ભારતીય સૈન્ય તેની તાકત વધારવા જઇ રહી છે. તેના હેઠળ સેના આત્મનિર્ભર જંગી સમૂહ બનાવશે. આ યૂનિટનું નામ ઇન્ટીગ્રેટેડ બેટલ ગ્રુપ (IBG) હશે. તેને જરૂરી સમયે ઝડપી તૈનાત થઇ જશે અને તેની મારક ક્ષમતા પણ વધારે હશે. આ યૂનિટ તમામ જરૂરી વિસ્ફોટ અને અન્ય વસ્તુઓથી સજજ હશે. તેના દ્વારા જરૂરિયાતન સમયે પાકિસ્તાન અને ચીનને મજબૂત ટક્કર આપવામાં મદદ મળશે.પ્રથમ ઇન્ટીગ્રેટેડ બેટલ ગ્રુપ 2022ની શરૂઆતમાં સ્થાપિત કરાશે. તેમાં 5000 જવાન હશે. ઉપરાંત આ આઈબીસીમાં ટેંક, તોપ, એર ડિફેન્સ સિસ્ટમ, સિગ્નલ એન્જીનિયર અને અન્ય જરૂરી સંસાધન ઉપલબ્ધ હશે. સૈન્ય તેની 9 કોર્પ્સ, 17 કોર્પ્સ (પાનગઢ) અને 33 કોર્પ્સ (સુકના) પહેલા 8થી 10…
કવિ: Dharmistha Nayka
ગુજરાતમાં બરાબર એક મહિના અગાઉ કોરોનાથી ભયાવહ સ્થિતિ હતી અને 12 હજારથી વધુ દૈનિક કેસ-૧૨૦થી વધુના મૃત્યુ નોંધાઇ રહ્યા હતા. પરંતુ છેલ્લા બે સપ્તાહથી કોરોનાના કેસમાં થઇ રહેલા સતત ઘટાડાથી રાહતજનક ચિત્ર સામે આવી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૪૮ નવા કેસ નોંધાયા છે જ્યારે ૧૨ના મૃત્યુ થયા છે. ગુજરાતમાં ૯૦૦થી ઓછા કેસ નોંધાયા હોય તેવું ૮૨ દિવસે જ્યારે ૧૫થી ઓછા મૃત્યુ નોંધાયા હોય તેવું ૬૩ દિવસમા પ્રથમવાર બન્યું છે. આ ઉપરાંત ૭ એપ્રિલ બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ૨૦ હજારથી નીચે ગયો છે. રાજ્યમાં હાલ ૧૮,૦૦૮ એક્ટિવ કેસ છે જ્યારે ૩૭૧ દર્દી વેન્ટિલેટર પર છે.ગુજરાતમાં કોરોનાના કેસો સતત ઘટી…
ભારતમાં કોરોનાના કેસો સતત ઘટી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાના ઇલાજ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે 27 મેના રોજ જાહેર કરેલી ગાઇડલાઇનમાં સંશોધન કરી લક્ષણો વગરના અથવા તો સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓના ઇલાજ માટે નવી સંશોધિત ગાઇડલાઇન જાહેર કરી છે. જે અંતર્ગત એન્ટિપાઇરેટિક અને એન્ટિટ્યૂસિવને બાદ કરતા અન્ય તમામ દવાઓ સારવારમાંથી હટાવી દેવામાં આવી છે.સંશોધિત ગાઇડલાઇન મુજબ હવે લક્ષણો વગરના અથવા તો સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને ડોક્ટરો દ્વારા અપાતી હાઇડ્રોક્સિ ક્લોરોક્વિન, આઇવરમેક્ટિન, ડોક્સીસાઇક્લિન, ઝિંક, મલ્ટી વિટામીન તેમજ અન્ય દવાઓને બંધ કરવામાં આવી છે. હવે દર્દીઓને ફક્ત તાવ માટે એન્ટિપાઇરેટિક અને શરદી-ઉધરસ માટે એન્ટીટ્યૂસિવ જ આપવામાં…
