મેં આપની સાથે 17મી માર્ચે કોરોના વાયરસની પરીસ્થિતિ અંગે વાતચીત કરી હતી. મિત્રો, એ વખતે રાજ્યમાં કોરોનાનો એકપણ પોઝિટીવ કેસ નોંધાયો ન હતો. આજે રાજ્યમાં પાંચ વ્યક્તિઓને કોરોના વાયરસનાં પોઝિટીવ કેસ આપણી વચ્ચે આવ્યા છે. સાથીઓ, જે પાંચ પોઝિટીવ કેસ મળી આવ્યા છે તે તમામ વિદેશથી અહીં આવેલા આપણા ભાઈઓ-બહેનો છે. રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે આ વૈશ્વિક મહામારીને પહોંચી વળવા માટે સક્ષમ અને સંપૂર્ણ સજ્જ છે. આપ સૌ જનતા જનાર્દનનો પણ ખૂબ સક્રિય સહયોગ મળી રહ્યો છે. ભાઈઓ-બહેનો કોરોના વાયરસની બીમારી આપણા સૌની સતર્કતા અને તકેદારી છતાં પણ વધી રહી છે ત્યારે હું રાજ્યનાં મુખ્યમંત્રી તરીકે આપ સૌને ફરી એકવાર…
કવિ: Margi Desai
ગાંધીનગર- ગુજરાતમાં 13મી વિધાનસભા અને 14મી વિધાનસભા મળીને અઢી વર્ષમાં કોંગ્રેસના કુલ 27 ધારાસભ્યોએ રાજીનામાં આપીને કેન્દ્રીય મોવડીમંડળને ચોંકાવી દીધું છે. કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટાયેલા આ ધારાસભ્યોએ અંગત કારણોસર પક્ષપલ્ટો કર્યો છે અથવા તો ભાજપમાં ભળી ગયા છે. કોંગ્રેસના ધારાસભ્યો તોડવાની પરંપરા તો 1995થી ચાલતી આવે છે, જે જ્યારથી ગુજરાતમાં ભાજપની સરકાર આવી છે. રાજ્યમાં 1995 પછી આવેલી 1998, 2002, 2007, 2012 અને 2017ની વિધાનસભાની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસના અનેક ઉમેદવારો ભાજપમાં જતા રહ્યાં છે. કોંગ્રેસે ટિકીટ ના આપી હોય તેવા ઉમેદવારો ભાજપમાં જઇને ચૂંટણી જીતી આવ્યા છે. હાલ કોંગ્રેસના છ થી વધુ ધારાસભ્યો ભાજપની સરકારમાં કીપોસ્ટ ભોગવી રહ્યાં છે. 2017માં…
ગાંધીનગર- વિશ્વ હાલ કોરોના વાઈરસના ભરડામાં સપડાયું છે અને તેનો ફેલાવો ના થાય તેની તકેદારીના ભાગરૂપે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ અને કૉલેજ બંધ કરાવવામાં આવ્યા છે. જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં તકલીફ ના પડે, તે માટે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા તમામ સંલગ્ન કૉલેજને ઓનલાઈન લેક્ચર્સ શરૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. જીટીયુ સંલગ્ન 402 કૉલેજો દ્વારા આ આદેશનું પાલન કરવામાં આવ્યું છે. જેમાંથી 33 કૉલેજો એસાઈમેન્ટ આપીને વિદ્યાર્થીઓને ભણાવી રહી છે, જ્યારે 205 કૉલેજ દ્વારા સોશિયલ મીડિયા અને અન્ય ડિજીટલ પ્લેટફોર્મ પર ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. 103 કૉલેજો દ્વારા જે-તે વિષયના લેક્ચર્સ રેકોર્ડ્સ કરીને અપલોડ કરવામાં…
ગાંધીનગર – ગુજરાતમાં તમાકુ અને તેની બનાવટો પર રાજ્યની રૂપાણી સરકાર પ્રતિબંધના આદેશોનું કડક હાથે પાલન કરાવી શકતી નથી પરંતુ રાજ્યના ખેડૂતો ચેતી ગયા છે. તેમણે ધીમે ધીમે તમાકુનું વાવેતર અને ઉત્પાદન ઘટાડી દીધું છે. તમાકુની બનાવટો પર સૌથી ઉંચો જીએસટી અને વિવિધ ટેક્સના કારણે ખેડૂતોએ પાક બદલવાનું શરૂ કર્યું છે. ગુજરાતમાં તમાકુની બનાવટોના વેચાણ અને ખરીદ પર પ્રતિબંધ છે પરંતુ તે મરજીયાત હોય તેમ લાગે છે. રાજ્યમાં છૂટથી તમાકુની બનાવટોનું વેચાણ થાય છે તેથી હાઇ ઓન લાઇફ ફાઉન્ડેશને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી તમાકુની બનાવટોના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની રજૂઆત કરી છે. આ સંગઠન તમાકુની બનાવટો…
ગાંધીનગર- કોરોના વાયરસના પગલે એક તરફ વર્ક ફોર હોમ અને ઓનલાઇન એજ્યુકેશનનું ચલણ વધ્યું છે ત્યારે ગાંધીનગરની સ્વર્ણિમ સ્ટાર્ટઅપ ઇનોવેશન યુનિવર્સિટી દ્વારા ઇ-લર્નિંગની પહેલ કરવામાં આવી છે. ગુજરાતમાં શૈક્ષણિક કાર્ય બંધ છે પરંતુ અધ્યાપકો અને સ્ટાફ મેમ્બર્સ ફરજ પર ઉપસ્થિત છે. આવા સંજોગોમાં આ યુનિવર્સિટી દ્વારા એન્જિનિરીંગ, ડિઝાઇન, આયુર્વેદિક, નર્સિંગ, હોમીયોપેથી, ફિઝિયોથેરાપી, સાયન્સ, બિઝનેસ વિગેરે શાખામાં વિદ્યાર્થીઓને ઇ-લર્નિંગની સુવિધા આપવામાં આવી છે. વિદ્યાર્થીઓનું ભણતર બગડે નહિ અને સમયનો સદુપયોગ થાય તે હેતુસર, અધ્યાપકો પોતાનું લેક્ચર વિડિઓ રેકોર્ડિંગ કરીને વિદ્યાર્થીઓને વોટસસપ ગ્રુપમાં મોકલી આપશે તથા વેબિનાર અને લર્નિંગ લિંક્સ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન માધ્યમ દ્વારા ઘરે બેઠા પણ શૈક્ષણિક કાર્ય શક્ય કરી…
ગાંધીનગર- ગુજરાતમાં કોરોના વાયરસનો એકપણ કેસ પોઝિટીવ આવ્યો નથી છતાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જિલ્લાના પ્રભારીઓની બદલી શરૂ કરી છે. અત્યાર સુધીમાં આઠ જિલ્લાના પ્રભારીઓ બદલાઇ ચૂક્યાં છે અને બીજા રાજ્યોમાં બદલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. કોરોનાની તકેદારીના ભાગરૂપે મુખ્યમંત્રી સેક્રેટરીઓને બદલે છે પરંતુ પ્રભારી મંત્રીઓને બદલતા નથી તેથી સચિવાલયમાં હવા ઉડી છે કે રાજકીય નેતાઓ કરતાં અધિકારીઓ સારૂં કામ કરે છે છતાં તેમને કારણ વિના બદલવામાં આવે છે. રાજ્યના કેટલાક જિલ્લામાં પ્રભારીઓ જતાં નથી. પબ્લિક વચ્ચે બેસીને પ્રશ્નોનું નિરાકરણ લાવતા નથી છતાં તેમને બદલવામાં આવતા નથી. કોરોના વાયસરની દહેશત વચ્ચે આઠ જિલ્લાનાં પ્રભારી સેક્રેટરીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં…
ગાંધીનગર- ગુજરાતમાં સ્વચ્છ ઉર્જાનું ઉત્પાદન વધે તે માટે સરકારના ઉર્જા વિભાગે સોલાર અને વિન્ડ પોલિસીની જાહેરાત કરી છે પરંતુ પોલિસીમાં ક્ષતિઓ હોવાથી અરજદારોની અરજીઓ મંજૂર થતી નથી. વિન્ડ પાવર પ્રોજેક્ટ માટે બનાવવામાં આવતી પવનચક્કીઓની સંખ્યા વધે તે માટે પણ સરકારનો દાવો છે કે વિના વિધ્ને મંજૂરીઓ આપવામાં આવે છે પરંતુ હકીકત કંઇ અલગ જ છે, જેનો પર્દાફાશ વિધાનસભામાં થયો છે. ગુજરાતના સૌથી મોટા જિલ્લા કચ્છમાં છેલ્લા બે વર્ષમાં પવનચક્કીની સ્થાપના માટે વિવિધ અરજદારો તરફથી 680 અરજીઓ કરવામાં આવી હતી જે પૈકી મહેસૂલ વિભાગના આંકડા પ્રમાણે માત્ર 289 અરજીઓને જ માન્ય રાખવામાં આવી છે. બાકીની અરજીઓ પેન્ડીંગ છે અથવા તો રદબાતલ…
