કવિ: Halima shaikh

અમેરિકા માં રાષ્ટ્રપતિ ની ચૂંટણી ભારે કટોકટ અને ઉત્સુકતા સભર બની છે ત્યારે આજે સવારે બાઇડન સતત આગળ ચાલી રહ્યા છે અને બરાક ઓબામા નો રેકર્ડ તોડતા આ વાત વિશ્વસ્તરે નોંધપાત્ર બની ગઈ છે. અમેરિકા ના પાંચ રાજ્ય નક્કી કરશે કે યુએસ રાષ્ટ્રપ્રમુખની રેસમાં કોણ વિજેતા બનશે પરંતુ મતદારો નો મિજાજ જોતા હાલ તો બાજી બાઈડનના હાથમાં હોય તેવું જોવા મળી રહ્યું છે. ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે, તે 253 ઈલેક્ટોરલ વોટ જીતી ચુક્યા છે. ટ્રમ્પના ખાતામાં 214 વોટ છે. બાઈડને તેમની પાર્ટીના બરાક ઓબામાનો 12 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. ગુરુવાર સવાર સુધી બાઈડન 7 કરોડ 10 લાખ વોટ મેળવી…

Read More

આરટીઓ ને લગતા કામો માં જેઓ ના ડ્રાઈવિંગ લાઈસન્સ બાકી છે તેવા લોકો માટે ખુશ ખબર છે કે કાચા ડ્રાઇવિંગ લાઇસન્સની ટેસ્ટ માટે હવે વેઈટિંગ નહીં કરવું પડે અને હવે નજીક માં જ આવેલી આઇ.ટી.આઇ. કચેરીએ સવારથી ટેસ્ટ લેવાનું શરૂ થયું છે. અગાઉ બપોરે 2.30 વાગ્યાથી સાંજે 5.30 વાગ્યા સુધી ટેસ્ટ લેવાતો હતો. પરંતુ હવે આઇ.ટી.આઇ.માં સવારે 9 વાગ્યાથી સાંજે 5.30 વાગ્યા સુધી અરજદારો ટેસ્ટ આપી શકશે. આર.ટી.ઓ.એ 43,200 નવી એપોઈન્ટમેન્ટ ખુલ્લી મૂકી છે. આઇ.ટી.આઇ. કચેરીઓમાં હવે સવારે 9 વાગ્યાથી કાચા ડ્રાઈવિંગ લાઈસન્સ માટે કોમ્પ્યુટરની ટેસ્ટ લેવાશે. અત્યાર સુધી આઇ.ટી.આઇ. કચેરીમાં બપોરે 2.30 કલાક બાદ ટેસ્ટ લેવામાં આવતી હતી. પરંતુ…

Read More

અમેરિકન રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં હાલ ટ્રમ્પ પાછળ ચાલી રહયા છે. જોકે ડોનાલ્ડ ટ્રમ્પ નોર્થ કેરોલિના અને જ્યોર્જિયામાં બાઈડનથી ખુબજ પાતળી સરસાઈ થીઆગળ છે, જ્યારે બીજી તરફ, તેમના પ્રતિસ્પર્ધી ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડન નેવાડા, મિશિગન અને વિન્સકોન્સિનમાં જીત મેળવી ચૂક્યા છે. જોકે અમેરિકાનાં પાંચ રાજ્ય નક્કી કરશે કે યુએસ રાષ્ટ્રપ્રમુખની રેસમાં કોણ વિજેતા બનશે.આમાં હાલની સ્થિતિ જોતાં બાઈડન ની જીત થાય તેવી શકયતા છે. બાઈડન 253 ઈલેક્ટોરલ મત મેળવી ચૂક્યા છે, જ્યારે ટ્રમ્પ 214 મત મેળવી શક્યા છે. બાઈડન હવે 270થી ફક્ત છ મતથી દૂર છે. રાષ્ટ્રપતિ ચૂંટણીનાં પરિણામો આવવામાં થઈ રહેલા વિલંબ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પ કેમ્પેને કોર્ટનાં દ્વાર ખખડાવ્યાં છે. મતોની…

