કોરોના માં ગુજરાતમાં ફસાયેલા શ્રમિકો નું ડબલ ભાડું વસુલ કરી અન્ય રાજ્યો માં મુકવા ગયેલા ગુજરાત ના બસ ડ્રાઇવરો સાથે ઓરિસ્સા ની પોલીસે આરોપીઓ જેવું વર્તન કરી ખાવાપીવાનો ભાવ ન પૂછીને એક મેદાન માં બસ પાર્ક કરવી નજરકેદ બનાવી દેતા ગુજરાતી ડ્રાઇવરો ને અત્યન્ત કડવો અનુભવ થયો હતો જેઓ એ પોતાના ગુજરાત ના યુનિયન અને સાંસદ સી આર પાટીલ ની મદદ થી માંડ છૂટ્યા હતા.વિગતો મુજબ સુરત, ભરૂચ, વડોદરાથી શ્રમિકોને ઓડિશા મુકવા ગયેલા બસ ડ્રાઈવરોને ત્યાંના સ્થાનિક વહીવટી તંત્રનો કડવો અનુભવ થયો છે. લગભગ 80 જેટલી બસને એક ગાર્ડનમાં પાર્ક કરાવી ડ્રાઈવર તેમજ કંડક્ટરોને ત્યાં જ કેદ કરી દેવાયા હતા.…
કવિ: Halima shaikh
અમદાવાદ માં રહેતા કોઈપણ વ્યક્તિ નો રિપોર્ટ કરવો આવશ્યક હોવાછતાં તંત્ર વાહકો ની બેદરકારી ને પગલે નિર્દોષ લોકો સામે સંક્રમણ નો ભોગ બનવાની શકયતા ઉભી થઈ છે. વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લા ના પાટડી તાલુકાના માલવણ ખાતે આઇસીઆઇસી બેંક ખાતે અમદાવાદથી અપડાઉન કરતા કર્મચારી કમ કેશીયરને કોરોના પોઝીટીવ આવતા અફડા તફડી મચી ગઇ છે અને બેંક માં કામ કરતા અન્ય કર્મચારી અને ગ્રાહકો ને સંક્રમણ નો ભય ઉભો થતા હાલ તમામ ને કોરિન્ટિન કરવા ની તજવીજ સાથે બેન્ક ને 14 દિ’બંધ કરવા સાથે આરોગ્ય વિભાગ દ્વારા પાટડી તાલુકામાંથી કેટલા ખાતેદારોએ કેશ ઉપાડ્યા તે તમામ સંપર્ક માં આવનારા ની તપાસનો ધમધમાટ ચાલુ…
ગુજરાત ના મહાનગરો માં કોરોના નું સંક્રમણ વધુ જોવા મળી રહ્યું છે અને એમાંય અમદાવાદ ની સ્થિતિ કોરોના જીવતા બૉમ્બ જેવી બનતા રાજ્યનું આરોગ્ય વિભાગ ચોંકી ઉઠ્યું છે અને આ માટે 3 જાણકાર અને અનુભવી તબીબો ની પેલન બનાવી છે જેઓ તમામ ગિતિવિધિઓ અને પરીણામો ની મોનીટરીંગ કરશે. ગુજરાત સરકારનું આરોગ્ય તંત્ર અત્યાર સુધીમાં રાજ્યમાં તમામ સ્થિતિ કાબૂમાં હોવાની વાતો કરી રહ્યું હતું, પરંતુ હવે સરકારને સમજાયું છે કે અમદાવાદ અને અન્ય મહાનગરોમાં જે રીતે કોરોનાના કેસ અને મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે તે જોતાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ સ્થિતિ ખૂબ નગંભીર છે. ગુજરાતના આરોગ્ય વિભાગે આ માટે સોમવારે એક હુકમ…
