વડોદરા માં બગીખાના વિસ્તારમાં આવેલી રાજસ્થંભ સોસાયટીમાં આવેલી દુકાનમાં ખરીદી કરવા આવેલી 11 વર્ષની બાળાને જોઈ વાસનામય બનેલા દુકાનના માલિક 72 વર્ષિય દાદા એ છેડછાડ કરી હોવાનું સામે આવતા મામલો નવાપુરા પોલીસ મથકમાં પહોંચ્યો હતો જે ગુનામાં પોલીસે વૃદ્ધની ધરપકડ કરી છે. ભવિષ્યમાં આ વૃદ્ધ દ્વારા કોઇ બાળકી, કિશોરી ને પોતાની હવસ નો શિકાર ન બનાવે તે માટે સ્થાનિક મહિલાઓ એ પોલીસ મથકમાં જઇ વૃદ્ધની દુકાન બંધ કરાવી દેવા માંગણી કરી હતી. નવાપુરા પોલીસ સૂત્રો ના જણાવ્યા પ્રમાણે શરદબાબુ નામના 72 વર્ષિય વૃદ્ધ બગીખાના વિસ્તારની રાજરત્ન સોસાયટીમાં દુકાન ધરાવે છે. વૃધ્ધના સ્ટોર પર બપોરના સમયે બાળકી ખરીદી માટે આવી હતી.…
કવિ: Halima shaikh
અમદાવાદ માં એક હજાર કરોડ ના ખર્ચે જાસપુરમાં ઉમિયા ફાઉન્ડેશન દ્વારા વિશ્વના સૌથી ઊંચા 431 ફૂટના ઉમિયા માતા મંદિર નો ભવ્ય શિલાન્યાસ સમારોહ યોજાયો હતો,બીજા દિવસે આ રકમમાં 40 કરોડ ખૂટે છે એવી કાર્યક્રમના મુખ્ય સંયોજક આર.પી. પટેલે જાહેરાત કરતાં માત્ર 17 મિનિટમાં 30 કરોડનું દાન આવ્યું હતું. એક ગુપ્ત દાતાએ 25 કરોડ લખાવ્યા હતા. આ ઉપરાંત મૂળ નંદાસણના અને હાલ મુંબઈમાં રહેતા 51 કરોડના એક દાતાએ વધુ 11 કરોડ લખાવ્યા હતા. કુલ 110 મિનિટમાં 136 કરોડનું દાન આવ્યું હતું. મંદિરનો નિર્માણ ખર્ચ એક હજાર કરોડ થશે, ઉમિયાધામ શિલાન્યાસ સમારોહના બીજા દિવસે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, સંતો હાજર હતા ત્યારે જ…
મુંબઇ: પાકિસ્તાન વિરુદ્ધ હવે સોશિયલ મીડિયા ના મોટા પ્લેટફોર્મ ગણાતા ફેસબુક, ટિ્વટર અને ગૂગલ સહિત ઘણી કંપનીઓએ પાકિસ્તાનના ડિજિટલ સેન્સરશિપ કાયદા સામે એકજુથ થયા છે અને તેમના ગ્રુપ એશિયા ઇન્ટરનેટ કોએલિશને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને સખત શબ્દોમાં જણાવી દીધું છે કે આ કાયદામાં સુધારા નહીં કરવામાં આવે તો તેઓ પાકિસ્તાન ને પડતું મૂકી શકે છે , રજુઆત માં જણાવાયું છેકે કાયદો ઘડતી વખતે લોકો, નિષ્ણાતોના અભિપ્રાય લેવામાં ચૂક થઈ છે અનેઘણી જોગવાઇઓ એવી છે કે કોઇ વ્યક્તિ કોઇ પણ કન્ટેન્ટને વાંધાજનક માની શકે છે. આ કંપનીઓએ આવું કન્ટેન્ટ 24 કલાકમાં હટાવવું પડશે. ઇમરજન્સીની આ લિમિટ 6 કલાકની હશે. આતંકવાદ, અભદ્ર ભાષા,…
