ગુજરાતમાં ગયા ફેબ્રુઆરી મહિના સુધી હોટલો, રેસ્ટોરન્ટ, મોલ અને શોપિંગ સેન્ટરોમાં વીક-એન્ડમાં 80 ટકા ગ્રાહકો જોવા મળતા હતા જે ઘટીને 25 ટકા થઇ ગયા છે. ક્યાંય પણ ભીડ જોવા મળતી નથી. ખાસ કરીને શનિવાર અને રવિવારે રજાના દિવસે રેસ્ટોરન્ટમાં વેઇટીંગ જોવામાં આવતું હતું જ્યારે અત્યારે રેસ્ટોરન્ટ ખાલી પડી છે. કોરોના સંક્રમણના કારણે માર્કેટમાં તેજીનો સંચાર થયો નથી. ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં કોરોનાના કારણે થતાં મોતનો આંકડો ઘટ્યો છે અને રિકવરી દર વધ્યો છે તેથી માર્કેટ ધીમે ધીમે સ્ટેબલ થઇ રહ્યું છે પરંતુ એક વખત કોરોનાની દવા કે રસી આવી જતાં ગુજરાતના શહેરોમાં માર્કેટમાં તેજી…
કવિ: Margi Desai
ગાંધીનગર: ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસો વધતાં કેન્દ્રીય ટીમ પાછી ગુજરાતની મુલાકાતે આવી રહી છે. કેન્દ્રીય ટીમ ત્રીજીવખત ગુજરાત આવી રહી છે. અગાઉ બે વખત આવ્યા પછી પણ કેસોની સંખ્યામાં ઘટાડો નહીં થતાં ત્રીજીવખત ટીમને મોકલવામાં આવી છે. સચિવાલયના સૂત્રો કહે છે કે કેન્દ્રીય ટીમ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અનુરોધ કર્યો છે. આ ટીમના ચાર સભ્યો શુક્રવારે ગુજરાત આવશે અને અમદાવાદ તેમજ સુરતમાં કોરોનાના વધતા કેસોની સમીક્ષા કરશે. આ ટીમ રાજ્યના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ હોસ્પિટલના જાણીતા તબીબો સાથે પણ ચર્ચા કરશે. આ ટીમમાં નીતિ આયોગના સદસ્ય વિનોદ પોલ, આઇસીએમઆરના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવ, એઇમ્સના ડીરેક્ટર રણદીપ ગુલેરિયા અને હેલ્થ…
તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી અને પછી બંધ થઇ ગયેલી ગ્લોબલ એગ્રીકલ્ચર વાયબ્રન્ટ સમિટ ફરીથી શરૂ કરવામાં આવી રહી છે. હવે આ સમિટની સાથે એક્ઝિબિશન પણ યોજવામાં આવશે. રાજ્યમાં સાત વર્ષે ફરીથી ખેડૂતોના લાભાર્થે આ સમિટ યોજાઇ રહી છે અને તે દર બે વર્ષે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. રાજ્યના કૃષિ વિભાગના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે કૃષિ વિકાસ માટે વહીવટી અને પૂર્વ જરૂરી સુવિધાની યોજનામાં રાજ્યના ખેડૂતોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની એગ્રીકલ્ચર સેક્ટરની શોધ અને નવીન કૃષિ મશીનરીનું માર્ગદર્શન મળી રહે તે તે હેતુથી આંતરરાષ્ટ્રીય કક્ષાનું કૃષિ પ્રદર્શન કમ મેળાનું આયોજન કરવામાં આવશે. વિભાગે જણાવ્યું છે કે દર…
