કવિ: Satya-Day

લોકસભામાં કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ બિલ 2018 રજૂ કર્યું હતું. સંસદમાં વોટિંગ બાદ બિલના પક્ષમાં 245 અને વિરોધમાં 11 વોટ પડ્યા હતા. વિપક્ષની ઉગ્ર ધાંધલ વચ્ચે સરકાર અને વિપક્ષના સાંસદોએ ખરડાની જોગવાઇઓની તરફેણ અને વિરોધમાં ઉગ્ર ચર્ચા કરી હતી. ચર્ચાના અંતે સરકારે વિપક્ષની ખરડાને સિલેક્ટ કમિટી પાસે મોકલવાની માગ ફગાવી દેતાં કોંગ્રેસ, એઆઇએડીએમકે, ડીએમક, સપા સહિતના મોટાભાગના વિપક્ષના સાંસદોએ મતદાન પહેલાં ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. રાજકીય રીતે અત્યંત સંવેદનશીલ મનાતા મુસ્લિમ વિમેન (પ્રોટેક્શન ઓફ રાઇટ્સ ઓન મેરેજ) ખરડા,2018 પર ગુરુવારે વિપક્ષના ઉગ્ર હોબાળા વચ્ચે લોકસભામાં ચર્ચા હાથ ધરાઇ હતી. આ અગાઉ મુસ્લિમોમાં ટ્રિપલ તલાકની પ્રથાને…

Read More

(સૈયદ શકીલ દ્વારા):  મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મહેસુલ વિભાગના કર્મચારીઓને ભ્રષ્ટ કહ્યાનો વિવાદ વધુ વકર્યો છે. મહેસુલ વિભાગના કર્મચારીઓએ મુખ્યમંત્રી પોતાના શબ્દો પાછા ખેંચે નહી તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે ત્યારે ભાજપનાં આંતરિક ડખાનું આ પરિણામ હોવાનું ભાજપમાં જ ચર્ચાઈ રહ્યું છે. ભાજપના કેટલાક નેતાઓ કહી રહ્યા છે કે મહેસુલ મંત્રી તરીકે કૌશિક પટેલ કાર્યરત છે અને તેમના વિભાગના કર્મચારીઓને ભ્રષ્ટ કહીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંત્રીને જ આડકતરી રીતે આડે હાથે લીધા હોવાનું કહેવાઈ રહ્યું છે. આજે મહેસુલ કર્મચારીઓએ મુખ્યમંત્રીના નિવેદન અંગે મોટાપ્રમાણમાં નારાજગી દર્શાવી હતી અને કહ્યું હતું આ આક્ષેપથી મહેસુલ કર્મચારીઓનું મોરલ તૂટી ગયું છે. રાજ્યભરના મહેસુલ…

Read More

હાલમાં યોજાયેલી ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પરિણામોએ મોદી સરકારની ઉંઘ હરામ કરી નાખી છે. હવે 2019ની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ ખેડૂતોને મોટો લાભ કરાવવાની તૈયારી છે. મોદી સરકાર નવા વર્ષે ખેડૂતોને મોટી ગીફ્ટ આપે તેવી શક્યતા છે. સુત્રોનાં જણાવ્યા પ્રમાણે ખેડૂતોની દેવા માફીને લઈને નવા વર્ષની પ્રારંભે જમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટો નિર્ણય લઇ શકે છે. આ દિશામાં વડાપ્રધાને કાલે સાંજે વડાપ્રધાન કૃષી મંત્રાલયનાં અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. આ અગાઉ પણ 5 થી 6 બેઠકોમાંખેડૂતોની દેવા માફી અને તે અંગેના મુદ્દાઓ પર ચર્ચા થતી રહી હતી. સુત્રો અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત…

