ગુજરાતમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર મહેસૂલ વિભાગમાં થતો હતો પરંતુ હવે આ વિભાગને બદનામીથી ઉગારવાના પ્રયાસ થતાં હવે ભ્રષ્ટાચારે દિશા બદલી છે. છૂપી રીતે આ ભ્રષ્ટાચાર ખાણ-ખનીજ વિભાગમાં પ્રવેશી ચૂક્યો છે. રાજયમાં મહેસૂલ, ગૃહ અને શહેરી વિકાસ વિભાગમાં ભ્રષ્ટાચાર થાય છે તેવા વિપક્ષી આક્ષેપો અવાર નવાર થતાં હોય છે પરંતુ વિપક્ષના નેતાઓએ ખાણ અને ખનીજ વિભાગ તરફ નજર કરવાની જરૂર છે. હવે જ્યારે મુખ્યમંત્રી કચેરી અને ઉદ્યોગ વિભાગનું ધ્યાન ખાણ અને ખનીજ વિભાગ તરફ ગયું છે ત્યારે વિભાગના ઉચ્ચ અધિકારીઓને સરકારે આદેશ કર્યો છે કે વિભાગનો ભ્રષ્ટાચાર શોધી કાઢો. રાજ્યમાં રેતીમાં સૌથી મોટી રોયલ્ટી ચોરી થાય છે. એ ઉપરાંત બીજા ખનીજોમાં…
કવિ: Margi Desai
દૂધાળાં પશુઓના દૂધની કિંમત આજે 58 થી60 રૂપિયા થઇ ચૂકી છે પરંતુ તમને જો પાંચ રૂપિયામાં એક લીટર દૂધ મળે તો કેટલું સસ્તું કહેવાય… અચરજ પમાડે તેવું આ સંશોધન છે. જૂનાગઢના નાબાર્ડના પૂર્વ અધિકારીના પત્નીએ મગફળીને પ્રોસેસ કરી તેમાંથી પૌષ્ટીક દૂધ બનાવ્યું હતું. જો કે આ સંશોધનને આગળ લઇ જવામાં આવ્યું નથી તેથી લોકોને ખબર નથી કે મગફળી આરોગ્ય વર્ધક એવું દૂધ અને તેની બનાવટો આપી શકે છે. પારૂલદેવી રાવલનું આ સંશોધન હતું. તેમનો આ પ્રયાસ ગરીબી રેખાની નીચે જીવતા લોકોને પૌષ્ટીક આહાર આપી શકે છે. મગફળીના દૂધની બનાવટ એટલી સરળ છે કે લોકો જાતે ઘરમાં બનાવી શકે છે. તેમના…
દૂધથી નહાવાથી ચામડી સુંદર થાય છે અને ચહેરા પર નિખાર આવે છે તેવું ક્લીઓપેટ્રા માને છે પરંતુ દૂધની મદદથી ટીબી અને ડાયાબિટીસ જેવા રોગ કન્ટ્રોલમાં આવે છે તેવું સંશોધન રાજસ્થાનના બિકાનેરમાં કેમલ મિલ્કની એક સંશોધન શાળા નેશનલ કેમલ રીસર્ચ સેન્ટરનું છે. આ સેન્ટરની મુલાકાતે ગયેલા વિદેશી પર્યટકોએ કેમલ મિલ્કનો ઉપયોગ કરીને ઇન્સ્યુલીનના ઇન્જેક્શન બંધ કર્યા હોવાના દાખલા નોંધાયા છે. કેમલ રીસર્ચ સંસ્થાના ડાયરેક્ટર કહે છે કે અમે આ સેન્ટરમાં બિકાનેરી, જેસલમેરી અને કચ્છી ઊંટની નસલને સુધારવાનું કામ કરીએ છીએ. આ સંસ્થાના ચાર સંશોધકોએ ડાયાબિટીક વિદેશી પેશન્ટોને ઊંટડીનું દૂધ પિવડાવીને ડાયાબિટીસ કન્ટ્રોલ કરવામાં સફળતા મેળવી છે. આ સંશોધનમાં 92 ટકા પેશન્ટો…
