ભારતીય નૌકાદળ ટૂંક સમયમાં આઇટીમાં શોર્ટ સર્વિસ કમિશન (એસએસસી) માટે કેરળના ભારતીય નેવલ એકેડેમી (આઈએનએ) એઝિમાલા ખાતેના ખાસ નૌલલયન ઓરિએન્ટેશન કોર્સ હેઠળ અરજીઓને આમંત્રણ આપશે. પાત્ર ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ એટલે કે joinindiannavy.gov.in દ્વારા 02 જુલાઇથી 16 જુલાઈ 2021 સુધી ભારતીય નૌકાદળ ભરતી 2021 માટે અરજી કરી શકે છે.SSB માટે 21 જુલાઈ 2021ના રોજ બેંગ્લુરુ, ભોપાલ, કોલકાતા, વિશાખાપટ્ટનમ અને કોલકાતામાં ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવશે. મહત્વપૂર્ણ તારીખ ઓનલાઇન અરજીની શરૂઆત – 2 જુલાઈ, 2021 ઓનલાઇન અરજીની અંતિમ તારીખ – 16 જુલાઈ, 2021 પદ વિગત એક્ઝિક્યૂટિવ બ્રાન્ચ – 45 પદ શૈક્ષણિક યોગ્યતા અરજી કરનારા ઉમેદવારો પાસે ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે કોમ્પ્યુટર…
કવિ: Dharmistha Nayka
ઉત્તર દિનાજપુરમાં રહેતા બે વર્ષીય મુસ્તાકિન અલીના દાદા વાંસ કાપીને ઘરની બહાર રોપતા હતા. મુસ્તાકીન તેની પાસે રમી રહ્યો હતો. વચ્ચે, જ્યારે તેની નજર તેના પર પડી ત્યારે તેણે જોયું કે તેને ખાંસી આવી રહી છે અને તેના મોઢામાંથી લોહી નીકળ્યું હતું.આ મામલે જાણ્યા બાદ તેની માતા અસ્વસ્થ થઈ ગઈ. આના પર તેની માતા તેને રાયગંજ મેડિકલ કોલેજમાં લઈ ગઈ. તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને ઉલટી થવી પડી હતી ત્યાંથી મુસ્તાકીનને માલદા મેડિકલ કોલેજમાં રિફર કરાયો હતો. આ પછી તેને કોલકાતાના એસએસકેએમમાં દાખલ કરવામાં આવ્યો. ત્યાં રવિવારે, ડોકટરોએ ઘણા કલાકો સુધી તેનું ઓપરેશન કર્યું અને તેના ગળામાંથી…
ગાંધીનગર સ્થિત ભાજપ કાર્યાલય કમલમમાં પ્રદેશ ભાજપની કારોબારીને બેઠક યોજાઈ છે. સી.આર. પાટીલ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ બન્યા બાદ આજે ભાજપની પહેલી કારોબારી બેઠક યોજાઈ છે..જેમાં મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન અને પ્રદેશ હોદ્દેદારો સહિતના સ્ભ્યો હાજર રહ્યા..પ્રદેશ ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ બેઠકમાં વર્ચ્યુઅલી જોડાયા હતા. રાજકીય પ્રસ્તાવ દરમિયાન નીતિન પટેલનું સંબોધન પણ થયું હતું. પ્રભારી ભુપેન્દ્ર યાદવ વર્ચ્યુઅલી જોડાયા હતા. અમદાવાદ અને ગાંધીનગરના કારોબારીના મુખ્ય આગેવાનો કમલમમાં હાજર રહ્યા.. નાયબ મુખ્યપ્રધાને બેઠકમાં રાજકીય પ્રસ્તાવ રજૂ કર્યો હતો.તેઓએ કહ્યુ કોરોનાકાળમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની કામગીરીને બિરદાવી હતી.. તો સાથે જ ભાજપના કાર્યકરોએ પહેલી અને બીજી લહેરમાં લોકો વચ્ચે રહીને કામગીરી નિભાવી હોવાની…
