ગાંધીનગર — કોરોના સંક્રમણના સમયમાં એક ચીજ એવી છે કે જેને કોઇ સંક્રમણ લાગતું નથી. તેને સેનિટાઇઝરની જરૂર નથી. માસ્કની જરૂર નથી. તે ક્યારેય દર્દી બનતી નથી. તેનામાં વાયરસ આવી શકતો નથી. તેનો ઇલાજ પણ કરવામાં આવતો નથી તેમ છતાં તે કોરોના સંક્રમિત દર્દીઓની મદદમાં જોડાય છે. આ ચીજ એવી છે કે જે ડોક્ટરો તેમજ મેડીકલ સ્ટાફને મદદ કરે છે. દર્દીઓની સારવાર કરે છે. દર્દીના શરીરમાં ગમે તેવો ગંભીર વાયરસ હોય તેનો ઇલાજ ડર વિના કરે છે. આ ચીજવસ્તુનો આવિષ્કાર વિશ્વના અનેક દેશો કરી ચૂક્યાં છે. ચીનમાં તો આ ચીજવસ્તુના કારણે ડોક્ટરોને થતું સંક્રમણ ઘટાડી શકાયું છે. મેડીકલ સ્ટાફ પણ…
કવિ: Margi Desai
ગાંધીનગર– ગુજરાતમાં એક યુનિવર્સિટીએ એવી પદ્ધતિ દાખલ કરી છે કે જે વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષા આપવી હોય તે ઓનલાઇન આપી શકે છે, અને જો કોઇને ઓફલાઇન આપવી હોય તો પણ આપી શકે છે. બન્ને વિકલ્પો સ્ટુડન્ટ્સ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. ગુજરાત સરકારની ગાઇડલાઇન પ્રમાણે, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા વિવિધ શાખાઓના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. કોવિડ સંક્રમણના સમયમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને કોઈ પણ પ્રકારનું જોખમ ઊભું ના થાય તેની સંપૂર્ણ તકેદારી રાખવા માટે જીટીયુના પરીક્ષા વિભાગ દ્વારા સંલગ્ન તમામ કોલેજના પ્રિન્સિપાલ સાથે ઓનલાઇન બેઠક કરવામાં આવી હતી. જીટીયુના પરીક્ષા વિભાગના અધિકારીઓ દ્વારા સંલગ્ન તમામ…
ગાંધીનગર — ગુજરાતનો નર્મદા ડેમ રમણીય લાગી રહ્યો છે. ડેમની સપાટી 127.46 મીટરે નોંધાઇ છે. બન્ને પાવર હાઉસમાં રોજનું 17 થી 20 મિલિનય યુનિટનું વીજ ઉત્પાદન શરૂ થઇ રહ્યું છે. નર્મદાની મુખ્ય નહેર મારફતે 8600 ક્યુસેક પાણી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા નિગમના ડાયેરક્ટર પીસી વ્યાસે જણાવ્યું હતુ કે, નર્મદા બંધની જળ સપાટી આજે સવારે 127.46 મીટર થઇ છે અને લાઇવ સ્ટોરેજ 2700 MCM ની આસપાસ છે. ગુજરાતના ભાગે જે હિસ્સો આવે છે એ હિસ્સા પ્રમાણે મધ્યપ્રદેશ ડેમમાંથી અત્યારે પાણી છોડવામાં આવી રહ્યું છે, જેનો સંગ્રહ સરદાર સરોવર ડેમમાં થઇ રહ્યો છે. મુખ્ય નહેરમાંથી સૌરાષ્ટ્ર…
