માઇક્રો બચત પોલીસી મુખ્યત્વે ઓછી આવકવાળા લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ પોલીસીમાં આવી 5 બાબતો છે જે તેને અન્ય પોલીસીઓ કરતાં વિશેષ બનાવે છે. આમાં પહેલી ખાસ વાત ‘નો જીએસટી’, એટલે કે આ પોલીસીમાં તમારે જીએસટી ભરવાની જરૂર નથી. અન્ય પોલીસીઓમાં, જીએસટી ભરવો પડે છે કારણ કે તે સરકારનો નિયમ છે. જો તમે કોઈ વીમા પ પોલિસી લો છો, તો જીએસટી ચૂકવવો પડશે. પરંતુ માઇક્રો બચતમાં આવું નથી. માઇક્રો પોલિસીની બીજી ખાસ વાત ઑટો કવર છે. એટલે કે, આ પોલીસી ઑટો કવર પ્રદાન કરે છે. આનો અર્થ એ છે કે ત્રણ વર્ષ સુધી પ્રીમિયમ ભર્યા પછી, જો તમે…
કવિ: Dharmistha Nayka
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આવેલ અલાહાબાદ યુનિવર્સીટીના ઉપકુલપતિએ લખેલ એક ચિઠ્ઠી આજકાલ ઘણી ચર્ચામાં છે. પ્રો. સંગીત શ્રીવાસ્તવએ સ્થાનિક ડીએમને એક પત્ર લખીને ફરિયાદ કરી છે. તેમણે પોતાની ફરિયાદમાં લખ્યું છે કે મસ્જિદમાં થતી અઝાનને કારણે તેમની ઊંઘ બગડે છે. એટલે આ મામલે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે.પ્રોફેસર સંગીત શ્રીવાસ્તવે પ્રયાગરાજના ડીએમને લખેલ ચિઠ્ઠીમાં કહ્યું છે કે રોજ સવારે સાડા પાંચ વાગે મસ્જિદમાં અઝાન થતી હોય છે, તેવામાં લાઉડસ્પીકરના વધારે પડતા અવાજને કારણે તેમની ઊંઘમાં ખલેલ પડે છે.કુલપતિએ ફરિયાદ કરી છે કે અઝાનને કારણે ઊંઘ બગડે છે અને બાદમાં ઊંઘ પણ નથી આવતી. જેના કારણે આખો દિવસ માથામાં દુખાવો થતો રહે છે…
નવસારી સાંઢકુવા પોલીસ ચોકી સામેથી માસ્ક વગર પસાર થઈ રહેલા શ્રમજીવીને પોલીસે પકડી રૃ.૧ હજારનો દંડ ભરવા અસક્ષમ રૃસ્તમવાડીનાં શ્રમજીવી સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.એક તરફ કોરોના મહામારીમાં રોજીરોટી શ્રમજીવી મુશ્કેલ બન્યું છે તો બીજી તરફ પેટ્રોલ-ડિઝલના ભાવ અને કારમી મોંઘવારી મોં ફાડ વધી રહી છે. ત્યારે કોવિડ-૧૯ના જાહેરનામા હેઠળ માસ્ક વગરનાં વ્યક્તિઓ પાસેથી રૃ.૧ હજારનો આકરો દંડ વસુલવા માટે નવસારી પોલીસ સક્રિય થઇ છે. માસ્ક વગર ફરતા રાહદારીઓ, વાહનચાલકો, દુકાનદારો સામે લાલ આંખ કરી રહી છે. ગઈકાલે નવસારીમાં શાંતાદેવી રોડ, રૃસ્તમવાડી, શિવમંદિર પાસે રહેતા મુળ યુ.પી.નો વતની વિજય કેશવભાઈ સહાની (ઉ.વ.૩૫) કલરકામની મજૂરી કરી ઘરે પરત જઈ રહ્યો હતો.તે…
