Dharampur હાલમાં ધરમપુર ગામમાં શ્રીમદ્ રાજચંદ્ર શૈક્ષણિક ટ્રસ્ટ દ્વારા એક અનોખા શૈક્ષણિક સંકુલના નિર્માણનો પાયો નખાવા જઈ રહ્યો છે, ત્યારે જાણીએ કે ખરેખર આ પ્રકલ્પની વિશેષતા શું છે. શ્રીમદ્ રાજચંદ્ર શૈક્ષણિક ટ્રસ્ટ અંતર્ગત છેલ્લા 20 થી વધુ વર્ષોથી શાળાઓ, વિજ્ઞાનપ્રવાહની કોલેજ, સ્કિલ ડેવલપમેન્ટ સેંટર સહિત અનેક શૈક્ષણિક સંસ્થાઓ સફળતાપૂર્વક કાર્યરત છે. તેમના આ આગામી શૈક્ષણિક સંકુલના પ્રોજેક્ટમાં વધુ ઊંડા ઉતારતાં જણાય છે કે આ ખુબ દૂરદૃષ્ટિથી કરાયેલ લાંબા ગાળાની વિકાસલક્ષી પરિકલ્પના છે. આ વિશાળ સંકુલમાં નવીન સ્કિલ ડેવલપમેન્ટ સેંટર, નર્સિંગ કોલેજ અને ઉદ્યોગસાહસિકતા, ટૂંકા ગાળાના ખેતી તથા કોમ્પ્યુટર સંબંધિત અનેક અભ્યાસક્રમો શરુ થવાના છે, જેનો લાભ દર વર્ષે 3500 થી…
કવિ: Satya-Day
Valsad નગરપાલિકાઓની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે, તેવામાં વલસાડ નગરપલિકા માટે કોંગ્રેસમાં ગાબડાં પડવાની શરુઆત થઈ ગઈ છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ રોનક શાહે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું. ડાંગ-વલસાડના ભાજપના સાંસદ ધવલ પટેલ અને વલસાડ ભાજપ પ્રમુખ હેમંત કંસારાની હાજરીમાં રોનક શાહ ભાજપમાં જોડાયા, તેના કારણે રાજકીય લેવલે ભારે ગરમાટો જોવા મળી રહ્યો છે. રોનક શાહે વલસાડ નગરપાલિકાની ચૂંટણીમાં પોતાની પત્ની યોગિની શાહ માટે વોર્ડ નંબર-3 માટે ભાજપમાંથી ટિકિટની માંગ કરી હતી,જે મળી પણ ગઈ છે. આમ જોવા જઈએ તો વલસાડ, પારડી, ધરમપુર એમ ત્રણ નગરપાલિકાની 96…
Surat અનોખા સાહસનો સંગમ એટલે સમુદ્ર હોડી સ્પર્ધા —— તા.૧૬મી ફેબ્રુ.-રવિવારે હજીરા પોર્ટ રો-રો ફેરી પાસેથી મગદલ્લા પોર્ટ સુધીની ૨૧ કિમીની ૪૪મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા યોજાશે ——– સદ્દગત પૂ. મોટાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ૧૯૭૦-૭૧માં પ્રથમવાર દીવથી જાફરાબાદ વચ્ચે સમુદ્ર હોડી સ્પર્ધા યોજાઈ હતી —— સઢવાળી હોડીઓ વચ્ચે હરિફાઈ જામશે ——– રાજ્યના યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ-ગાંધીનગર આયોજિત હરિઓમ આશ્રમ-નડિયાદ પ્રેરિત અને સુરત જિલ્લા વહીવટી તંત્ર સંચાલિત ૪૪મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા તા.૧૬મીએ રવિવારે હજીરા પોર્ટ રો-રો ફેરી પાસેથી શરૂ કરી મગદલ્લા પોર્ટ (૨૧ કિ.મી.) સુધી યોજાશે. સ્પર્ધાનો માર્ગ હજીરાથી ગણપતિ વિસર્જન ઓવારા સુધી રહેશે. માત્ર…
