ગાંધીનગર – ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અનલોક-1ની જાહેરાત કરી છે. આ અનલોકની ગાઇડલાઇન 1લી જૂનથી શરૂ થશે. ક્યાં છૂટ આપી છે અને ક્યાં હજી છૂટ નથી તેની વિગતો આ પ્રમાણે છે….1. કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં.2. કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં સવારના ૮ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી વેપાર ધંધા રોજગાર ચાલુ ચાલુ રાખી શકાશે. 3. સમગ્ર રાજ્યમાં રાતના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી સમગ્ર ગુજરાતમાં કરફ્યુનો અમલ કરાશે.4. રિજયોનલને બદલે સમગ્ર રાજ્યમાં એસ.ટી બસો 60 ટકા સિટિંગ કેપિસિટી સાથે ચાલશે5. સમગ્ર રાજ્યમાંથી દૂકાનો માટે ઓડ ઈવન પદ્ધતિ સંપૂર્ણ બંધ6.…
કવિ: Margi Desai
ગાંધીનગર – ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણ અને લોકડાઉનથી પિટાઇ ગયેલા શૂક્ષ્મ, નાના અને મધ્યમકક્ષાના ઉદ્યોગોની હાલત કફોડી બની છે. બે અઢી મહિનાથી આ ઉદ્યોગો બંધ હોવાથી સંચાલકો તેમજ તેના શ્રમિકો પરેશાન છે તેવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઉદ્યોગોને મદદ કરવા માટે બેન્કોને અપીલ કરી છે.રૂપાણીની આ અપીલ જો બેન્કો માને તો આ ઉદ્યોગો છ મહિનામાં ફરીથી ધમધમતા થઇ શકે છે પરંતુ મુખ્યમંત્રીની અપીલની અવગણના થશે તો આ ઉદ્યોગોને કાયમી બંધ કરવાનો સમય આવી શકે છે. મુખ્યમંત્રીએ આદેશ કર્યો નથી પરંતુ અપીલ કરી છે તેથી બેન્કોની નિયત પર શંકા જાય તે સ્વાભાવિક છે, પરંતુ મુખ્યમંત્રીએ કહ્યું છે કે લોન સહાય આપીને…
ગાંધીનગર – ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એક્ટિવ થયાં છે અને જોખમી રીતે હોસ્પિટલોમાં ફરી રહ્યાં છે. તેઓ દર્દીઓને મદદ કરવા પણ આગળ આવી રહ્યાં છે. તેમનો પ્લાન શું છે તેની ભાજપના પ્રદેશ નેતાઓ પણ છાનબીન કરી રહ્યાં છે. શું શંકરસિંહ ફરીથી કોંગ્રેસમાં જવાની તૈયારી કરી રહ્યાં છે. શું તેઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં એનસીપીને મોટાપાયે મેદાનમાં ઉતારવાની યોજના બનાવી રહ્યાં છે. તેઓ કોરોના સંક્રમણના સમયે એક્ટિવ કેમ થયાં છે.. આવા અનેક પ્રશ્નો પૂછાઇ રહ્યાં છે. 1995 અને 1996માં ભાજપની બે સરકારોને ઉથલાવીને મુખ્યમંત્રી બનેલા શંકરસિંહ વાઘેલાએ તેમના શાસનમાં બોલ્ડ નિર્ણયો લઇને કોંગ્રેસની સાથે ભાજપના નેતાઓને ચોંકાવી દીધા હતા. જો…