રોકાણ નિષ્ણાત હંમેશા નાના સ્કેલ પર રોકાણની શરૂઆત કરવાની સલાહ આપે છે. કારણ કે તેમાં તમને રોકાણનો મોટો સમયગાળો મળે છે અને સાથે જ રિસ્ક લેવાની ક્ષમતા પણ વધુ હોય છે. Mutual Fundsમાં SIP દ્વારા રોકાણ કરીને તમે લાંબા ગાળામાં કરોડો રૂપિયા બનાવી શકો છો. યાદ રહે કે Mutual Fundsમાં રોકાણ લક્ષ્ય આધારિત હોય છે. એટલે કે જીવનના અનેક પડાવોમાં તમને રૂપિયાની ક્યાં ક્યાંથી જરૂર પડે છે, આ લક્ષ્યને ધ્યાને રાખીને રોકાણ કરવું જોઈએ. જેમ કે ઘર ખરીદવું, લગ્ન કરવા, કાર ખરીદવી, બાળકોનો અભ્યાસ બાદમાં તેમના લગ્ન, વગેરે. તમે વિદેશ ફરવા જાઓ છો તો પણ તમે SIP દ્વારા રોકાણ કરવું…
નવા નરોડા રોડ, સૈજપુર બોઘા ખાતે કુબેશ્વેર મહાદેવ પાસે શિવાજી પાર્કમાં રહેતા વૈશાલીબહેન ધવલકુમાર પરીખ (ઉ.વ.૩૮)એ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ચાંદખેડા કે. બી. અલ્ટીઝાની બાજુમાં ગ્રીન ઓરા ખાતે રહેતા ધવલકુમાર બાબુલાલ પરીખ સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના આરોપી સાથે 2018માં સમાજના રિતિ રિવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્નના થોડા સમય બાદ પતિ ફરિયાદી પર શક વહેમ રાખતા હતા જેના કારણે મારઝૂડ કરતા અને નોકરી જતી વખતે મકાનમાં પૂરીને બહારથી તાળુ મારીને જતા હતા અને પરત આવીને લોક ખોલતા હતા.આ બાબતે સાસુ અને સસરાને જાણ કરી હતી પરંતુ તેઓના સમજાવવા છતાં કોઇ પરિવર્તન આવતું ન હતું. દરમિયાન પુત્રનો જન્મ થતાં પતિને…
ભારતમાં હવે જરૂરી કામ માટે Aadhaar Card મુખ્ય છે, હાલમાં તો વધુમાં વધુ Aadhaar Card અંગ્રેજી બાષામાં બનેલા હોય છે કારણ કે તમામ રાજ્યોમાં તે ઉપયોગી થઈ શકે, પરંતુ જો હવે તમે ઈચ્છોતો પોતાની ક્ષેત્રીય ભાષામાં પણ બનાવી શકો છો. UIDAIની તરફથી હવે આધાર કાર્ડને સ્થાનિક ભાષામાં પણ બનાવવાની સુવિધા આપવામાં આવી છે.તમે તમારા આધારકાર્ડને અંગ્રેજી, અસમ, ઉર્દુ, પંજાબી, તમિલ, તેલુગુ, હિન્દી, બંગાળી, અંગ્રેજી, ગુજરાતી, ઉડીયા, કન્નડ, મલયાલમ અને મરાઠી ભાષામાં કન્વર્ટ કરી શકો છો. આધારમાં ભાષા બદલવા માટે તમે ઓનલાઈન આવેદન પણ કરી શકો છો. તો આવો જાણીએ આધારની આ નવી સુવિધાની સંપૂર્ણ પ્રક્રિયા વીશે. આધાર કાર્ડન પોતાની ભાષામાં…
કોઇમ્બતુરના આ પરિવારે એક લોટરી કોઈ જીવનદાનથી ઓછી નથી. બાળકીનો પરિવાર દવાનો એક ડોઝ ખરીદવા માટે ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યો હતો અને ફંડ ભેગું કરવાના પ્રયાસો કરી રહ્યો હતો. પરંતુ સારવારમાં કામ આવતી દવા જોલગેન્સમાં એટલી મોંઘી છે કે તેને ખરીદવા માટેના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા હતા.આ ગ્વાનિ કિંમત લગભગ 16 કરોડ રૂપિયા છે તેનું કારણ છે કે આ દવા માત્ર ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓની સારવાર માટે જ બનાવવામાં આવી છે. તેના રિસર્ચ માટે કરવામાં આવેલ ખર્ચ પણ ઘણો વધુ છે. દવા માટે આર્થિક સહાય એકઠી કરી રહેલા જૈનબના પિતા અબ્દુલ્લાએ પોતાની દીકરીનું નામ એક સંગઠનમાં નોંધાવ્યું જે…