Read More

સુરત માં પતિના લાંબા આયુષ્ય માટે કડવા ચોથ ના વ્રત દરમ્યાન આગ લાગતા એક પરિવાર ને સામી દિવાળી એ રૂ.2 લાખ નું નુકશાન થયું હતું. સુરત ના ડિંડોલી વિસ્તારમાં રહેતા યુપીવાસી પરિવારના ઘરમાં બુધવારે રાત્રે કડવા ચોથની ઉજવણી દરમિયાન આગ લાગી હતી,પતિના લાંબા આયુષ્ય માટે મહિલા દ્વારા કડવા ચોથનું વ્રત કરી રાત્રે પૂજા માટે સજાવેલી થાળીમાં દિવડો કરી આરતી ઉતારવામાં આવે છે. બાદમાં પરિવારના સભ્યો સળગતા દિવા સાથેની થાળી ટેબલ પર મૂકીને નીચે આવેલા રૂમ માં જમવા ગયા તેવે સમયે દિવાની જ્યોતથી ઉપર ના માળે લાગેલી આગ સમગ્ર ઘરમાં જોતામાં પ્રસરી જતા ભારે દોડધામ મચી હતી રાત્રે લગભગ 11 વાગે…

Read More

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના 172માં પાટોત્સવનું આયોજન તા.5ને ગુરુવારના રોજ કરવામાં આવ્યું છે. ભક્તો ઓનલાઇન મંદિરની વેબસાઇટ પરથી દર્શનનો લાભ લઇ શકશે. તેમ મંદિરના કોઠારીસ્વામીએ જણાવ્યું છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના 172માં વાર્ષિક પાટોત્સવનું આયોજન ગુરુવારના રોજ કરવામાં આવ્યું છે. જેમાં મારૂતિ યજ્ઞ, પુજન, અભિષેક, દાદાનો ભવ્ય અન્નકૂટ વિગેરેના વિશિષ્ટ દર્શનનો લાભ હરિભક્તોને થશે. આ પ્રસંગે આચાર્ય મહારાજ રાકેશપ્રસાદજી વિશેષ ઉપસ્થિત રહેશે. તેમજ ધામેધામથી સંતો પણ પધારશે. આ પ્રસંગે મંગળા આરતી સવારે 5-30, શણગાર આરતી સવારે 7-00, અભિષેક પુજા સવારે 8 કલાકે, અન્નકૂટ આરતી 11 કલાકે તેમજ પુર્ણાહૂતી બપોરે 11-30 કલાકે આયોજન કરવામાં આવ્યું…

Read More

સરકાર દ્વારા જાહેર કરાયેલ આત્મ નિર્ભર લોન નો હવે લોકો લાભ લેતા થયા છે અને રોજગાર મેળવવા માટે પ્રયાસ ચાલુ કર્યા છે. રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન દરમિયાન ગૃહઉદ્યોગો અને નાના નોકરિયાત વર્ગ માટે આત્મનિર્ભર લોન યોજના જાહેર કરી હતી. જે પૈકી યોજના એક હેઠળ રૂ.1 લાખની જ્યારે યોજના 2 હેઠળ રૂ.2.50 લાખની લોન 8 ટકા વ્યાજે જાહેર કરાય હતી. તે પૈકી યોજના 1માં 6 ટકા જ્યારે યોજના 2માં 4 ટકા રાજ્ય સરકારની વ્યાજ સબસિડી આપવામાં આવી રહી છે. ઉપરાંત પ્રથમ 6 માસ મોરેટોરિયમનો લાભ પણ આપવામાં આવે છે. શહેરની 17 કો.ઓપરેટીવ સેક્ટરની બેંકો, 1 ડિસ્ટ્રીક્ટ બેંક અને 50 ક્રેડિટ કો.ઓપરેટીવ…

Read More

સુરત માં કોરોના ની સ્થિતિ હળવી થતા પાલિકા દ્વારા વધુ 117 બસ શરૂ કરી દેવામાઆવતા હવે સુરત માં 15 રૂટ પર સિટી-બીઆરટીએસ મળી કુલ 264 બસ ચાલુ કરી દેવામાં આવી છે. સુરત ના ઉધના દરવાજાથી સચિન જીઆઇડીસી, ઓએનજીસી કોલોનીથી સરથાણા નેચરપાર્ક, પાલ આરટીઓથી કોસાડ, સોમેશ્વર જંક્શનથી અમેઝિયા એમ્યુઝમેન્ટ પાર્ક, ગજેરા સર્કલથી ડિંડોલી વારી ગૃહ, પાલ આરટીઓથી કામરેજ ટર્મિનલ, રેલવે સ્ટેશનથી ઉત્રાણ આર.ઓ.બી, રેલવે સ્ટેશનથી કડોદરા, કોસાડથી ખરવરનગર, જહાંગીરપુરા કોમ્યુનિટી હોલથી પાંડેસરા જીઆઇડીસી, કોસાડથી સરથાણા નેચરપાર્ક, કામરેજ ટર્મિનલથી સચિન રેલવે સ્ટેશન આ 12 બીઆરટીએસ રૂટ પર સિટી અને બીઆરટીએસ મળી 235 બસ દોડાવવામાં આવી રહી છે. જ્યારે રેલવે સ્ટેશનથી ખજોદગામ, રેલવે…