“બેટા વો બાપ હૈ, બાપ વો બેટા હૈ, બેટા કોઈ હૈ હી નહી” વલસાડમાં ખૂબ ઝડપથી વિકસી રહેલા પાથરીની સોનાની લગડી જેવી જમીનને હાંસલ કરવા માટે કેવા કેવા પ્રકારના કાવતરા અને કાવાદાવા કરવામાં આવ્યા છે તેનો પર્દાફાશ “સત્ય ડે” દ્વારા કરવામાં આવતા વલસાડ કલેક્ટર કચેરી, બિલ્ડર લોબી અને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. “સત્ય ડે” દ્વારા પાથરી ગામની જમીનના વિવાદ મેરેથોન અહેવાલો પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે. જે પ્રકારે બોગસ પેઢીનામું તૈયાર કરીને કરોડો રુપિ.યાની જમીનને ઓહિયા કરી જવાની બૂરી દાનત રાખી રહેલા રાજુ શેરા આણિ મંડળી માટે હવે પછી મોટી મુશ્કેલીઓ શરુ થઈ જવાની ઘડીઓ ગણાઈ રહી…
Valsad વલસાડના સબંધિત વિભાગમાંથી યેનકેન પ્રકારે બોગસ પેઢીનામું તૈયાર કરવામાં આવ્યું હોવાની વ્યાપક ચર્ચા વચ્ચે હવે સાચી હકીકત શું બહાર આવે છે તેતો તપાસ બાદજ ખબર પડશે,અગાઉ પ્રાંતમાં આ મેટર આવી હતી કે કેમ ? અને પ્રાંતનો અભિપ્રાય પણ લેવામાં આવેતો પણ આ મામલે પ્રકાશ પડી શકે તેવો જાણકારોનો મત. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી જમીન કૌભાંડ અખબારોની હેડલાઈન બની રહયા છે અને સુરેન્દ્રનગર તેમજ રાજકોટમાં જમીન કૌભાંડના મામલામાં સીબીઆઈની તપાસ ચાલુ થઈ ગઈ છે તેવે સમયે હવે નાનામોટા જમીનના ખેલની વાતો સામે આવી રહી છે તેવે સમયે વલસાડ તાલુકામાં પ્રાઇમ લોકેશન એરિયામાં કરોડોની જમીનનું બોગસ પેઢીનામું તૈયાર કરી કેટલાક તત્વોની…
Surat સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં આવેલા સગરામપુરામાં બંધાઈ રહેલી બિલ્ડીંગને ભારે હોબાળો મચી ગયો છે. ખાસ કરીને સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના ઝોનલ અધિકારી અને કાર્યપાલક ઈજનેર રાજેશ ગાંજાવાલાની કાર્યપદ્વતિ સામે વિરોધનો વંટોળ ફૂંકાઈ રહ્યો છે. બાંધકામ અંગે અખબારી અહેવાલો પ્રકાશિત કરવામાં આવ્યા બાદ સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ જોઈએ તેવી રીતે હરકતમાં આવ્યા હોવાનું લાગી રહ્યું નથી. સેન્ટ્રલ ઝોનના ગાંજાવાલાની રહેમ નજર હેઠળ બેફામ બનેલા બિલ્ડરે ગેરકાયદે બાંધકામ કરતા ઉચ્ચ સ્તરે ફરિયાદ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જોકે, અધિકારીઓના કાને ગેરકાયદે બાંધકામ અંગેની ફરિયાદ કરવામાં આવી છે પરંતુ અધિકારીઓના પેટનું પાણી પણ હાલતું નથી. વિગતો મુજબ સગરામપુરા ચોગાન શેરીમાં 2/3996…
Devendra Fadnavis મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ બનશે. ભાજપના સીનિયર નેતાએ પુષ્ટિ કરી છે કે ફડણવીસનું નામ નક્કી થઈ ચૂક્યું છે અને 2 અથવા 3 ડિસેમ્બરે યોજાનારી વિધાયકોની બેઠકમાં તેમને નેતા તરીકે પસંદ કરવામાં આવશે. નિવૃત્ત મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે નવા મુખ્યમંત્રીના પસંદગીમાં તેઓ ભાજપના નિર્ણયને સમર્થન આપશે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિની પ્રચંડ જીતના એક સપ્તાહથી વધુ સમય વીતી જવા છતાં નવી સરકારની રચના થઈ નથી. ભાજપ 132 બેઠકો સાથે ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. ભાજપે જાહેરાત કરી છે કે નવી મહાગઠબંધન સરકારનો શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બરની સાંજે દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે અને તેમાં…