અત્યાર સુધી તમે દુનિયામાં કેટલીય રહસ્યમયી વસ્તુઓ વિશે સાંભળ્યું હશે. એમાં કેટલીક એવી માહિતી તમને હેરાન કરી દેનારી હશે તો કેટલીક એવી વસ્તુઓ હશે જેને સાંભળીને તમે પોતે વિચારમાં પડી જશો. દુનિયામાં કેટલાય એવા રહસ્યમયી ગામ છે જેના બાબતમાં માહિતી સાંભળતો તો તમે પોતે વિશ્વાસ પણ નહીં કરી શકો. મેક્સિસોનું એક વિચિત્ર ગામ છે જેમાં દરેક કોઈ દિવ્યાંગ છે.મેક્સિકો સ્થિત ટિલ્ટેપક ગામને અંધ લોકોનું ગામ કહેવાય છે. અહીં રહેનારા માણસો સાથે જ દરેક પશુ પણ આંધળા છે. આ જાણીને તમે હેરાન થઈ શકો છો પરંતુ આ વાત બિલકુલ સત્ય છે. એની પાછળ કોઈ મોટું રહસ્ય બતાવાઈ રહ્યું છે. આ ગામના…
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ બાદ ગુજરાત કોંગ્રેસમાં ધરખમ ફેરફારની તૈયારી કરવામાં આવી રહી છે. ચૂંટણીમાં મળેલી હાર બાદ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યુ હતુ. ત્યારે અર્જુન મોઢવાડીયા અને ભરતસિંહ સોલંકી માંથી એક નેતાને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી શકે છે.તો બીજી તરફ પુંજા વંશ અને શૈલેષ પરમાર માંથી એક ધારાસભ્યને વિપક્ષના નેતાનું પદ મળી શકે છે. મળતી માહિતી પ્રમાણે પુંજા વંશ નવા નેતા વિપક્ષ બને તેવી પ્રબળ શક્યતા છે. જો અર્જુન મોઢવાડીયા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનશે તો શૈલેષ પરમાર વિપક્ષના નેતા બની શકે છે. ભરતસિંહ સોલંકી અધ્યક્ષ બનશે તો પૂંજા…
જયપુરથી ગેંગરેપનો એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ગુસ્સે ભરાયેલી મોટી બહેને તેની 2 નાની સગીર બહેનોને સાથ ન આપવાના કારણે તેના પર સામુહિક દુષ્કર્મ કરાવ્યો. આ મામલો સામે આવ્યો ત્યારથી પોલીસે અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરી છે.સામુહિક દુષ્કર્મની આ સનસનીખેજ ઘટના જયપુરના પ્રતાપ નગરની છે. 2 મેના રોજ બે સગી બહેનો સાથે થયેલા સામુહિક દુષ્કર્મના કેસમાં પ્રતાપ નગર પોલિસ સ્ટેશનને મોટી સફળતા મળી છે. પોલીસે કાર્યવાહી કરતા 6 લોકોની સામુહિક દુષ્કર્મના કેસમાં ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં 3 સગીર પણ સામેલ છે. પોલીસ મુજબ સામુહિક દુષ્કર્મ મામલે બંને બહેનોની મોટી બહેન સહિત વધુ બે લોકોની ધરપકડ…
કોરોના સંક્રમણકાળમાં જોધપુર શહેરમાં એક હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. કોરોના સંક્રમણના ભયના કારણે મૃતકોના પરિજન તેમની અસ્થિઓનું વિસર્જન કરવામાં પણ ઘબરાવી રહ્યા છે, પરંતુ જોધપુર શહેરમાં પોસ્ટ વિભાગે તેનો રસ્તો શોધી લીધો છે. પોસ્ટલ વિભાગે અસ્થિ વિસર્જન કરવાની પહેલ કરતા તેના માટે નવી યોજના શરૂ કરી છે. પોસ્ટ વિભાગે આ યોજના હેઠળ મૃતકના પરિજન તેમની અસ્થિ વિસર્જનને ઓનલાઇન જોઇ શકશે.જોધપુર શહેરમાં કોરોનાના કારણે અને સામાન્ય મૃત્યુ થવાથી જે મૃત્યુ પામ્યા છે, તેમની અસ્થિઓનું વિસર્જન નથી થયુ. એવા મામલાઓ માટે પોસ્ટ વિભાગે દિવ્ય દર્શન સંસ્થા સાથે કરાર કર્યો છે. અસ્થિઓના વિસર્જન સાથે સંબંધિત તમામ કર્મકાંડની જવાબદારી હવે પોસ્ટ વિભાગે…
