દુનિયાની મોટી ટેક કંપની ગૂગલ પોતાની મેસેજનર એપ Alloને શટડાઉન કરી રહી છે. આને કંપનીએ સપ્ટેમ્બર 2016માં લોન્ચ કરી હતી. જોકે, ગૂગલની આશા પ્રમાણે આ એપ લોકપ્રિય થઈ શકી નહતી અને હવે તેને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૂગલે બ્લોગ પોસ્ટમાં કહ્યું છે, ‘Allo માર્ચ 2019 સુધી ચાલશે પછી બંધ થઈ જશે. તમારા જૂના કનવર્સેશન અને વર્તમાન ચેટ્સ આ એપથી એક્સપોર્ટ કરી શકશો. ગૂગલે કહ્યું કે, તેમને એલોના કારણે ઘણું બધુ શિખવા માટે મળ્યું છે, તેમાંય ખાસ કરીને મશીન લર્નિંગ આધારિત ફિચર્સ અને ગૂગલ આસિસ્ટેંટને મેસમેજિંગ એપમાં જ ઈનબિલ્ટ કરવી. આ વર્ષે એપ્રિલથી કંપનીએ એલોમાં રોકાણ બંધ કરી દીધું…
કવિ: Satya-Day
પાટીદાર અનામત આંદોલ સમિતિના આગેવાન અલ્પેશ કથીરીયાના વધુ એક કેસમાં જામની થતાં તે હવે જેલમાંથી બહાર આવશે. કથીરીયાનું વાજતે-ગાજતે સ્વાગત કરવામાં આવશે. અલ્પેશ કથીરીયા સામે બે રાજદ્રોહ અને એક સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ત્રણેય કેસમાં કથીરીયાનાં જામીન થઈ ગયા હોવાનું પાસના અન્ય એક આગેવાન ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું. અલ્પેશ કથીરીયા વિરુદ્વમાં અમદાવાદ અને સુરતમાં રાજદ્રોહના કેસ નોંધવામાં આવ્યા હતા. અલ્પેશની સાથે હાર્દિક પટેલે પણ બન્ને કેસમાં આરોપી બનાવાયો છે. હાર્દિક પટેલ પણ હાલ જામીન છે. જ્યારે અલ્પેશની અમદાવાદના કેસમાં ધરપકડ કરવામાં આવી અને સાડા ત્રણ મહિના બાદ જામીન આપવામાં આવ્યા. અમદાવાદ કોર્ટ જામીન આપે તે પૂર્વે કથીરીયાની…
થોડા સમય પહેલા એક્ટ્રેસ રાખી સાવંતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કાર્ડ શેર કરીને દીપક કલાલ સાથે લગ્ન કરવાની જાહેરાત કરી હતી. કાર્ડ અનુ સાર રાખી સાવંત અને દીપક કલાલ 31 ડિસેમ્બરે લગ્ન કરવાના હતા. લગ્નની વિધિ માટે બન્નેએ લોસ એન્જેલસની પસંદગી કરી હતી. રાખી બાદ દીપક કલાલે પણ લગ્નનું કાર્ડ શેર કર્યું હતું. જોકે આ અહેવાલ આવતા જ લોકોને શંકાઓ ગઈ હતી. લોકોની શંકા હવે સાચી સાબિત થઈ રહી છે. હજુ આ જાહેરાત કર્યાને એક સપ્તાહનો સમય થયો છે ત્યારે આ સંબંધ ખત્મ થઈ ગયો છે. આ વાતની જાણકારી પણ રાખી સાવંતે ઇન્સ્ટાગ્રામ દ્વારા આપી છે. વીડિયોમાં રાખી દીપક અને…