Read More

શહેરના માર્કેટયાર્ડ સામે શક્તિ સોસાયટી-૧માં રહેતા અને પેડક રોડ પર હસમુખ ટ્રેડીંગના નામે ઘઉંની પેઢી ધરાવતા હસમુખભાઈ ઘેલાભાઈ સુરાણી નામના ૪૦ વર્ષના પટેલ વેપારીએ ગઈ તા. ૨૧મીએ કાલાવડ રોડ પરના પ્રેમ મંદિર સામેના બગીચામાં ઝેરી દવા પી લેતા તેનું ગઈકાલે સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું. તેણે બિલ્ડર, ફાયનાન્સ, વકીલ સહિતના ૧૧ આરોપીઓના ત્રાસથી કંટાળી આ પગલુ ભરી લીધાની ફરિયાદ આજે તેના પત્ની દક્ષાબેને (ઉ.વ. ૩૬) બી ડિવીઝન પોલીસમાં નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ નિલેશ લુણાગરીયા તેના પત્ની હિનાબેન, જીજ્ઞેશ મનહરલાલ પટેલ, સન્ની જાનમહમદ પ્રમાણી, ફૂલરટોન ફાયનાન્સના ઈંદુભાઈ ચૌહાણ, જય કિશન માણેક, અરવિંદ પટેલ, પટેલ મેતાજી જે. રાધે, રણછોડનગરનાં…

Read More

(સૈયદ શકીલ દ્વારા) : હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના કીંગ ખાન શાહરુખ ખાન માટે કપરો કાળ ચાલી રહ્યો છે. સતત 6 ફિલ્મોની નિષ્ફળતાનો ગ્રાફ શાહરુખ ખાનનાં લલાટે લખાઈ ગયો છે. શાહરુખ ખાન પોતાની લોકપ્રિયતા ટકાવી રાખવામાં ફ્લોપ સાબિત થઈ રહ્યો છે અને આ ફિલ્મ ઉદ્યોગ માટે હવે નવા કીંગની શોધ કરવાના વારો આવી રહ્યો છે. હાલમાં રિલીઝ થયેલી મહત્વકાંક્ષી ફિલ્મ ‘ઝીરો’ની બોક્સ ઓફીસ હાલત અત્યંત દયનીય છે. શાહરુખ ખાનના ગ્રાફને જોઈએ તો 2014 એટલે કે પાછલા ત્રણ વર્ષમાં તેણે સફળતાનો ભરપૂર સ્વાદ ચાખ્યો નથી. રેડ ચિલ્લીઝ જેવાં હોમ પ્રોડક્શન હેઠળ બની રહેલી શાહરુખની ફિલ્મો ટપોટપ ફ્લોપ થવાના કારણે પ્રોડ્યુસર માટે તેને સાઈન…

Read More

હિમાચલ પ્રદેશમાં યોજાઈ રહેલી પીએમ મોદીની સભામાં જઈ રહેલા વિદ્યાર્થીઓની બસ પલટી ખાઈ જતા 35 બાળકો ઈજાગ્રસ્ત થયા છે.જેમાંથી પાંચની હાલત ગંભીર છે. આજે હિમાચલ પ્રદેશમાં ભાજપની સરકારને એક વર્ષ પુરા થવા નિમિત્તે પીએમ મોદીની રેલી યોજવામાં આવી છે.આ રેલીમાં ભાગ લેવા માટે નગરોટા સુરિયાના કોમ્પ્યુટર સેન્ટરના બાળકો બસમાં ધર્મશાળા જઈ રહ્યા હતા ત્યારે આ બસ રસ્તામાં પલટી ખાઈ ગઈ હતી. 32 લોકોની ક્ષમતાવાળી બસમાં 45 બાળકોને બેસાડવામાં આવ્યા હતા.

Read More

સુરત સરસાણા ખાતે આવેલા ચેમ્બર ઓફ કોમર્સના કન્વેન્શનલ હોલ ખાતે આજ રોજ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજ રોજ સુરતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા. તેમના હસ્તે સુરત સહિત દક્ષિણ ગુજરાતના 2,300 જેટલા શિક્ષિત યુવાનોને ઍપ્રેન્ટિસ કરાર પત્રો -રોજગાર પત્રો એનાયત કરવામાં આવ્યા. જેના પગલે 2,300 યુવાનોને ચાલુ નોકરીએ તાલીમ ઉપલબ્ધ થશે. શાળા છોડ્યા બાદ આઇટીઆઈ, ડિપ્લોમા-ડિગ્રી પાસ યુવાનોને ખાનગી કે જાહેર ક્ષેત્રના ઔદ્યોગિક સેવાકીય એકમોમાં ઓન જોબ ટ્રેનિંગ સુવિધાનો લાભ મળશેવ્યવસાયોમાં યુવાધનને કૂશળ બનાવી શકાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ઍપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે

