બૃહન્નમુમ્બઇ મહાનગર પાલિકા(બીએમસી) સાર્વજનિક સ્થળો પર થૂંકવા પર થનાર દંડની રકમ 200 રૂપિયા વધારીને 1200 રૂપિયા કરવાનો વિચાર કરી રહી છે.બીએમસીના એક વરિષ્ટ અધિકારીએ મંગલવરરે આ જાણકારી આપી હતી.બીએમસીના પ્રમુખ ઇકબાલ સિંહ ચહલએ હાલમાં આવા એક પ્રસ્તાવને મંજૂરી આપી છે, જેના પ્રમાણે સાર્વજનિક સ્થળો પર થૂંકવા ઉપર લાગતા દંડની રકમ વધારી શકાય. બીએમસીના અધિકારીએ કહ્યું કે રાજ્ય સરકાર તરફથી મંજૂરી મળ્યા પછીજ આ લાગુ થઇ શકશે.આ લાગુ કરવા માટે મુંબઈ સ્વચ્છતા અને સફાઈ ઉપનિયમ 2006માં પરિવર્તન કરવું પડશે. નોંધપાત્ર છે કે પાછલા 6 મહિના દરમ્યાન બીએમસીએ સાર્વજનિક સ્થાનો પર થૂંકવાવાળા લોકો પાસેથી દંડ પેટે 28.67 લાખ રૂપિયા એકત્ર કર્યા હતા.
કવિ: Dharmistha Nayka
પેન્શન મેળવનારાઓ માટે પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) નંબર વધારે ખાસ હોય છે. ત્યારે તમને જણાવી દઇએ કે, આ નંબર ભૂલી જવા પર અથવા તો ખોવાઇ જવા પર તમારું પેન્શન પણ અટકી શકે છે. એમ્પ્લોય પેન્શન સ્કીમ (EPS) અંતર્ગત આવતા પેન્શનધારકોને PPO નંબર જારી કરવામાં આવે છે, જેની મદદથી તેઓ રિટાયરમેન્ટ (નિવૃત્તિ) બાદ પેન્શન પ્રાપ્ત કરી શકે છે.કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) પીપીઓ નંબર જારી કરે છે. તે 12 અંકોનો એક નંબર હોય છે. પીપીઓ નંબરની જરૂરિયાત પેન્શન મેળવનારાઓને દર વર્ષે હોય છે કે જ્યારે તેઓએ લાઇફ સર્ટિફિકેટ નંબર જમા કરવાનો હોય છે. PPO નંબર નહીં હોવાના કારણે પેન્શનધારકને અનેક પ્રકારની…
ઈરાનની નૌસેનાનું સૌથી મોટુ જહાજ આગ લાગવવાના કારણે બુધવારે ડૂબી ગયુ હતું. ઓમાનની ખાડીમાં થયેલી આ દુર્ઘટનાનું કારણ હજૂ સુધી સ્પષ્ટ થયુ નથી. ઈરાનની અર્ધ સરકારી સમાચાર એજન્સીએ આ પ્રકારની જાણકારી આપી છે. ખર્ગ નામનું આ જહાજને બચાવવાની કોશિશ કરવામાં આવી પણ અંતે તે ડૂબી ગયુ હતું.આ જહાજનું નામ ખર્ગ દ્વીપ પર રાખવામાં આવ્યુ હતું. જે ઈરાન પ્રમુખ તેલ ટર્મિનલ છે. મોડી રાતે 2.25 કલાકે આ જહાજમાં આગ લાગી હતી. ફાયરકર્મીઓને તેને ડૂબતુ બચાવવાની ખૂબ કોશિશ કરી હતી. પણ મહેનત પર પાણી ફરી વળ્યુ. આ જહાજ ઈરાનના જસ્ક બંદર પાસે ડૂબ્યુ હતું. જે તહેરાનથી 1270 કિમી દૂર છે. આ દુર્ઘટના…