Read More

હાલ માં પોલ્યુશન રોકવા માટે દિલ્હી સહિત ના રાજ્યો માં ફટાકડા ફોડવા ઉપર પ્રતિબિંધ લાગી ગયો છે ત્યારે પરિસ્થિતિ સુધરતા હવે પ્રદૂષણ નિયંત્રણ માટે તેમ જ જાહેર સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ફટાકડા ફોડવા પર અન્ય રાજ્યો માં પણ અમલ કરવા ગતિવિધિ શરૂ થઈ છે. ફટાકડા ફોડવા ઉપર રોક લગાવવાની માગ અંગેના મામલાનો વ્યાપ દિલ્હી-એનસીઆર સુધી વધારતાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે (એનજીટી) ગુજરાત સહિત 18 રાજ્યો પાસેથી પણ જવાબ માગ્યો છે. એનજીટીએ ગુજરાત, મહારાષ્ટ્ર, મ.પ્ર., બિહાર, આસામ, આંધ્ર, હિમાચલ, ચંદીગઢ, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, મેઘાલય, નાગાલેન્ડ, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તરાખંડ તથા પ.બંગાળને નોટિસ પાઠવીને એ જણાવવા કહ્યું કે હવાની ખરાબ ગુણવત્તાને ધ્યાનમાં રાખીને ફટાકડા…

Read More

અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરના નિર્માણમાં ઉત્તરપ્રદેશના મિરજાપુરના પથ્થરો પણ ઉપયોગમાં લેવાશે. આ પથ્થરો મંદિરનો પાયો તૈયાર કરવામાં વપરાશે. ટ્રસ્ટ ની રચના થયા બાદ પ્રથમવાર વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય માર્ગદર્શક મંડળના સંતો સાથે પણ ચર્ચા કરાશે. તે માટે 10-11 નવેમ્બરે દિલ્હીમાં કેન્દ્રીય માર્ગદર્શક મંડળની બેઠક બોલાવાઇ છે. તેમાં મંદિરનિર્માણની ભાવિ યોજનાઓ અંગે વિમર્શ સાથે શ્રીરામ જન્મભૂમિ પરિસરના સ્વરૂપ અંગે ચર્ચા કરાશે. આંદોલન દરમિયાન સંતોનું માર્ગદર્શક મંડળ કેન્દ્રીય ભૂમિકામાં હતું પણ ટ્રસ્ટ બન્યા બાદ આ બેઠક એકેય વખત નથી થઇ જ્યારે ટ્રસ્ટે મંદિરનું સ્વરૂપ નક્કી કરવા સાથે નક્શા પણ પાસ કરાવી રાખ્યા છે. સૂત્રોનું કહેવું છે કે પરિસરનો લેઆઉટ તૈયાર છે. ટ્રસ્ટના…

Read More

અમદાવાદના પીરાણામાં કેમિકલ ફેક્ટરી માં બ્લાસ્ટ બાદ કાપડ ગોડાઉનમાં 11 વ્યક્તિઓ ના થયેલા મોત બાદ મીડિયા માં આવેલા અહેવાલો વચ્ચે દિલ્હીથી પીએમ નરેન્દ્ર મોદી અગ્નિકાંડ મામલે ટ્વીટ કરતાં જ ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત શાસક પક્ષોમાં દોડધામ મચી ગઈ હતી. અને અમદાવાદ મહા પાલિકા નું તંત્ર એક્શનમાં આવી ગયું હતું. આ દુર્ઘટના અંગે સ્થાનિક તંત્ર ઉંઘતું ઝડપાયું છે. પીએમ મોદીના ટ્વિટ બાદ મુખ્યમંત્રી સહિતનું તંત્ર દોડતું થયું હતું. મુખ્યમંત્રી ઉચ્ચ અધિકારીઓને તપાસ સોંપીને મૃતકોના પરિજનોને રૂ.4 લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી. જ્યારે મેયર બિજલ પટેલ પણ મોડા મોડા જાગ્યા હતા. પીએમના ટ્વિટ બાદ તેઓ હરકતમાં આવ્યા હતા. 11 ના મોત થઈ…

Read More