કવિ: Satya-Day

છેલ્લા ધણા સમયથી રામ મંદિર- બાબરી મસ્જિદના વિવાદ મુદ્દે હાલ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. જાન્યુઆરીમાં આ અંગે ફરીથી સુનાવણી થશે. પરંતુ આ પહેલા જ દક્ષિણપંથી સંગઠનોએ સરકાર પર દબાણ લાવવાનું શરૂ કરી દીધું છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ), વિશ્વ હિંદુ પરિષદ(વીએચપી) અને અન્ય સંગઠનો રામલીલા મેદાનમાં 9 ડિસેમ્બરે રેલીનું આયોજન કરવા જઇ રહ્યા છે. સંસદમાં શિયાળુસત્ર પહેલા આ રેલી અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે.  આ રેલીમાં લગભગ 8 લાખ લોકો જોડાવવાની સંભાવના છે. સાધુ-સંતો સિવાય આ રેલીમાં આરએસએસના વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ હશે. સુપ્રીમ કોર્ટે રામ મંદિર અંગે સુનાવણી જાન્યુઆરી સુધી લંબાવ્યા બાદથી આ મુદ્દાને કારણે રાજકારણ ગરમાયું…

Read More

સ્ટેચ્યુ ફ યુનિટીના લોકાર્પણ થયાને હજી 11 દિવસ થયા છે એવામાં અહીં ઉગાડવામાં આવેલા ફુલો કેટલીય જગ્યાએ સુકાઈ ગયા છે. નરેન્દ્ર મોદી જ્યાં ગયા હતા તે વોલ પર બોગનવેલ ઉગાડવામાં આવી હતી તે પણ સુકાઈ ગઈ છે. બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુંઈગ ગેલેરી કે સરદાર પટેલની પ્રતિમાના હદ્યના ભાગે છે ત્યાંથી આજુબાજુનો અને ડેમનો સુંદર નજારો જોઈ શકાય છે ત્યાં ગેલેરીમાંથી કોઈએ ગુટખા કે પિચકારી મારી હોય એવા અસંખ્ય ડાધ પણ જોવા મળી રહ્યા છે. આ ખુબ દુખદ વાત છે, જેનાથી પ્રવાસીઓની લાગણી પણ દુભાય છે. આ ડાધાઓ શેના છે અને કોણે પાડ્યા છે તેની તપાસ થવી જરૂરી છે.

Read More

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને સ્ટાર વિરાટ કોહલી પોતાની બેટિંગ અને કેપ્ટન્સી સિવાય પત્ની બૅાલિવૂડ સ્ટાર અનુષ્કા શર્માને કારણે પણ ચર્ચામાં રહે છે.અવાર નવાર આ કપલ પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે.વિરાટ કોહલીને વિન્ડીઝ વિરૂદ્ધ ટી-20 સિરીઝમાં આરામ આપવામાં આવ્યો હતો. આ વચ્ચે કોહલી પત્ની અનુષ્કા સાથે સમય વિતાવી રહ્યો છે. આ વચ્ચે વિરાટ કોહલીએ પત્નીને લઇને કહ્યું કે મારી કોઇ કોમ્પિટીશન નથી. વિરાટ કોહલીએ કહ્યું કે અનુષ્કા એક ફેમસ એક્ટ્રેસ છે અને પોતાની પ્રોફેશનલ લાઇફમાં તેનો એક અલગ નજરીયો છે. મને લાગે છે કે કોઇ પણ સ્તરે અમારી વચ્ચે કોઇ કોમ્પિટીશન નથી. વિરાટ કોહલીએ કહ્યું કે…