ગાંધીનગર- ગુજરાત સરકાર તેની નવી ઉદ્યોગ નીતિ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જાહેર કરવા જઇ રહી છે. આ પોલિસીના આધારે ગુજરાત સરકારની દસમી વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટમાં ઉદ્યોગોને પ્રોત્સાહન અપાશે. નવી પોલિસીના ડ્રાફ્ટમાં કેટલાક સુધારા સૂચવવામાં આવ્યા છે જ્યારે દેશના અન્ય રાજ્યોની ઔદ્યોગિક સ્થિતિ તેમજ વધતા જતાં મૂડીરોકાણને પણ ધ્યાને લેવામાં આવ્યું છે. ગુજરાતની નવી ઉદ્યોગ નીતિમાં રાજ્યમાં ઉદ્યોગ સ્થાપિત કરવા માગતા ઉદ્યોગજૂથોનો જલસા પડી જાય તેવી જોગવાઇ કરવામાં આવી છે. આ નીતિના ડ્રાફ્ટની વિગતો જોતાં તેમાં પહેલીવાર લેન્ડ બેન્કનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. એ સાથે ઉદ્યોગો માટે વધુ પ્રોત્સાહનો તેમજ ઝડપી મંજૂરીઓ માટેનું વ્યવસ્થા તંત્ર ઉભું કરવામાં આવી શકે છે.…
ગાંધીનગર- રાજ્યસભાની ચૂંટણીમાં બીજી બેઠક જીતવા માટે કોંગ્રેસ પાર્ટી હવાતિયાં મારી રહી છે. ભાજપના ધારાસભ્યોમાં એવો ભ્રમ ઉભો કરી રહી છે કે તેમના કેટલાક સભ્યો અમારા સંપર્કમાં છે. ભાજપના સંગઠન અને વિજય રૂપાણી સરકારથી નારાજ થયેલા કેટલાક સભ્યો અમને સંપર્ક કરી રહ્યાં છે તેવો દાવો ખુદ વિપક્ષના નેતા પરેશ ધાનાની કરી રહ્યાં છે. રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓને એવી આશા છે કે ક્રોસવોટીંગથી બન્નેના ઉમેદવારો જીતી જશે. વિપક્ષી નેતા કહે છે કે ભાજપના કેટલાક ધારાસભ્યો ક્રોસવોટીંગ કરશે અને અમારો બીજો ઉમેદવાર ચૂંટણી જીતી જશે, બીજીતરફ પાંચ ધારાસભ્યોના રાજીનામાં અપાવી દેનાર ભાજપના નેતાઓ કહે છે કે કોંગ્રેસમાંથી હજી…
ગાંધીનગર- ગુજરાતના સૌ ભાઈ-બહેનો, અત્યંત શરમપૂર્વક હું આ પત્ર લખી રહ્યો છું. શરમ એ વાતની છે કે હું ગુજરાતની જે વિધાનસભામાં વડગામ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરું છું એ વિધાનસભાના કેટલાક ધારાસભ્યો એ હદે ઉતરી ગયા છે કે કોઈપણ પક્ષ એમની સામે રૂપિયાનો ઢગલો કરે તો પોતે જાણે બજારમાં વેચાવા ઉભેલી પ્રોડકટ હોય એમ પોતાની જાતને વેચવા તૈયાર થઈ ગયા છે. રાજ્યસભાની ચૂંટણી ટાણે જે ધારાસભ્યોએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામાં આપ્યા છે એ લોકોએ સોદાબાજી વિના કે રૂપિયા ખાધા વિના રાજીનામા દીધા હોય એવું હું માનતો નથી. જોકે, શરમ એ વાતની પણ છે કે રાષ્ટ્રવાદની વાતો કરનારા રાજકીય પક્ષો પણ આવા ધારાસભ્યોને મોં…