ગુજરાત માં કોરોના ની સ્થિતિ વચ્ચે હવે CBSE બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે અને દરેક શાળાઓને અલગ અલગ તારીખો મોકલવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. બોર્ડ દ્વારા 1 જાન્યુઆરી થી 8 જાન્યુઆરી દરમિયાન પ્રેક્ટિકલ પરીક્ષાઓ યોજાશે. બોર્ડ ના આધારભૂત સૂત્રો ના જણાવ્યા પ્રમાણે, પ્રેક્ટિકલ પરીક્ષા માટે શાળાઓને અલગ અલગ તારીખો મોકલવામાં આવશે. બોર્ડ તરફથી એક ઓબ્ઝર્વર પણ નિયુક્ત કરવામાં આવશે, જે પ્રેક્ટિકલ પરીક્ષા અને પ્રોજેક્ટ મૂલ્યાંકનની દેખરેખ કરશે. આ સિવાય ગત વર્ષોની જેમ જ પ્રેક્ટિકલ પરીક્ષામાં ઇન્ટર્નલ અને એક્સટર્નલ બન્ને એક્ઝામિનર હશે. શાળાઓની આ જવાબદારી હશે કે CBSE બોર્ડ દ્વારા નિયુક્ત એક્સટર્નલ એક્ઝામિનર દ્વારા જ પ્રેક્ટિકલ…
કવિ: Halima shaikh
અમદાવાદ માં કોરોના સ્પ્રેડ થઈ ચૂક્યો છે અને દિવાળી ના તહેવારો બાદ તેની ગંભીર અસરો સામે આવી રહી છે. અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં આખો પરિવાર કોરોના સંક્રમિત થયા છે ગુરુકુળ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં તો પાંચ એવા પરિવાર છે,જેમાં 20 થી વધુ તમામ સભ્યો કોરોના સંક્રમિત છે. કેટલાક સભ્યોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે કેટલાકને ઘરે સારવાર આપવામાં આવી રહી છે. પાલડીમાં પણ કેટલીક સોસાયટીમાં મોટી સંખ્યા પરિવારોના સભ્યો કોરોના સંક્રમિત થયા છે. સોલા ભાગવત વિદ્યાપીઠ નજીક આવેલી કેટલીક સોસાયટીમાં તેમજ થલતેજની કેટલીક સોસાયટીઓમાં આવી સ્થિતિ જોવા મળી રહી છે. શહેરમાં અનેક એવા પરિવાર પણ છે, જેમણે એક પરિવારમાંથી 3…
રાજ્ય માં કોરોના સ્પ્રેડ થઈ ચૂક્યો છે અને હજુતો માંડ ધંધાપાણી ચાલુ થાય ત્યાંજ ફરી કોરોના એ માથું ઉંચકતા હવે કરફ્યૂ ની સ્થિતિ વચ્ચે ફરી એકવાર બજારો સુમસાન બની રહી છે ત્યારે પ્રજા ને લોકડાઉન પાળવાનું જણાવી નેતાઓ રેલીઓ માં મસ્ત બન્યા છે. આજે કોરોના ના કેસ 1500 સુધી પહોંચી ગયા બાદ પણ નેતાઓ તેઓ નું ધાર્યું જ કરી રહ્યા છે. ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમારની રેલીમાં મંત્રી ગણપત વસાવા પણ જોડાયા હતા. ભાજપના ધારાસભ્યનો સત્કાર સમારોહ માંડવીની કરંજ ગામની સ્કૂલમાં યોજવામાં આવ્યો હતો. જેમા ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમાર, ગણપત વસાવા પહોંચ્યા હતા. ધારાસભ્ય આત્મારામ પરમાર અને ગણપત વસાવાએ સત્કાર સમારોહને…