ગુજરાતમાં વારેવારે ચઢી આવતાં તીડના ટોળાંને કાબૂમાં લેવા માટે પહેલાં કૃષિ વિભાગ વાહન અને સ્પ્રેના સાધનોની ખરીદી કરતું હતું પરંતુ કૃષિ વિભાગે આ જવાબદારીને આઉટસોર્સિંગથી પૂર્ણ કરવાનું નક્કી કર્યું છે. છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં પાકિસ્તાન અને ઓમાન તરફથી ત્રણ ત્રણ વખત તીડના ટોળાં આવી ચૂક્યાં છે અને ખેડૂતોના પાકને અસહ્ય નુકશાન કર્યું છે. કૃષિ વિભાગના ઉપસચિવ ભાવિતા રાઠોડ તરફથી બહાર પાડવામાં આવેલા એક આદેશમાં જણાવવામાં આવ્યું ચે કે તીડ નિયંત્રણની કામગીરી અર્થે વાહન અને સ્પ્રે ઇક્વિપમેન્ટ સેટ સાથેના યુનિટની આઉટસોર્સ સેવા લેવા માટે સરકારે ભંડોળ મંજૂર કર્યું છે તેથી હવે કૃષિ વિભાગ આવા સાધનો ખરીદ કરશે નહીં પરંતુ તેની કામગીરી…
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી) રાજ્યની તમામ બેંકો તેમજ પોસ્ટ ઓફિસને યુટીલીટી પૂરી પાડશે જેમાં એક કરોડથી ઉપરનો રોકડ ઉપાડ થાય તો બે ટકા ટીડીએસ આપોઆપ કપાઇ જશે. બેન્કો દ્વારા ટીડીએસ કાપવામાં કોઈ ગરબડ ન થાય તેના માટે આ પગલું લેવામાં આવ્યું છે. જો કોઇ ખાતેદારે છેલ્લાં ત્રણ વર્ષના રિટર્ન ફાઇલ નહીં કર્યા હોય તો તે હવે છટકી શકશે નહીં. આ વ્યવસ્થા પ્રમાણે ચાલુ વર્ષના બજેટમાં આવકવેરાની નવી ઉમેરાયેલી કલમ 194-એન મુજબ એક કરોડથી વધુ રકમનો રોકડમાં ઉપાડ કરનાર કોઇ પણ કરદાતા માટે સમગ્ર વર્ષમાં ટુકડે-ટુકડે મળીને પણ જો એક કરોડથી વધુ ઉપાડ કરશે તો દરેક બેન્ક, કોઓપરેટિવ બેંક…
ગાંધીનગર મહાનગરપાલિકામાં 18 ગ્રામ પંચાયતો, પેથાપુર પાલિકા અને સાત ગામોના સર્વે નંબરો દાખલ કરવામાં આવતાં હવે કોર્પોરેશન કરોડપતિ થશે, કારણ કે પ્રોપર્ટી ટેક્સ થકી કોર્પોરેશનની આવકમાં 40 ટકા થી વધુ રકમનો વધારો થવાનો છે. મહાનગર દ્વારા નવી મિલકતોનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે જેની ગણતરી હવે કોર્પોરેશન વિસ્તારમાં થવાની છે. મહાનગર દ્વારા જીયોગ્રાફીક ઈન્ફર્મેશન સિસ્ટમ અને પ્રોપર્ટી ટેકસ સર્વેના આધારે નવા વિસ્તારમાં રહેલી મિલકતોનો સર્વે કરવામાં આવનાર છે પરંતુ આ વિસ્તારોમાં રજીસ્ટર 85000 મિલકત અને અન રજીસ્ટર્ડ 40000 મિલકતોનો અંદાજ રાખવામાં આવતા કુલ 125000 જેટલી મિલકતો કોર્પોરેશનમાં સમાવવામાં આવશે જેથી ચાલુ વર્ષથી તેનો પ્રોપર્ટી ટેક્સ લેવામાં આવશે. ગાંધીનગર મહાનગરપાલિકા 2011માં…