સામાન્ય રીતે કિચનને મહિલાઓનું ક્ષેત્ર ગણવામાં આવે છે. દરેક ઘરમાં પહેલાથી જ સ્ત્રીઓ કિચન સંભાળતી નજરે પડે છે. પરંતુ જો અમે તમને એમ કહીએ કે ભારતમાં જ એક ગામડું છે, જ્યા પુરુષો કિચન સંભાળે છે, તો તમે વિશ્વાસ નહીં કરો. પરંતુ આ વાત સાચી છે. હકીકતમાં પુડુચેરીનું એક ગામ ‘વિલેજ ઓફ કુક્સ’ તરીકે ઓળખાય છે..પુડુચેરી સ્થિત કાલયુર ગામમાં પુરુષોને કિચન કિંગ માનવામાં આવે છે. છેલ્લા 5 સદીઓથી એટલે કે લગભગ 500 વર્ષોથી અહીંના રસોડામાં પુરુષોનું વર્ચસ્વ છે. આ ગામ પુડુચેરીથી 30 કિમી દૂર આવેલું છે અને અહીંના દરેક ઘરમાં એક મહાન રસોઇયા જોવા મળે છે. આ ગામમાં આશરે 80 જેટલા…
રશિયામાં એક દંપતિના 21 બાળકો છે અને અત્યારે પણ બાળકો ઇચ્છે છે. 56 વર્ષિય પતિ ઇચ્છે છે કે તેના કુલ 105 બાળકો હોય.મોસ્કોમાં રહેતી ક્રિસ્ટીના ઓજતુર્ક અને તેના 56 વર્ષિય પતિ ગૈલિપની થોડાક વર્ષો પહેલા જોર્જિયામાં મુલાકાત થઈ હતી. ત્યારે ક્રિસ્ટીનાની ઉંમર માત્ર 17 વર્ષ હતી અને ત્યારે પણ તે એક બાળકની સિંગલ મધર હતી. એ મુલાકાત પછી ક્રિટીના અને ગૈલિપ વચ્ચે નિકટતા વધી અને પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. ગૈલિપ ઓજતુર્ક એક અબજપતિ બિઝનેસમેન છે તેનું પ્રોપર્ટી અને ટ્રાન્સપોર્ટનું બિઝનેસ છે. ક્રિસ્ટીનાએ છેલ્લા 10 મહિનામાં જ સરોગસીની મદદથી 10 બાળકોને જન્મ આપ્યો છે. દંપતિને સરોગસીથી પહેલો બાળક માર્ચ…
મેદસ્વીપણાથી લડતા લોકો માટે રાહતના સમાચાર છે. અમેરિકાની સર્વોચ્ચ મેડિકલ સંસ્થા એફડીએએ મેદસ્વીપણાને ઘટાડવા માટેની દવાને પ્રમાણિત કરી છે, જે સ્થૂળતાને 15 ટકા ઘટાડે છે. જો કે તે ડાયાબિટીઝની દવા છે, પરંતુ અમેરિકામાં તેને મેદસ્વીપણાને ઘટાડવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવશે. વજન ઘટાડવાની દવાના નામે તેને બજારમાં લોન્ચ કરવામાં આવશે. આ દવાનું નામ વીગોવી (Wegovy) છે. તેને ફાર્માસ્યુટિકલ કંપની નોવો નોર્ડીસ્ક (Novo Nordisk) દ્વારા બનાવવામાં આવી છે.વીગોવી એ નોવો નોર્ડીસ્કની ડાયાબિટીસ દવા સેમાગ્લુટાઈડનું અપગ્રેડ કરેલું વર્ઝન છે. તે લાંબા સમય સુધી વજન ઘટાડવાની ક્ષમતા ધરાવે છે. જે લોકોએ દવા કંપની નોવો નોર્ડીસ્કના ટ્રાયલમાં ભાગ લીધો, તેમાં મેદસ્વી સામે લડી રહેલા…