ગુજરાત ના જુદાજુદા વિસ્તારમાં ચાલુ રહેલા ભુકંપ ના આચકા વચ્ચે આજે ફરી એકવાર કચ્છ ની ધરા ધ્રુજી ઉઠી હતી અને કચ્છ માં વહેલી સવારે બે ભૂકંપના આંચકા આવતા લોકો માં ભારે ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો અને લોકો પોતાના ઘરો માંથી બહાર દોડી આવ્યા હતા. વિગતો મુજબ કચ્છ ના દયાપરમાં 3.4 અને ખાવડા વિસ્તારમાં 3.3ની તીવ્રતા સાથે ના ભુકંપ ના ઝટકા આવ્યા હતા, આ ભુકંપ અંગે જાણવા મળતા અહેવાલો મુજબ કચ્છ ની વાગડ ફોલ્ટ લાઇન સક્રિય થતાં આવ્યાં આંચકા આવ્યા હોવાનું કહેવાય છે.
કવિ: Halima shaikh
વલસાડની શાહ કે. એમ. લો કોલેજ ની એક ઘટના એ ભારે ખળભળાટ મચાવ્યો છે અહીં બે મહિલા પ્રોફેસરે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. સંજય મણિયાર સામે જાતિય સતામણીની ફરિયાદ યુનિ.ના ઇન્ચાર્જ કુલપતિ ડો. હેમાલી દેસાઇનેે કરતા ભારે ચકચાર મચી ગઇ છે. ફરિયાદમાં આ મહિલા પ્રોફેસરો દ્વારા ગંભીર આક્ષેપ કરાયા છે જેમાં અમે કોલેજમાં લેકચર લેતા હોય તે સમયે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ કેમેરાથી અમારા શરીરનો પાછળનો ભાગ ફૂલ ડિસ્પેલમાં ઝૂમ કરી ખરાબ નજરે જોતા હોય છે. બીજી તરફ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ જણાવી રહ્યા છે કે મહિલા પ્રોફેસર એબીવીપીનાં લીડર છે અને બદલો લેવા ખોટી ફરિયાદ કરી રહ્યાં છે. મહિલા પ્રોફેસરની ફરિયાદ મુજબ, લેકચર લેતા પહેલા…
અમદાવાદ થી કેવડિયા રૂટ ઉપર દોડનારું સી-પ્લેન 50 વર્ષ જૂનું હોવાની વિગતો સામે આવતા ગુજરાતીઓ માં આ મુદ્દે ભારે ચર્ચા ઉઠી હતી. આ સી-પ્લેન નો રજિસ્ટ્રેશન નંબર 8Q-ISC છે, આ પ્લેન માલદીવ્સથી કોચી, ગોવા અને કેવડિયા થઈ અમદાવાદ આવી પહોંચ્યું હતું. વિવિધ એરક્રાફ્ટનાં નિર્માણ અને વેચાણ અંગેની માહિતી રાખતી વેબસાઇટ www.airport-data.com અનુસાર ટ્વિન ઓટ્ટર 300 મોડેલનું આ પ્લેન ડે હેવિલેન્ડ કેનેડા કંપની દ્વારા 1971માં મેન્યુફેક્ચર કરાયું હતું. ત્યાર બાદ એની પ્રથમ ડિલિવરી કેનેડાના ઓટ્ટાવાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસને 27 જુલાઇ 1971માં અપાઈ હતી. ત્યાર બાદ આ પ્લેન ના અત્યારસુધી માં અનેક માલિકો બદલાઈ ચુક્યા છે. હાલમાં એનું રજિસ્ટ્રેશન માલદીવિયન (એરલાઇન)…