અમદાવાદ અને ગાંધીનગરમાં ધનાઢ્ય પરિવારોએ તેમના મોટા બંગલા વેચવા કાઢ્યાં છે પરંતુ તેમને ખરીદારો મળતાં નથી. આ પરિવારો કોરોના સંક્રમણ દરમ્યાન સખ્ત નાણાંકીય ખેંચનો અનુભવ કરી રહ્યાં છે. શહેરી વિસ્તારમાં મોટા આવાસ છોડી પરિવારો રહેવા માટે નાનું આવાસ પસંદ કરી રહ્યાં છે અને બાકીની મૂડી બચત તરીકે રહેવા દેવા માગે છે. તેજીના સમયમાં રૂપિયા કમાયેલા પરિવારોએ વિશાળ જમીનમાં બંગલા અને લકઝુરિય સોસાયટીઓમાં બંગલા લીધા હતા. એ સમયે તેઓ બેન્ક લોક ભરી શકવાની ક્ષમતા ધરાવતા હતા પરંતુ લોકડાઉન અને કોરોનાના કેસો વધતાં બિઝનેસ-ધંધા ચોપટ થઇ ગયા છે તેથી આ પરિવારોમાં નાણાંકીય મુશ્કેલી ઉભી થઇ છે. ઘણાં પરિવારો એવાં છે કે તેઓ…
કોરોના સંક્રમણ દરમ્યાન દર્દીઓને દાખલ થવા માટે એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં દાખલ થવા ભટકવું પડે છે પરંતુ હવે તેનો અંત આવ્યો છે. કઇ હોસ્પિટલમાં બેડ ખાલી છે અને ક્યાં સુવિધા ઉપલબ્ધ છે તે હવે હાથમાં જ ખબર પડી જશે, એટલે કે તેની માહિતી મોબાઇલમાં મળી જશે. અમદાવાદ મેડિકલ એસોસિએશનની વેબસાઈટ પર ખાનગી હોસ્પિટલના કોરોના બેડ અંગેની મુકવામાં આવી માહિતી છે. આ વેબસાઈટમાં ‘કોવિડ બેડ’ કરીને ઑપ્શન ઉમેરાયું છે. જે મુજબ હવે અમદાવાદમાં કઇ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તેની માહિતી દર્દી અને તેના સગાંઓને મળી જશે. https://ahmedabadmedicalassociation.com નામની વેબસાઈટ પર જઇ લોકો ખાલી બેડની માહિતી મેળવી શકશે. આ વેબસાઇટના કોવિડ…
કોરોના કાળમાં લોકોને લૂંટવામાં બેન્કો બાકી રાખતી નથી તેમ હવે સરકાર પણ ગુમાવેલી આવક મેળવવા માટે લોકો પર ટેક્સનો કોરડો વિઝીં રહી છે. અણગમતા ટેક્સથી લોકોની કમર તૂટી ગઇ છે. એક તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાને કારણે મોંઘવારી આસમાને છે ત્યારે કોરોના સંક્રમણમાં ફરજીયાત વાપરવામાં આવતા માસ્ક અને સેનિટાઇઝરની કિંમતમાં પણ વધારો થશે. કેન્દ્રની જેમ રાજ્ય સરકારે પણ માસ્કને આવશ્યક ચીજવસ્તુમાંથી બાકાત કરી દીધા પછી બજારમાં માસ્કના મ્હોં માગ્યા દામ ચૂકવવા પડે છે. હવે સરકારે સેનિટાઇઝરના ઉત્પાદકો પર 18 ટકા જેટલો વિક્રમી જીએસટી લાગુ કરી દેતાં બઘો ભાર કન્યાની કેડ પર આવે તેમ ગ્રાહકો પર 18 ટકા જીએસટીનું ભારણ…
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 17 થી 23 જુલાઇ દમ્યાન રાજ્યમાં ભારે થી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ અને સૌરાષ્ટ્રના સાગરકાંઠે માછીમારોને દરિયા નહીં ખેડવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યના રાહત કમિશનર હર્ષદ પટેલે કહ્યું કે તમામ તાલુકામાં 1 મીમી થી 1337 મીમી સુધીનો વરસાદ નોંધાયો છે. રાહત કમિશનરના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર ઝૂમ ક્લાઉડ સોફ્ટવેરના માધ્યમથી ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેપ્યુટી કલેકટર ટીજે વ્યાસ દ્રારા તમામ ઓનલાઈન અધિકારીઓને…