Lok sabha election: લોકસભાની ચૂંટણીનો પર્વ હવે ધીમે ધીમે પૂર્ણતાની તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે ઈન્ડિયા ગઠબંધનના વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ હશે તે અંગે સત્તાધારી ભાજપ અને ખુદ વડાપ્રધાન મોદી દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નને લઈ કોંગ્રેસ સહિત ગઠબંધનનનાં પક્ષોમાં ચર્ચા વિચારણા અને અટકળો શરુ થઈ ગઈ છે. કોંગ્રેસ સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં ઈન્ડિયા ગઠબંધનને સીધી રીતે વર્તમાન કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા લીડ કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ પાસે વડાપ્રધાન પદનું બોલ આવશે તો નિ:શંકપણે મલ્લિકાર્જુન ખડગે જ કોંગ્રેસ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર હોઈ શકે છે. ખડગે એક દલિત નેતા છે અને મપન્ના મલ્લિકાર્જુન ખડગે કર્ણાટકમાંથી આવે છે. 1972થી…
કવિ: Shakil Saiyed - Political Editor
Lok Sabha Elections: આવતીકાલે છઠ્ઠા તબક્કાના મતદાનમાં કેટલાક કેન્દ્રીય મંત્રીઓ તથા શાસક અને વિપક્ષના અનેક દિગ્ગજ નેતાઓનું ભાવિ ઘડાશે. છઠ્ઠા તબક્કાના ઉમેદવારોમાંથી 338 ઉમેદવારો કરોડપતિ, તો કેટલાક ઉમેદવાર ગુનાહિત ઈતિહાસ પણ ધરાવે છે. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં દિલ્હીની તમામ સાત બેઠકો સહિત છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 58 બેઠકો માટે પ્રચાર ગુરુવારે સમાપ્ત થયો. રાષ્ટ્રીય રાજધાની સિવાય ઉત્તરપ્રદેશની 14, હરિયાણાની 10, બિહાર અને પશ્ચિમ બંગાળમાં આઠ-આઠ, ઓડિશામાં છ, ઝારખંડમાં ચાર અને જમ્મુ-કાશ્મીરની એક બેઠક પર મતદાન થશે. અત્યાર સુધીમાં 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને 543 માંથી 428 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. અંતિમ તબક્કા હેઠળ પહેલી જૂને…
Study: એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે માત્ર શહેરીકરણને કારણે દેશના શહેરોમાં ગરમીમાં 60 ટકાનો વધારો થયો છે. પૂર્વ ભારતના ટિયર-2 શહેરો તેનાથી સૌથી વધુ પ્રભાવિત છે. અભ્યાસ મુજબ, શહેરી લેન્ડસ્કેપમાં ફેરફારને કારણે બાષ્પીભવનને કારણે વાતાવરણની ઠંડકની અસર નષ્ટ થઈ જાય છે. હવાના પ્રવાહમાં ફેરફાર અને માનવ પ્રવૃત્તિઓમાં વધારો થવાને કારણે શહેરોમાં કોંક્રિટ અને ડામરનું પ્રમાણ વધતું જાય છે. IIT ભુવનેશ્વર સાથે સંકળાયેલા સંશોધકો સૌમ્ય સત્યકાંત સેઠી અને વી વિનોજ દ્વારા કરવામાં આવેલા આ અભ્યાસના પરિણામો નેચર સિટીઝની આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. કોંક્રિટમાં વધારો અને જમીનના ઉપયોગમાં ફેરફાર સંશોધકોએ બે દાયકામાં દેશના 141 મોટા શહેરોમાં વધતા તાપમાન…