ગાંધીનગર — કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે ગુજરાત સરકારે વેરા સમાધાન યોજનામાં ત્રણ મહિનાનો વધારો કર્યો છે. હવે પહેલો કે બીજો હપ્તો જે કોઇ વેપારી ભરી શક્યા નથી તેઓ તેમનો હપ્તો 31મી જુલાઇ સુધીમાં ભરી શકે છે.રાજ્યના નાણાં વિભાગે 6ઠ્ઠી ડિસેમ્બર 2019ના રોજ ગુજરાતના વેપારીઓ માટે આ યોજના શરૂ કરી હતી. વસુલાતના બાકી કિસ્સાઓમાં અગાઉ ભરાયેલ આંશિક ભરણું પુરેપુરૂ મજરે આપવા, અગાઉના બાકી મૂળ વેરો ભર્યેથી વ્યાજ અને દંડમાં માફી આપવા, વેરા સમાધાન યોજના હેઠળ ભરવાની થતી રકમ હપ્તેથી ભરવાની સગવડ આપવા, હપ્તાની રકમ ભરવામાં ચુક થયે વ્યાજ સાથે ભરવાની સુવિધા આપવા અને ‘સી‘ફોર્મ અંગે ચાલતી અપીલોમાં ખરાઇ ન થતાં…
ગાંધીનગર – ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ ચૂકી છે. આગામી સપ્તાહમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનાં વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ થવાની સંભાવના છે. અત્યારે રાજ્યના પાંચ તાલુકાને બાદ કરતાં તમામ તાલુકામાં એક મીમી થી 232 મીમી સુધીનો વરસાદ થયો છે.રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર ઝૂમ ક્લાઉડ સોફ્ટવેરના માધ્યમથી યોજવામાં આવ્યો હતો જેમાં હર્ષદ પટેલે જણાવ્યુ હતું કે, રાજ્યમાં 15મી જૂન સુધીમાં 95.23 મીમી વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ 831 મીમીની સરખામણીએ 11.46 ટકા છે. જો કે કચ્છ જિલ્લાના અબડાસા, લખપત તાલુકા તેમજ દેવભૂમી દ્વારકા તાલુકામાં આજ દિન સુધી વરસાદ…
ગાંધીનગર — ગુજરાતની એક કહેવત છે કે- ઘરડાં ગાડાં વાળે—એટલે કે જેટલા અનુભવી લોકો હોય તેટલો પ્રગતિનો માર્ગ આસાન થઇ જાય છે. ગુજરાતમાં જ્યારે રાષ્ટ્રીય જનતા પાર્ટીની સરકાર હતી ત્યારે શંકરસિંહ વાધેલાએ તેમની સરકારમાં અનુભવી નિષ્ણાંતોને સરકારના સલાહકાર બનાવ્યા હતા. બાપુની સરકારમાં શિક્ષણમાં, ઉદ્યોગમાં પાણીના સ્ત્રોતમાં તેમજ રાજકીય સલાહકાર નિયુક્ત થયેલા હતા. બાપુ કોઇપણ નવો નિર્ણય કરતા ત્યારે તે પહેલાં ગુજરાતના અનુભવસિદ્ધ નિષ્ણાંતોને તેમના બંગલે અથવા ઓફિસમાં આમંત્રણ આપીને બોલાવતા હતા અને તેમની સાથે ચર્ચા કરતા હતા. તમામના સૂચનો લઇને સરકાર તમામની દરખાસ્તને આખરી કરતી હતી. શંકરસિંહ વાઘેલાએ કહ્યું છે કે ગુજરાતમાં ભલે શરાબબંધી હોય પરંતુ એક કહેવત છે કે…
ગાંધીનગર – કોરોના સંક્રમણ અને લોકડાઉનના સમયમાં સૌથી વધુ જો માર પડ્યો હોય તો તે માઇક્રો ફાયનાન્સની કંપનીઓને છે, કારણ કે નાના વેપારીઓ અને વ્યક્તિગત ધંધાર્થીઓએ લોન લેવા માટે આ કંપનીઓને એપ્રોચ કરવાનું ઓછું કરી દીધું છે, કારણ કે લોકો પાસે ઉંચા વ્યાજ ભરવાના વિકલ્પો નથી. દેશભરની 12થી વધુ કંપનીઓ કે જે ગુજરાતમાં પણ બ્રાન્ચ ધરાવે છે તેમની પડતી શરૂ થઇ છે. માઇક્રો ફાયનાન્સ સેક્ટરમાં કોન્સોલિડેશનની પ્રક્રિયા શરૂ થઇ છે. આ કંપનીઓએ તેમનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે મર્જરનો વિકલ્પ પસંદ કર્યો છે. 200 કરોડથી ઓછી રકમનું લોનનું લેણું ધરાવતી કંપનીઓએ રસ ધરાવતી એન્ટીટીને બિઝનેસના વેચાણ અથવા મર્જર માટે સંપર્ક કર્યો…