Maharashtra: મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનને બમ્પર બહુમતી મળી હોવા છતાં હજુ સુધી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી નથી. એકનાથ શિંદેએ કહ્યું કે સોમવારે મળનારી બેઠકમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર અંગે નિર્ણય લેવામાં આવશે. શપથ ગ્રહણ સમારોહ 5 ડિસેમ્બરે યોજાશે. દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદની રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે, જ્યારે શિવસેના અને એનસીપીને નાયબ મુખ્યમંત્રી (ડેપ્યુટી સીએમ) પદ મળી શકે છે. આ સિવાય એવી પણ ચર્ચા છે કે શિવસેના તરફથી એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે છે. આ અંગે એકનાથ શિંદેએ કહ્યું કે ચર્ચા ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પ્રેસ કોન્ફરન્સમાં બોલતા…
Eknath Shinde: મહારાષ્ટ્રના કાર્યકારી મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પોતાના ગામ પહોંચી મીડિયા સમક્ષ પોતાની વાત રાખી. મુખ્યમંત્રી પદને લઈને ચાલી રહેલી ચર્ચા પર શિંદેએ કહ્યું કે મેં પહેલાથી જ મહાયુતીને બિનશરતી સમર્થન આપ્યું છે. મહાયુતીમાં પરસ્પર સમજૂતી સારી છે અને કાલે, એટલે કે સોમવારે, મુખ્યમંત્રી પદ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. મુખ્યમંત્રી પદને લઈને ચાલતા અનિશ્ચિતતાના વચ્ચે પોતાના ગામ પહોંચેલા એકનાથ શિંદેએ કહ્યું કે હવે હું સંપૂર્ણપણે સ્વસ્થ છું. ચૂંટણી પ્રચારની થાક અને દોડધામ પછી હું અહીં આરામ કરવા માટે આવ્યો હતો. મુખ્યમંત્રી તરીકેના મારા દોઢ વર્ષના કાર્યકાળમાં મેં એકેય રજા લીધી નથી. લોકો હજુ પણ મળવા માટે આવી રહ્યા છે.…
Maharashtra Result: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થવા જઈ રહ્યા છે. પ્રારંભિક તબક્કામાં ભાજપના નેતૃત્વમાં મહાયુતિનો પ્રભાવશાળી પ્રદર્શન દેખાઈ રહ્યું છે, જ્યારે મહાવિકાસ અઘાડી પાછળ છે. એમવીએમાં કોંગ્રેસ, શિવસેના (યુબીટી) અને એનસીપી (શરદ પવાર ગૃપ) જેવા પક્ષો સામેલ છે. ચૂંટણી પહેલા મહાયુતિ સરકાર દ્વારા મહિલાઓ માટે શરૂ કરાયેલી “મુખ્યમંત્રી- માઝી લાડકી બહેણ યોજના”ને એક ‘મહત્વપૂર્ણ ફેરફાર લાવનાર’ મૉડલ તરીકે રજૂ કરવામાં આવી હતી, અને આ યોજના સમગ્ર પ્રચારની કેન્દ્રબિંદુ બની ગઈ હતી. મહાયુતિ અને એમવીએ બંનેએ આ યોજનાને પોતાના ચૂંટણી મેનિફેસ્ટોમાં સામેલ કરી હતી. સત્તાધારી પક્ષના નેતાઓએ તો આ યોજનાને મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામોની સફળતા પાછળનું મુખ્ય કારણ ગણાવ્યું છે.…