કવિ: Satya-Day

માનવ સંસાધન વિકાસ મંત્રાલય તરફથી રજૂ કરાયેલ પરિપત્રમાં પહેલાં અને બીજા ધોરણોનાં વિદ્યાર્થીઓને હોમવર્કથી મુક્તિ મળી ગઇ છે અને દસમાં ધોરણનાં વિદ્યાર્થીઓની સ્કૂલ બેગનો ભાર પણ ઓછો કરી દેવાયો છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયનાં સ્કૂલની શિક્ષા અને સાક્ષરતા વિભાગ તરફથી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રજૂ કરાયેલ પરિપત્ર અનુસાર, પહેલા અને બીજા ક્લાસનાં વિદ્યાર્થીઓને હવે હોમવર્ક નહીં આપવામાં આવે. આ સિવાય, તેઓનાં સ્કૂલનાં દફ્તરનું વજન પણ વધારેમાં વધારે ડોઢ કિલો રહેશે. આ પ્રકારે તેઓનાં દફ્તરનું વજન પણ ઓછું કરી દેવાયું છે. આમાં કહેવામાં આવેલ છે કે સ્કૂલોને એ નક્કી કરવાનું રહેશે કે જે પુસ્તકોની જરૂરિયાત ના હોય, તેને બાળકો ના…

Read More

હંમેશા વિવાદોની વચ્ચે ઘેરાયેલી રહેતી અમદાવાદની સાબરમતી સેન્ટ્ર જેલ ફરી એક વખત વિવાદોમાં સપડાઈ છે. જેલમાંથી મોબાઈલ મળી આવવાનો સિલસિલો આજે પણ યથાવત છે. સેન્ટ્રલ જેલમાં શાંતિનીકેતન બેરક-1 નજીકથી વધુ એક મોબાઈલ મળી આવતા જેલ તંત્ર સામે સવાલો ઉઠ્યા છે. અગાઉ ભટનાગર બંધુ અને કિશોરસિંહ પાસેથી પણ મોબાઈલ મળી આવ્યા હતા. જે બાદ આજરોજ વધુ એક વખત જેલમાંથી મોબાઈલ મળી આવતા પોલીસે આ દિશામાં કડક તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે આ પહેલાં પણ સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી મોબાઇલ અને સીમકાર્ડ મળી આવ્યાં હોવાની અનેક વાર ઘટનાઓ સામે આવી છે. ત્યારે ફરી વાર જેલમાંથી મોબાઇલ ફોન અને સિમકાર્ડ મળી આવતાં…

Read More

અમૃતસર ટ્રેક પર મંગળવાર સવારે 4 વાગ્યે એક  મોટી રેલ દૂર્ઘટના બનવા પામી હતી. કુરૂક્ષેત્રમાં ધીરપુર ગામ પાસે કાલકા-હાવડા એક્સપ્રેસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. આ દૂર્ઘટનામાં પાંચ યાત્રીઓને ઈજા પહોંચીના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. જેમાં ત્રણ મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે. આ ટ્રેન કાલકાથી દિલ્હી તરફ જઇ રહી હતી. આગ લાગી હોવાના સમાચાર પ્રાપ્ત થતા રેલવે પોલીસ, બચાવ દળ તેમજ અન્ય અધિકારી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. એક મળતી માહિતી મુજબ ટ્રેન જેવી ધીરપુર રેલવે સ્ટેશન પર પહોંચી તો તેના SLR ડબ્બામાં આગ લાગી હતી. ટ્રેનમાં આગનો બનાવ બનતાની સાતે આ ટ્રેકને અન્ય ટ્રેન માટે બંધ…

Read More

ગુજરાતના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાને કાલે તાબડતોડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હોસ્પિટલ ખાતે તેમના પર કેન્સરનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. હાલ તેમની તબિયત સ્થિર છે. તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. તબીબોના મતે પ્રદીપસિંહને ઓપરેશનથી મટી જાય તે પ્રકારનું કેન્સર છે. સોમવારે કરાયેલા ઓપરેશન પછી તેમની તબિયત સારી હોવાનું ડોક્ટરોનું કહેવું છેે. મળતી માહિતી પ્રમાણે સોમવારે ગૃહપ્રધાન પ્રદીપસિંહને સારવાર HCG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં તેમને ગળાનું કેન્સર હોવાનું નિદાન થયું છે. ઓપરેશન પછી તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. તેમને ICUનાં રૂમ. નંબર-8માં રાખવામાં આવ્યાં છે.

Read More

સોનાક્ષી સિન્હા વિરુદ્ધ ઉત્તર પ્રદેશનાં મુરાદાબાદમાં ફરિયાદ નોંધવામાં આવી છે. તેનાં પર ‘ઇન્ડિયન ફેશન એન્ડ બ્યૂટી એવોર્ડ કંપની’એ તેનાં પર આરોપ લગાવ્યો છે. સોનાક્ષી અને તેનાં મેનેજર સહિત આ કંપની દ્વારા કૂલ  7 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. કંપનીએ ફરિયાદમાં કહ્યું છે કે, દિલ્હીમાં શો કરવા માટે કંપની પાસેથી સોનાક્ષીનાં ખાતામાં 28 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. આ સાથે ટીમની ફ્લાઈટની  9 લાખ રૂપિયા સુધીની ટીકિટ બૂક કરવામાં આવી હતી પરંતુ સોનાક્ષી કોઈ પણ જાણ કર્યાં વગર કાર્યક્રમમાં પહોંચી નહોતી. ઈન્ડિયન ફેશન એન્ડ બ્યૂટી એવોર્ડ કંપનીનાં માલિક પ્રમોદ શર્મા છે.તેમની કંપનીએ દિલ્લીનાં સીરીફોર્ટ ઓડિટોરિયમમાં ફેશન શોનું આયોજન કરાવવાનું…