ગાંધીનગર – ગુજરાતના ખેડૂતોના ટૂંકી મુદ્દતના પાક ધિરાણની રકમ પરત ભરપાઇ કરવાની સમય મર્યાદા વધુ ત્રણ મહિના સુધી વધારી આપવામાં આવી છે. આ નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો છે. હવે ગુજરાતના ખેડૂતો 31 ઓગસ્ટ 2020 સુધીમાં ટૂંકી મુદતનું પાક ધિરાણ પરત ભરપાઈ કરી શકશે.રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની રજૂઆત પ્રમાણે ભારત સરકારે આ મુદ્દત વધુ ત્રણ મહિના માટે એટલે સુધી વધારી આપી છે. રૂપાણીએ કોરોના વાયરસને કારણે પ્રવર્તમાન લૉકડાઉનની સ્થિતિમાં ખેડૂતોના પાક વેચાણને પડેલી અસરથી બેન્કોમાંથી લીધેલી ટૂંકી મુદ્દતનું ધિરાણ 31મી માર્ચ-2020 સુધીમાં ભરપાઈ કરી શકે તેમ ન હોઇ, અગાઉ આ મુદ્દત 31મી મે સુધી લંબાવવા રજૂઆત કરી હતી.ખેડૂતોને સાત ટકાના દરે…
ગાંધીનગર – ગુજરાત સરકારે દાવો કર્યો છે કે એક વર્ષમાં રાજ્યએ 42976 કરોડ રૂપિયાનું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ મેળવ્યું છે. કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના અહેવાલમાં ગુજરાત દેશભરમાં અગ્રસ્થાને આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.દેશના એવરેજ એફડીઆઇ ગ્રોથથી 20 ગણું એફડીઆઇ ગુજરાતમાં આવ્યું છે. ભારતના બીજાક્રમના રાજ્ય કર્ણાટક કરતાં આઠ ગણું એફડીઆઇ ગુજરાતે મેળવ્યું છે. સરકારે દાવો કર્યો છે કે દેશમાં થયેલા ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રેન્યોર્સ મેમોરેન્ડમમાં 51 ટકા ફાળો એકલા ગુજરાતનો છે.સરકારના આંકડા કહે છે કે એપ્રિલ થી સપ્ટેમ્બર 2019 સુધી 262 વિદેશી કંપનીઓના ઓપરેશન ગુજરાતમાં શરૂ થયાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી કહે છે કે કોરોનાની સ્થિતિ…
ગાંધીનગર– ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે સારવાર લઈ રહેલાં કોરોનાના દર્દીઓ અને તેમની દિવસ-રાત સેવા કરતાં ડોકટર્સ અને નર્સ સાથે ગાંધીનગર ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સીધો સંવાદ કર્યો છે. ગાંધીનગર ખાતે સીએમ ડેશબોર્ડના માધ્યમથી રૂપાણીએ જણાવ્યું હતું કે કોરોનાના દર્દીઓનો જીવ બચાવવા માટે 50,000થી વધુ કિંમતનું લાઈફ સેવિગ ઈન્જેક્શન આપવા પણ સરકાર તૈયાર છે.મુખ્યમંત્રી તથા કોરોના દર્દીઓ અને તબીબો વચ્ચે થયેલા સંવાદના મુખ્ય અંશો: –મુખ્યમંત્રી : કેમ ચાલે છે, દર્દીઓના ડિસ્ચાર્જમાં વધારો થયો છે કે નહીં ?તબીબ મુક્તેશ : હા સાહેબ, ખૂબ સરસ ચાલે છે. દર્દીઓના ડિસ્ચાર્જમાં સુધારો થયો છે અને અહિંયા કોઈ સમસ્યા નથી, પૂરતી માત્રામાં…
ગાંધીનગર – અમદાવાદ સ્થિત સોલા સિવિલ હોસ્પિટલ ખતરનાક ખેલ ખેલી રહી છે. ઉપરથી સૂચના હોય કે વ્યક્તિગત રીતે કોઇએ આમ કર્યું હોય પરંતુ તે સાચી દિશાનો રસ્તો નથી. આ હોસ્પિટલના સ્ટાફે કોરોના વાયરસના સંભવિત લક્ષણોયુક્ત દર્દીને ભગાડી દીધો છે. તેનો ટેસ્ટ કરવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો છે.અમદાવાદ સ્થિત કોબા સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસના લક્ષણો સાથે ગયેલા અમદાવાદના એક યુવકે કહ્યું હતું કે મારે કોરોનાનો ટેસ્ટ કરાવવો છે. તેને પૂછવામાં આવ્યું કે શું થાય છે ત્યારે તે યુવાન કહે છે કે મને ગળામાં દુખાવો છે અને તાવ છે. સિવિલના સ્ટાફે આ યુવકને કહ્યું કે તમે જે દવા લો છો તે લઇને…