વરસાદને લઇને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, હજુ પણ ભારે વરસાદ માટે ખેડૂતોએ રાહ જોવી પડશે. વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા ભારે વરસાદની શક્યતા નહીંવત છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે.બીજી બાજુ અમદાવાદમાં સામાન્ય વરસાદી ઝાપટાં પડશે. આગામી 5 દિવસમાં ભારે વરસાદની શક્યતા નહીવત છે. જ્યારે દીવ, ભાવનગર, અમરેલી, પોરબંદર અને ગીર સોમનાથ સહીત બે દિવસ વરસાદ રહેશે. 5 દિવસ વરસાદી માહોલ રહેશે પરંતુ ભારે વરસાદ નહીં થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં ત્રણ દિવસના ભારે ઉકળાટ બાદ ગઇ કાલે મોડી રાત્રે વરસાદ…
બ્રિટનની યુનિવર્સીટી કોલેજ લંડનના રિસર્ચર્સએ સ્માર્ટફોનની સ્ક્રીન પરથી લીધેલ સ્વાબનું વિશ્લેષણ કર્યું છે. તેમણે જાણ્યું કે નાકના સ્વાબ વાળી પીસીઆર તપાસમાં સંક્રમિત મળેલા લોકો સ્માર્ટફોન સ્ક્રીન માટે આપવામાં આવેલા સ્વાબ તપાસમાં પણ સંક્રમિત મળ્યો હતો. નવી પદ્ધતિ અંગે મંગળવારે જર્નલ ઈ-લાઈફમાં જણાવવામાં આવ્યું છે. આ પદ્ધતિને 81થી 100% સંક્રમિત લોકોના સ્માર્ટફોન પર વાયરસની હાજરીની જાણકારી મેળવી છે, જે એક સટીક તપાસ હોઈ શકે છે. રિસર્ચરે જણાવ્યું કે આ પદ્ધતિ હેઠળ નમૂના ભેગા કરવામાં એક મિનિટથી પણ ઓછો સમય લાગે છે અને મેડિકલ કર્મીની પણ જરૂરત પડતી નથી, આ ઓછી આવક વાળા દેશો માટે મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે.આ અંગે યુપીએલ…
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યુ છે કે, ડિજીટલ રીતે રજીસ્ટ્રેશન કરવાની જરૂરિયાત, અંગ્રેજી જ્ઞાન અને કોમ્પ્યુટર અથવા ઈન્ટરનેટ સાથે જોડાયેલા સ્માર્ટફોન સુધી પહોંચ, અમુક એવા તત્વો છે જે લોકોને રસીકરણથી વંચિત કરે છે. જે એકદમ તથ્ય હીન છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યુ છે કે, રસીકરણ કરવા માટે કો-વિન એપ પર ઓનલાઈન પ્રી-રજીસ્ટર કરવું જરૂરી નથી.કોવિડ રસી લેવા માટે મોબાઈલ ફોન માલિક હોવાની કોઈ શરત નથી. રસીકરણનો લાભ ઉઠાવવા માટે એડ્રેસ પ્રુફ આપવુ પણ જરૂરી નથી. મંત્રાલયે કહ્યુ છે કે, એક મેથી જ્યારે 18 પ્લસ લોકોને રાજ્ય સરકારો તરફથી રસી લગાવાઈ રહી હતી, ત્યારે રાજ્ય સરકારોએ પ્રી રજીસ્ટ્રેશનની શરત રાખી હતી. કેન્દ્ર તરફથી…