કવિ: Karan Parmar

લૉકડાઉન-૪માં નાગરિકો માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નિયમોને આધિન વિવિધ છૂટછાટો આપવામાં આવી છે. જેમાં ખાનગી બસોને પરિવહન કરવાની છૂટનો સમાવેશ થતો નથી એટલે કે ખાનગી બસોને પરિવહન માટે મંજૂરી આપવામાં આવી નથી. સક્ષમ સત્તાધિકારીની મંજૂરી સિવાય ફરતી ખાનગી બસોને ડિટેઈન કરીને તેની સામે નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેમ મુખ્યમંત્રીના સચિવ શ્રી અશ્વિની કુમારે જણાવ્યું છે. લૉકડાઉન-૪ માં મળેલી છૂટછાટ અનુસાર ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા રાજયમાં તા.૨૦મી મેથી સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સ સાથે રાજ્યના પાંચ ઝોનમાં સવારના ૮ થી સાંજના ૬ કલાક સુધી નાગરિકોને પરિવહન સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. જેમાં કોઈ પણ બસ કન્ટેન્ટમેન્ટ વિસ્તારના રૂટમાંથી પસાર કરવામાં આવતી…

Read More

આરોગ્ય વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, પ્રચાર માધ્યમોએ અને દૈનિકપત્રોએ આરોગ્ય મંત્રીની કામગીરીની ટીકા કરી છે અને આરોગ્ય મંત્રી તરીકે મેં કેટલી વખત સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી છે તે અંગે પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે, ત્યારે સમગ્ર ગુજરાતની જનતા જાણી શકે એ માટે મારે કહેવું જોઈએ કે, આરોગ્ય મંત્રી તરીકે છેલ્લા બે મહિનામાં મેં અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની પાંચ વખત વિગતવાર મુલાકાત લીધી છે. આ મુલાકાત દરમિયાન તજજ્ઞ ડૉક્ટર, અમદાવાદ શહેરના અને ગુજરાતના નિષ્ણાત ખાનગી તબીબો અને વિશેષજ્ઞો સાથે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ ત્રણ વખત બેઠકો કરી હતી. આ બેઠકો વખતે મુખ્યમંત્રીશ્રીના ખાસ સચિવ શ્રી કૈલાસનાથન,…

Read More

રવિવારે 40 ટ્રેન ગુજરાતથી રવાના થઈ જેની સાથે કુલ સવા બાર લાખ પરપ્રાંતિય શ્રમિકોએ ગુજરાત છોડી દીધું છે. 23 મે 2020 શનિવારની મધ્યરાત્રી સુધીમાં ગુજરાતમાંથી 791 ટ્રેન ચલાવાઇ છે. જેમાં 11.60 લાખ  પરપ્રાંતિય મજૂરોએ પોતાના વતન જવા ગુજરાત છોડી દીધું હતું. ગુજરાતની અત્યારસુધીની સૌથી મોટી હિજરત માનવામાં આવે છે. આ કોરોના ટ્રેનો પૈકી મોટા ભાગની ટ્રેનો ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા, મધ્યપ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ રાજસ્થાન, મણીપુર અને ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં ટ્રેન દોડાવાઈ છે. 24 મે 2020એ 40 ટ્રેન ગુજરાતમાંથી દોડાવી હતી. કોરોનાના કારણે 2 મે 2020ના દિવસથી બે શ્રમિક ટ્રેન મારફતે ગુજરાતમાંથી પરપ્રાંતીય શ્રમિકો અને કામદારોને પોતાના વતન પહોંચાડવાની કામગીરી…

