ગુજરાતમાં અમદાવાદની શ્રુતિ (નામ બદલ્યું છે) ને ગયા વર્ષે સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી હતી. ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલનારની પ્રોફાઇલ પર આર્મી ઓફિસર લખેલું હતું. શ્રુતિની તેની સાથે મિત્રતા થઈ ગઈ. જો કે, તેને કોઈ ખ્યાલ નહોતો કે આ મિત્રતાના માધ્યમથી તે સેક્સટોર્શન ગેંગનો શિકાર બનશે.35 વર્ષની શ્રુતિએ જણાવ્યું કે તે એક આઈટી ફર્મમાં કામ કરે છે. તેણે કહ્યું કે યુવકે ગત ડિસેમ્બરમાં પીડિતા સાથે મિત્રતા કરી હતી અને પોતાને પંજાબના સૈન્ય અધિકારી તરીકે ઓળખ આપી હતી. લગભગ પાંચ મહિના સુધી ઓનલાઇન ચેટિંગ કર્યા પછી, તે વ્યક્તિએ તેનો ફોન નંબર માંગ્યો. શ્રુતિ તેનો નંબર તેની સાથે શેર કર્યો હતો. આરોપીએ…
કવિ: Dharmistha Nayka
કોરોના સંક્રમણમાં ઘટાડો થતા સરકાર નાઈટ કર્ફ્યૂના સમયમાં ઘટાડો કરી શકે છે. જે અંગે આજે ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવાં આવી હતી. બીજી તરફ મળતી માહિતી પ્રમાણે નાઈટ કર્ફ્યૂનો સમય 10 વાગ્યા સુધી કરવા પ્રધાનો દ્વારા કેબિનેટ બેઠકમાં રજુઆત કરવામાં આવી છે.આ બેઠકમાં શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સીએમ રૂપાણીને નાઈટ કર્ફ્યૂના સમયમાં વધારો કરવા સૂચન કર્યુ. જોકે, કોર કમિટીમાં ચર્ચા બાદ નાઈટ કર્ફ્યૂના સમયમાં ફેરફાર થઈ શકે છે.રાજ્યમાં હાલ જોઈએ એવો ધંધો ન જામતા કોરોના કર્ફયૂના સમયને લઈ હોટલ એન્ડ રૅસ્ટોરન્ટ એસો.એ મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે.રાત્રે 11 વાગ્યા સુધી રૅસ્ટોરન્ટ ચાલુ રાખવાની હોટલ એન્ડ રૅસ્ટોરન્ટ એસો.એ પત્રમાં માંગ કરી…
રાજસ્થાનના કોટા નિવાસી 55 વર્ષીય ખેડૂત શ્રીકૃષ્ણ સુમનએ કેરીની એક નવી જાતિ વિકસિત કરી છે જેમાં નિયમિત આખું વર્ષ કેરીનો પાક થાય છે. કેરીની જાત ફળમાં જોવા મળતી મોટાભાગની બીમારીઓ અને સામાન્ય ખરાબીઓથી પણ મુક્ત છે.આ જાતની કેરીઓ સ્વાદમાં વધુ મીઠી અને દેખાવમાં લંગડા કેરી હોય છે અને આંબાનું ઝાડ નાના કદનું હોય છે. જેને લીધે આ પ્રકારની કેરીનો આંબો કિચન ગાર્ડનમાં લગાવવા માટે બેસ્ટ ચોઈસ બની શકે છે.તેનું ઝાડ ઘણું ઘનઘોર હોય છે અને કેટલાંક વર્ષો સુધી તેને કુંડામાં પણ ઉછેરી શકાય છે.ઉપરાંત તેનું ફળ ઘાટા કેસરી રંગનું હોય છે અને સ્વાદમાં મીઠું હોય છે. તેના ફળમાં ઘણું જ…
