Politics: ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ને લોકસભા ચૂંટણીમાં બહુમતી મળી છે, પરંતુ વિપક્ષી ગઠબંધન ‘ભારત’એ પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. સ્પષ્ટ થઈ ગયું છે કે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. આવી સ્થિતિમાં હવે લોકસભામાં વિપક્ષના નેતા કોણ હશે તેની ચર્ચા ચાલી રહી છે. દરમિયાન સૂત્રોએ જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા (LOP) બની શકે છે. જોકે, રાહુલ ગાંધીએ કોંગ્રેસ સાંસદોને કહ્યું છે કે આ અંગે વિચારવા દો. પાછલા 10 વર્ષ વિપક્ષનું નેતા પદ ખાલી છે. સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસમાં આંતરિક વિચાર ચાલી રહ્યો છે કે રાહુલ ગાંધી ગૃહમાં કોંગ્રેસની કમાન સંભાળે…
કવિ: Shakil Saiyed - Political Editor
Politics: લોકસભાની ચૂંટણી સાંગોપાંગ પાર પડી ગઈ. હવે કોઈ પણ નેતા ઈવીએમનો દોષ નથી દેતો. એક્ઝિટ પોલનું બાળ મરણ થઈ ગયું. જે મીડિયાને ગોદી મીડિયા કહેવાતું હતું હવે તેના સૂરો પણ બદલાઈ ગયા છે. મોદી ભક્તોમાં જીત બાદ પણ એક પ્રકારનો સન્નાટો પ્રવર્તી રહ્યો છે. કોંગ્રેસ અભી ઝીદાં હૈ એ રાહુલ ગાંઘીએ કરી દેખાડ્યું છે. એક માત્ર મધ્યપ્રદેશમાં કમલનાથની અવળચંડાઈના કારણે કોંગ્રેસ તમામ 29 બેઠકો હારી ગઈ અને કેજરીવાલ જેટલા ગાજ્યા તેટલા વરસ્યા નહીં. બિહારમાં તેજસ્વી યાદવને તેમની જીદ અને અહંકાર ડૂબાડી ગયા છે. અણછાજતા હઠાગ્રહ કરીને તેજસ્વીએ પોતાના જ પગ પર કૂહાડો માર્યો. જે હોય તે હવે મોદી ગઠબંધનની…
BJP: ભારતીય જનતા પાર્ટીએ સિક્કિમમાં 31 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી હતી, પરંતુ એક પણ બેઠક જીતી શકી નહોતી. ભાજપના આ નબળા પ્રદર્શનનું કારણ માનવામાં આવે છે કે એસકેએમ અને ભાજપ અલગ-અલગ ચૂંટણી લડી રહ્યા છે. વાસ્તવમાં, ભાજપને કેન્દ્રમાં SKMનું સમર્થન છે, પરંતુ આ વખતે બંને પક્ષોએ સિક્કિમમાં અલગ-અલગ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. એક તરફ સમગ્ર દેશમાં ભાજપની લહેર હોવાની ચર્ચા છે. બીજી તરફ સિક્કિમમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યના આઉટગોઇંગ ગૃહમાં તેના 12 સભ્યો હતા. સિક્કિમ વિધાનસભાના પરિણામો રવિવારે જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM) એ 32 માંથી 31 બેઠકો જીતીને સત્તા…
Congress: અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન ફરી એકવાર ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. અરુણાચલમાં કોંગ્રેસને માત્ર 1 સીટ મળી છે સુપડા સાફ થઈ ગયા છે. અરુણાચલ પ્રદેશની 60 સભ્યોની વિધાનસભામાં ભાજપે 46 બેઠકો જીતીને સતત ત્રીજી વખત સત્તામાં વાપસી કરી છે. અરુણાચલ પ્રદેશમાં એક સમયે કોંગ્રેસનો દબદબો હતો, પરંતુ હવે સ્થિતિ એવી છે કે તે 60માંથી 41 વિધાનસભા બેઠકો પર ઉમેદવારો પણ મેળવી શકી નથી. જે રાજ્યમાં ત્રણ દાયકાથી વધુ સમયથી કોંગ્રેસનું રાજનીતિ પર પ્રભુત્વ છે, ત્યાં દેશની સૌથી જૂની પાર્ટીની આ સ્થિતિ આશ્ચર્યજનક છે. 19 બેઠકો પર ચૂંટણી લડી, માત્ર 1 બેઠક જીતી 2019ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ચાર…
Lok Sabha Election 2024: ચૂંટણીના પરિણામો આવે તે પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની જીતના વિશ્વાસ સાથે ત્રીજી ટર્મ માટે પ્રારંભિક 100 દિવસનો એજન્ડા તૈયાર કરી લીધો છે અને તેના અમલીકરણ પર કામ શરૂ કરી દીધું છે. રવિવારે મોદીએ કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે સાત અલગ-અલગ બેઠકો યોજી હતી અને 100 દિવસના એજન્ડા અને અન્ય વર્તમાન મુદ્દાઓ પર ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શિકા આપી હતી. સૂત્રોનું કહેવું છે કે ત્રીજી વખત સત્તામાં આવ્યા બાદ મોદી ઘણા મોટા નિર્ણયો લેવાના છે. તેના ચિહ્નો ફક્ત પ્રથમ 100 દિવસમાં જ દેખાશે. પીએમ મોદીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી કન્યાકુમારીમાં બે મહિનાના લાંબા ચૂંટણી પ્રચાર…
