરોના વકરે નહિ તે માટે…