Supreme Court: સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક બિન-સરકારી સંસ્થા (એનજીઓ) દ્વારા ચૂંટણી પંચને તેની વેબસાઇટ પર મતદાનની ટકાવારીનો ડેટા અપલોડ કરવાના નિર્દેશોની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચૂંટણી પંચ માટે લોકોને વોટિંગ ટકાવારીના આંકડા વેબસાઈટ પર અપલોડ કરવાના કામમાં જોડવા મુશ્કેલ હશે. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની વેકેશન બેન્ચે કહ્યું કે અત્યારે આવો કોઈ નિર્દેશ જારી કરી શકે નહીં કારણ કે ચૂંટણીના પાંચ તબક્કા પૂર્ણ થઈ ગયા છે અને બે તબક્કા બાકી છે. સર્વોચ્ચ અદાલતે એનજીઓ ‘એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ’ (એઆરડી) દ્વારા દાખલ કરવામાં આવેલી વચગાળાની અરજી (એઆઈ) ને મુલતવી રાખી છે અને…
Gujarat: અરવલ્લીના મુખ્ય મથક મોડાસામાં બાયપાસ પર તિરૂપતિ રેસીડેન્સીના બંગ્લોઝમાં સિંચાઈ વિભાગની નકલી કચેરી ચાલતી હોવાનું બહાર આવ્યું છે. આ નકલી કચેરીમાંથી 50થી વધુ રબ્બર સટેમ્પ, લેટર પેડ, બીલો, કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિતનો તપાસ દરમિયાન પોલીસને મુદ્દામાલ મળી આવ્યો છે. સિંચાઈના વર્તમાન અને નિવૃત અધિકારીઓ નકલી કચેરી ચલાવતા હોવાનું આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ કચેરીમાં જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના અદિકારી અને નિવૃત અધિકારીઓ સહિત 4થી 5 લોકો કામ કરતા જોવા મળ્યા હતા. નકલી કચેરી ત્રણ વર્ષથી કાર્યરત હોવાની આશંકા સાથે સમગ્ર પ્રકરણનો બાયડના ધારાસભ્યએ પર્દાફાશ કર્યો હતો. બાદમાં મોડાસા ટાઉન પોલીસ સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ…
Gujarat: સપ્ટેમ્બરમાં 75 નગરપાલિકા, 17 તાલુકા પંચાયત, બે જિલ્લા પંચાયત, 7 હજાર ગ્રામ પંચાયતોની છેલ્લા બે વર્ષથી ટલ્લે ચડેલી ચૂંટણી યોજાય તેવા સંકેત મળી રહ્યા છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પડઘમ શાંત થયા છે, ત્યારે ગુજરાતમાં આગામી સપ્ટેમ્બર મહિનામાં રાજ્યની 75 નગરપાલિકા, 17 તાલુકા પંચાયત, બે જિલ્લા પંચાયત અને 7000 ગ્રામ પંચાયતોની છેલ્લા બે વર્ષથી ટલ્લે ચડેલી ચૂંટણી યોજાય તેવા સંકેત મળી રહ્યા છે. આ માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી બે મહિનામાં તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવશે. સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, લોકસભાના પરિણામો ભાજપ માટે સારા આવ્યા તો તાત્કાલિક ધોરણે આ ચૂંટણીની જાહેરાત કરી દેવાશે, નહીં તો બે થી ત્રણ…
Pakistan: કરાચી શહેર ફરી એક વખત અપશબ્દોના અવાજથી ગુંજી ઉઠ્યું છે. છોટા શકીલની અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ એ જ આતંકવાદી છે જેની મુંબઈ બોમ્બ ધડાકામાં સીધી સંડોવણી હતી. છોટા શકીલે જ અભિનેતા સંજય દત્તને સૌથી ઘાતક હથિયારો, AK-47 અને ગ્રેનેડ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ કેસમાં સંજય દત્તને પણ સજા થઈ હતી અને હવે તે સજા પૂરી કરીને પોતાનું જીવન જીવી રહ્યો છે. સંજય દત્ત સાથે સંકળાયેલી ઘટનાઓને કારણે અંડરવર્લ્ડ અને બોલિવૂડની સાંઠગાંઠ પણ પ્રકાશમાં આવી હતી. છોટા રાજનના ગયા પછી તે ડોન દાઉદ ઈબ્રાહિમનો જમણો હાથ બની ગયો હતો. તેણે જ છોટા…
