રાજ્યભર માં કોરોના નું સંક્રમણ વધ્યું છે અને સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે ત્યારે અમદાવાદ ના વસ્ત્રાપુર વિસ્તાર માં આવેલી સોસાયટીઓમાં સૌથી વધુ કોરોના ના દર્દીઓ નોંધાઈ રહ્યા છે. હાલ માં અમદાવાદમાં સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થતા દર્દીઓ ના જ આંકડા બહાર આવી રહ્યા છે પણ સૂત્રો ના જણાવ્યા પ્રમાણે અહીં ખાનગી હોસ્પિટલમાં જ 90થી 95 ટકા દર્દી સારવાર લઈ રહ્યા છે. ગુજરાત માં હાલ કોરોનાનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે અને ઈલેક્શન તેમજ દિવાળીના તહેવારો દરમિયાન અમદાવાદમાં કોરોના ના કેસો માં ઉછાળો નોંધાયો છે. પશ્ચિમ અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો…
કવિ: Halima shaikh
જમ્મુ અને કાશ્મીર માં ગત સાંજે આતંકવાદી હુમલો થયા બાદ સુરક્ષા દળો અને પોલીસ ઍલર્ટ થઈ ગઈ હતી અને એકશન મોડ ઉપર હતી. દરમિયાન આજે અહીં નાનગરોટા વિસ્તારમાં આજે ગુરુવારે વહેલી સવારે આતંકવાદીઓ અને સુરક્ષાદળોની વચ્ચે સર્જાયેલી અથડામણ માં બે આતંકવાદીઓ ને ઠાર કરાયા હતા. એન્કાઉન્ટર સવારે 5 વાગ્યે થયું હતું ,જમ્મુ કાશ્મીર રાષ્ટ્રીય રાજમાર્ગ પર નગરોટાના બાન વિસ્તારમાં ટોલ પ્લાઝા નજીક આતંકીઓ અને સૂરક્ષાકર્મીઓ વચ્ચે સવારે 5 વાગે સામસામે ફાયરિંગ થયું હતું. જમ્મુ જિલ્લા પોલીસ પ્રમુખ એસએસપી શ્રીધર પાટિલે જણાવ્યું કે લગભગ 5 વાગે કેટલાક આતંકવાદીઓએ નગરોટા વિસ્તારમાં બાન ટોલ પ્લાઝાની પાસે સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. તે…
ચીન ની સરહદો ગળી જવાની મેલી મુરાદ ને ભારતે નાકામ બનાવી છે અને સરહદ ઉપર સતત ચીનીઓ ને તેમની ઔકાત બતાવી દેતા ચીના ઢીલા પડ્યા છે અને બોર્ડર ઉપર હવે તો ભારતીય સેનાએ લદ્દાખમાં આધુનિક આવાસ તૈયાર કરી અહીં જ અડીંગો જમાવતાં ચીન હવે શાન માં સમજી ગયું છે કે આ જૂનું ભારત નથી પણ ટક્કર આપી શકે તેવું ભારત છે,અને ભારત ના સૈનીકો ને ભગાડી દેવાના ગપ્પા સામે ભારતીય જવાનો હસી રહ્યા છે અને ચીનાઓ ને પડકાર ફેંકી રહયા છે. અહીં ભારતીય સૈનિકો બનાવાયેલા નવા આવાસ વધુ સારી સુવિધાથી સજ્જ છે. તમામ નવી ટેકનીકથી બનાવેલા ઘરોમાં જવાન રહી શકશે.…