જો દીકરાની ઉંમર 18 વર્ષની થઈ જાય છે ત્યારે પણ પિતાની તેના પ્રત્યેની જવાબદારી પૂરી થઈ જતી નથી. પુત્ર પુખ્તાવસ્થા પ્રાપ્ત કર્યા પછી તેના શિક્ષણ અને અન્ય તમામ ખર્ચા ઓ એકલી માતા પર નાંખી શકાતા નથી. પિતાએ પણ પોતાની જવાબદારીઓ નિભાવવી જોઈએ. દિલ્હી હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન આ કહ્યું હતું. આ સાથે કોર્ટે છોકરાના પિતાને તેની માતાને દર મહિને 15,000 રૂપિયા આપવા કહ્યું છે, જેની સાથે તેણે છૂટાછેડા લીધા છે. કોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી છોકરો ગ્રેજ્યુએશન પૂર્ણ નહીં કરે અથવા કમાણી શરૂ ન કરે ત્યાં સુધી પિતાએ આ ભથ્થું ચૂકવવું પડશે.કોર્ટે કહ્યું કે પિતા આ બાબતે આંખ…
અમદાવાદ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના ત્રીજી લહેરને પહોચી વળવા માટે કામગીરી શરુ કરી દેવામાં આવી છે. જેમાં ત્રીજી લહેર માં બાળકો કોરોનાનો શિકાર બની શકે છે આવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જેથી ૦થી ૫ વર્ષના બાળકોનો સર્વે ગત ૭થી ૨૧ તારીખ દરમિયાન આશા વર્કર અને આંગણવાડીની બહેનો દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ૧ લાખ 59 હજાર ૫૭૨ બાળકોનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાંથી ૧૦૬૮ બાળકો હાઈ રિસ્ક વાળા હોવાના ચોકાવનારા આંકડા સામે આવ્યા છે.1068 બાળકો હાઈ રિસ્કવાળા ડિટેકટ થયાં. જેમાં અતિ કુપોષણ વાળા 225, કુપોષિત 536 રદયની તકલીફ, ડાયાબીટીસ બ્લડ પ્રોબ્લેમ કેન્સર જેવા ગંભીર બીમારીવાળા 307 અને…
રાજ્યમાં 2022ની વિધાનસભાની આવનારી ચૂંટણીને લઇ ભાજપ-કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટી પણ સક્રિય થઇ ગઇ છે. આમ આદમી પાર્ટીએ પણ વર્ષ-2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.જેના ભાગ રૂપે કોરોનાની કોરોનાની ત્રીજી લહેર પહેલાં AAP એ ડૉક્ટર ઓન કોલ્સ કાર્યક્રમની શરૂઆત કરી. અમદાવાદમાં AAP ની ડૉકટર સેલની ટીમ ઘરે જઈને સારવાર કરશે. આગામી 26 જૂનથી ડૉકટર ઓન કોલ સેવા શરૂ થશે. જેમાં તબીબની ટીમ બેસાડવામાં આવશે. જે લોકો સારવારમાં મદદ કરશે. જેમાં હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.AAP દ્વારા એક ડૉક્ટરની ટીમ બેસાડશે. જે લોકોને સારવારમાં મદદ કરશે. તારીખ 26 જૂનથી ડૉકટર ઓન કોલ સેવા…
ઈટલીની રાજધાની રોમમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહીં એક યુવતીએ જાહેર જગ્યા પર તમામ કપડાં ઉતારીને એક ફાઉંટેનમાં જઈને સ્વિમિંગ કરવા લાગી હતી. આ ઘટના પિયાઝા કોલોના ફાઉંટેનની છે. જે સમયે આ ઘટના થઈ, ત્યારે ત્યાં કેટલાય લોકો હાજર હતાં. અચાનક યુવતીનું આ રીતે નગ્ન થવાની આજૂબાજૂના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. પોલીસે આ યુવતીને તાત્કાલિક બહાર આવવાનું કહ્યું, પણ તે હસતાં હસતાં પોલીસને જોતી રહી. એટલુ જ નહીં પોલીસ દ્વારા ધરપકડ કરવાની ધમકીની પણ તેના પર કોઈ અસર થઈ નહીં. તેણે તો ન્હાવાનું ચાલુ જ રાખ્યું. પોલીસે પણ જીદ પકડી ત્યારે માંડ માંડ બહાર આવી અને પોતાના…