સુરત:સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.૧૫ જુનના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, દેશભરમાં કોરોના વાઇરસને કાબુ કરવામાં સુરત શહેરનો રીકવરી રેટ જે ૬૯ ટકા થયો છે. આજે ૬૫ વધુ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૧૮૪૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. શહેરમાં ગઈકાલે પોઝિટીવ કેસોની સંખ્યા ૨૬૧૪ હતી, જેમાં ૬૪ કેસોનો વધારો થવાથી આજે કુલ ૨૬૭૮ કેસો થયા છે. કુલ ૧૦૭ દર્દીના મૃત્યુ નોંધાયા છે. ૪ ટકા મૃત્યુ દર છે. પોઝિટીવ કેસો પૈકી સૌથી વધુ સુરતના કતારગામ ઝોનમાંથી આજે કુલ ૨૪ કેસો મળી આવ્યા છે. જેમાંથી ૧૧ કેસો હિરાના એકમો સાથે સંકળાયેલા છે.…
ગાંધીનગર: ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે 19મી જૂને ચૂંટણી થવાની છે ત્યારે કોંગ્રેસ માટે હજી પણ એક ચાન્સ છે કે જે ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને રાજ્યસભામાં જતા અટકાવી શકે છે. જો તેમ થાય તો કોંગ્રેસના 8 ધારાસભ્યો તોડ્યાં પછી પણ ભાજપનું નાક કપાઇ શકે છે. અત્યારે તો કોંગ્રેસ માટે રાજ્યસભામાં બે બેઠકો જીતવી કપરી દેખાઇ રહી છે. કોંગ્રેસને ધારાસભ્યોના મત લેવા માટે ખૂબ મહેનત કરવી પડે તેમ છે. કોંગ્રેસ તરફથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને બન્નેમાંથી કોઇ ઉમેદવારી જતી કરે તેમ નથી. શક્તિસિંહને હાઇકમાન્ડના ઉમેદવાર માનવામાં આવે છે તેથી તેઓ પહેલો પ્રેફરન્સ બન્યા છે…
ગાંધીનગર: કેન્દ્ર સરકારે તેના ઉચ્ચ અધિકારીઓ માટે એવો આદેશ કર્યો છે કે જે ઓફિસરોએ એમબીબીએસ કે એમડી સુધીનો અભ્યાસ કર્યો હોય તેમણે કોરોના સંક્રમણના સમયમાં હોસ્પિટલોમાં કામ કરવાનું રહેશે. કેન્દ્રએ રાજ્યોને પણ આવો આદેશ કર્યો છે અને કહ્યું છે કે ભારતીય સનદી સેવાઓના જેટલા ઓફિસરો હોય તેમને કોવિડની કામગીરીમાં સામેલ કરો. આ આદેશ પછી ગુજરાત સરકારે એક યાદી બનાવી છે અને તેમને ડ્યુટી સોંપવામાં આવી રહી છે. ગુજરાત સરકારે મેડીકલની ડીગ્રી ધરાવતા 15 આઇએએસ અને 9 આઇપીએસ ઓફિસરોની યાદી બનાવી છે અને તેમને કોરોના સંક્રમણના સમયે હોસ્પિટલોની ડ્યુટી સોંપવાનું નક્કી કર્યું છે. આ ઓફિસરોને મેડીકલ ક્ષેત્રનું જ્ઞાન છે તેથી તેમના…