સમગ્ર વિશ્વ માં ત્રીજા તબક્કા માં ફેલાયેલા કોરોના ના વાવાઝોડા માં ભારત ની રાજધાની દિલ્હી પણ બાકાત નથી અને કોરોના એ હાહાકાર મચાવ્યો છે અને અહીં છેલ્લા 24 કલાકમાં નવા 7486 નવા કેસ સામે આવ્યા છે, અને 131 લોકો ના કોરોના માં મોત થઈ જતા ભારે ગભરાટ નો માહોલ છે. દિલ્હીમાં કોરોનાથી અત્યાર સુધી 7943 લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 42458 એક્ટિવ કેસ છે. દિલ્હીમાં કોરોનાના દર્દીઓનો આંકડો 5 લાખને પાર થઈ ગયો છે. રાજધાનીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 503084 થઈ ગઈ છે. અગાઉ મંગળવારે દિલ્હીમાં 6396 નવા કેસ નોંધવામાં આવ્યા હતા, જ્યારે 99 લોકોના મોત થઈ ગયા છે. દિલ્હીમાં…
ભારતીય સેના એ લદાખ માં ચાઈનાઓ ની ઉંઘ હરામ કરી દીધી છે અને ભારત ના જોશીલા યુવાન મિલિટરી સૈનિકો ચીનીઓ ને પડકારી રહ્યા હોય હતાશ થઇ ગયેલા ચીની સૈનિકો અને તેમના ઓફિસરો એ ગપ્પા મારવાનું ચાલુ કરી દીધું છે, ભારતીય સેના ના સૂત્રો એ જણાવ્યું કે તાજેતરમાં જ ચીની મશીનરીએ એક અફવા ફેલાવી છે કે ચીની સૈનિકો એ એક પણ ગોળી ચલાવ્યા વિના ભારતીય સૈનિકોને બે પહાડો પરથી ખદેડી મુક્યા છે, તે વાત હાસ્યાસ્પદ અને ગપ્પુ છે. ભારતીય સેનાએ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, આ દાવો એકદમ પાયાવિહોણો છે અને ખોટો છે,ચીનીઓ દ્વારા આવા કોઈ વેપન્સ નો પ્રયોગ…
જમ્મુ-કાશ્મીર માં આતંકી હુમલાઓ ચાલુ રહ્યા છે અને અહીંના કાકાપોરામાં આતંકવાદીઓએ ફરી આજે સીઆરપીએફ અને પોલીસની સંયુક્ત ટીમ પર હુમલો કર્યો હતો જેમાં આતંકવાદીઓ પોતાનું નિશાન ચુક્યા હતા અને સુરક્ષા જવાનો ને બદલે 12 જેટલા સ્થાનિક નાગરિકો ઇજાગ્રસ્ત થયા હતા . આતંકવાદીઓ દ્વારા ફેંકાયેલ ગ્રેનેડ તેમનું લક્ષ્ય ચૂકી ગયો હતો અને તે રસ્તા પર જ ફૂટ્યો હતો. સત્તાવાર નિવેદન માં જણાવાયુ છે કે ગ્રેનેડ વિસ્ફોટમાં 12 નાગરિકોને ઈજા પહોંચી છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલા બાદ સુરક્ષા દળોએ આ વિસ્તાર ઘેરી લીધો છે અને હુમલો કરનારાઓની સઘન શોધખોળ ચાલુ કરી દીધી છે. આમ આતંકીઓ દ્વારા કરવામાં આવતા…
ગુજરાતમાં શાળાઓ શરૂ કરવા અંગે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક માં શાળાઓ ખોલવા અંગે ગાઈડલાઈન નક્કી કરવામાં આવી હતી જેમાં તા.23 નવેસરથી રાજ્ય ની તમામ શાળાઓ ચાલુ થશે અને મંગળ, ગુરૂ અને શનિવારે ધો.9 અને ધો.11 ના વિદ્યાર્થીઓ તથા સોમ,બુધ અને શુક્રવારે ધો.10 અને 12 ના વિદ્યાર્થીઓ ને માસ્ક સાથે શાળામાં જવાનું રહેશે. જોકે, આ માટે વાલીઓ ની ફરજીયાત લેખિત માં પરમિશન લેવાની રહેશે. ઉપરાંત જે વિદ્યાર્થીઓ કલાસ માં જોડાવા માંગતા ન હોય તેવા ઓનલાઈન કલાસ ફરજિયાત કરવાના રહેશે. શાળા માં સંક્રમિત વિદ્યાર્થી કે કર્મચારી ન પ્રવેશે તેની જવાબદારી સત્તાધારી ની રહેશે સાથેજ જે વિસ્તાર કન્ટેઈન…