સુરત ગુજરાતના પ્રવાસનમાં ફરીથી પ્રાણ ફૂંકવા માટે હવે આગામી ટૂંક સમયમા આંતરરાજ્ય ફ્લાઇટ વધારવાનું આયોજન કરાઈ રહ્યું છે. જે ફ્લાઇટ શરૂ કરવાનો પ્રસ્તાવ છે તેમાં અમદાવાદ-રાજકોટ-ભૂજ અમદાવાદ, અમદાવાદ-સુરત અમદાવાદનો મુખ્યત્વે સમાવેશ થાય છે. હાલની સ્થિતિ પ્રમાણે બધું જ આયોજન મુજબ પાર પડ્યું તો બે મહિનામાં આ આંતરરાજ્ય ફ્લાઇટ શરૂ થઇ શકે છે. જોકે સુરત-ભાવનગર અને સુરત-અમદાવાદ ફલાઇટના ભાવ ને લઈ સુરતના સંજય જૈને જણાવ્યું હતું કે 9 સીટર ફલાઇટ કરતા ATR કક્ષાની એટલે કે 72 સીટરની ફલાઇટ શરૂ કરવામાં આવે તો ઓછા ભાવે વધુ મુસાફરો એનો લાભ લઇ શકે છે એ બાબતે સરકારે ચોક્કસ વિચારવું જોઈએ. સંજય જૈન એ જણાવ્યું…
એક નોર્વેની સરકારી ટીવી ચેનલ દ્વારા ખૂબ રોમેન્ટિક રીતે સે-ક્સ કરવાના ઉપાયો શીખવાડવા બદલ દેશભરમાં ખળભળાટ મચી ગઈ છે. નોર્વેની સરકારી ટીવી ચેનલ એનઆરકેએ સે-ક્સ માણવાની 60 અલગ અલગ રીતો આપી છે. આમાં ગે યુગલો અને વિજા-તીય યુગલો પણ શામેલ છે. આ ગાઈડમાં પીઠનો દુખાવાથી પીડિત અને સગ-ર્ભા સ્ત્રીઓને પણ સં-ભોગ કેવી રીતે કરવો તેની રીતો બતાવી હતી.તેને સે-ક્સોલો-જિસ્ટ્સ, ડોકટરો અને ચિકિત્સકોની મદદથી તૈયાર કરવામાં આવ્યો હતો. એનઆરકે વેબસાઈટ પર બ્લેકએન્ડ વ્હાઈટ ફોટો સાથે સં-ભોગ કરવાની રીતો પોસ્ટ કરી હતી. એનઆરકેએ કહ્યું કે ફોટોમાં શામેલ દંપતી વાસ્તવિક જીવનમાં પણ રોમેન્ટિક સાથે રહે છે. તેણે કહ્યું કે ફોટામાં આ યુગલો ફક્ત…
રશિયામાં કોરોના સંક્રમણને કારણે ફરી કેસો વધવા લાગ્યા છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને સંસદના નીચલા ગૃહમાં કહ્યું કે,‘દેશના ઘણા વિસ્તારોમાં સંક્રમણને કારણે સ્થિતિ ગંભીર છે. આ વિસ્તારમાં ફરીવાર વેક્સિનેશનને ઝડપી બનાવવાની યોજના પર ધ્યાન આપવામા આવી રહ્યું છે. કોરોનાના કેસ ઓછા નથી થઈ રહ્યાં.ઘણા વિસ્તારોમાં સ્થિતિ અગાઉ કરતા ઘણી વધુ ખરાબ થઈ છે.’ રશિયામાં ગત 24 કલાકમાં 17 હજાર 378 નવા કેસ સામે આવ્યા અને 440 લોકોના મોત થયા હતા. સમગ્ર વિશ્વમાં વેક્સિન સપ્લાઈ કરતા રશિયામાં અત્યારસુધી માત્ર 3 કરોડ લોકોને વેક્સિન લગાવવામાં આવી છે, જે કુલ વસ્તીના 11.2 ટકા જ છે.છેલ્લા 24 કલાકમાં બ્રિટનમાં કોરોનાના 9,284 નવા કેસ મળી…