તમે જો ઈમાનદારીથી ટેક્સ ભરતા હોય તો બહુ જલ્દી સરકાર તમારી કદર કરવા જઈ રહી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા આ પ્રસ્તાવ પર વિચારણા ચાલી રહી છે. બોર્ડના ચેરમેન સુશીલ ચંદ્રાના કહેવા પ્રમાણે ઈમાનદાર કરદાતાને ઈનામ આપવા માટે ચાલી રહેલી વિચારણના ભાગરુપે એક સમિતિ બનાવી હતી. આ સમિતિએ જે રિપોર્ટ બોર્ડને સોંપી છે તેમાં ભલામણ કરવામાં આવી છે કે જે ટેક્સપેયર પ્રમાણિકતાથી ટેક્સ ભરતા હોય તેમને રેલવે સ્ટેશન, એરપોર્ટ, ટોલ પ્લાઝા તેમજ અન્ય સાર્વજનિક સ્થળોએ સરકારી સેવાઓમાં બીજા કરતા પહેલા પ્રાથમિકતા આપવામાં આવે.ચંદ્રાનુ કહેવુ છે કે આ પ્રસ્તાવ પર વિચારણા ચાલી રહી છે અને તેના પર બહુ જલ્દી…
કવિ: Satya-Day
વલસાડ પોલીસે અબ્રામા પાસે આવેલા સાંઈ લીલા મોલમાં ચાલી રહેલા દેહ વેપારના અડ્ડા પર દરોડો પાડ્યો હતો અને લલનાઓ સહિત ગ્રાહકોને ઝડપી પાડી કાર્યવાહી કરી હતી. પોલીસ સૂત્રો મુજબ અબ્રામાના સાઈલીલા મોલના બીજા માળે આવેલા કોલ સ્પાની આડમાં દેહવેપારનો ધંધા ધમધોકાર ચાલી રહ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે સ્પાની આડમાં યુવતીઓને બોલાવી દેહનો વેપાર કરવામાં આવે છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા લલનાઓ સહિત ગ્રાહકો અને સ્પાની આડમાં ધંધો કરી રહેલા તત્વોને પકડી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે. ડમી ગ્રાહક ઉભો કરી વલસાડ પોલીસે સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું. પોલીસે જણાવ્યું કે પોલીસે કોરલ થાઈ સ્પાના માલિક…
મહારાષ્ટ્રમાં ભાજપની સરકારે મરાઠાઓને અનામત આપવાની જાહેરાત કરતા ગુજરાતમાં પાછલા ત્રણ વર્ષથી પાટીદાર અનામત આંદોલન ચલાવી રહેલા હાર્દિક પટેલે ભાજપ સરકારના દોગલાપણા પર સવાલ ઉભા કર્યા છે. ભાજપની બેવડી નીતિ અંગે હાર્દિક અણીદાર સવાલો કરીને ભાજપની સરકારને ઘેરી લીધી છે અને પાટીદારોને ન્યાય સાથે અનામત આપવા મામલે ફરી એક વાર અનામતની માંગણીને બુલંદ કરી છે. હાર્દિક પટેલે કહ્યું કે ગઈકાલે OBC કમિશન દ્વારા મરાઠા સમાજનો સામાજિક અને આર્થિક રીતે જે સર્વે કરવામાં આવ્યો છે અને એ સર્વે અને તે બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી કે મરાઠા સમાજને અનામત આપવામાં આવશે. મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર, ગુજરાતમાં ભાજપની સરકાર, કેન્દ્રમાં ભાજપની…
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ગત 31મી ઓક્ટોબરના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેના બીજે દિવસેથી જ ત્યાં આખા દેશમાંથી પ્રવાસીઓનો ધસારો વધી રહ્યો છે. ગત રવિવાર સુધીમાં દિવાળીની રજાઓ હોવાને કારણે એકંદરે ત્યાં દિવસના 15થી 20 હજાર સહેલાણીઓ આવતા હતાં. જેને ધ્યાનમાં રાખીને રાજપીપળામાં ડિસેમ્બરના અંત સુધીમાં એરપોર્ટ પણ બનાવવાનો પ્રારંભ પણ કરવામાં આવશે. જેના કારણે દેશવિદેશના લોકોને ત્યાં આવવામાં સહેલાઇ થાય. એરપોર્ટ ઓથોરિટી ઇન્ડિયા સાથે સીએમ વિજય રૂપાણીની બેઠક થઇ હતી. જેમાં રાજ્યમાં ત્રણ જગ્યાએ એટલે ધોલેરા, રાજકોટ અને રાજપીપળામાં એરપોર્ટ બનાવવાની મંજૂરી મળી છે. આ ઉપરાંત પ્રવાસીઓ માટે ફોર લેન રસ્તાથી કેવડિયાને જોડવામાં આવ્યો છે બીજી…
તમારી બાઇક, કાર અથવા સ્કૂટર ચોરી થઈ જશે એવો ડર હવે રાખશો નહીં. કારણકે તમે તમારા વ્હિકલને મોબાઇલ સિમની મદદથી સુરક્ષિત કરી શકો છો. તેમા ચિંતાની જરૂર નથી કારણકે માર્કેટમાં એવા કેટલાક ડિવાઇસ ઉપલબ્ધ છે જેની મદદથી સિમ લગાવીને તમે તમારી ગાડીમાંલગાવી શકો છો અને વ્હીકલ ચોરી થવા પર તમે તરત જ ટ્રેક કરી શકો છો. ઇલેક્ટ્રોનિક ઉપકરણ બનાવનાર કંપનીએ iMarsએ માઇક્રો જી.પી.એસ. ટ્રેકર લોન્ચ કર્યું જેમા સિમ લગાવી શકાય. ત્યારબાદ વાહનને બેટરીથી કનેક્ટ કરીને તેમા છુપાવી શકાય છે. હવે યુઝરને તેના સ્માર્ટફોનમાં તેમા સંબંધિત એપ ઇન્સ્ટોલ કરવી પડશે અને જ્યારે કોઈ તમારા વગર કાર ચલાવશે અથવા તેને ચલાવવાનો પ્રયાસ…
સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’નો ફર્સ્ટ સત્તાવાર લુક રિલીઝ કરવામાં આવ્યો છે. સલમાને ખુદ તેને પોતાના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. તસવીરમાં સલમાન ખાન અને કેટરીના કૈફ વાઘા બોર્ડર પર ગેટની પાસે ઉભા જોવા મળી રહ્યા છે. હાલમાં જ અહેવાલ આવ્યા હતા કે આ ફિલ્મ માટે મેકર્સે લુધિયાણામાં વાઘા બોર્ડર જેવો જ સેટ ઉભો કર્યો છે. કેટરીના આ તસવીરમાં સાડી પર સાલ ઓઢીને ઊભી છે, જ્યારે સરમાન નેવી બ્લૂ કલરના સૂટમાં દેખાઈ રહ્યો છે. ફિલ્મનું પોસ્ટર આવતાની સાથે જ છવાઈ ગયું છે. સલામાને પોસ્ટર રિલીઝ કર્યાના 12 કલાકમાં જ તેને 11 લાખ લાઈક્સ મળ્યા છે. લોકોમાં આ ફિલ્મને લઈને આતૂરતા…
અમદાવાદ શહેરનું નામ બદલવાના વલણ સામે ચારેબાજુથી વિરોધ થતા સરકારે નવો અખતરો કરવાનું ટાળ્યુ છે. ૬ઠ્ઠી નવેમ્બર કાળીચૌદશને મંગળવારથી શરૂ થયેલી નિવેદનબાજીના એક સપ્તાહ પછી નવા વર્ષમાં બુધવારે મળેલી કેબિનેટની પહેલી બેઠકમાં આ મુદ્દે એક શબ્દ શુધ્ધા ઉચ્ચારવામાં આવ્યો ન હતો. અમદાવાદનું કર્ણાવતી કરવાની પ્રક્રિયા પડકારરૂપ હોવાથી સરકારે દરખાસ્ત તો દૂર પણ અભ્યાસ માટે કાગળ ચિતરવાનું માંડી વાળ્યાનું જાણવા મળ્યુ છે. સરકાર દ્રારા જણાવામાં આવ્યું હતું કે અમદાવાદનું નામ બદલવા પ્રક્રિયા શરૂ થશે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલા જ નામ બદલાશે તેમ મુખ્યમંત્રીએ જાહેર કર્યું હતુ. એક સપ્તાહ પછી પણ સરકારે પ્રક્રિયા શરૂ કરી નથી. એટલુ જ નહી, શહેરી વિકાસ,…
સાપુતારાથી અમદાવાદ જઇ રહેલી બસની બ્રેક ફેઇલ થઇ જતા ઘાટ પાસે એક ઝાડ સાથે ધડાકાભેર અથડાઇ હતી જેમાં બે મુસાફરોના મોત થયા છે અને 4 ને ગંભીર ઇજા થતા સામગહાન સીએચસીમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે સાપુતારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શનિદેવ શિરડીના દર્શન કરીને અમદાવાદની લકઝરી બસ સાપુતારાથી અમદાવાદ જવા નિકળી ત્યારે ગુરુવારે બપોરે 12ના સુમારે સાપુતારાથી 3 કિ.મી. દુર આવેલા માલેગાંવ ગેસ્ટ હાઉસ પાસે આવેલા બસની બ્રેક ફેઇલ થઇ જતા એક ઝાડ સાથે ભટકાઇ હતી જેમાં બે યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જયારે 10 લોકોને ઇજા થતા શામગહાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.…
અભિનેતા રણવીર સિંહ અને દીપિકા પાદૂકોણના લગ્નની પહેલી તસવીર સામે આવી છે. છેલ્લા બે દિવસથી ફેન્સ આ કપલની તસવીરોની રાહ જોઈ રહ્યું હતું. બંને સ્ટાર કપલે સિંધી અને કોંકણી રીતિરીવાજથી લગ્ન કર્યો છે. પરંપારિક રીતી-રિવાજથી લગ્ન સંપન્ન થયા બાદ કપલે પહેલીવાર તસવીરો જાહેર કરી છે. દીપિકા અને રણવીરે ટ્વિટર એકાઉંટ પર બંનેની તસવીરો શેર કરી છે. આ તસવીરો શેર કરતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.આ કપલના લગ્ન એકદમ ગુપ્ત રાખવામાં આવ્યા હતાં. બીજા દિવસે પણ દીપિકા-રણવિરે પોતાનો વેડિંગ લુક લીક ના થાય તે માટે છત્રીથી તેને છુપાવવામાં આવ્યો હતો. રણવીર-દીપિકા બંને બ્લેક છત્રીથી ઢંકાઇને જ લગ્નમંડપ…
આજ રોજ ગુજરાત સરકાર દ્રારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા આજ રોજ સુડાનો હવાલો સુરત મહાનગર પાલિકાના કમિશનરને સોંપવામાં આવ્યો છે. અત્યાર સુધી તેઓ સુરત મહાનગર પાલિકાના કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. ખુબ લાબાં ગાળા પછી ગુજરાત સરકાર દ્વારા અમિત અરોરાની સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી (SUDA) ના ચેરમેન તરીકે નિમણુક કરવામાં આવી છે.