કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે વધુ એક નજરાણું ઉમેરાયું છે. અહીં પ્રથમવાર હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે. પ્રવાસીઓ અત્યાર સુધી જમીન પરથી સ્ટેચ્યુ જોતા હતા ત્યારે હવે આકાશમાં જઈને પણ વિશ્વના આ સૌથી ઉંચા સ્ટેચ્યુને નિહાળી શકશે. આકાશી વ્યુ દ્વારા નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોઈ શકાશે. દિલ્હીની હેરિટેજ એવિએશન નામની સંસ્થાને આ કામગીરી સોંપવામાં આવી છે. હેલિકોપ્ટરમાં બેસવા માટે એક પ્રવાસીના ટ્કિટ 2900 રૂપિયા રાખવામાં આવી છે. જેમાં કુલ 10 મીટરની હવાઈ મુસાફરી રહેશે. આ હવાઈ મુસાફરી રહેશે, આ હવાઈ મુસાફરીમાં પ્રવાસીઓને ફ્લાવર ઓફ વેલી, નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો એરિયલ વ્યુ…
કવિ: Satya-Day
ગુજરાતમાં ઘણા સમયથી AIIMSની માંગણી હતી, જે હવે પૂર્ણ થવા જઇ રહી છે. સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશીના સમાચાર છે કે કેન્દ્ર સરકારે રાજકોટની ભાગોળે ખંઢેરીમાં એઇમ્સની મંજૂરી આપી દીધી છે અને તેની વિધિવત જાહેરાત ગણતરીના દિવસોમાં થશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી છે. સૌરાષ્ટ્ર-કચ્છના દર્દીઓને અદ્યતન સારવાર હવે ઘર આંગણે મળી રહેશે. તેના માટે તેમને અમદાવાદ-મુંબઇ સુધી લાંબા થવું પડશે નહીં. રાજકોટને AIIMS મળવાથી સૌરાષ્ટ્રને મોટ ફાયદો થશે. રાજકોટમાં જામનગર રોડ પર આવેલા ખંઢેરી ગામ પાસે 1250 કરોડના ખર્ચે 750 બેડની હોસ્પિટલ બનશે. AIIMSનું કામ 4 વર્ષમાં પૂર્ણ થશે. કેન્દ્રીય મંત્રાલયે આ પ્રોજેક્ટ પર મંજૂરીની મ્હોર મારી દીધી છે તેમ સૂત્રોએ…
વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ હિઝ હોલીનેશ ડો. સૈયદના અબુલ કાઈદ જોહર મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ (રી.અ.)ના 108મી મિલાદ મુબારક (જન્મજયંતિ) તથા 53મા દાઈ હીઝહોલીનેશ ડો. સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.)ના 75મા જન્મદિવસની રાત્રે 27 મીના ગુરૂવારના રોજ સુરત ખાતે ભવ્ય શાનદાર પ્રોસેશન (મોકીબ) નીકળશે. આ પ્રોસેશનમાં અલગ અલગ ગામોથી દાઉદી વ્હોરા સમાજના 25 જેટલા બેન્ડ સુરત પહોંચી રહ્યા છે. ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે અને ડો.સૈયદના સાહેબ (ત.ઉ.શ.) મુબારક બાદી પેશ કરશે. વિશ્વભરમાંથી દાઉદી વ્હોરા સમાજના હજારોની સંખ્યામાં લોકો સુરત જઈ અને આ ભવ્ય પ્રોસેશનમાં સામેલ થશે. હીઝ હોલીનેશ ડો. સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.)…
અફ્ધાનીસ્તાનમાં થયેલા એક આંતંકવાદી હુમલામાં 29 લોકોના મોત નિપજ્યા છે અને 20 લોકો ઘાયલ થયા ઠછે. આ આત્મધાતી હુમલો કાબુલના સરકારી પરિસરમાં થયો હતો. આ બોમ્બ ધડાકાની સાથે જ બંદુકધારીએ ફાયરીંગ કરીને લોકોને પોતાના નિશાન ૂનાવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે અફ્ધાન પાટનગરમાં આ હિંસાનો સૌથી મોટો કેસ છે. લગભઘ 1 કલાક સુધી ચાલેલા ગોળીહબારમાં 20 લોકોના મૃત્યુ નિપજ્યા છે, જેમાં મોટા ભાગે સામાન્ય લોકો છે. આ હુમલાની હજી કોઈ સંગઠને જવાબદારી લીધી નથી.