તેલંગાણાના માત્ર 7 વર્ષની ઉંમર ધરાવતા પર્વતારોહક વિરાટ ચંદ્રાએ આફ્રિકાના સૌથી ઉંચા પર્વત કિલિમાંજરો પર પહોંચીને તિરંગો લહેરાવ્યો છે. વિરાટે ગત 6 માર્ચના રોજ તાંઝાનિયાની 5,895 મીટર ઉંચી કિલિમાંજરો ચોટી પર આ સિદ્ધિ મેળવી હતી. તે સમયે વિરાટની સાથે તેના કોચ ભરત પણ હતા. 75 દિવસના આકરા પ્રશિક્ષણ અને 5 માર્ચના રોજ ચઢાઈ શરૂ કરીને વિરાટે આ કારનામુ કર્યું હતું. વિરાટે જણાવ્યું કે, ‘હું થોડો ડરેલો હતો, પરંતુ મારા લક્ષ્ય સુધી પણ પહોંચવા માંગતો હતો એટલે જ મેં હાર નહોતી માની.’ આ ચોટી બરફના તોફાનો અને ભયંકર ઠંડી માટે પ્રખ્યાત છે. વિરાટના આ અભિયાનનું નેતૃત્વ કરનારા કોચ ભરતે તેમણે અભિયાન માટે તમામ…
આજના યુગમાં દરેક લોકો પોતાની જાતને ફેશનની દુનિયામાં ખુદને અપડેટ રાખે છે. ફેસન વ્યક્તિના વ્યક્તિત્વને નિખારે છે. પરંતુ જયોતિશ અનુસાર મનુષ્યના જીવનમાં ગ્રહોનુ ખૂબ મહત્વ હોય છે. જીવનની સારી અને ખરાબ ઘટનાઓ માટે ગ્રહોને જવાબદાર માનવામાં આવે છે. ચાલો જાણીએ તેના વિશે વધુ માહિતી.આજકાલ લોકો અવનવા રંગના પગરખા પહેરે છે. જયારે એક સમય હતો કે લોકો માત્ર કાળા અથવા ભૂરા રંગના પગરખા પહેરતા હતા. પરંતુ આજે લોકો ફેશનને ધ્યાનમાં રાખીને પીળા, કાળા, લાલ, ગુલાબી, લીલા વગેરે રંગના પગરખા પહેરે છે. શું તમે કયારેય સાંભળ્યુ છે કે રંગનો પ્રભાવ વ્યક્તિના નશીબ પર પડી શકે છે.જયોતિષ મુજબ અલગ-અલગ રંગના પરખા અલગ-અલગ ગ્રહો…
સપનાનો અર્થ હંમેશા છુપેલો રહેતો નથી, જયારે વધુ સપનાઓની વ્યાખ્યા ઘણી રીતે કરવામાં આવે છે. સપના આપણી આત્માને અભિવ્યક્તિ કહે છે. એ આપડા અંગે ઘણી બધી વાતો કહે છે. મૃત્યુ પામેલા સબંધી અથવા મિત્ર આપણા સપનામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે મૃત્યુ પામેલા લોકો કયારે જીવિત લોકોના સંપર્કમાં નહિ આવી માટે મૃત લોકો ઊંઘની અવસ્થામાં આપણા સંપર્કમાં આવે છે, જયારે આપણી વધુ ઇન્દ્રિયો નિષ્ક્રિય હોય છે. સામાન્ય કેટલીક સ્મૃતિઓના કારણે મૃત્યુ પામેલા લોકો સપનામાં આવે છે. મૃત લોકોનું સામનામાં આવવું દુઃખ અથવા પશ્ચાતાપની ભાવનાને અભિવ્યક્ત કરે છે. ઘણી વખત જે લોકો સમય અને અપ્રાકૃતિક રૂપમાં મોત થાય છે અને…
રાજ્યસભાએ મંગળવારે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી અમેડમેન્ટ બીલ 2020 ( ગર્ભાવસ્થા સુધારા બિલ 2020) ને મંજૂરી આપી દીધી છે. લોકસભા પહેલેથી જ તેને પસાર કરી ચૂકી છે. આ બિલ હેઠળ, ગર્ભપાત માટેની મહત્તમ મંજૂરી વર્તમાન 20 અઠવાડિયાથી વધારીને 24 અઠવાડિયા કરવામાં આવી છે.આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રી હર્ષવર્ધને ગૃહમાં બિલ અંગેની ચર્ચાના જવાબમાં કહ્યું કે, વિસ્તૃત વિચાર-વિમર્શ પછી આ તૈયાર કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ ખરડો લાંબા સમયથી વેઇટીંગ લિસ્ટમાં હતો અને તે ગયા વર્ષે લોકસભામાં પસાર થઈ ચૂક્યો છે ત્યાં સર્વાનુમતે બિલ પસાર કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે આ ખરડો તૈયાર થયા પહેલા વિશ્વભરના કાયદાઓનો પણ અભ્યાસ કરવામાં…