નવસારી સિવિલ હોસ્પિટલ ની યુવાન નર્સ મેઘા આચાર્ય ના ચકચારી આપઘાત પ્રકરણમાં દુષ્પ્રેરણા આપનાર સિવિલ સર્જન અને બે નર્સ સહિત પતિ અને સાસુ મળી પાંચ સામે જાતીય સતામણીનો અને શારીરિક-માનસિક ત્રાસ આપ્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ પોલીસ હવે આગળ ની તપાસ કરી રહી છે , મેઘાએ લખેલી સુસાઈડ નોટ માં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે તેને મોટી ઉંમર ના કાકા એવા સર્જન ડો. અવિનાશ દુબે સાથે ફિઝિકલ રિલેશન માટે મજબૂર કરવામાં આવતી હોવાનું જણાવ્યું છે. નવસારીના સિવિલ હોસ્પિટલમાં કામ કરતી મેઘા આચાર્ય (ઉં.વ. 27)એ કોરોના વોરિયર્સની જવાબદારી વહન કરતાં કોરોનાગ્રસ્ત પણ થઈ હતી અને ત્યાર બાદ પોતાને થયેલા થાઈરોઈડ…
દક્ષિણ ગુજરાત વીજ કંપની ના કર્મચારીઓ ના પડતર પ્રશ્નો નો નિકાલ નહિ આવતા હવે પીએમ મોદી સામે આ વાત નો વિરોધ વ્યક્ત કરવા માટે તખ્તો ગોઠવાયો છે. વિગતો મુજબ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નોનો યોગ્ય ઉકેલ નહિ આવતા સોમવારે મીટિંગમાં પણ પદાધિકારીઓ હાજર નહીં રહેતાં યુનિયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 31મી ઓકટોબરની કેવડીયા કોલોની ખાતેની મુલાકાત દરમિયાન વીજકર્મીઓને કાળી પટ્ટી પહેરીને વિરોધ કરવાનું એલાન આપ્યું છે. તેમાં એમજીવીસીએલના કર્મચારીઓ પણ જોડાશે. અગાઉ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘે મેનેજમેન્ટ અને સંસ્થાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કર્મચારીઓની રજૂઆતો નહીં સાંભળવી, રજૂઆત માટે તક નહીં આપવી, મીટિંગની લેખિત મિનિટ્સ આપી હોવા…
એક તરફ કોરોના ની હાડમારી વચ્ચે આવક ના સ્ત્રોત સામે મોંઘવારી આંટો લઈ ગઈ છે અને હાલ દિવાળી નજીક છે ત્યારે સિંગતેલના ભાવ આસમાને પહોંચી ગયા છે. તપાસ કરતા જાણવા મળ્યું કે હાલ માં જ ચીનમાં 30થી 35 હજાર ટન સિંગતેલની નિકાસ થતા ઘર આંગણે જ ભારત ના લોકો હવે કોરોના માં પણ વધુ ભાવ આપવા મજબૂર બન્યા છે. છેલ્લા બે મહિનામાં સિંગતેલના ડબાના ભાવમાં રૂ.300થી 350 વધી ગયા છે. હાલ મોટાભાગના બ્રાન્ડના સિંગતેલના ભાવ ડબે રૂ.2500થી વધુ બોલાઈ રહ્યા છે. ગુજરાત મગફળીનું સૌથી મોટું ઉત્પાદક છે. ચાલુ વર્ષે રેકોર્ડ 21 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું. પરંતુ ભારે વરસાદથી…
સુરત માં વધુ એક દાદા અને ભાઈલોગ ની છાપ ધરાવતા રાજન રાજપૂત નામના વ્યક્તિ નું મર્ડર થતા ભારે ચકચાર મચી ગઇ છે. વિગતો મુજબ સુરત ના પાંડેસરા વિસ્તારમાં મોહન નગરના સ્થાનિક યુવાનોએ રાજન રાજપૂત ઉપર પાવડા અને દંડા વડે હુમલો કરી મર્ડર કરી નાખી ભાગી છૂટ્યા હતા. રાજન રાજેસિંગ રાજપૂત (ઉ.વ. 36) બમરોલીની આશિષ નગરનો રહેવાસી હતો અને જમીન કબજા અને લોચા વાળી જમીન ના ગોરખધંધા સાથે સંકળાયેલો હતો. મોહન નગરમાં કબજાને લઈ સવારે માથાકૂટ થઈ હતી. ત્યારબાદ રાજનની નિર્મમ હત્યા કરી હત્યારાઓ ભાગી ગયા છે. જોકે, હત્યાની જાણ બાદ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. સુરત માં જમીન…