ગાંધીનગર – ગુજરાત સરકાર એવું માને છે કે કોરોના સંક્રમણના ટેસ્ટ ઓછા કરવાથી કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા ઘટશે પરંતુ હકીકતમાં રાજ્યમાં મોટું જોખમ ઉભું થઇ રહ્યું છે. રાજ્યમાં કેસોની સંખ્યા ઝડપથી વધી રહી હોવાથી પાડોશી રાજ્ય મહારાષ્ટ્રનું ઉદાહરણ આપવામાં આવે છે અને કહેવાય છે કે મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાં કેસો ઓછા છે પરંતુ આ સરખામણી એટલા માટે યોગ્ય નથી કે મહારાષ્ટ્રમાં ટેસ્ટની સંખ્યા ગુજરાત કરતાં અનેકગણી વધારે છે. સંભવ છે કે જેટલા ટેસ્ટ વધે તેટલા પોઝિટીવ કેસો વધવાની શક્યતા છે.ગુજરાતે કોરોના સંક્રમણના જિલ્લાસ્તરના આંકડા આપવાનું બંધ કરી એવું સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે કે રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણ હેઠળ છે પરંતુ…
ગાંધીનગર- ગુજરાતના ગરીબ દર્દીઓ સરકારી હોસ્પિટલોમાં સારવાર લેવા તો જાય છે પરંતુ સ્ટાફની અછત હોવાથી દર્દીઓની સમયસર સારવાર થઇ શકતી નથી. અમદાવાદ સ્થિત ત્રણ મોટી સરકારી હોસ્પિટલોમાં મેડીકલના સાધનો સર્વોત્તમ અને નવી ટેકનોલોજી યુક્ત છે પરંતુ તેને ચલાવી શકે તેવો ટ્રેઇન સ્ટાફ નથી. આ સ્ટાફ ભરવા માટે આરોગ્ય વિભાગે છેલ્લા કેટલાક વર્ષોથી આઉટ સોર્સિંગ શરૂ કર્યું છે.પ્રાઇવેટ એજન્સીઓ સરકારી હોસ્પિટલોમાં ટ્રાફની ભરતી કરતી હોય છે. અમદાવાદની સિવિલ, કીડની, હાર્ટ અને કેન્સરની મોટી હોસ્પિટલમાં મંજૂર મહેકમ સામે પુરતો સ્ટાફ નથી. સિવિલમાં 4699નો સ્ટાફ મંજૂર કરવામાં આવ્યો છે જે પૈકી 935 જગ્યાઓ ખાલી પડી છે જે પૈકી વર્ગ-1ની 33 જગ્યાઓ ખાલી છે.…
ગાંધીનગર – કોરોના સંક્રમણ અને તેના પહલે લોકડાઉન કરવાથી ગુજરાતની ઇકોનોમીને કેટલી અસર છે અને કેટલા ઉદ્યોગોની દશા ખરાબ થઇ છે તેનો અભ્યાસ કરવા બનાવેલી ઉચ્ચસ્તરિય કમિટીના ઓફિસરોને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે બોલાવ્યા હતા અને તેમની પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવ્યો છે.રાજ્યમાં ઉદ્યોગોને છૂટ આપવાથી કેવો ફરક પડ્યો છે… મજૂરો વતન જતા રહ્યાં છે તો તેનાથી શું નુકશાન છે… વિવિધ સેક્ટરોનું પુનર્ગઠન કેવી રીતે કરી શકાય તેમ છે.. તેવા અનેક સવાલો મુખ્યમંત્રીએ આ અધિકારીઓને પૂછ્યા હતા.કોરોના વાયરસની સ્થિતિ પછી રાજ્યમાં આર્થિક પૂનનિર્માણ પગલાં અને રાજકોષિય-ફિઝકલ પૂનર્ગઠનની ભલામણો માટે પૂર્વ કેન્દ્રીય નાણાં સચિવ ડૉ. હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરવામાં…