મુંબઈઃ એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ કંપની દેશની સૌથી મોટી કંપની છે. અને હવે આ કંપની પ્રાઇમરી માર્કેટમાં 7,500 કરોડ રૂપિયાનો એકઠાં કરવાનો પ્લાન બનાવી રહી છે. કંપની આ માટે આઈપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીમાં એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડનો આઈપીઓ સૌથી મોટો આઈપીઓ હશે. બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ પોતાના બોર્ડ ઑફ ડિરેક્ટર્સ અને શેરહૉલ્ડર કંપની આમુંડી એસેટ મેનેજમેન્ટ સાથે ચર્ચા કર્યા બાદ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ સાથે આ અંગે દરખાસ્ત તૈયાર કરવાની વાત કરશે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કંપની આગામી એકથી બે મહિનામાં આઈપીઓ લાવવાની પ્રક્રિયા શરૂ કરશે. ઉલ્લેખનીય છે કે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડની એસેટ અંડર મેનેજમેન્ટ…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
કોપ્પલઃ રમકડાં ઉત્પાદન કરવામાં કર્ણાટક રાજ્યનો દેશમાં મહત્વની ભૂમિકા છે. ત્યારે દેશનો પહેલો રમકડા ક્લસ્ટર કર્ણાટકમાં બનવા જઈ રહ્યો છે. સરકાર પ્રમાણે 400 એકરથી વધુ જમીન ઉપર ફેલાયેલા આ ક્લસ્ટરમાં 5000 કરોડ રૂપિયાનુ રોકાણ થવાની આશા છે. આનાથી આસરે 30,000 લોકોને પ્રત્યક્ષ રૂપથી રોજગાર મળશે. કર્ણાટક સરકારે કોપ્પલ જિલ્લાના ભાનાપુર ગામમાં દેશનો પહેલો રમકડા નિર્મામ ક્લસ્ટરની આધારશિલા રાખી છે. આનું નિર્માણ કાર્ય આ જ વર્ષના ડિસેમ્બર સુધીમાં પુરુ થઈ જવાની આશા છે. બેંગલુરુથી 365 કિલોમીટર દૂર સ્થિત કોપ્પલ જિલ્લાના બાનાપુર ગામની વસ્તી 2000થી ઓછી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોકલ ફોર લોકલની દ્રષ્ટીકોણના અનુરુપ રમકડાં નિર્માણને પ્રોત્સાહન આપવા માટે કોપ્પલા ભારતનું…
તિરુમાલાઃ અત્યારે ભારત સહિત આખા વિશ્વમાં કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે. અને લાખો લોકો કોરોના વાયરસનો ભોગ બની મોતને ભેટ્યાં છે. ત્યારે તમિલનાડુના એક વ્યક્તિએ કોરોનામાંથી જીવ બચતા તિરુમાલાના તિરુપતિ બાલાજી મંદિરને બે કરોડ રૂપિયાના મૂલ્યના સાડા ત્રણ કિલો સોનાના શંખ અને ચક્રને મંદિરમાં દાન કર્યા હતા. ઉલ્લેખનયી છે કે તિરુપતિ મંદિર ભારતના સૌથી અમિર મંદિરોમાં ગણવામાં આવે છે. સાથે જ બાલાજીને ભારતના સૌથી અમીર દેવાત હોવાનું તખ્ખલુશ પણ મળ્યું છે. બે કરોડના શંખ-ચક્રના ચઢાવા બાદ એકવાર ફરીથી તિરુપતિ બાલાજી ચર્ચામાં છે. અધિકારીઓને જણાવ્યું કે મંદિરના મુખ્ય દેવતાને આ ઘરેણા પહેરવામાં આવશે. આવું પહેલીવાર નથી બન્યુ કે મંદિરના દેવાતાને…
નવી દિલ્હીઃ આજે શુક્રવારે જીએસટીમાં જરૂરી સુધારા તેમ ઈ-વે બિલ, પેટ્રોલ ડીઝલના વધતા ભાવ સામે કેટ દ્વારા ભારત બંધનું એલાન આપ્યું હતું. આ બંધના એલાનમાં ભારનતા 8 કરોડ વેપારીઓએ પોતાનું સમર્થન આપ્યું છે. સવારે 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી ટ્રાન્સપોર્ટ અને બજારો બંધ રાખવાનું જાહેર કરતા વેપારીઓએ પણ ટેકો જાહેર કર્યો છે. કેટના જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલે કહ્યું- શુક્રવારે દેશભરમાં 1,500 સ્થળ પર ધરણાં કરવામાં આવશે. બધાં બજારો બંધ રહેશે. 40 હજારથી વધુ વ્યાવસાયિક સંગઠનો સાથે સંકળાયેલા આશરે 8 કરોડ વેપારીઓ બંધને ટેકો આપી રહ્યા છે. કેટ અનુસાર, ગયા વર્ષે 22 ડિસેમ્બરે અને ત્યાર બાદ GST નિયમોમાં ઘણા ફેરફાર…
મહેસાણાઃ મહેસાણા જિલ્લામાં એક ચોંકાવનીર ઘટના સામે આવી છે. અહીં એક ખેડૂતની બેદરકારીએ ખેડૂતનું મોત નીપજ્યું હતું. અહીં ખેડૂતે ભૂંડ અને રોઝ ભગાડવા માટે લગાવેલા વીજતારના સંપર્કમાં આવવાથી એક ખેડૂતનું વીજર કરંટથી મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. આ સમગ્ર મામલે પોલીસે ખેડૂત સામે ફરિયાદ નોંધીને ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી. ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના કામલી ગામમાં ખેડૂત ખેડૂત વિષ્ણુભાઈ પોતાના ઘરેથી સવારે 6 વાગ્યે ખેતરમાં પિયત માટે નીકળ્યા હતા ત્યારે પત્નીને કહ્યું હતું કે 9 વાગ્યે ખેતરે ચા લઈને આવજે ત્યાર બાદ તેમના પત્ની ખેતરે ચા આપવા…