Saputara: ગીરીભાત સાપુતારાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઘેરા વાદળોના આવરણને કારણે અદ્ભુત દૃશ્ય સર્જાય છે. સાપુતારા સહિતના તળેટીના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેતા યાત્રાળુઓ ખુશ છે. સાપુતારામાં હવામાનમાં પલટો આવતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. રજાઓના કારણે સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. ગીરીભાત સાપુતારાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઘેરા વાદળોના આવરણને કારણે અદ્ભુત દૃશ્ય સર્જાય છે. સાપુતારા સહિતના તળેટીના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેતા યાત્રાળુઓ ખુશ છે. સાપુતારામાં હવામાનમાં પલટો આવતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. રજાઓના કારણે સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. આ સ્થળ મહારાષ્ટ્ર-ગુજરાત રાજ્યની સરહદ પર સહ્યાદ્રી પર્વતમાળામાં જંગલની વચ્ચે લગભગ 1000 મીટરની ઉંચાઈ પર…
congress લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાની ચૂંટણી આજે (1 જૂન, 2024)ના થઈ રહી છે. આજે મતદાન પૂરૂં થયા બાદ લગહભગ દરેક ચૅનલ પર એક્ઝિટ પોલ રજૂ થવાના છે. એક્ઝિટ પોલ દરમિયાન થનારી ડીબેટનો દર્શકો આતુરતાપૂર્વક રાહ જોતી હોય છે. જોકે કૉંગ્રેસે એવો નિર્ણય લીધો છે જે સાંભળી લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. કૉંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે કૉંગ્રેસના નેતા ટીવી ટૅનલ પર પ્રસારિત થનારા એક્ઝિટ પોલ સમયે થનારી ડીબેટમાં સામેલ નહીં થાય.પક્ષના સિનિયર નેતાઓએ આ નિર્ણય લીધો હોવાનિં કહેવાય છે. સૂત્રના કહેવા મુજબ વરિષ્ઠ નેતાઓએ વિચટાર-વિમર્શ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આજે સાંજે લગભગ…
દેશમાં સાતમા તબક્કાના મતદાન માટે પ્રચારનો સમયગાળો પૂરો થયા બાદ પીએમ મોદી કન્યાકુમારી પહોંચ્યા હતા. ત્યાં તેઓ 45 કલાક એટલે કે પહેલી જૂનની સાંજ સુધી સમુદ્રમાં બનેલા વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન કરશે. આજે તેમના ધ્યાનનો બીજો દિવસ છે. પીએમ મોદીએ દક્ષિણમાં ધ્યાન ધરવાનો નિર્ણય કરીને બધાને ચોંકાવ્યા છે. દક્ષિણમાં ધ્યાનની વાતને વિપક્ષે અલગ અલગ રીતે લીધી છે તો ભાજપે પીએમ મોદીના ધ્યાનને રાષ્ટ્રીય હિત સાથે જોડ્યું છે. આમ પણ પીએમ મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે દેવોએ મને અહીંયા મોકલ્યો છે. જય મોદીશ્વરનો નાદ ફરીથી ગૂંજશે એવો આશાવાદ ભાજપને છે અને ભાજપ 300 કરતાં વધુ બેઠકો જીતશે એવો દાવો…
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તેના તાબાના ફાયર વિભાગ, બાંધકામ વિભાગની ભૂલને કારણે ટીઆરપી ગેમિંગ ઝોન બળી ગયો હોવાનું સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ-એસઆઇટીના પ્રાથમિક અહેવાલમાં પહેલેથી જ સાબિત થયું છે. રાજકોટના આ સ્થાનિક તંત્રના ભ્રષ્ટાચારની ફરિયાદો ભાજપના વરિષ્ઠ નેતાઓ અને ખાસ કરીને પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા અને વર્તમાન સાંસદ રામભાઈ મોકરિયા દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે મોરબી નગરપાલિકાની જેમ રાજકોટ મહાનગરપાલિકાને પણ સુપરસીડ કરવાની માંગણી શરૂ થઈ છે. મોરબીમાં પુલ દુર્ઘટના પછી ગુજરાત સરકાર મોરબી નગરપાલિકાને સુપરસીડ કરી વહીવદાર શાસન લાગુ કર્યો હતો. – તો 27 લોકોના જીવ બચી શક્યા હોત. મિલિંદ શાહે આ મામલે 10 મહિના પહેલા પત્ર લખ્યો હતો.…
Gujarat: રાજકોટની આગમાં 28 લોકોએ જીવ ગુમાવ્યો હતો, રાજકોટની ઘટના સાથે જ મોરબી, વડોદરા અને દમણ બ્રિજની ઘટનાઓની દુખદ યાદો પણ તાજી થઈ ગઈ. આવી દુર્ઘટનાઓ આપણા સૌથી મૂળભૂત શાસન માળખામાં ગંભીર અને પ્રણાલિગત ખામીઓને ઉજાગર કરે છે. સામાન્ય નાગરિકોને ન્યાય આપવા માટે વર્તમાન સિસ્ટમ પર વિશ્વાસ કરી શકાય નહીં એવું ગુજરાત હાઈકોર્ટે પણ કહ્યું છે. મોરબી પુલ વડોદરાની દુર્ઘટનામાંથી શું પાઠ ભણી સરકાર? ઓક્ટોબર 2022માં ઉદ્ઘાટન થયાના ચાર દિવસ બાદ જ આ પુલ તૂટી પડ્યો હતો. આ અકસ્માતમાં 135 લોકોના મોત થયા હતા અને 56 લોકો ઘાયલ થયા હતા. બ્રિજ તૂટી પડવાની ઘટનાની તપાસ માટે ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત…