ગુજરાત સહિત દેશમાં હાલ બેરોજગારી ની સમસ્યા વિકરાળ બની રહી છે અને મોંઘાદાટ શિક્ષણ માંથી પસાર થઈ બરબાદ બનેલા પરિવારો ને આશા હોય છે કે નોકરી મળશે તો શિક્ષણ માં ગુમાવેલા પૈસા પાછા કવર થઇ જશે પરંતુ એવું થતું નથી તેથી લાખ્ખો પરિવારો માં નિરાશા નું મોજું ફરી વળ્યું છે ,હાલ ચાલી રહેલા બજેટ સત્રમાં પ્રશ્નોતરીકાળ દરમિયાન વિરોધ પક્ષના ધારાસભ્યોએ કરેલા પ્રશ્નમાં રાજ્યમાં પ્રવર્તી રહેલી બેરોજગારી અંગે ખુલાસો થયો છે. રાજ્ય સરકારે કેટલા બેરોજગારોને સરકારી નોકરી મળી તે અંગે જવાબ આપતા જણાવ્યું કે, રાજ્યમાં કુલ 4 લાખ 58 હજાર 96 બેરોજગારો નોંધાયેલા છે. જે પૈકી છેલ્લા બે વર્ષમાં 2,223ને સરકારી…
કવિ: Halima shaikh
વડોદરાઃવડોદરા શહેર પોલીસ હવે અદ્યતન ટેકનોલોજી સાથે ફોરેન પોલીસ ની જેમ એલર્ટ રહી ગુનેગારો ને માત કરશે રાજ્યમાં સૌ પ્રથમ વખત’એઆઈ-ફેશીયલ રેક્ગનાઈઝ સોફ્ટવેર’નો ઉપયોગ કરીને સીસીટીવી હેઠળ સાતીર ગુનેગારો ને સ્થળ પરજ ઝડપી લેવાના પાઈલોટ પ્રોજેક્ટ હેઠળ આજ થી 500 કેમેરા લગાવવાની કામગીરી શરૂ થઈ છે , આ પ્રોજેક્ટ હેઠળ વડોદરામાં નવા 1300 સીસીટીવી કેમેરા લગાવાશે. હાલ શહેરમાં 650 કેમેરા લાગેલા છે. આ અંગે માહિતી આપતા પોલીસ કમિશનર અનુપમસિંઘ ગહલૌતે જણાવ્યું હતું કે, વડોદરાની આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ (ai) ફેશીયલ રેક્ગ્નેશન સોફ્ટવેરના ઉપયોગ માટે પ્રથમ પસંદગી કરવામાં આવી છે. જે અંતર્ગત બે મહિનામાં 1300 કેમેરા લાગશે. કેમેરાની કિંમત 65 હજાર થી લઈને…
સુરતઃ સુરત માં એક યુવતી ના લાઈવ આત્મહત્યા ના પ્રયાસ નો વીડિયો વાયરલ થતા ગુજરાતભર માં ચકચાર મચી ગઇ છે શું છે આ ઘટના આવો આપને જણાવીશું સુરત ના વરાછા વિસ્તારની એક યુવતિએ આત્મહત્યાનો સોશ્યલ મીડિયા પર લાઈવ પ્રયાસ કરી આત્મહત્યા કરવા પાછળ તેણે ધારૂકા કોલેજના ટ્રસ્ટી કનુભાઈ માવાણી અને ધારૂકા કોલેજ જવાબદાર હોવા અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. ગરીબ બાળકોને ભણાવવાનું કામ કરતી આ યુવતિ એડમિશનની રજૂઆત લઈને ગઈ હતી. જ્યાં તેણીને કનુ માવાણીએ અપશબ્દો કહ્યાં હતા એવુ વિડીયોમાં જણાવ્યું હતું. વિડીયોમાં એવું જણાવાયું હતું કે મારા મા-બાપ અને ઘરવાળાને ફોન કરીને ડરાવવામાં આવે છે. ઘટના અંગે…