Read More

કેવડિયા ખાતે બનાવવામાં આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટીએ સમગ્ર વિશ્વમાં ઉંચી મુર્તિ હોવાનો રેકોર્ડ તોડ્યો છે. પરંતું સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળમાં જે પ્રકારનો વહીવટ થઈ રહ્યો છે તેની સામે સ્થાનીક ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે બપોરના સમયે આસપાસના છ ગામના આદિવાસીઓ રોજગારીની માંગણી સાથે પરિસરમાં ઘુસ્યા હતા અને સરકાર વિરોદઈ સુત્રોચ્ચાર કર્યો હતો. સુત્રોચ્ચારના નારા સાથે તેમણે જણાવ્યું હતું કે જ્યારે અમારી જમીન સરકારે લીધી ત્યારે તેમણે રોજગારી આપવાના વાયદા કર્યા હતા. અમને પણ સરકાર પર ભરોસો હતો, કે રોજગારી મળતી હોય તો અમને જમીન આપવામાં કોઈ વાંધો નથી. પરંતું જ્યારે આ સ્ટેચ્યુને ખુલ્લુ મુકવામાં આવ્યું ત્યારે અમને ખબર…

Read More

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન 14 અને 15 નવેમ્બરના રોજ ઈટાલીના લેક કોમમાં યોજાશે. લગ્ન માટે દીપિકા અને રણવીરનો પરિવાર ત્યાં પહોંચી ચુક્યો છે.લેક કોમોની કેટલીક તસવીરો પણ સામે આવી છે. જેના પરથી લગ્નની તૈયારીઓ અંતિમ તબક્કામાં હોવાનું જણાઈ આવે છે. પહેલા એવા અહેવાલ હતા કે દીપિકા અને રણવીર મુંબઈ પરત ફરીને 1 ડિસેમ્બરના રોજ નજીકના મિત્રોને રિસેપ્શન પાર્ટી આપશે. પરંતુ હવે સોશિયલ મીડિયા પર બંનેનું રિસેપ્શન કાર્ડ વાયરલ થઈ રહ્યું છે. જેમાં રિસેપ્શનની તારીખ 1 ડિસેમ્બર નહીં 28 નવેમ્બર છે. મુંબઈની ગ્રાન્ડ હયાત હોટલમાં આ સમારંભ યોજાશે. કાર્ડ પર રણવીર અને દીપિકાના પરિવારજનોના નામ છે. એવા પણ અહેવાલ…

Read More

ગુજરાત ભાજપ સરકારના શિક્ષણ મંત્રી અને ઘોળકાના ધારાસભ્ય એવા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીતને પડકારતી ગુજરાત હાઈકોર્ટે ફગાવ્યા બાદ આજે સુપ્રીમ કોર્ટે પણ ફગાવી દીધી છે. કોંગ્રેસના પરાજિત ઉમેદવાર અશ્વિન રાઠોડે ચૂડાસમાની જીતને પડકારી છે અને ફેરમતગણતરી કરવાની માંગ કરી છે. અશ્વિન રાઠોડે માંગ કરી છે કે ઘોળકા વિધાનસભાની ચૂંટણીમાં ઘાલેમેલ કરવામાં આવી છે. પાંચ બુથમાંથી વધારે વોટ નીકળ્યા હતા. જ્યારે 454 વોટ બેલેટ પેપર મારફત ગણાતા તે કોંગ્રેસને મળ્યા હતા. હવે 29મી તારીખે આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવશે. અશ્વિન રાઠોડની અરજીને ગુજરાત હાઈકોર્ટે સ્વીકાર્યા બાદ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ તેને રદ્ કરવાની માંગ કરી હતી. પરંતુ ગુજરાત હાઈકોર્ટે પણ ચૂડાસમાની અરજીને રિજેક્ટ કરી…

Read More

સુવાલી બીચ પર બીચ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. જેથી મોટી સંખ્યામાં લોકો બીચની મુલાકાતે આવી રહ્યા છે. આજ રોજ સુવાલી બીચ પર દરિયામાં ન્હાવા પડેલા પાંચમાંથી ચાર યુવકને બચાવી લેવાયા છે. જ્યારે કે હજી એક યુવક લાપતા છે. જેનુ નામ આકાશ શુક્લા હોવાનું સામે આવ્યુ છે. દરિયામાંથી બચાવવામાં આવેલી એક મહિલા અન પુરૂષની હાલત ગંભીર છે. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સુરતથી એક પરિવારના આઠ સભ્યો સુવાલી બીચ ખાતે ફરવા આવ્યા હતા. જે દરમ્યાન પાંચ યુવક દરિયામાં તણાયા હતા. ઘટના અંગેની જાણ સુરતની ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરની બે ગાડી બીચ પર પહોંચી હતી. સુવાલી બીચ પર બીચ ફેસ્ટિવલ…