આ દુનિયા અજીબોગરીબ શિલ્પસ્થાપત્યોથી ભરેલી છે. સમયાંતરે તેની પાછળના ખુલાસા થતા રહે છે. અનેક વાર તો એવી સચ્ચાઈ સામે આવે છે કે તેના પર વિશ્વાસ કરવો જ અઘરો થઇ જાય છે. ભારતમાં પણ એવા ઘણા મામલા સામે આવ્યા છે, આજે અમે તમને એક એવા સ્મરાકથી પરિચિત કરવા જય રહ્યા છીયે જેના વિષે જાણીને શક્ય છે કે તમે ચોંકી જશો. તમે જાણો જ છો કે પૌરાણિક સમયમાં દેશમાં કુવાઓ ખોદવામાં આવતા હતા જેથી પાણીની અછત ન થાય. પરંતુ, એક એવો પણ કૂવો છે કે જેની નીચે લગભગ 30 કિલોમીટર લાંબી સુરંગ પણ બનાવવામાં આવી છે. તો ચાલો જાણીયે તેના અંગેના રસપ્રદ…
રાજ્યમાં સસ્તા અનાજની દુકાને સરકારની અલગ અલગ યોજના અંતર્ગત ગરીબથી લઈને મધ્યમ વર્ગના લોકોને અનાજ નજીવા દરે પૂરું પાડવામાં આવે છે. જેમાં કોરોના મહામારીમાં સૌથી વધારે લોકોએ આ યોજનાનો લાભ લઈને અનાજ મેળવ્યું છે. જો કે ટ્રકમાં GPS (ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ) ન લગાડાતા ફૂડ એન્ડ સિવિલ સપ્લાય દ્વારા ટ્રાન્સપોર્ટર પાસે દંડ વસૂલાતા રેશનિંગની દુકાન સુધી અનાજનો જથ્થો નહીં પહોંચે. કારણ કે ટ્રાન્સપોર્ટર હડતાળ પર ઉતર્યા છે અને તેને યથાવત રાખી છે. જેથી ગરીબોને અનાજનો જથ્થો નહીં મળે. રાજ્યમાં અંદાજીત 72 લાખ કાર્ડ ધારકોને આ સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ પૂરું પાડવામાં આવે છે. પરંતુ આ સસ્તા અનાજની દુકાનનો અનાજ સપ્લાય કરતા…
આ પહેલા શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક પ્રવૃત્તિઓ બેફામ ચાલી રહી છે. કોરોનાના કપરા કાળમાં મીની લોકડાઉન વચ્ચે ગેરકાયદેસર દારૂ વેચાણના કિસ્સા સામે આવ્યા હતા. ત્યારે હવે શહેરમાં દેશી દારૂની હેરાફેરી પકડાઈ છે. અમદાવાદના ગોમતીપુરમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડ્યા હતા. જેમાં છોટા હાથીમાં ગુપ્ત ખાનુ બનાવી દેશી દારૂની હેરેફેરી કરાતી હોવાનું સામે આવ્યું હતું. આ રેડમાં કુલ 485 લીટર જેટલો દેશી દારૂ મળી આવ્યો હતો. જે ચોર ખાનું બનાવીને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવાઈ રહ્યો હતો. અમદાવાદના ગોમતીપુરમાં જગન્નાથ મહાદેવની ચાલી પાસેથી દેશી દારૂ ભરેલો ટેમ્પો મળી આવ્યો હતો. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા માં…
વિટામિન ડી આપણા શરીર માટે કેટલું જરૂરી છે તે તો બધા જાણે જ છે. વિટામિન ડીની ઉણપથી શરીરમાં કેટલાય પ્રકારની અસર પડી શકે છે. આપણે મોટાભાગે એવી ભૂલ કરી દેતા હોઇએ છીએ જેનાથી શરીરમાં વિટામિન ડીની ઉણપ સર્જાવા લાગે છે, એટલા માટે વિટામિન ડીની ઉણપના કારણોને જાણવાની ઘણી જરૂર હોય છે જેથી તમે આજે અને અત્યારથી આ ભૂલ કરવાથી બચી શકો. જો તમને લાગે છે કે માત્ર તડકામાં ઊભા રહેવું અથવા વિટામિન ડી સપ્લીમેન્ટ લેવું જ પૂરતું છે તો તમે ખોટું વિચારી રહ્યા છો. તમારે તમારી ભૂલો પણ સુધારવી પડશે જે તમારા શરીરમાં વિટામિન ડીની ઊણપનું કારણ બની રહી છે.…