સુરત નજીકના કઠોર ગામનો યુવક મિત્રના દીકરાની બાબરીમાં જતી વખતે 100ની ફૂલ સ્પીડે અને ગફલતભરી રીતે પોતાની સ્પોર્ટસ મોટર સાયકલ હંકારી પીપળાના ઝાડ સાથે અથડાવી દીધી હતી. ગમખ્વાર રીતે સર્જાયેલા અકસ્માતમાં બાઈકના ફુરચે ફૂરચા ઉડી ગયા હતાં. સાથે ચાલકને ગંભીર ઈજા થતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. યુવાનો સ્પીડ વાળી સ્પોર્ટ બાઈક પુર ઝડપભેર હંકારીને અકસ્માતે મોતનો કોળિયો બનતા આવ્યા હોવા જેવી ઘટના મંગળવારની ઓલપાડ તાલુકાના ખલીપોર ગામે બની હતી. કામરેજ તાલુકાના કઠોર ગામે પટેલ ટેકરા પાસે નદી કિનારે રહેતો અલ્તાફ અજીત શેખ (ઉ.વ.આ.21)એ આંબોલી ખાતે મરઘીની દુકાન પર કામ કરતો હોય તેના મિત્રની KTM મોટર સાયકલ નંબર (GJ-19…
વાતાવરણ બદલાઈ જવાથી એની અસર લોકોનાં સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે. એવામાં બેદરકારી ન દાખવી સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. અમે તમને એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ, જેનાથી ગરમીમાં તમારા શરીરમાં ઊર્જા જળવાઈ રહેશે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા દૂર રહેશે. ઉનાળામાં શરીરમાં આળસ વધારે હોય છે. એના માટે તમારા ડાયટનું ધ્યાન રાખવું જરૂરી છે. ડાયટમાં મસાલેદાર અને તળેલી વસ્તુઓની માત્રા ઓછી કરો. ગરમીમાં તળેલું ભોજન લેવાથી શરીરમાં આળસ બની રહે છે અને એ જલદી પચતું પણ નથી. પોતાના ડાયટમાં સલાડ અને લીલાી શાકભાજી સામેલ કરો. સલાડમાં કાકડી, બીટ, મૂળો વગેરે લો. લીલાં પાંદડાંવાળી શાકભાજીની માત્રા વધારી લો. શરીરને ઠંડક…
ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં સાસુ-વહુની તકરારનો એક પરેશાન કરનારો મામલો સામે આવ્યો છે. ખાવાનું બનાવવા જેવી મામૂલી વાત પર સાસુ-વહુ વચ્ચે ઝઘડો થઈ ગયો અને તે ઝઘડો પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચી ગયો. ટીવી સીરીયલ જોઈ રહેલા સાસુએ જમવાનું બનાવવાનો ઈનકાર કરી દિધો, તો વાંસી ખાવાનું ખાઈ ખાઈને કંટાળેલી પુત્રવધૂએ 112 પર કોલ કરીને પોલીસ બોલાવી લીધી. જે બાદ પોલીસે બંનેને સમજાવીને મામલો થાલે પાડ્યો. સાથે જ પોલીસ સાસુ-પુત્રવધૂને ચેતવણી પણ આપી કે બીજી વખત આવું થયું તો બંને વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. ગોરખપુરના ગગહા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યાં મંઝગાંવામાં એક પરિવારમાં સાસુ-પુત્રવધૂ ઘરમાં એકલા જ રહેતા હતા. બંનેના પતિ…