Read More

જસદણની પેટાચૂંટણી માટે કોંગ્રેસે ચાર દાવેદારોન પેનલ તૈયાર કરી છે. જસદણ વિધાનસભામાંથી કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટાયેલા કુંવરજી બાવળીયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાતા આ બેઠક ખાલી છે. હવે કુંવરજી બાવળીયાને પછાડવા માટે કોંગ્રેસે કમર કસી લીધી છે તો ભાજપે પંદર જેટલા નેતાની ફોજ અત્યારથી જ જસદણમાં ખડકી દીધી છે. જસદણ કોંગ્રેસનો ગઢ રહ્યો છે અને હવે વાયા કુંવરીજી ભાજપ આ ગઢને તોડી પાડવા સજ્જ થઈ ગયો છે. કોંગ્રેસે નક્કી કરેલી ચારની પેનલમાં ભોળાભાઈ ગોહિલ, અર્ચન નાકિયા, ધીરજ શિંગાળા અને ગજેન્દ્ર રામાણીના નામનો સમાવેશ થાય છે. આ ચાર નામમાંથી અર્ચન નાકિયાનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. કોંગ્રેસ પાર્ટી ગજેન્દ્ર રામાણીને…

Read More

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના નવા માળખાની જાહેરાત આજે થશે કાલે થશે એવી ચર્ચા વચ્ચે અમદાવાદમાં પ્રદેશ કમિટીના મુખ્યાલય પર હોદ્દાઓની વહેંચણીની કુશ્તી કરવામાં આવી રહી છે. વફાદારોને સાચવી લેવા માટે ભારે લોબીંગ કરવામાં આવી રહ્યું હોવાથી નવા માળખાનું લિસ્ટ ઘોંચમાં પડી રહ્યું છે. પાછલા 6 મહિનાથી પ્રદેશ કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનોને કોણીએ ગોળ લગાડતી આવી રહી છે. લિસ્ટ દિલ્હી મોકલાયું છે, આજે જાહેરાત કરાશે, કાલે જાહેરાત કરાશેની વાતો કરવામાં આવી રહી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે અહેમદ પટેલ લોબી દ્વારા કેટલાક નામોને લઈ ભારે બખેડો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસ ત્યાગ પછી કોંગ્રેસમાં રહેલા નેતાઓને સમાવવા…

Read More

રાજય સરકારે રાજકોટથી અમદાવાદ વચ્ચેનો રોડ ૬ માર્ગીય કરવા શરૂ કરેલ પ્રોજેકટ ગતિમાં છે. આવતા બે વર્ષમાં રોડની પહોળાઇ વધી જતા રાજકોટથી અમદાવાદ જવા-આવવાનું સરળ બનશે, સમયની બચત થશે અકસ્માતોનું પ્રમાણ ઘટશે. માર્ગમાં ૪૧ સ્થાનો પર ફલાય ઓવરબ્રીજ બનાવવામાં આવશે. કુવાડવા, ગુંદા, માલીયાસણ, શોખડા, મોલડી, ચોટીલા, ડોળિયા, અકિલા સાયલા, મૂળી, બગોદરા, બાવળા વગેરે સહિત ૪૧ સ્થાનો પર ફલાય ઓવર બ્રિજનું નિર્માણ થશે. આ રસ્તો અમદાવાદ, બાવળા, ભાગલા, બગોદરા, કનિદૈ લાકિઅ લીંબડી, સાયલા, ડોળીયા, ચોટીલા, બામણબોર, કુવાડવા તથા રાજકોટ જેવા મુખ્ય શહેરોમાંથી પસાર થાય છે. આ છ માર્ગીયકરણની કામગીરીમાં કુલ ૪૧ ફલાયઓવર કનિદૈ લાકિઅ નવા બનાવવામાં આવશે તેમજ હયાત રેલ્વેઓવર બ્રીજ…

Read More