Read More

વિશ્વવ્યાપી કોરોના વાયરસ કોવિડ-19ની સ્થિતીને કારણે પ્રવર્તમાન લોકડાઉનની પરિસ્થિતીમાં રાજ્યના NFSA લાભાર્થી એવા અંત્યોદય અને અગ્રતા ધરાવતા PHH પરિવારો મળી ૬૫.૪૦ લાખ તેમજ જેમનો NFSAમાં સમાવેશ થયો નથી તેવા ૩.૪૦ લાખ BPL પરિવારો મળીને કુલ ૬૮.૮૦ લાખ ગરીબ પરિવારોને સતત બીજીવાર મે મહિના માટે પણ વિનામૂલ્યે અનાજ વિતરણનો આવતીકાલ તા. ૧૭મી મે રવિવારથી પ્રારંભ કરવામાં આવશે. અમદાવાદ શહેર સિવાય તમામ જિલ્લાઓ, ગામડાઓ અને નગરોમાં આ વિતરણ શરૂ થશે. અમદાવાદ શહેરમાં આવા લાભાર્થીઓને અનાજ વિતરણની તારીખો હવે પછી એટલે કે APL-1 કાર્ડધારકોને તા.૧૮ થી ર૩ મે દરમ્યાન થનારા અનાજ વિતરણ પછી જાહેર કરવામાં આવશે. એવો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. વિતરણ…

Read More

ગાંધીનગર, 17 મે 2020 રાજ્યમાં ઉનાળાની ગરમી પ્રવર્તી રહી છે ત્યારે ગામડાઓમાં પશુઓને પીવાનું પાણી તથા અન્ય જરૂરીયાતો પુરી થાય તે માટે આગામી 20 મે 2020થી નર્મદા નહેરના નીર દ્વારા તળાવો અને ચેકડેમો ભરવામાં આવશે. સૌરાષ્ટ્રની મહત્વની એવી “સૌની યોજના” સાથે જોડાયેલા જળાશયો અને ચેકડેમોમાં પાણી નંખાશે. જેમાં લીંક-1 દ્વારા 16 તળાવો, ચેકડેમો, લીંક-2 દ્વારા 6 જળાશય અને 293 તળાવો ચેકડેમો, લીંક-3 માં 6 જળાશયો અને 53 તળાવો ચેકડેમો, લીંક-4 માં 15 જળાશયો અને 185 તળાવો ચેકડેમ મળી 27 જળાશયો અને 547 ચેકડેમો તથા તળાવો ભરવામાં આવશે. કુલ 115 બંધો સુધી પાણી લઈ જવા પાઈપલાઈન નાંખવાની હતી પણ 16 મે…

Read More

ગાંધીનગર, 17 મે 2020 ગુજરાતમાં 4 હજાર આરોગ્ય કેન્દ્રો પર ફરજ બજાવતાં 10 હજાર સ્ટાફ અને તબિબોને કોરોનામાં સ્વરક્ષા માટે હાથ મોજા કે કીટ આપવામાં આવી ન હોવાથી આ સ્ટાફ પોતાના ખર્ચે ખરીદીને લોકોનું કામ કરી રહી છે. તેમને સરકારે સ્વરક્ષા માટે સાધનો આપવાની અત્યંત જરૂર હોવા છતાં આપ્યા નથી. આવી ગંભીર બેદરકારી અંગે તબિબોએ સરકારનું ધ્યાન દોર્યું હોવા છતાં કંઈ થયું નથી. 11475 માનવ વસતિ સામે માત્ર એક સરકારી એમબીબીએસ તબીબની ઉપલબ્ધતા છે. ડોક્ટરોની ઉપલબ્ધતામાં ગુજરાતનો નંબર રાષ્ટ્રીય સ્તરે છેક 28મો છે, જે વિકસિત ગણાવતા ગુજરાત માટે ઘણી શરમજનક બાબત છે. રાજ્યભરના ગામડાઓ, તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ આરોગ્ય…

Read More

અમદાવાદ, 17 મે 2020 કોરોના વાયરસ કોવિડ-19ના  અમદાવાદ મહાનગરમાં વધતા વ્યાપને પગલે સંક્રમણ નિયંત્રણ માટે કન્ટેનમેન્ટ ઝોનના 10 વોર્ડસમાં લોકોની આરોગ્ય તપાસણી, ટેસ્ટિંગ સર્વેલન્સ સહિતની આરોગ્યલક્ષી કામગીરી આગામી 15 દિવસ હાથ ધરવાની કાર્યયોજનાને ઉચ્ચસ્તરીય વિડીયો કોન્ફરન્સમાં સરકારે આખરી ઓપ આપ્યો હતો. તુરંત કામગારી હાથ ધરાશે. જેમાં સિટી બસનો ઉપયોગ કરાશે. 40 મોબાઇલ મેડીકલ વાન – ધનવંતરી રથ સાથે ટીમો બનાવીને મધ્ય ઝોનના 6, દક્ષિણ ઝોનના 2, પૂર્વઝોનનો 1 અને ઉત્તર ઝોનના 1 એમ 10 વોર્ડસના 160 સ્થળોએ સઘન આરોગ્યલક્ષી ઝૂંબેશ શરૂ કરાશે. કન્ટેનમેન્ટ ઝોનમાં જઈને નાગરિકો-લોકોને ઘર આંગણે આરોગ્ય સેવા આપશે. સામાન્ય બિમારી વાળા વ્યકિતઓને પણ સારવાર આપશે. કોરોના શંકાસ્પદ…