સુરત માં શહેરી વિસ્તારો માં અવારનવાર ગેરકાયદે બાંધકામો ની મેટર અખબારો માં પ્રકાશ માં આવતી રહે છે ત્યારે હવે શહેર બહાર એરપોર્ટ નજીક પણ ચાલક બિલ્ડરો એ નિયમો ની ઐસી તૈસી કરીને ગેરકાયદે બાંધકામો ઉભા કરી પબ્લિક ને વેચી મારતા આવા ફ્લેટ ખરીદનારા ભેખડે ભેરવાયા છે ,એરપોર્ટ હદ નાવેસુ તરફ નડતરરૂપ 48 બિલ્ડીંગ મામલે ડીજીસીએ દ્વારા બિલ્ડરોને આગામી 4 તારીખે હીયરીંગ માટે બોલાવતા બિલ્ડરોએ તેની જાણ ફ્લેટ ધારકોને કરતા અંદાજિત 100 ફલેટ ધારકોએ એરપોર્ટ ડાયરેક્ટર અમન સૈની પાસે જઈને પર્સનલ હિયરીંગની નોટીસ માટે જવાબ રજૂ કરવા માટે થોડો સમય આપે તેવી માંગણી કરી છે. જેથી પેપર વર્ક યોગ્ય રીતે કર્યા…
સૌરાષ્ટ્ર માં બળાત્કાર નો કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે,વાત છે કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામ ની જ્યાં રાજકોટ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અને રામોદ ગામના સરપંચના પુત્ર અમિત પડાળીયાએ તેના બે મિત્રો શાંતિ ગોવિંદ પડાળીયા અને વિપુલ ભાયલા શેખડાની મદદથી ગામની જ દલિત યુવતીનું બ્રેઝા કારમાં અપહરણ કરી ચાલુ કારે અમિતે યુવતીને રિવોલ્વર અણીએ દુષ્કર્મ આચર્યું હોવાના અહેવાલો એ ભારે ખળભળાટ મચાવ્યો છે એટલું જ નહીં બાદમાં અવાવરૂ જગ્યાએ લઇ જઇ તેના અન્ય બે મિત્રોએ પણ બળજબરીપૂર્વક સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે કોટડાસાંગાણી પોલીસે ત્રણેય વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. સામુહિક દુષ્કર્મ આચર્યા બાદ આરોપી અમિતે રિવોલ્વર…
વડોદરાઃ ટેકનોલોજી ક્ષેત્રે ભારત હરણફાળ ભરી રહ્યુ છે અને પેટ્રોલ ના વિકલ્પ પણ આવી ગયા છે સાથેસાથે પર્યાવરણ સુરક્ષા માટે નો પ્રથમ પ્રયાસ જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપની HPCL દ્વારા વડોદરામાં ગુજરાતના પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનનો પ્રારંભ કર્યો છે. HPCLના ડાયરેક્ટર માર્કેટિંગ રાકેશ મિશ્રીએ કારેલીબાગના કંપની સંચાલિત પેટ્રોલપંપ ખાતે તેનો પ્રારંભ કરાવ્યો હતો. બેટરીની કિંમત ઓછી થાય તે માટેના સતત પ્રયાસો થઇ રહ્યા છે HPCLના ડાયરેક્ટર માર્કેટિંગ રાકેશ મિશ્રીએજણાવ્યું હતું કે, ગુજરાતનું પ્રથમ ચાર્જિંગ સ્ટેશન વડોદરામાં શરૂ કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં તબક્કાવાર ચાર્જિંગ સ્ટેશનો શરૂ કરવામાં આવશે. હાલમાં ઇલેકટ્રીક ગાડીઓનો વપરાશ ઓછો છે. જેનું મુખ્ય કારણ ગાડીઓની કિંમત વધારે છે.…