Read More

ગુજરાતના ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર પર 2002માં થયેલા હુમલાનો આરોપી મોહમ્મદ ફારૂક શેખને પોલીસે અમદવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. હુમલામાં 30 લોકોના મોત થયા હતા, જ્યારે 80થી વધારે લોકો ઘાયલ થયા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર SP ભાગીરથ સિંહ ગોહિલે જણાવ્યું કે જેવો મોહમ્મદ ફારૂક શેખ સાઉદી અરબ રિયાધથી અમદાવાદ એરપોર્ટ આવ્યો ત્યાં તેની ધરપકડ કરી લેવામાં આવી. પોલીસે જણાવ્યું કે મંદિરમાં હુમલાની બાદ 2002 રિયાધ ભાગવાની પહેલા ફારૂક શેખ જુહાપુરામાં રહેતો હતો. તેણે જણાવ્યું કે શેખએ હુમલા પહેલા પૈસાની વ્યવસ્થા કરી હતી. ઉલ્લેખનીય છે કેc જેમાં 30 લોકોના મોત થયા હતા અને 80થી વધારે…

Read More

શહેરના વેસુ વિસ્તારમાં આવેલા આગમ આર્કેડમાં મોડી સાંજે પહેલા માળની દુકાનોમાં ભીષણ આગ લાગી હતી. જોત જોતામાં આગે ભીષણ સ્વરૂપ ધારણ કરતાં દુકાનોની ઉપર આવેલી હોસ્પિટલમાં લોકો ફસાઈ ગયા હતા. આ કોમ્પલેક્સમાં ટ્યુશન ક્લાસ પણ આવેલું હોવાથી 50થી વધારે વિદ્યાર્થીઓ પણ ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. હાલ આગ પર નિયંત્રણ મેળવી લેવાયું છે. અચાનક આગ લાગવાની ઘટનાથી અફરાતફરીનો માહોલ છવાયો હતો. 10 થી 12 જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળ પર પહોંચી ગયા છે. લગભગ કોમ્પલેક્ષમાં 60થી વધુ વિદ્યાર્થી ફસાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ફાયરની ટીમે ક્રેન દ્વારા કોમ્પલેક્ષના કાચ તોડી બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘટના…

Read More

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોની હાલ ટીમ ઇન્ડિયાની ટી-20 ટીમનો સભ્ય નથી. એવી અટકળો કરવામાં આવી રહી છે કે ધોની 2019ના વર્લ્ડ કપ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દેશે. તેથી તેના પ્રશંસકોના મનમાં એક સવાલ છે કે નિવૃત્તિ પછી ધોની શું કરશે? ધોનીએ આ વિશે વિચારવાનું શરુ કરી દીધું છે અને તે ઘણા કામો હાથ અજમાવી રહ્યો છે. ધોનીએ છત્તીસગઢના ખેલાડીઓ માટે પ્રદેશમાં એક ક્રિકેટ એકેડમી શરુ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ માટે ધોનીએ સ્પોર્ટ્સ વિભાગને એક ડ્રાફ્ટ બનાવીને મોકલ્યો છે. રાયપુરમાં શહીદ વીરનારાયણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં એેકેડમી શરુ કરવાને લઈને વાત ચાલી રહી છે. સ્પોર્ટ્સ…

Read More

સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (ઇવીએમ) ને જંકિંગ અને ભાવિ રાજ્ય વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં મતદાનપત્રો પર પાછા ફરવાની માગણી કરી એક પીઆઈએલને ફગાવી દીધી હતી, જેમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ સિસ્ટમ સાથે શંકા હંમેશા રહેશે. એનજીઓ ન્યાયા ભૂમિ દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલને ચૂકાદો આપતા મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ, જેણે આ કેસ સાંભળનારા ત્રણ ન્યાયમૂર્તિની ખંડપીઠની આગેવાની લીધી હતી, જણાવ્યું હતું કે:  “દરેક મશીન ઉપયોગમાં લેવા અને દુરૂપયોગ કરવામાં સક્ષમ છે અને દરેક સિસ્ટમમાં શંકા હશે.” અરજદારે એવી દલીલ કરી હતી કે ઇવીએમ ચેડા કરવાના હતા અને આ રીતે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓના હિતમાં ઉપયોગમાં લેવા યોગ્ય…

Read More

ગુજરાતમાં ભારે ચકચાર જગાવનારા મગફળી કૌભાંડમાં કોંગ્રેસના તમામ નેતાઓની બોલતી બંધ થઈ ગઈ છે. ખાસ કરીને વિપક્ષ નેતા પરેશ ધાનાણી, અર્જુન મોઢવડીયા, હિંમતસિંહ પટેલ વગેરેએ મગફળી કૌભાંડને લઈ ભારે ઊહાપોહ કર્યો હતો પણ આજે સ્થિતિ એ છે કે વિપક્ષ તરીકે કોંગ્રેસ પણ હવે આ મામલે નરો વા કુંજરો કરવા માંડી હોવાની છાપ ઉપસી રહી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનાં મગફળી ગોડાઉનોમાં આગ લાગવાની એક સાથે અનેક ઘટનાઓ બની હતી. પરેશ ધાનાણીએ આકારા પાણીએ મગફળી કૌભાંડની તપાસ કરવા માટે આંદોલન શરૂ કર્યું હતું. પોલીસ ફરીયાદો નોંધવામાં આવી અને જાડા નરોને જોઈને શૂળીએ ચઢાવી દેવામાં આવ્યા પરંતુ મોટા મગરમચ્છોને ઊની આંચ પણ…

Read More