આખરે પત્રકાર અર્નબ ઉપર દબાણ લાવવાનો પ્રયાસ શરૂ થયો છે અને મુંબઇ ના વર્લી પોલીસ સ્ટેશનના સહાયક પોલીસ કમિશનર સુધીર જાંભવડેકરે સામાજિક સદભાવ બગાડવાનો આરોપ લગાવતાં અર્નબ ગોસ્વામીને નોટિસ જારી કરી છે આ નોટિસમાં અર્નબને ફરીથી આ પ્રકારનો વર્તાવ ન કરવા માટે કોઈ એક સન્માનિત વ્યક્તિના જામીન આપવા માટે જણાવાયું છે. મુંબઈ પોલીસે 10 લાખ રૂપિયાનું બોન્ડ લેવા માટે રિપબ્લિક ટીવીના એડિટર-ઈન-ચીફ અર્નબ ગોસ્વામીને નોટિસ જારી કરી છે. ગોસ્વામી પર પાલઘર સાધુ હત્યાકાંડ તેમજ બાંદ્રા સ્ટેશન પર શ્રમિકોની ભીડના સમાચાર અલગ અંદાજ માં પ્રસારિત કરવાનો આરોપ મુકાયો છે. વર્લી પોલીસ સ્ટેશનના સહાયક પોલીસ કમિશનર સુધીર જાંભવડેકરે સામાજિક સદભાવ બગાડવાનો આરોપ…
રાજ્ય માં કોરોના એ ફરી ઉથલો મારતા સ્થિતિ વિકટ બની છે ત્યારે કોરોના માં રેસિડન્સ ડોકટરો નું પણ અત્યારસુધી મોટું યોગદાન રહ્યું છે ત્યારે તેઓ ને પણ અન્યાય થઈ રહ્યા ની ઉઠેલી ફરીયાદો વચ્ચે ન્યાય ની માંગ સાથે અમદાવાદ ના નરોડા રોડ- અમદુપુરા વિસ્તારમાં આવેલી GCS હોસ્પિટલના 70 જેટલા રેસિડેન્સ ડૉક્ટરો અચાનક અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જતા ઉપરીઓ દોડતા થઈ ગયા છે. હડતાળ ઉપર બેસી ગયેલા ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે GCS હોસ્પિટલ દ્વારા મેડિકલમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરતાં ડૉક્ટર્સ પાસેથી લાખો રૂપિયાની ફી વસૂલવામાં આવી રહી છે અને માસ્ટર ડીગ્રીના રેસિડેન્ટ ડૉકટર્સને તેમની સ્પેશિયાલિટી સિવાયના વધારા ના કામ કરાવવામાં આવી…
વિશ્વમાં કોરોના નો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને અત્યારસુધીમાં 5.59 કરોડથી વધુ લોકો કોરોના ધી સંક્રમિત થઈ ચૂક્યા છે અને નોંધાયેલા આંકડા ની વાત કરીએ તો લગભગ 13.42 લાખ લોકોનાં કોરોના થી મોત થઈ ચૂક્યાં છે, આ પૈકી અમેરિકામાં જ કોરોના સંક્રમિતોનો આંક 1.16 કરોડ ને વટાવી ચુક્યો છે અનેઅત્યારસુધીમાં 2.54 લાખ લોકો ના મોત થઈ ગયા છે. આ આંકડા સતાવાર જાહેર કરતા www.worldometers.info/coronavirus મુજબના છે. બ્રિટન માં છેલ્લા માત્ર 24 કલાક માં જ એક દિવસમાં 598 લોકોનાં મોત થઇ જતા લોકો માં ગભરાટ જોવા મળી રહ્યો છે અને સરકાર માં દોડધામ મચી ગઇ છે. બ્રિટનમાં સ્થિતિ બગડતા…