સુરતની પ્રવાસી બસને એક્સિડન્ટ નડ્યા બાદ અમદાવાદની સ્વામી વિવેકાનંદ સ્કુલની વિદ્યાર્થીઓ ભરેલી બસને ગોધરામાં અકસ્માત નડતા 23 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે અને કંડક્ટરનું મોત નિપજ્યું છે. આ ઘટના બાદ બસનો ડ્રાઈવર બસ છોડીને ભાગી ગયો હતો, જેની પોલીસ તપાસ હાથ ઘરવામાં આવી છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદની સ્કુલની વિદ્યાર્થીઓ ભરેલી પ્રવાસી બસ મધ્ય પ્રદેશના પ્રવાસે જઈ રહી હતી. જેમાં ગોધરા પાસે ડ્રાઈવરે ઢાળ પર કન્ટ્રોલ ગુમાવતા બસ ઢાળમાં સ્લીપ થઈ ગઈ હતી, જેમાં 24 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે, જેને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જો કે બાળકોને કોઈ ગંભીર ઈજા થઈ નથી, પણ આ ઘટનામાં…
સુપ્રીમ કોર્ટ 4 જાન્યુઆરીએ અયોધ્યા મામલામાં દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી પર સુનાવણી કરશે. આ અરજીમાં અયોધ્યા મામલામાં સુનાવણી સ્થગિત કરવા માટે સવાલ પૂછવામાં આવ્યો હતો. સાથે જ આ મામલામાં તાત્કાલિક આધાર પર અને સમયસર રીતે સુનાવણી કરવાની વિનંતી પણ કરવામાં આવી છે. સોમવારે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે કેન્દ્ર સરકાર રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ ટાઈટલ સૂટ મામલામાં પ્રતિદિનના આધારે સુનાવણી ઈચ્છે છે. જાવડેકરે પત્રકાર પરિષદમાં કહ્યું કે કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે રામ મંદિર મામલામાં પ્રતિદિનના આધારે સુનાવણી થાય. જેથી આ મુદ્દાને જલ્દીથી ઉકેલ કરી શકાય. ઉલ્લેખનીય છે કે છેલ્લા દિવસોમાં સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ…
સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત એન્વાયર્નમેન્ટ પોલ્યુશન કંટ્રોલ ઓથોરિટી (ઈપીસીએ) દ્વારા સોમવારે પ્રદૂષણનું વધુ પ્રમાણ ધરાવતા સ્થળોએ ઓદ્યોગિક પ્રવૃતિઓ પર અને સમગ્ર દિલ્હી-એનસીઆરમાં બાંધકામ પ્રવૃતિઓ પર ત્રણ દિવસ માટે પ્રતિબંધ મૂકી દીધો છે. આ આદેશ દેશની રાજધાનીમાં વ્યાપેલા ‘ગંભીર’ વાયુ પ્રદૂષણના કારણે આપવામાં આવ્યો છે. દિલ્હીમાં દિવાળી પછી ફરી સૌથી વધુ પ્રદૂષણનો માહોલ છવાયો છે. શહેરની હવાની ગુણવત્તા સતત ત્રીજા દિવસે સોમવારે પણ ‘ગંભીર’ની શ્રેણીમાં રહી છે. હવામાન સંબંધિત કારણોથી આ સ્થિતિ સર્જાઈ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. દિલ્હીમાં ખાસ કરીને વઝીરપુર, મુંડકા, નારેલા, બવાના, સાહિબાબાદ અને ફરિદાબાદ જેવા વિસ્તારોમાં બુધવાર સુધી ઈન્ડસ્ટ્રીઝ બંધ રાખવામાં આવશે. ઈપીસીએના ચેરપર્સન ભૂરે લાલે એક…
થોડા વર્ષ પહેલાં, અક્ષય કુમાર પોતાની નાગરિકતા અંગે વિચિત્ર વિવાદમાં ફસાયો હતો . તે બોલિવુડના એક મુવીના શુટીંગમાં ગયો હતો ત્યારે લંડનના એક એરપોર્ટમાં તેના પાસપોર્ટને કારણે વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ સમાચાર એજન્સીઓને ખબર પડી કે તે ભારતીય નહી પણ કૅનેડિયન પાસપોર્ટ ધરાવે છે. જો તમે તેનું વિકિપીડિયા પૃષ્ઠ તપાસો તો પણ તેની નાગરિકતા કૅનેડિઅન તરીકે સૂચિબદ્ધ છે. હાલમાં સશિયલ મિડીયા પર અક્ષય કુમારનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તેમણે પોતાને કેનેડિયન તરીકે જાહેર કર્યા છે અને પોતાની ભવિષ્યની યોજના વિશે ખુલાસા કર્યા છે. કેનેડાના ટોર્નેટોમાં એક ઈવેન્ટ દરમિયાન તેણે જણાવ્યું હતું કે ‘મારે તમને એક વાત કહેવી છે.…
સુરતના મોટા વરાછા વિસ્તારમાં 261 પિતા વિહોણી દીકરીઓના ભારે ધામધૂમ પૂર્વક સમુહ લગ્નનું આયોજન થયું. જેમાં સીએમ વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સીએમ રૂપાણીએ ચાર દિકરીઓનું કન્યાદાન કરીને પિતા તુલ્ય ભૂમિકા પણ અદા કરી હતી. લાડકડી લગ્નોત્સવમાં 261 જેટલી દીકરીઓને પ્રભુતામાં પગલાં માંડી નવા જીવનની શરૂવાત કરી હતી. પિતા વિહોણી 261 દિકરીઓમાં 6 મુસ્લિમ, ત્રણ ખ્રિસ્તી દીકરીઓનો પણ સમાવેશ થતો હતો. તેઓને તેમના ધર્મની પરંપરા અને રીતરિવાજ મુજબ લગ્ન કરાવવામાં આવ્યા હતા.
નવસારીમાં આજે મોડી સાંજે બસ ડેપોમા સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના જાન ગયા છે જ્યારે છથી સાત લોકોને ઈજા પહોંચી હોવાની જાણકારી મળી રહી છે. ઘટના વિગતો મુજબ મોડી સાંજે એસટી બસના કારણે ગોઝારા અક્સમાતનાં લીધે બસ ડેપોમાં પરિવારજનોનું આક્રંદ અને હૈયાફાટ રૂદન કંપારી છોડાવનારા હતા. સાંજના સમયે મુસાફરો બસની રાહ જોતા સમયે બેઠા હતા તે સમયે અચાનક મોત બનીને આવેલી GJ18-Y,6575 નંબરની એસટી બસ અચાનક ધડાકાભેર પ્લેટફોર્મમાં ઘૂસી ગઈ હતી. ભારે અંધાધૂંધી સર્જાઈ જવા પામી હતી.જાન બચાવવા માટે મુસાફરો ઉભી પૂંછડીએ ભાગ્યા હતા. પરંતુ બસની અડફેટમાં ત્રણ વ્યક્તિઓ મોતને ભેટ્યા હતા. વધુ વિગત મુજબ બસની બ્રેક ફેલ…