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાઉ તે વાવાઝોડાથી અસરગ્રસ્ત માછીમારો-સાગરખેડૂઓને થયેલા વ્યાપક નુક્સાનમાંથી બેઠા કરી પૂર્વવત કરવા રૂપિયા 105 કરોડનું ઉદારતમ રાહત સહાય પેકેજ જાહેર કર્યુ છે. વાવાઝોડાની કુદરતી આફતથી માછીમારોને અને નાના-મોટા બંદરોને થયેલા નુક્સાન સામે રાજ્યના ઇતિહાસમાં સૌ પ્રથમવાર રૂ.105 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને-નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કોર કમિટીએ સર્વગ્રાહી રાહત સહાય પેકેજ મંજૂર કર્યું છે.સરકાર દ્વારા માછીમારો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવતા જાફરાબાદના માછીમારોમાં ખુશીનો માહોલ ઉભો થયો હતો. જાફરાબાદ ખારવા સમાજ બોટ એસોસિએશનના પ્રમુમ કનૈયાલાલ સોલંકીએ પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે નુક્શાની કરોડોની છે પરંતુ સરકાર દ્વારા રાહત જાહેર કરતા સરકારનો આભાર…
હિંદુ માન્યતાઓ પ્રમાણે આ વર્ષે જૂન મહિનો ખૂબ જ ખાસ છે. પરિણીતાઓનો ખાસ તહેવાર વટ સાવિત્રી અને શનિ જયંતી પણ આ મહિને આવશે. આ પ્રકારે જૂનમાં અનેક તહેવાર અને વ્રત આવી રહ્યા છે. આ મહિને વિધિવત પૂજા-પાઠ અને અનુષ્ઠાન કરવાથી લગ્ન, દેવું અને પારિવારિક કષ્ટોનું નિવારણ થઈ શકે છે. વર્ષ 2021નું પહેલું સૂર્યગ્રહણ 10 જૂનના રોજ છે. જોકે, તે ભારતમાં જોવા મળશે નહીં. આ સિવાય વટ સાવિત્રી વ્રત છે. આ વ્રત દર વર્ષે જેઠ મહિનાની પૂનમના દિવસે રાખવામાં આવે છે. પરિણીતાઓ માટે આ દિવસ ખાસ માનવામાં આવે છે. 6 જૂન, અપરા એકાદશીઃ આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિ…
હની ટ્રેપ મામલે ઝડપાયેલ મહિલા ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન પીઆઇ ગીતા પઠાણે કરેલી જામીન અરજી સામે સરકારે એફિડેવીટ રજૂ કરી હતી. જેમાં ગીતા પઠાણ સામે પુરતા પુરાવા હોવાથી તેમને જામીન ન આપવા રજૂઆત કરવામાં આવી હતી. આ મામલે સેશન્સ કોર્ટમાં બન્ને પક્ષની સુનાવણી પૂર્ણ થતા કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. ગીતા પઠાણ તરફે એડવોકેટ રફીક લોખંડવાલાએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે, ફરિયાદ ખોટી છે, તપાસમાં સહકાર આપ્યો છે, તેઓ એક પોલીસ અધિકારી છે તેથી નાસી કે ભાગી જાય તેમ નથી, પોલીસ તપાસમાં પણ સહકાર આપ્યો છે, કોર્ટ…