ગુજરાત સરકારમાં કોર્પોરેટ કલ્ચરનો પ્રવેશ ત્યારે થયો હતો જ્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતનું શાસન સંભાળ્યું હતું. એ સમયે સચિવાલયના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઘડિયાળના કાંટે નહીં, સરકારની ઇચ્છાશક્તિ પ્રમાણે કામ કરતા હતા. મોદીના શાસનમાં ત્રણ ઇમારત–મહાત્મા મંદિર, સ્વર્ણિમ સંકુલ અને ગિફ્ટ સિટી– એટલી ઝડપથી બનાવવામાં આવી છે કે આજે આવી કોઇ ઇમારત આટલી ઝડપથી બનતી નથી. મોદીના સમયથી ચાલતા આવેલા આજે 150 જેટલા પ્રોજેક્ટ્સમાં વિલંબ થઇ રહ્યો છે. ગુજરાતમાં અમદાવાદ મેટ્રોરેલના પ્રોજેક્ટમાં અસહ્ય વિલંબ થયો છે. 2007ની યોજના 13 વર્ષ પછી પણ પૂર્ણ થઇ નથી. કલ્પસર યોજના તો કલ્પના જ રહી છે. હાલની સરકારમાં કોર્પોરેટ કલ્ચરનો અભાવ છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં 4610…
ગુજરાતના લોકોનો મુખ્ય ખોરાક દાળ-ભાત અને ખીચડી છે. ભાત વિનાની રસોઇ અધુરી ગણાય છે. ભાત એટલે ડાંગર-ચોખા. આ ડાંગરના પાકની આડપેદાશ રાજ્યના ખેડૂતોને લખપતિ બનાવી શકે છે. વિદેશોમાં આ સંશોધન થયું છે પરંતુ ગુજરાતના ખેડૂતો ડાંગરની આડપેદાશોથી અજ્ઞાન છે. ગુજરાત કૃષિ યુનિવર્સિટીના ખેડા જિલ્લાના નવાગામમાં આવેલા ચોખા સંશોધન કેન્દ્રમાં થયેલા સંશોધન પ્રમાણે ડાંગરના પિલાણ પછી મીલમાંથી નીકળતી ચોખા સિવાયની ઘણી બધી આડપેદાશોને વિવિધ ઉદ્યોગોમાં ફેરવવામાં આવે તો દેશનું આર્થિક પાસું બદલી શકાય છે. ડાંગરનો એક છોડ 25 થી 30 આડપેદાશ આપે છે. ડાંગરમાંથી ચોખા, મમરા, પૌંઆ, દારૂ, સ્ટાર્ચ, પાપડી બને છે. કુશકીમાંથી તેલ, ખોળ, મીણ, ટાર અને વેસ્ટ બને છે.…
ગુજરાત પોલીસમાં લાંબા સમય પછી પોલીસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવેશે તેમજ મોટાભાગના ઓફિસરોની મોટાપાયે બદલીઓ થવાની છે. આ પ્રમોશન અને બદલીઓ આઇપીએસ કેડરમાં જોવા મળશે. આ બદલીઓ સાતે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં નવા પોલીસ કમિશનરની નિયુક્તિ થાય તેવી સંભાવના છે. પોલીસ તંત્રમાં મહત્વના ફેરફાર કરતા પહેલાં સરકારે ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટી (DPC) ની બેઠક કરી હતી જેમાં 1986 અને 1987 બૅચના આઇપીએસ અધિકારીઓને એડિશનલ ડીજી કક્ષાથી ડીજી કક્ષાએ પ્રમોશન આપવામાં આવી શકે છે. ગુજરાતમાં ડીજી કક્ષાના અધિકારીઓની જગ્યા ખાલી છે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા આ મહિનાના અંતે નિવૃત્ત થઇ રહ્યાં છે. તમનો એક્સટેન્શન સમય પૂર્ણ થયો છે.…
થોડાં સમય પહેલાં પરેશ રાવલ અભિનીત ઓહ માય ગોડ ફિલ્મ આવી હતી તેમાં તેમનો રોલ નાસ્તિકનો હતો. તેઓને ભગવાનમાં શ્રદ્ધા ન હતા અને કોર્ટમાં ભગવાન સામે કેસ કર્યો હતો. બરાબર તેના જેવો એક કેસ અમદાવાદમાં જોવા મળે છે. જો કે તે ભગવાનમાં તો શ્રદ્ધા ધરાવે છે પરંતુ ધર્મ કે જાતિ તેને અસર કરતાં નથી તેથી તેણે વિચિત્ર પણ સરાહનિય માગણી કરી છે. અમદાવાની આ વ્યક્તિએ તેને નાસ્તિક જાહેર કરવા માટે હાઇકોર્ટની શરણ લીધી છે. રીક્ષા ચાલક આ વ્યકિતએ પોતાની દીકરી કે જે સ્કૂલમાં અભ્યાસ કરે છે તેના સર્ટીફિકેટમાં પણ તેમની જાતિ કે ધર્મ લાખાવ્યા નથી. રાજવીર ઉપાધ્યાય જે કર્મે રીક્ષા…