અમદાવાદ ની લોકમાતા સાબરમતી નદીને ઉદ્યોગકારો એ પ્રદુષિત કરી નાખી હોવાનો ખુલાસો થયો છે અને તેનાથી જનજીવન પ્રભાવિત બની રહ્યુ છે જો લાગતા વળગતા આ મામલે કોઇ જલ્દી એક્શન નહિ લે તો સુપ્રીમ કોર્ટ માં મામલો લઈ જવાની પર્યાવરણ સુરક્ષા સમિતિ એ ચીમકી ઉચારી છે. અમદાવાદ મહા નગર પાલિકા દ્વારા સ્માર્ટ સિટીમાં જ્યાં સ્વચ્છ સાબરમતીની વાત કરી રહી છે ત્યારે પર્યવારણ સુરક્ષા સમિતિએ તેની સામે સવાલો ઉઠાવ્યા છે અને જણાવ્યું છે કે નર્મદાના પાણી સાબરમતીમાં પ્રવેશે છે ત્યારે તેમાં પાણીમાં બીઓડી 16 મીગ્રા પ્રતિ લિટર, બીઓડી 0.7 મીગ્રા પ્રતિ લિટર અને ક્લોરાઇડ 54.9 મીગ્રા અને ટીડીએસ 912 મીગ્રા હોય છે.…
ગુજરાત સહિત દેશમાં હાલ બેરોજગારી ની સમસ્યા વિકરાળ બની રહી છે અને મોંઘાદાટ શિક્ષણ માંથી પસાર થઈ બરબાદ બનેલા પરિવારો ને આશા હોય છે કે નોકરી મળશે તો શિક્ષણ માં ગુમાવેલા પૈસા પાછા કવર થઇ જશે પરંતુ એવું થતું નથી તેથી લાખ્ખો પરિવારો માં નિરાશા નું મોજું ફરી વળ્યું છે ,હાલ ચાલી રહેલા બજેટ સત્રમાં પ્રશ્નોતરીકાળ દરમિયાન વિરોધ પક્ષના ધારાસભ્યોએ કરેલા પ્રશ્નમાં રાજ્યમાં પ્રવર્તી રહેલી બેરોજગારી અંગે ખુલાસો થયો છે. રાજ્ય સરકારે કેટલા બેરોજગારોને સરકારી નોકરી મળી તે અંગે જવાબ આપતા જણાવ્યું કે, રાજ્યમાં કુલ 4 લાખ 58 હજાર 96 બેરોજગારો નોંધાયેલા છે. જે પૈકી છેલ્લા બે વર્ષમાં 2,223ને સરકારી…
વડોદરાઃવડોદરા શહેર પોલીસ હવે અદ્યતન ટેકનોલોજી સાથે ફોરેન પોલીસ ની જેમ એલર્ટ રહી ગુનેગારો ને માત કરશે રાજ્યમાં સૌ પ્રથમ વખત’એઆઈ-ફેશીયલ રેક્ગનાઈઝ સોફ્ટવેર’નો ઉપયોગ કરીને સીસીટીવી હેઠળ સાતીર ગુનેગારો ને સ્થળ પરજ ઝડપી લેવાના પાઈલોટ પ્રોજેક્ટ હેઠળ આજ થી 500 કેમેરા લગાવવાની કામગીરી શરૂ થઈ છે , આ પ્રોજેક્ટ હેઠળ વડોદરામાં નવા 1300 સીસીટીવી કેમેરા લગાવાશે. હાલ શહેરમાં 650 કેમેરા લાગેલા છે. આ અંગે માહિતી આપતા પોલીસ કમિશનર અનુપમસિંઘ ગહલૌતે જણાવ્યું હતું કે, વડોદરાની આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ (ai) ફેશીયલ રેક્ગ્નેશન સોફ્ટવેરના ઉપયોગ માટે પ્રથમ પસંદગી કરવામાં આવી છે. જે અંતર્ગત બે મહિનામાં 1300 કેમેરા લાગશે. કેમેરાની કિંમત 65 હજાર થી લઈને…
સુરતઃ સુરત માં એક યુવતી ના લાઈવ આત્મહત્યા ના પ્રયાસ નો વીડિયો વાયરલ થતા ગુજરાતભર માં ચકચાર મચી ગઇ છે શું છે આ ઘટના આવો આપને જણાવીશું સુરત ના વરાછા વિસ્તારની એક યુવતિએ આત્મહત્યાનો સોશ્યલ મીડિયા પર લાઈવ પ્રયાસ કરી આત્મહત્યા કરવા પાછળ તેણે ધારૂકા કોલેજના ટ્રસ્ટી કનુભાઈ માવાણી અને ધારૂકા કોલેજ જવાબદાર હોવા અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો. ગરીબ બાળકોને ભણાવવાનું કામ કરતી આ યુવતિ એડમિશનની રજૂઆત લઈને ગઈ હતી. જ્યાં તેણીને કનુ માવાણીએ અપશબ્દો કહ્યાં હતા એવુ વિડીયોમાં જણાવ્યું હતું. વિડીયોમાં એવું જણાવાયું હતું કે મારા મા-બાપ અને ઘરવાળાને ફોન કરીને ડરાવવામાં આવે છે. ઘટના અંગે…