જનતા માટે વધુ એક મોટો આર્થિક ઝટકો મળે તેમ હોવાનું મનાય રહ્યું છે કેમકે કેન્દ્ર સરકાર ફરી એકવાર પેટ્રોલ- ડીઝલ ઉપર એક્સાઇઝ ડ્યુટી વધારે તેવી શક્યતાઓ છે. મીડિયા રિપોટ્સ માં જણાવાયુ છે કે સરકાર એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લીટર 6 – 6 નો વધારો કરી શકે છે. અગાઉ સરકારે મે દરમિયાન પેટ્રોલ પર પ્રતિ લિટર 10 રૂપિયા અને ડીઝલ પર 13 રૂપિયા એક્સાઈઝ ડ્યુટી માં વધારો કરવાની જાહેરાત થઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ 2014 માં, પેટ્રોલ પર કુલ લિટર દીઠ રૂ .9.48 અને ડીઝલ પર 13 રૂપિયા પ્રતિ લીટર હતો. તે પછી આજદિન સુધી પેટ્રોલ પરનો ટેક્સ વધીને 32.98…
ગુજરાત વિધાનસભાની પેટા ચુંટણીઓ ના પ્રચાર ના ભાગરૂપે આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી કપરાડા તાલુકાના નાનાપોંઢામાં એક જંગી જાહેરસભા સંબોધી ને ભાજપ ના ઉમેદવાર ને મત આપવા અપીલ કરી હતી ત્યારે આ જાહેર સભામાં હાજર રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકરે બોલવામાં બાફી મારતા હાસ્યાસ્પદ સ્થિતિ ઉભી થઇ હતી, રમણ પાટકરએ મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં જ પોતાના ભાષણ માં જણાવ્યું કે જીતુભાઈ ચૌધરી જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય હતા તે વખતે જીતુભાઈને ઓછી ગ્રાન્ટ મળતી હતી પરિણામે આ વિસ્તારમાં વિકાસ ઓછો થતો હતો પણ હવે તેઓ ભાજપમાં આવી જતા ગ્રાન્ટ વધુ મળવાથી હવે કપરાડા વિસ્તારનો વિકાસ થશે. આમ રાજ્યના વન અને…
વર્તમાન ગૃહ રાજ્ય મંત્રી એવા પ્રદિપ સિંહ જાડેજા વિરુદ્ધ આચાર સંહિતા ના ભંગ બદલ 2007માં મેટ્રોપોલિટન કોર્ટે તેમની સામે ફરિયાદ દાખલ કરવા થયેલા આદેશ ને પ્રદીપસિંહે હાઈકોર્ટમાં પડકારતા આજે હાથ ધરાયેલી સુનાવણીમાં હાઈકોર્ટે આ ફરિયાદ રદ કરતા જાડેજા ને રાહત મળી છે. અગાઉ વર્ષ 2007માં વિધાનસભા ચૂંટણીમાં પ્રદીપસિંહ જાડેજાએ અસારવા બેઠક પરથી ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી હતી ત્યારે 11 ડિસેમ્બર અને 16 ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનું હોવાથી રાજ્યમાં આચારસંહિતા લાગુ હતી તેવે સમયે નવરાત્રિ દરમિયાન 10 ઓક્ટોબરના રોજ અસારવા વિસ્તારમાં ગરબાના આયોજન દરમિયાન પ્રદીપસિંહ દ્વારા મુદ્રક અને પ્રકાશકના નામના ઉલ્લેખ વગરની પત્રિકાઓનું વિતરણ કરાવવામાં આવ્યું હતું, જેને કારણે તત્કાલીન શહેર કોંગ્રેસપ્રમુખ…