ગુજરાતમાં કોરોનાના રોકેટગતિએ વધી રહેલા કેસોમાં કોરોનાના ગંભીર દર્દીની સારવારમાં વપરાતું ઇન્જેક્શન તેમજ અસરકારક દવાનો જથ્થો ઓછો હોવાથી રાજ્ય સરકારે તેનો સંયમપૂર્વક ઉપયોગ કરવાની સલાહ આપી છે. કોરોનાના ત્રણ પ્રકારના દર્દીઓ પૈકી જે દર્દી વધુ ગંભીર હોય તેમનો જીવ બચાવવા બે મહત્વની દવાઓનો વિવેકપૂર્વક ઉપયોગ કરવા રાજ્ય સરકારે હોસ્પિટલ અને તબીબી સ્ટાફને અપીલ કરી છે. આ દવાઓ જીવ બચાવવા માટે ખૂબ ઉપયોગી છે તેથી નિદાન પછી જરૂરિયાત મંદ દર્દીને જ આપવી જોઇએ તેમ કહેવામાં આવ્યું છે. ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યા વધતી જાય છે અને હવે રોજનો આંકડો 800 નજીક પહોંચી ગયો છે. હોસ્પિટલમાં સામાન્ય રીતે ત્રણ પ્રકારના દર્દીઓની સારવાર…
ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસો વિક્રમી ગતિએ વધતા જાય છે અને હવે દર્દીઓનો રોજનો આંકડો 800 સુધી પહોંચવામાં આવ્યો છે ત્યારે ગુજરાત હાઇકોર્ટ પણ કોરોના સંક્રમણથી બાકાત નથી. આ પરિસરમાં પણ પોઝિટીવ કેસો આવતાં હાઇકોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત હાઈકોર્ટમાં કોરોનાનો પગપેસારો થતા કામકાજ બંધ રાખવાની ફરજ પડી છે. ગુજરાત હાઇકોર્ટના 6 કર્મચારી અને 1 પોલીસ કોન્સ્ટેબલ સહિત 7 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં હાઇકોર્ટના પરિસરમાં ફફડાટ ફેલાયો છે. કોરોનાના કેસ સામે આવતાં ગુજરાત હાઇકોર્ટમાં 8 થી 10 જુલાઇ સુધી કામકાજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયમાં હાઇકોર્ટની બિલ્ડીંગ, હોલ અને પરિસરને ત્રણ દિવસ બંધ રાખીને સેનિટાઇઝ કરવામાં…
વિશ્વની જેમ હવે ભારત અને ગુજરાતમાં કોરોના સંક્રમના કેસો વધતા જાય છે. સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન ચોથું છે પરંતુ કોઇપણ સમયે ભારત ત્રીજાનંબરનો કોરોના સંક્રમિત દેશ થઇ જાય તેવી સ્થિતિ છે. આ સંજોગોમાં એક એવા અણસાર મળ્યાં છે કે કોરોના દર્દીને રોગ તો મટી ગયો. સાજો થઇને ઘરે ગયો છે પરંતુ કદાચ તેને જીવનભર બીજી કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવાનો રહેશે. એક અભ્યાસમાં એ જાણવા મળ્યું છે કે કોરોનાથી ઠીક થનારા દર્દીઓમાં દર ત્રણમાંથી એક દર્દીમાં જીંદગીભર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. અને લાંબો સમય સુધી તેમના માટે ફેફસાંને નુકસાન પણ થઈ શકે છે. બ્રિટીશ અખબારે ઈંગ્લેન્ડના મુખ્ય સ્વાસ્થ્ય એજન્સી નેશનલ…