રાજકોટઃ લૂંટ અને ચોરીની ઘટનાઓ દરરોજ બનતી રહે છે. અમદાવાદમાં એક એનઆરઆઈ વૃદ્ધને માર મારી બંધક બનાવીને લૂંટ ચલાવી હોવાની ઘટના બની હતી. ત્યારે વધુ એક ઘટના રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં બની હતી. અહીં એક વૃદ્ધ દંપતીને માર મારીને ત્રણ લૂંટારાએ દંપતીને માર મારી રોકડ, ઘરેણાં મળી કુલ રૂ.3.45 લાખના મતાની લૂંટ કરી ફરાર થયા હતા. ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના થોરિયાળી ગામે ત્રણ લૂંટારાએ દંપતીને માર મારી રોકડ, ઘરેણાં મળી કુલ રૂ.3.45 લાખના મતાની લૂંટ ચલાવ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. વજીબેન નાનજીભાઇ શિંગાળા નામના વૃદ્ધાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ પતિ સાથે સગારિયા માર્ગ પર આવેલી વાડીમાં…
નવી દિલ્હીઃ દેશમાં એક તબક્કે કોરોના વાયરસની ગતિ ધીમી પડી ગઈ હતી ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, હવે કોરોના વાયરસે ફરીથી ગતિ પકડી છે જેના પગલે દેશવાશીઓમાં ચિંતા ફેલાઈ રહી છે. કેટલાક રાજ્યોમાં લોકડાઉનના ભણકારા પણ વાગી રહ્યા છે. આવી સ્થિતિમાં દેશમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ગુરુવારે કોરોના વાયરસ સંક્રમણના 8,702 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,34,72,643 લોકોને કોવિડ વેક્સીનઆપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 16,577 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 120 દર્દીઓએ પોતાના…
સુરતઃ સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ભવ્ય જીત મેળવી હતી. આમ આદમી પાર્ટીના ગુજરાતમાં સુરત શહેરમાં સૌથી વધારે ઉમેદવારો જીત્યા છે. આમ આમ આદમી પાર્ટીને આગામી ચૂંટણીમાં બેઠકો મળવાની વધુ આશા બંધાઈ છે. જેને વધારે મજબૂત કરવા માટે દિલ્હીના આમ આદમી પાર્ટી અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરતના મહેમાન બન્યા છે. આજે સવારે અરવિંદ કેજરીવાલ સુરત એરપોર્ટ ઉપર આવી પહોચ્યા હતા. કાર્યકરોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. અરવિંદ કેજરીવાલના કાર્યક્રમોની વાત કરીએ તો બપોરે સર્કિટ હાઉસ ખાતે આપના કાર્યકરો અને આગેવાનો સાથે પણ તેઓ મુલાકાત કરશે. ત્યારબાદ બપોરે ત્રણ વાગે રોડ-શોમાં ભાગ લેશે. વરાછા માનગઢ ચોક થી રોડ-શો…
અમદાવાદઃ જમીન પચાવી પાડવાની ઘટનાઓ સામે સરકારે લાલ આંખ કરીને કાયદો બનાવ્યો છે ત્યારે આ કાયદા હેઠળ અનેક લોકોની ધરપકડ તો અનેક ફરિયાદો પણ થઈ છે. અમદાવાદમાં એક મહિલાએ ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાએ પિતાની જમીન પચાવી પાડનાર ત્રણ લોકો સામે ફરિયાદ કરી હતી જેથી આ લોકોને ધાકધમકીઓ આપી હતી. અમદાવાદનાં ચાંદખેડા ગોલ્ડન વિલા બંગ્લોમાં રહેતા માયાબેન અરોરાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદ મુજબ તેમના પિતાની ગાંધીનગર જિલ્લાના ભાટ ગામે માલિકીની 60 કરોડની કિંમતની 9,800 વાર એટલે પોણા ત્રણ વીઘા જમીન આવેલી છે. જે જમીન પર વર્ષ 2016માં સાબરમતીના બળદેવ દેસાઈ, ચંપાબેન…
પાણીપતઃ વિદ્યાર્થીઓ ઉપર હુમલા થવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે ત્યારે હરિયાણના પાણીપતમાં એક સનસનીખેસ ઘટના સામે આવી છે. અહીં 12માં ધોરણના વિદ્યાર્થીની હત્યા નીપજાવવામાં આવી હતી. આ ચોંકાવનારી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગયો હતો. જ્યારે સનસની ઘટના નજીક લગાવેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. ઘટના અંગે મળીત માહિતી પ્રમાણે બસ સ્ટેન્ડની પાસે બદમાશોએ 17 વર્ષીય યુવકની બરફ તોડવાના સોયાથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે, જેમાં 7થી 8 બદમાશો યુવક પર હુમલો કરતા જોવા મળી રહ્યા છે. પાણીપતની જનરલ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત થઈ ગયું. મૃતક સાગર જિંદ જિલ્લાના…