રાજ્ય માં શિયાળા ના પ્રારંભે જ ફરી એકવાર કોરોના નું કાળચક્ર ફરી વળ્યુ છે અને રોજિંદા ચિંતાજનક કેસ વધી રહ્યા છે ત્યારે કોરોના ને કાબુ માં લેવા હાલ અમદાવાદ, વડોદરા, સુરત માં પ્રારંભિક તબક્કા માં રાત ના 9 થી સવાર ના 6 સુધી કરફ્યૂ લાદી દેવામાં આવ્યું છે ત્યારે અમદાવાદ શહેર ની વાત કરવામાં આવે તો અમદાવાદ જાણે કર્ફ્યૂમાં થંભી ગયું હતું. મંદિરોને પણ તાળાં લાગ્યાં હતાં. શહેરના માર્ગો પર લોકો કે વાહનોની અવરજવર નામમાત્ર જણાતી હતી.જ્યારે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ સતત પેટ્રોલિંગ કરીને કર્ફ્યૂનું પાલન કરાવતી નજરે ચડી હતી. કર્ફ્યૂ ભંગ કરી બહાર નીકળતા લોકો સામે પોલીસ દંડાત્મક કાર્યવાહી કરી…
મધ્યપ્રદેશ ના ભૂત જેવા પોલીસવાળાઓ એ કોઈપણ તપાસ કર્યા વગર જ ગુજરાત ના સપૂત CRPFના જવાન અજિતસિંહ પરમારના મૃત્યુદેહ ને દફનાવી દઇ કરેલા બુદ્ધિ ના પ્રદર્શન ને લઈ લોકો માં રોષ ફેલાયો છે અને ગુજરાત ના સપૂત અજિતસિંહના રહસ્યમય મૃત્યુની તપાસની માંગણી કરવામાં આવી રહી છે. આ અંગે ગીરસોમનાથના કોડીનારમાં નાગરિકો એ રેલી યોજી હતી અને જવાન ના રહસ્યમય મૃત્યુ તેમજ દફનવિધિ ઉપર સવાલ ઉઠાવ્યા હતા આ અંગે કલેક્ટરને આવેદન પાઠવી CBI તપાસની માંગ કરવામાં આવી છે. જો આ અંગે જો તપાસ નહીં લેવામાં આવે તો કોડીનાર ના નગરજનોએ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે. કોડીનાર શહેરના ગૌરવ…
કોરોના એ વિશ્વ ની આર્થીક કમ્મર તોડી નાખી છે સાથેજ કહેવાતા વિશ્વ ના વિજ્ઞાન ની પોલ પણ ખુલ્લી પડી ગઈ છે અને કોરોના ને એક વર્ષ વીતવા છતાં રસી તૈયાર કરી શકાય નથી આવા સંજોગોમાં કોઈ જૈવિક હથિયાર હથિયાર નો ઉપયોગ કરે તો વિશ્વ ને બેઠું થતા સદીઓ નીકળી જાય તે હકીકત સામે આવી ચૂકી છે ત્યારે આ બધા વચ્ચે સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ ખાદ્ય કાર્યક્રમના કાર્યકારી નિદેશકે ચેતવણી આપી છે કે કોરોના વાયરસના કારણે 2021માં ભૂખમરાની સ્થિતિ આવી શકે છે. વિકાસશીલ દેશથી લઈને વિકસિત દેશની અર્થવ્યવસ્થાને નુકસાન થવાના કારણે આ સ્થિતિનો અંદાજ લગાવાઈ રહ્યો છે. કોરોનાના કારણે 2021માં લોકોની પાસે…
અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા દરેક પોલીસ મથક માં પીઆઇ એ જનતા ના પ્રશ્નો સાંભળવા અને નાગરિકો ની સેવા માટે સતત 15 કલાક હાજર રહેવા ફરમાન કર્યું છે પરિણામે હવે અમદાવાદ ના ટોટલ 67 પોલીસ સ્ટેશનના પીઆઈએ સવારે 9 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં ફરજિયાત હાજર રહી અરજદારોને સાંભળવા પડશે અને અત્યાર સુધી પેટ્રોલિંગ, તપાસ, મીટિંગના અલગ અલગ કારણો બતાવી પીઆઈ પોલીસ સ્ટેશનમાં હાજર મળતા નહીં હોવાથી અરજદારો ની ફરિયાદો નો નિકાલ નહિ થતા અરજદારોને પોલીસ કમિશનરને મળવા જવું પડતું હતું. જોકે અરજદારો તેમ જ શહેરીજનોની સમસ્યાઓને પોલીસ સ્ટેશનેથી જ નિકાલ થઇ જાય તે માટે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે…
આજકાલ ઉંચુ માર્કેટિંગ કરી પૈસા બનવવાનો જમાનો છે મોટી મોટી વાતો અને કલર ફૂલ પેમ્પલેટ લઈ અંગ્રેજી માં ફાડો એટલે જાણે કામ થઈ ગયું પછી એ વસ્તુ બોગસ જ નીકળે તેવો અનુભવ લોકો ને થતા રહે છે આવુજ કઈક કાલે જૂનાગઢ માં જોવા મળ્યું અહીં મીડિયા માં જોરશોરથી ચાલુ થયેલા રોપવે સામે સવાલો ઉઠ્યા છે. જૂનાગઢના ગિરનાર પર્વત પર શરૂ કરાયેલા રોપ- વેને શુક્રવારે સવારે 9:30 વાગ્યા સુધી બંધ કરી દેવાની નોબત આવી હતી. ભારે પવન ફુંકાતા આ નિર્ણય લેવો પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન આ સાથે અગાઉ કરેલા, 180 કિમીની ઝડપથી પવન ફૂંકાય તો પણ વાંધો ન…
ગુજરાતમાં ચુંટણીઓ અગાઉ નેતા લોકો એ ઉપાડો લીધો હતો અને ખુરશી માટે કોરોના પણ ભૂલી ગયા અને ગાઈડલાઈન માત્ર જનતા પૂરતી રહી ગઈ ત્યારબાદ સમયાંતરે છૂટછાટો વધી અને તહેવારો માં તો હદ થઈ ગઈ અને હવે સીધાજ 1000 ઉપર કેસ આવવા મંડ્યા ત્યારે અમદાવાદ,વડોદરા, રાજકોટ ,સુરત માં કરફ્યૂ નાખી કઈક કર્યા ની વાતો અને ચર્ચા ચાલુ થઇ પણ એવું કેમ બન્યું કે કોરોના એટલી હદે સ્પ્રેડ થયો કે સરકારે હવે ફરફ્યુ લગાવવા નો વારો આવ્યો છે દૈનિક 1000 ઉપર સરેરાશ કેસ નોંધાતા સરકાર સફાળી જાગી અને હવે કરફ્યૂ લગાવી નિયમો લગાવી દીધા છે પણ કોરોના નો વિસ્ફોટ કેમ થયો તે…
અમદાવાદ માં કોરોના સ્પ્રેડ થતાંજ દિલ્હી ની જેમ લોકો કોરોના નો ભોગ ન બને તે માટે અગાઉ થી જ પગલાં ભરી દેતા અને રાતે નવ વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કરવામાં આવેલા કર્ફ્યૂને લઈ અમદાવાદ માં 1700 જેટલા લગ્નો રદ કરાયા છે. માંડ વેડિંગ ઇવેન્ટ હવે શરૂ થતા જ ફરી કોરોના એ ઉપાડો લેતા હવે સંક્રમણ લાગવાના ભય થી કર્ફ્યૂ અને નાઈટ કર્ફ્યૂ આવતા વેડિંગ ઇવેન્ટ વ્યવસાય 8 મહિના બાદ ફરી શરૂ થતાં પહેલા જ બંધ થઈ ગયો છે. અમદાવાદમાં શનિવારે 500 અને રવિવારે 1200 એમ કુલ 1700 લગ્નના બુકિંગ હતા જે રદ કરવા પડ્યા છે. જ્યાં લગ્નો હતા…