અમદાવાદમાં કોરોના વાયરસે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને રિકવર સામે સંક્રમણ વધતા હવે તંત્ર ની કસોટી અને કેપિસિટી બહાર કેસો આવી રહ્યા નું સપાટી ઉપર આવ્યું છે. સોમવારે રાજ્યમાં 376 નવા પોઝિટિવ કેસ ઉમેરાયા છે. આવુ સતત છઠ્ઠી વાર બન્યું છે કે 300થી વધુ કેસ નોંધાયા હોય તેના પરથી સહેજે ખ્યાલ આવી શકે તેમ છે. માત્ર સોમવારે જ 29 લોકો નામોતનો આંકડો સામે આવ્યો છે આ સાથે જ અત્યાર સુધીમાં રાજ્યમાં 319 લોકો કોરોના થી મૃત્યુ પામ્યા છે,મતલબ કે છેલ્લા 100 કલાકમાં જ રાજ્યમાં 100 લોકોના કોરોના ને કારણે મોત થઈ ચૂક્યા છે. 29માંથી 26 મોત માત્ર અમદાવાદ જિલ્લામાં…
કોરોના ના સંક્રમણને રોકવા માટે લોકડાઉન ના વિકલ્પ ને બદલે સ્વીડને છૂટછાટનો એક અલગ માર્ગ પસંદ કર્યો છે.જેનાથી રેવન્યુ જનરેટ થઈ શકે અને દેશ માં જનજીવન માં સંચાર રહે. સંક્રમિત લોકોની વધતી સંખ્યા હોવા છતાં, બજારો, બાર, રેસ્ટોરન્ટ્સ, શાળાઓથી જાહેર પરિવહન ત્યાં ખુલ્લા રાખવામાં આવ્યા હતા. સ્વીડિશ સરકાર ની ગાઈડલાઇન મુજબ કોરોના સંક્રમણ અટકાવવા માટે પ્રતિબંધોને બદલે લાંબા ગાળાના બચાવના ઉપાયો ભાર મૂકવામાં આવ્યો છે. નિષ્ણાતો માને છે કે સ્વીડને હાઈ ઈમ્યુનિટીની રણનીતિ સમજી વિચારીને અપનાવી છે. કોરોના સંક્રમણથી બચવાની રસી વિશ્વમાં નથી.તેથી એક કરોડની વસ્તીવાળા સ્વીડન, 65 વર્ષથી ઓછી વયના તંદુરસ્ત લોકોને કોરોનાના સંપર્કમાં આવવાથી રોક્યા નથી.બીજી બાજુ, 65 વર્ષથી…
કોરોના માં લોકડાઉન માં ફસાયેલા શ્રમિકો પાસે થી ભાડું વસુલવા મુદ્દે સવાર થી જ સોનિયાગાંધી અને રાહુલ ગાંધી એ વિરોધ કરી રહયા છે અને કોંગ્રેસ તમામ ખર્ચો આપવાની વાત કરી રહી છે ત્યારે સોનિયાએ સવાલ કર્યો કે જ્યારે વિદેશમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે ભાડુ લેવામાં આવ્યુ નથી તો પછી પ્રવાસી મજૂરો પાસે કેમ ભાડું લેવામાં આવે છે ?સોનિયાનું કહેવું છે કે જ્યારે આપણે ગુજરાતના એક કાર્યક્રમમાં સરકારી ખજાનામાંથી 100 કરોડ રૂપિયા ટ્રાન્સપોર્ટ અને જમવા પર ખર્ચ કરી શકતા હોય અને રેલવે મંત્રાલય વડાપ્રધાનના કોરોના ફંડમાં 151 કરોડ રૂપિયા આપી શકે છે તો પછી પ્રવાસીઓને ફ્રી રેલવે યાત્રાની સુવિધા શા…
નવી દિલ્હીઃ કોરોના ની મહામારી માં રેલવે દ્વારા ગરીબો પાસેથી ભાડું લેવાનો મુદ્દો હવે ભારે વિવાદ માં આવી ગયો છે અને આ મુદ્દે હવે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અન્ય રાજ્યોમાંથી વતન પરત ફરી રહેલા શ્રમિકો પાસેથી ભાડું વસૂલવાને લઈ રેલવે ને ઝપેટ માં લઇ સવાલ ઉઠાવતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું, એક તરફ રેલવે પીએમ કેયર્સ ફંડમાં રૂ.151 કરોડ રૂપિયા જમા કરાવી રહ્યું છે અને બીજી તરફ પ્રવાસી શ્રમિકો પાસેથી ભાડું વસૂલી રહી છે. આ ગુંચ ખબર પડતી નથી તેથી પહેલા તે ઉકેલો. અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દેશભરમાં ફસાયેસા શ્રમિકો માટે મોટી જાહેરાત કરી છે કે દેશભરમાં ફસાયેલા…