ગુજરાત લોક રક્ષક દળના પેપર લીક કાંડમાં કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ન્યાય યાત્રા કાઢી હતી. મોટા કાફલા સાથે અમદાવાદના ગાંધી આશ્રમથી નીકળેલી ન્યાય યાત્રા ગાંધીનગર પહોંચી હતી. અલ્પેશ ઠાકોરે કહ્યું કે આ કાંડમાં મોટા માથાઓના નામ સંડોવાયેલા છે. દિલ્હી સુધી રેલો પહોંચશે તો મોટા માથાઓના નામ ખૂલશે. અલ્પેશ ઠાકોરે મીડિયાને જણાવ્યું કે હાલ કોઈનું નામ લઈ શકાય એમ નથી. કાંડ કરનારા લોકો રાષ્ટ્રીય વિચારધારા સાથે જોડાયેલા લોકો છે. સરકારે કહ્યું છે કે કોઈ પણ ચંરબંધીને છોડવામાં આવશે નહીં તો સરકાર પોતાની કટિબદ્વતા પુરવાર કરી બતાવે. પેપર લીક કરનારાને પકડી પાડવામાં આવ્યા છે એવું કહેવાય છે પણ પેપર કોણે લીક…
સુરત ભાજપ લઘુમતિ મોરચામાં ગે-રિલેશનનાં મેસેજના અનુસંધાને લાલગેટ પોલીસે ભાજપના કાર્યકરની ફરીયાદનાં આધારે ભાજપના જ કાર્યકરની ધરપકડ કરી છે. જ્યારે મેસેજ વાયરલ કરનાર ભાજપના મોટા માથાને બચાવી લેવાનો ખેલ કરવામાં આવી રહ્યો હોવાની માહિતી જાણવા મળી રહી છે. વિગતો મુજબ સુરત ભાજપ લઘુમતિ મોરચાના મહામંત્રી ઈમરાન મેમણે લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ લખાવેલી ફરીયાદ પ્રમાણે ઈમરાન મેમણ સુરત ભાજપ લઘુમતિ મોરચામાં મહામંત્રી તરીકેનો હોદ્દો ધરાવે છે. 25મી નવેમ્બરે ચોકબજાર ખાતે આવેલી અલ ખલીલ ટી-સેન્ટર પર સુરત લઘુમતિ મોરચાના પ્રમુખ વાજીદ(મોહસીન)મીર્ઝા સાથે ઉભો હતો ત્યારે યુનુસ શાહ નામનો ભાજપનો જ કાર્યકર ત્યાં આવ્યો હતો અને કહ્યું હતું કે પાર્ટીના નામે સારા રૂપિયા…
લોક રક્ષક દળની પરીક્ષામાં શરૂઆતથી જેનું નામ લેવામાં આવી રહ્યું હતું તે યશપાલસિંહ સોલંકીની પોલીસે ધરપકડ કરી લીધી છે. યશપાલની મહિસાગર એસઓજીએ ધરપકડ કરી છે. તેને પૂછપરછ માટે ગાંધીનગર લાવવામાં આવશે. યશપાલસિંહ દિલ્હી જઈને લોક રક્ષક દળની પરીક્ષાની આન્સર કી લાવ્યો હતો. પોલીસે યશપાલના મોબાઇલ નંબરને સર્વેલન્સ પર રાખીને તેની ભાળ મેળવી હતી. યશપાલની ધરપકડ સાથે જ પોલીસ પેપર લીક કાંડમાં દિલ્હીના જે લોકો સંડોવાયેલા છે તેની માહિતી મેળવી શકશે. દિલ્હીથી ગુજરાત પરત આવ્યા બાદ યશપાલે લોક રક્ષક દળની પરીક્ષા આપવાની હતી. આ માટે તે સુરત પહોંચી ગયો હતો. પરંતુ પેપર લીક થઈ જતાં તેને ધરપકડનો અંદાજ આવી ગયો હતો…
ગુજરાતની રૂપાણી સરકારને હચમચવાતા લોક રક્ષક દળની પરીક્ષાના પેપર લીક કાંડનાં મુખ્ય સૂત્રધાર યશપાલને લોક રક્ષક બનવું હતું. પરીક્ષા આપવા માટે યશપાલસિંહ જશવંતસિંહ ઠાકોર સુરત આવ્યો હતો અને પરીક્ષા આપ્યા બાદથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગયા રવિવારે લોક રક્ષક દળની પરીક્ષા યોજવામાં આવી હતી. નવા લાખ જેટલા પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી પરંતુ પેપર લીક થવાની જાણ થતાં સરકારે પરીક્ષા રદ્ કરતાં ભારે હોબાળો મચી ગયો હતો અને ગુજરાત સરકાર ભીંસમાં મૂકાઈ જવા પામી હતી. પેપર લીક થવાની તપાસ શરૂ કરવામાં આવી અને પોલીસે અત્યાર સુધી 12 જેટલા આરોપીઓને જેલ ભેગા કર્યા છે ત્યારે પેપર લીક કાંડનો…
ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ પોતાના ગ્રાહકો માટે છઠ્ઠી ડિસેમ્બરથી આઠમી ડિસેમ્બર સુધી બિગ શોપિંગ ડેઝ (Flipkart Big Shopping Days) સેલ શરૂ કરી રહી છે. આ સેલમાં બ્રાન્ડેડ સ્માર્ટફોન, ટીવી, લેપટોપ અને એસેસિરીઝ પર મોટું ડિસ્કાઉન્ટ મળશે. આ સાથે જ એચડીએફસી (HDFC) બેંકના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી ખરીદી કરનાર લોકોને વધારાનું 10% ડિસ્કાઉન્ટ પણ મળશે. જાણો કઇ પ્રોડક્ટ કેટલી કિંમત પર મળી રહી છે. બિગ શોપિંગ ડેઝ સેલ અંતર્ગત ઓનર 9Nનો 4GB RAM અને 64 GB ઇન્ટરનલ સ્ટોરેઝ વાળો સ્માર્ટફોન ફક્ત રૂ. 10,999માં મળશે. આ ફોનની મૂળ કિંમત રૂ. 15,999 છે. જો તમે આ ફોનનું 3GB RAM અને 32GB ઇન્ટરનલ સ્ટોરેઝ વાળું…
સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફર લઈને આવી છે. બેંક તેના ગ્રાહકોને મફતમાં પાંચ લીટર પેટ્રોલ ભરાવવાનો મોકો આપી રહી છે. બેંક તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે જો ગ્રાહકો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના કોઈ પણ પેટ્રોલ પંપ પરથી BHIM એપના માધ્યથી ચૂકવણી કરે છે તો પાંચ લીટર પેટ્રોલ મફતમાં મળી શકે છે. જાણો આ ઓફરનો લાભ કેવી રીતે લઈ શકશો. આ છે પ્રોસેસ આ ઓફરનો લાભ લેવા માટે તમારે ઓછામાં ઓછા રૂ. 100નું પેટ્રોલ પુરાવવું પડશે. BHIM એપના માધ્યમથી ચુકવણી કરીને જે નંબર મળે તેને મોબાઇલ નંબર 9222222084 પર મોકલવાનો રહેશે. આ માટે તમારે એસએમએસનો…
નોકિયા બ્રાન્ડની માલિક HMD ગ્લોબલે આજે (30 નવેમ્બરે) ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન નોકિયા 7.1 લોન્ચ કરશે. નવો Nokia 7.1 મિડ રેન્જ સ્માર્ટફોન છે અને તેની ખાસિયત પ્યોરવ્યૂ ડિસ્પ્લે તથા ડ્યુઅલ રિઅર કેમેરા છે. ઉલ્લેખનીય છે કે, HMD ગ્લોબલ દ્વારા 5 ડિસેમ્બરે દુબઇ અને 6 ડિસેમ્બરે ભારતમાં એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટમાં કંપની દ્વારા Nokia 8.1, Nokia 2.1 અને Nokia 9 સ્માર્ટફોન્સ લોન્ચ કરવામાં આવી શકે છે. નોકિયા 7.1ની કિંમત 19999 રૂપિયા રાખવામાં આવી છે.. ફોનનું વેચાણ દેશભરના રિટેલ સ્ટોર્સ અને Nokia.com પર શરૂ થશે. ફોન ગ્લોસ મિડનાઇટ બ્લૂ અને ગ્લોસ સ્ટીલ કલરમાં ખરીદી શકાશે. ઓફલાઇન સ્ટોર્સમાંથી HDFC…