સુરત માં શહેરી વિસ્તારો માં અવારનવાર ગેરકાયદે બાંધકામો ની મેટર અખબારો માં પ્રકાશ માં આવતી રહે છે ત્યારે હવે શહેર બહાર એરપોર્ટ નજીક પણ ચાલક બિલ્ડરો એ નિયમો ની ઐસી તૈસી કરીને ગેરકાયદે બાંધકામો ઉભા કરી પબ્લિક ને વેચી મારતા આવા ફ્લેટ ખરીદનારા ભેખડે ભેરવાયા છે ,એરપોર્ટ હદ નાવેસુ તરફ નડતરરૂપ 48 બિલ્ડીંગ મામલે ડીજીસીએ દ્વારા બિલ્ડરોને આગામી 4 તારીખે હીયરીંગ માટે બોલાવતા બિલ્ડરોએ તેની જાણ ફ્લેટ ધારકોને કરતા અંદાજિત 100 ફલેટ ધારકોએ એરપોર્ટ ડાયરેક્ટર અમન સૈની પાસે જઈને પર્સનલ હિયરીંગની નોટીસ માટે જવાબ રજૂ કરવા માટે થોડો સમય આપે તેવી માંગણી કરી છે. જેથી પેપર વર્ક યોગ્ય રીતે કર્યા…
સૌરાષ્ટ્ર માં બળાત્કાર નો કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે,વાત છે કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામ ની જ્યાં રાજકોટ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અને રામોદ ગામના સરપંચના પુત્ર અમિત પડાળીયાએ તેના બે મિત્રો શાંતિ ગોવિંદ પડાળીયા અને વિપુલ ભાયલા શેખડાની મદદથી ગામની જ દલિત યુવતીનું બ્રેઝા કારમાં અપહરણ કરી ચાલુ કારે અમિતે યુવતીને રિવોલ્વર અણીએ દુષ્કર્મ આચર્યું હોવાના અહેવાલો એ ભારે ખળભળાટ મચાવ્યો છે એટલું જ નહીં બાદમાં અવાવરૂ જગ્યાએ લઇ જઇ તેના અન્ય બે મિત્રોએ પણ બળજબરીપૂર્વક સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે કોટડાસાંગાણી પોલીસે ત્રણેય વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. સામુહિક દુષ્કર્મ આચર્યા બાદ આરોપી અમિતે રિવોલ્વર…
વડોદરાઃ ટેકનોલોજી ક્ષેત્રે ભારત હરણફાળ ભરી રહ્યુ છે અને પેટ્રોલ ના વિકલ્પ પણ આવી ગયા છે સાથેસાથે પર્યાવરણ સુરક્ષા માટે નો પ્રથમ પ્રયાસ જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપની HPCL દ્વારા વડોદરામાં ગુજરાતના પ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનનો પ્રારંભ કર્યો છે. HPCLના ડાયરેક્ટર માર્કેટિંગ રાકેશ મિશ્રીએ કારેલીબાગના કંપની સંચાલિત પેટ્રોલપંપ ખાતે તેનો પ્રારંભ કરાવ્યો હતો. બેટરીની કિંમત ઓછી થાય તે માટેના સતત પ્રયાસો થઇ રહ્યા છે HPCLના ડાયરેક્ટર માર્કેટિંગ રાકેશ મિશ્રીએજણાવ્યું હતું કે, ગુજરાતનું પ્રથમ ચાર્જિંગ સ્ટેશન વડોદરામાં શરૂ કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં તબક્કાવાર ચાર્જિંગ સ્ટેશનો શરૂ કરવામાં આવશે. હાલમાં ઇલેકટ્રીક ગાડીઓનો વપરાશ ઓછો છે. જેનું મુખ્ય કારણ ગાડીઓની કિંમત વધારે છે.…