ગુજરાત પોલીસને સ્માર્ટ અને શાર્પ બનાવવા માટે 50 કરોડ રૂપિયાના ખર્ચે 10000 બોડીવોર્ન કેમેરા વસાવવામાં આવશે. આ વર્ષે 7060 કરોડ રૂપિયાનું બજેટ ગુજરાતની શાંતિ અને સલામતી માટે તેમજ પોલીસ તંત્રને આધુનિક બનાવવા માટે ફાળવવામાં આવ્યું છે. પોલીસે શરીર પર લગાવેલા બોડી વોર્ન કેમેરાથી 50થી 60 મિટરની રેન્જમાં સામેની વ્યક્તિની ગતિવિધિ લાઈવ અથવા રેકોર્ડિંગથી કેદકરી લેવામાં આવશે. આ કેમેરાથી પોલીસ સાથેના લોકોના ઝઘડા પર અંકુશ આવશે તે સાથે જ પોલીસને ગંભીર ગુનામાં દિશા મળવા ઉપરાંત પુરાવા એકત્ર કરવામાં સરળતા પડશે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ બોડી વોર્ન કેમેરાનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન નિહાળ્યા પછી કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ગુજરાત…
કવિ: Dharmistha Nayka
જ્યારે આપણે મુસાફરી માટે અથવા કોઈ શુભ કાર્ય માટે ઘરેથી નીકળીએ છીએ અને અચાનક કોઈને છીંક આવે છે કે બિલાડી રસ્તો કાપી નાખે છે, ત્યારે આપણા મનમાં અનેક પ્રકારની આશંકા ઉભી થાય છે. તેનું કારણ એ છે કે નાનપણથી જ આપણને આ બાબતો વિશે કહેવામાં આવે છે કે મુસાફરી દરમિયાન અથવા ઘરેથી નીકળતી વખતે આવી ઘટનાઓ અશુભ સંકેતો આપે છે. પરંતુ આ માત્ર અંધશ્રદ્ધા જ નથી પરંતુ જ્યોતિષશાસ્ત્ર સંબંધિત માન્યતાઓ છે જે સકારાત્મક કે નકારાત્મક દ્રષ્ટિથી જોવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક સંકેતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે પ્રવાસ દરમિયાન અથવા ઘરની બહાર નીકળતી વખતે જોવા મળે છે, તો…
પશ્ચિમના દેશોમાં શરૂ થયેલી સરોગેસીનું ચલણ હવે સમગ્ર દુનિયામાં પ્રચલિત થયું છે પરંતુ જો માણસોના બાળકો કોઈ જાનવરની કૂખેથી જન્મ લે, એ દિવસ દૂર નથી જ્યારે માણસોના બાળકો જાનવરોની કૂખેથી જન્મ લે, જાપાનના વૈજ્ઞાનિકો હવે આ કલ્પનાને વાસ્તવિકતામાં પરિવર્તિત કરવાની દિશામાં કામ કરી રહ્યાં છે. જાપાનની સરકારે ત્યાંની એક સ્ટેમ સેલ વૈજ્ઞાનિકોને એક ખાસ શોધ માટે સરકારી મદદ પહોંચાડવાની શરૂઆત કરી છે. આ વૈજ્ઞાનિક એ ફોર્મ્યૂલા પર કામ કરી રહ્યાં છે. જેનાથી પશુઓના ગર્ભમાં માનવ કોશિકાઓને વિકસિત કરી શકાશે. તેનો અર્થ એ થયો કે જાનવર કે પશુ એક પ્રકારે સરોગેટ મધરની ભૂમિકા નિભાવશે. જાપાનની યૂનિવર્સિટી ઓફ ટોક્યોમાં સ્ટેમ સેલની આગેવાની…
પૌરાણિક કથા:- પૌરાણિક ગ્રંથો પ્રમાણે ભગવાન સૂર્ય સાત ઘોડા ઉપર સવાર થઇને બ્રહ્માંડની પરિક્રમા કરે છે. તેમને ક્યારેય અટકવાની મંજૂરી નથી કેમ કે, તેમના અટકી જવાથી જનજીવન અટકી જાય છે. એકવાર તેમના રથ સાથે જોડાયેલા ઘોડા સતત ચાલવા અને આરામ ન મળવાના કારણે ભૂખ્યા-તરસ્યા થાકી ગયા. તેમની આ દશા જોઇને સૂર્યદેવ દુઃખી થઇ ગયા. ભગવાન સૂર્ય તેમને એક તળાવના કિનારે આરામ કરવા માટે લઇ ગયા, પરંતુ તેમને ત્યારે જ આભાસ થયો કે જો રથ અટકી ગયો તો અનર્થ થઈ જશે. પરંતુ ઘોડાઓનું સૌભાગ્ય હતું કે તળાવના કિનારે બે ગધેડા હાજર હતા. એવામાં ભગવાન સૂર્ય ઘોડાને આરામ અને પાણી પીવા માટે…