Read More

કોરોના સંક્રમણને અટકાવવા ત્રીજા તબક્કાના લૉકડાઉનના ત્રીજા તબક્કાનો શાંતિપૂર્ણ રીતે અમલ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના તમામ લોકોએ લૉકડાઉનના શાંતિપૂર્ણ અમલની સાથે જ્યાં છૂટછાટ આપવામાં આવી છે તેવા વિસ્તારોમાં પણ સોશ્યલ ડિસ્ટન્સિંગની જાળવણી રાખવામાં આવે તે માટેની વ્યવસ્થાઓ પોલીસ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી હોવાનું રાજ્ય પોલીસ વડા શ્રી શિવાનંદ ઝાએ જણાવ્યું છે. રાજ્યમાં જ્યાં સંક્રમણ વધુ છે તેવા રેડ ઝોન અને કન્ટેન્ટમેન્ટ વિસ્તારો સિવાયના વિસ્તારોમાં લોકોને અગવડતા ન પડે તે માટે જીવન જરૂરી ચીજવસ્તુઓ મળી રહે તે હેતુથી કરિયાણા, શાકભાજી, ફળફળાદી વગેરે જેવી દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે પરંતુ, પ્રતિબંધિત હોય એવી સેવાઓ કે દુકાનો ચાલુ ન રહે…

Read More

ગુજરાત સરકાર ગુજરાતના નાગરિકોની સાધન સંપત્તિ અનેક નાણાકિય સંસ્થાનો સમક્ષ ગીરવે મૂકી લોન લઇ રહી છે. ૩૧મી માર્ચે રાજ્યનું જાહેર દેવું રૂ.167651 કરોડ હતું. ગુજરાતની ભાજપની બુંધીયાર રૂપાણી સરકાર બીજી ટર્મ પૂર્ણ કરી ચૂંટણીમા ઉતરશે. તે નાણાકિય વર્ષ 22-23ને અંતે દેવું વધીને રૂ.371989 કરોડ થશે. કોરોનાના કારણે રૂ.30 હજાર કરોડ વ્યાજે લેવા પડશે. તેથી ગુજરાતનું દેવું 2022-23માં 4 લાખ કરોડ રૂપિયાને પાર કરી જશે. કોરોનાના કારણે ગુજરાત સરકાર પર ભારે દેવું થઈ જશે. રૂપાણી 2022-23માં સત્તા છોડશે ત્યારે દેવું 4 લાખ કરોડ થઈ જશે દરેક ગુજરાતી પર સરેરાશ રૂ.20 હજાર દેવું હશે. કોરોના બાદ આ બોજ સાથે જન્મશે ગુજરાતનું જાહેર…

Read More

ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના નિયામક જયંત સરકારે જણાવ્યું હતું કે આ વર્ષે ગુજરાત સહિત દેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં 96 થી 104 ટકા જેટલો વરસાદ થવાની સંભાવના છે. દેશમાં કેરળ ખાતે સંભવિત તારીખ 5 જૂને ચોમાસાનું આગમન થશે જેના સંભવિત 15થી 20 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થશે. હવામાન વિભાગની ટૂંકી – એક અઠવાડિયા સુધીની આગાહી સાચી પડતી થઈ છે. હવે જોઈએ આ વખતે ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં ચોમાસુ 100 ટકા સારૂં છે એવી આગાહી કરનારા ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના નિયામક જયંત સરકાર સાચા પડે છે કે નહીં તે ચોમાસુ પૂરું થયા પછી ખાતરી થશે. મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગ, તેલંગાણા, આંધ્રપ્રદેશ,…

Read More