દેશમાં કોરોના ની ચાલુ રહેલી મહામારી વચ્ચે દિનપ્રતિદિન વધતા જતા કોરોના પોઝીટીવ કેસના કારણે આજથી દેશભરમાં લૉકડાઉન નો ત્રીજો તબક્કો ચાલુ થઈ ગયો છે ત્યારે લૉકડાઉનમાં ફસાયેલા લોકો અને શ્રમિકો હેરાન પરેશાન થઈ ગયા છે અને તેઓ પાસે પૈસા પણ ખૂટયા છે ત્યારે વતન પહોંચવા ટ્રેનોમાં ભાડું વસુલવામાં આવી રહ્યું છે તેવે સમયે ભાડું લેવા મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે વિવાદ ઉભો થયો છે, આ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી એ જાહેરાત કરી છેકે આવા ફસાયેલા લોકો ને પરત વતન ફરવમાં આવતો રેલ મુસાફરીનો ખર્ચ કૉંગ્રેસ ઉઠાવશે. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશભરમાં લાગુ લૉકડાઉનને 17 મે સુધી લંબાવવામાં આવ્યું…
કોરોના વાયરસે દેશ ઉપર એટેક કરતાજ લોક ડાઉનની જાહેરાત થાય છે ,સરકાર ના નેતાઓ અચાનક ટીવી માં પ્રગટ થઈ કોઇ ભૂખ્યો ન રહે તેવી બાંહેધરી આપવા માંડ્યા તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તેવી સંવેદનશીલતા દર્શાવવામાં આવી લોકો ઘરમાં પુરાઈ ગયાં પણ જ્યાં સુધી પૈસા હતા ત્યાં સુધી ખાધું પણ પછીતો મધ્યમ વર્ગ પાસે પણ પૈસા ખૂટયા છે તેઓ ની હાલત ખરાબ છે, ત્યાં ગરીબો ની તો વાત જ ક્યાં કરવી બીજી તરફ રાજ્ય સરકારે પણ સ્થિતિ પારખી વિનામૂલ્યે અનાજ વિતરણની જાહેરાત કરી દીધી હતી પણ સરકારી તંત્ર ની છાપ આઝાદી સમય થી આજસુધી ક્યાં સુધરી છે તેમના કઈ ઠેકાણા…
દેશમાં લોકડાઉન વધતું જાય છે અનેહવે ત્રીજા તબબકકા નું લોકડાઉન ચાલુ છે જે હવે17 મેં સુધી લંબાયું છે ત્યારે લોકડાઉન ખુલતા જ દિલ્હી એરપોર્ટ પર ટર્મિનલ 3થી ફ્લાઇટ્સ શરૂ થનાર છે અને તેમાં ઓથોરીટી દ્વારા કોરોના નું સંક્રમણ ન લાગે તે માટે દરેક એરલાઇનના પ્રવાસીઓના અલગ એન્ટ્રી ગેટ અને બેગેજ માટે અલ્ટ્રા વાયલેટ ટનલ ની વ્યવસ્થા અને ચેક-ઇન કાઉન્ટર આપવામાં આવશે એરપોર્ટ પર ખાણીપીણીની દરેક દુકાનો ખુલી રાખવામાં આવશે જેથી એક જગ્યાએ લોકોની ભીડ એકઠી ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે. દિલ્હી એરપોર્ટ પર લોકડાઉન ખુલ્યા બાદ ટર્મિનલ 3થી પ્રવાસીઓ માટે કોમર્શિયલ ફ્લાઇટ્સ શરૂ કરવામા આવશે. ભીડથી બચવા માટે વિમાન…