Read More

ખેડા તાબે આવેલી ઓનલાઈન બિઝનેશ કરતી એક કંપનીનું આપખુદ વલણ ૩૦૦થી વધારે યુવાનો માટે ઘાતક સાબિત થયુ છે. કંપની દ્વારા અગાઉ ૧૨૦ જ્યારે આજે ૬૬ યુવાનોને તાત્કાલિક અસરથી નોકરીમાંથી હાંકી કાઢતા વિરોધના વંટોળ ફરી વળ્યા છે. કંપનીના નિર્ણય સામે યુવાનોએ ભારે વિરોધ નોંધાવ્યો છે, અને તાત્કાલિક ધોરણે યુવાનોને નોકરી પર પરત લેવાની માંગણી કરી છે. આ સમગ્ર ઘટના બપોર બાદ પ્રકાશિત થઈ હતી. કંપની દ્વારા ૬૬ નવયુવાન કર્મચારીઓને કેન્ટીનમાં બોલાવવામાં આવ્યા હતા. જ્યાં તેમને જણાવ્યું હતુ કે આવતીકાલ એટલે કે ૨૭ ડિસેમ્બરથી તેમને નોકરીમાંથી છુટા કરવામાં આવે છે. કંપનીએ યુવાનોને જણાવ્યુ હતુ કે તમામ કર્મચારીઓને ફક્ત ૨૫ ડિસેમ્બરના સમય સુધી…

Read More

ગુજરાત કોંગ્રેસમાં મોટી ઉથલપાથલના ભણકારા વાગી રહ્યા છે. કોંગ્રેસના મોટા નેતાઓ સહિત અનેક યુવા નેતાઓએ હાલના પ્રમુખ અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકી જૂથની સામે મોરચાબંધી કરતા અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. અર્જુન મોઢવડીયાના ગાંધીનગર ખાતેના નિવાસે કોંગ્રેસના સિનિયર નેતાઓ એકત્ર થયા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીને મળવા માટે નેતાઓએ વિચારણા કરી હતી, હવે આ તમામ નેતાઓ રાહુલ ગાંધીને મળવા માટે તજવીજ કરી રહ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં અર્જુન મોઢવડીયાએ કહ્યું કે કોંગ્રેસને 2019ની ચૂંટણીમાં મજબૂત કરવા માટે એકત્ર થયા છે. પાર્ટી વિરુદ્વનું કોઈ કામ કરવામાં આવી રહ્યું નથી. સિનિયર નેતાઓ મળ્યા છે અન ચોક્કસ નેતાઓને જ નિમંત્રણ આપવામાં…

Read More

ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતા છેલ્લા 6 વર્ષમાં પરમીટ ધારકોને કરોડોની કિંમતનો લગભગ 3.33 કરોડ લીટર વિદેશી દારૂનું વેચાણ થયું છે. રાજ્યમં છેલ્લા 3.65 લાખ લોકોને દારૂની પરમિટ આપવામાં આવી છે. જેમાં 52 હજાર ગુજરાતના નાગરિકો તથા 3.13 લાખ લોકોને ટુરસ્ટ પરમિટ અને વઝીટર્સ પરમિટ અપાઈ છે. ગજરાતમાં વર્ષોથી દારૂબંધી છે. તેમજ એકાદ વર્ષ પહેલા સરકારે કાયદાને વધુ કડક બનાવ્યો હતો. દરમિયાન તાજેતરમાં જ સુરતમાંથી દારૂની મહેફીલ માણતી મહિલાઓને ઝડપી લીધી હતી. ત્યારે ગુજરાતમાં અત્યાર સુધી આરોગ્ય સહિતના કારણોસર 72 હજાર કરતા વધારે દારૂની પરમિટ આપવામાં આવી છે. જમાં 42 હજાર પરમિટ આરોગ્યને લઈને આપવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર…

Read More