Gujarat: સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર ફરજિયાત સ્માર્ટ મીટર ઠોકી બેસાડવાની સરકાર-વીજતંત્રની કામગીરી સામે ઉગ્ર આક્રોશનું વાતાવરણ ફેલાયું છે. દિવસે-દિવસે આ આક્રોશ વધુને વધુ ઉગ્ર અને વ્યાપક બની રહ્યો હોય, ગુજરાત જેવા શાંત રાજ્યમાં અકારણ અશાંતિ સાથે પ્રજાજનો, ખાસ કરીને ગરીબ, નિમ્ન મધ્યમ વર્ગ, મધ્યમ વર્ગ, મજૂરો, નોકરિયાત વર્ગમાં ભારે ચિંતા પ્રવર્તે છે. આવા માહોલમાં સ્માર્ટ મીટર ધરાર લગાવાના પ્રયાસો સામે અનેક સ્થળે લતાવાસીઓ, સોસાયટીવાળાઓના ટોળા એકત્ર થઈ રહ્યા છે. મીટર ફીટ કરવા આવનારાને તગડી મૂકવાના, બબાલ થવાના કિસ્સાઓ બનવા લાગ્યા છે, આ વધુ ગંભીર અને ચિંતાજનક બાબત છે. સ્માર્ટ મીટર લગાડવા કે ન લગાડવા તે બાબત જે તે રાજ્ય સરકારની…
Gujarat: સમગ્ર ગુજરાતમાં ગરમનું રૌદ્ર સ્વરુપ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા ગરમી સંદર્ભે રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે તડકામાં ઉભા રહેતી પોલીસ માટે ગુજરાતના પોલીસ મહાનિર્દેશક (કાયદો-વ્યવસ્થા) ડો.શમશેરસિંહે કેટલાક જરુરી નિર્દેશો જારી કર્યા છે. પોલીસ મહાનિર્દેશક(કાયદો-વ્યવસ્થા) ડો.શમશેરસિંહે જણાવ્યું છે કે હાલમાં રાજ્યમાં વધુ પડતી ગરમીના અનુસંધાને હવામાન વિભાગ દ્વારા મોટાભાગના શહેરો-જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગરમીના એલર્ટનાં અનુસંધાને પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ-કર્મચારીઓ તેમજ સામાન્ય નાગરીકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે આગમચેતી પગલાં-સૂચનાઓ ધ્યાને લેવાનું જણાવવામાં આવ્યું છે. શું શું કરવાનું રહે છે? (1) પોલીસ પેટ્રોલીંગ દરમિયાન જરૂરી પાણી, છાશ…
PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- ‘મારો પોતાનો કોઈ વારસો નથી, તમે મારો વારસો છો અને તમે મારા વારસદાર પણ છો. એટલા માટે હું તમારા અને તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માંગુ છું. તેમણે કહ્યું કે હું પીનલ કોડની જગ્યાએ જસ્ટિસ કોડ લાવ્યો છું, હવે દેશને લૂંટનારાઓ માટે બચવું મુશ્કેલ બનશે. PMએ કહ્યું કે ઈન્ડિયા ગઠબંધનનું પ્લેટફોર્મ કોઈ રાજકીય પ્લેટફોર્મ નથી, તે લાખો-કરોડોના કૌભાંડીઓનું મેળાવડો હોય તેવું લાગે છે. લગભગ 20 લાખ કરોડ રૂપિયાના કૌભાંડીઓ તેમના પ્લેટફોર્મ પર એકસાથે બેસે છે. જ્યારે તેઓ ભેગા થાય છે, ત્યારે તેમનામાં ત્રણ દુષ્ટતા સ્પષ્ટપણે દેખાય છે. તેઓ અત્યંત સાંપ્રદાયિક છે. તેઓ આત્યંતિક જાતિવાદી…