સુરતઃ આજકાલ સમય એટલો ખરાબ આવી ગયો છે કે સગા સબંધીઓ પર પણ ભરોસો મૂકી શકાય તેમ નથી આજે વિશ્વાસ નામની કોઈ ચીજ જોવા મળતી નથી અગાઉ ના જમાના માં કોઈ મહેમાન આવે તો મહિનાઓ સુધી રહેતા અને એકબીજા ના ઘરે બેન દીકરીઓ લગ્ન કે અન્ય પ્રસંગે મહિના અગાઉ કામ કરવા જતાં તેમજ સયુંકત કુટુંબમાં રહેતા છતાં કોઈ હલકું વિચારતા ન હતા પણ આજે તો કોઈ સબંધ જોતું નથી અને સીધાંજ બળાત્કાર કરવા માંડતા હોવાના કિસ્સા વધી ગયા છે આવાજ એક કિસ્સામાંવરાછા ખાતે મામા સસરાના દીકરાએ જ ચાર માસનો ગર્ભ ધરાવતી પરિણીતા પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસની દલીલો કોર્ટમાં…
સરકાર ની 100 ટકા ગ્રાન્ટ મેળવનાર શ્રીજી કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા કેટલીક ગેરરીતિઓ મામલે વિવાદ માં આવ્યા બાદ તેની સામે ઉઠેલી ફરિયાદો અને તપાસ ની માંગ બાદ મામલો ચેરીટી કમિશ્નર સુધી પહોંચ્યો છે અને શ્રીજી કેળવણી મંડળ ના સને 2011 થી 2017 ના તમામ હિસાબો ના સ્પેશ્યલ ઓડિટ માટે નો ધમધમાટ શરૂ થયો છે અને આ માટે સ્પેશ્યલ ચાર્ટર એકાઉન્ટ ની પણ નિમણુંક કરી દેવામાં આવતા હવે ઓડિટ દરમ્યાન બહાર આવનારી તપાસ ઉપર સબંધીતો ની મીટ મંડાઈ છે. જોકે, શ્રીજી કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા પોતાના વકીલ મારફતે આ સ્પેશ્યલ ઓડિટ સામે સ્ટે લાવવાની વળતી કાર્યવાહી પણ કરી હતી પરંતુ ચેરિટી…
ગાંધીનગર: પોલીસ ડિપાર્ટમેન્ટ માં અગાઉ ખુબજ ચર્ચા માં રહેલા અને એન્કાઉન્ટર કેસ માં ગાજેલા નિવૃત્ત આઈપીએસ ડી.જી. વણઝારાને ગુજરાત સરકારે પાછલી અસરથી IG પદે પ્રમોશન આપ્યું છે. મે 2014માં નિવૃત્ત થયેલા વણઝારાને સપ્ટેમ્બર 2007ની તારીખથી ભરતી પામેલા ગણાશે. નકલી એન્કાઉન્ટર કેસમાં જેલમાં ગયા હોવાથી રાજ્ય સરકારે વણઝારાને સસ્પેન્ડ કર્યા હતા. વણઝારાને આ પ્રમોશન સાથે પગાર વધારાનો પણ લાભ મળશે. આમ તેઓ ને ફરી એક વખત પોલીસ ખાતા માં ફરજ બજાવવા ની તક મળી છે.
અમદાવાદ: અમદાવાદ માં પોતાની ઉંમર ના બાળકો સાથે સંતાકૂકડી રમી રહેલી સાડા બાર વર્ષની નાની બાળકી ને જોઈ હવસ નો કીડો ઉપડતા એક મોટી ઉંમર ના પાડોશમાં રહેતા આધેડે બાળકી ને બાથ માં લઇ મોબાઈલ માં પોર્ન બતાવી કપડાં ઉતારી બળાત્કારા ગુજાર્યો હતો ખુબજ ઝનૂન માં આવી જઇ બાળકી ઉપર પાશવી બળાત્કાર ગુજારતા બાળકી લોહી લુહાણ થઈ જતા અને બીજી તરફ હવસ નો નશો પૂરો થતાં ગભરાઈ ગયેલો આધેડ ત્યાંથી ભાગી છૂટ્યો હતો વિગતો મુજબ આ કિશોરી દુષ્કર્મ ગુજારનારના દીકરા સાથે સંતાકૂકડી રમી રહી હતી. દરમિયાન આધેડે તેને ધાબા પર લઈ જઈ અશ્લીલ વીડિયો બતાવી તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આ…